અમદાવાદ
હાર્દીક પટેલના ભાજપમાં આવવાથી કોના થશે સપના ચકનાચૂર !

હાર્દીક પટેલના ભાજપમાં આવવાથી કોના થશે સપના ચકનાચૂર !
આખરે હાર્દીક પટેલ કોંગ્રેસને અલવિદા કરી દીધી છે, જો કે હવે તમામની મીટ એના ઉપર મંડાઇ છે કે
હવે તે ક્યારે ભાજપમાં જોડાશે, અને તે ભાજપમાં જોડાશે તો કોના પેટમાં તેલ રેડાશે,, કોના સપના
ચકનાચૂર થશે, અને તે કઇ બેઠક ઉપર ચૂંટણી લડશે,, તેના ઉપર સૌની નજર છે
હાર્દીક પટેલનુ દિલ માંગે મોર, તો નરેશ પટેલ માટે ભાજપે કરી આ ખાસ ઓફર !
હાર્દીકે કોંગ્રેસને વિરોધ વાળી પાર્ટી ગણાવી
હાર્દીક પટેલ ત્રણ ભાષા અગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસને બાય બાય કરી દીધો,, પત્રમાં તેણે કોંગ્રેસને માત્ર વિરોધ કરનારી પાર્ટી ગણાવી છે,અને તેમાં નેતાઓ માત્ર વ્યક્તિગત સ્વાર્થ માટે કામ કરતા હોવાનો આરોપ લગાવ્યુ છે,, દેશ અને સમાજ હીતથી વિપરીતકાર્ય કરવાના કારણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે,,,છેલ્લા 3 વરસ દરમિયાન મે કોંગ્રેસમાં જોયુ છે, કોંગ્રેસ માત્ર વિરોધની રાજનિતી પુરતી સીમિત રહી ગઇ છે, જ્યારે બીજી તરફ દેશની જનતાને એવા વિકલ્પની જરુર છે.. જે દેશને આગળ જઇ જવા માટેની ક્ષમતારાખે છે, ભગવાન શ્રી રામનુ અયોધ્યામાં મંદિર હોય, સીએએ, એનઆરસીનો મુદ્દો, જમ્મુ કાશ્મીરમાં 370 હટાવવાની વાત હોય કે જીએસટી લાગુ કરવાની હોય, આવા મુદ્દાઓનો દેશ લાંબા સમયથી ઉકેલ ઇચ્છતો હતો, પણ કોંગ્રેસ માત્ર તેમાં અડચણ રુપ બની રહીદેશના મોટા ભાગના રાજ્યમાં કોંગ્રેસને લોકોએ નકારી કાઢી છે, કોંગ્રેસ કે કોંગ્રેસના નેતાઓ જનતા માટે રોડ મેપ રજુ કરી શક્યા નથી, કોંગ્રેસની નેતાગિરી જનતાના મુદ્દાઓને લઇને ગંભીર નથી, ગુજરાતના મોટા નેતાઓ પ્રજાના પ્રશ્નોથી દુર રહે છે, તેઓને માત્ર દિલ્હીથી
આવેલા નેતાઓને ચિકન સેન્ડવિચ મળી કે નહી તેની ચિન્તા હોય છે,
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
— Hardik Patel (@HardikPatel_) May 18, 2022
કપડવંજમાં ભાજપ કોના પર કરશે વિશ્વાસ- પરિવારવાદ જાતિવાદ કે પછી કાર્યકર્તા પર !
હાર્દીક કોના માટે બનશે રોડુ
પાટીદારોની લાગણી સાથે રમત રમીને આવેલા હાર્દીક પટેલે કોંગ્રેસ સાથે છુટા છેડા લઇ લીધા બાદ હવે ભાજપનો બીજ વર બનવાની તૈયારી કરી રહ્યો છે, સુત્રોની માનીએ તો ભાજપ પણ તેણે બીજ વર બનાવવા તૈયાર છે, ત્યારે જ્યોતિષ અને રાજકીય આકાઓની સુચના મુજબ આગામી સપ્તાહમાં ભાજપમાં જોડાશે, ત્યારે સુત્રોની માનીએ તો ભાજપ સાથે થયેલી સોદા બાજી મુજબ તે વિરમગામ વિધાનસભાની ચૂટણી લડીને આગામી સરકારમાં કેબીનેટ પ્રધાન બની શકે છે, જો કે ભાજપમાં હાર્દીક પટેલની તાજપોશી ભાજપના કેટલાક નેતાઓ માટે રોડુ બની શકે છે, હાર્દીક વિરમગામથી ચૂટણી લડશે તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ડો તેજશ્રી બેન પટેલને મોટો ઝાટકો લાગશે, 2017માં તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર લાખા ભાઇ ભરવાડ સામે ચૂંટણી હારી ગયા હતા, ત્યારેઆ વખતે વિરમગામથી તેમની ટિકીટ નિશ્ચિત માનવામાં આવતી હતી, આ સિવાય અમદાવાદ જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ કમા ભાઇ રાઠોડ, અમદાવાદ જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ અને માંડલના પુર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલ, પ્રદેશ ભાજપ લીગલ સેલના પુર્વ કન્વીનર જે જે પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી અને પુર્વ ધારાસભ્ય વજુ ભાઇ ડોડીયાના પુત્ર નવદી સિહ ડોડીયા,પ્રદેશ ભાજપ યુવા મોર્ચાના પુર્વ પ્રમુખ અને ગુજરાત ભાજપના સહ પ્રવક્તા રુત્વિજ પટેલ ઉપરાંત અમદાવાદ મહાનગર પાલિકામા સત્તાપક્ષના પુર્વ દંડક અને વેજલપુરના કોર્પોરેટર અને ઠાકોર સમાજનાસિનિયર આગેવાન રાજુ ભાઇ ઠાકોરના વિધાનસભા પહોચવાના અરમાનો ઉપર પાણી ફરી વળશે,
હાર્દીક પટેલ અને નૌતમ સ્વામી વચ્ચે મુલાકાત – કુછ તો લોગ કહેંગે
ભાજપના કાર્યકર્તાઓમા ભાજપ વિરોધી વલણ
ભાજપમાં ગણગણાટ શરુ થઇ ગઇ છે કે હાર્દીક પટેલ જેવા જાતિવાદી નેતા, ગુજરાતની શાંતિને ડહોળનાર, પાટીદાર યુવાઓને ગેરમાર્ગે દોરીને નિર્દોષ યુવાઓને શહીદ કરનાર હાર્દીક પટેલ માટે ભાજપ શા માટે રેડ કાર્પેટ પાથરી રહી છે,
શુ ભાજપને પોતાના પરિશ્રમી,તન મન ધનથી પાર્ટી માટે પરસેવો પાડનાર,દેવતુલ્ય કાર્યર્તાઓ ઉપર વિશ્વાસ નથી રહ્યો કે હાર્દીક પટેલને માથે બેસાડવા પડે છે, ભાજપની એવી શુ મજબુરી છે કે જે હાર્દીકે ભાજપના ટોચના નેતાઓને
જનરલ ડાયર કહ્યા હોય સાથે તત્કાલિન સીએમ આનંદી બેન પટેલ કે ગુજરાતના પાટીદારોનુ ગૌરવ હતું એક માત્ર મહિલા મુખ્ય મંત્રી જેને સત્તાથી દુર કરવામાં મોટી ભુમિકા ભજવી હોય,તેના માટે આટલો બધો પ્રેમ ભાજપના કયા નેતાને ઉભરાયો છે તેવી પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓમાં ચર્ચાઓ શરુ થઇ ગઇ છે,ત્ચારે યાદ રાખવાની જરુર છે કે ભાજપના અસંતુષ્ઠો હાર્દીકને ભારે પડી શકે છે, જે પ્રકારે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર,અને ધવલ ઝાલાની ભાજપમા તાજપોશી બાદ બાયડ અને રાધનપુરમાં
પેટા ચૂટણીમાં થયેલ કારમો પરાજય થયો હતો,,એ પ્રકારે હાર્દીકને પણ વિરમ ગામમાં હરાવવાની યોજના પણ તૈયાર થઇ હોવાની ચર્ચા પણ છે, ભુતકાળમાં શંકર સિહ વાધેલાને ગાંધીનગરથી સ્પેશિયલ ગોધરા લોકસભા ચૂટણી લડાવીને
હરાવવામાં આવ્યા હતા,
આર એસ એસની ભગિની સંસ્થાએ યોગેશ ગઢવી ઉપર પગલા ભરવા કેમ કરી માંગ
હવે નરેશ પટેલ સહિત કેટલાક ધારાસભ્યો પણ ભાજપમાં જોડાશે !
હાર્દીક પટેલ હવે કોંગ્રેસમાંથી છુટા છેડા લીધા છે,,ત્યારે ખોડલધામના પ્રણેતા પાટીદાર સમાજનુ ગૌરવ નરેશ પટેલ હાર્દીક પટેલના સમર્થક રહ્યા છે, ત્યારે તેઓ પણ હાર્દીક પટેલના માર્ગે કેસરિયાની વાટ પકડે તો નવાઇ નહી,, તેઓ પણ હાર્દીક પટેલની
જેમાં ગુજરાત વિધાનસભા અથવા લોકસભાનો માર્ગ પકડી શકે છે,તે સિવાય હાર્દીક પટેલ સાથેના કેટલાક કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે છે, જેમા લલીત વસોયા, લલીત કગથરા,કિરીટ પટેલ, સહિના ધારાસભ્યો પણ જોડાય તેવી સંભાવના વર્તાઇ રહી છે,
યોગથી સુદરતા કઇ રીતે જાળવશો- યોગથી સુંદરતા જાળવતી ભારતિય અભિનેત્રીયો
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ