Connect with us

PATAN

ગુજરાતમાં દલિત સમાજના યુવકના વરઘોડા પર કોણે કર્યો પત્થરમારો !

Published

on

ગુજરાતમાં દલિત સમાજના યુવકના વરઘોડા પર કોણે કર્યો પત્થરમારો !

એક તરફ સમગ્ર દેશમા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે,,ત્યારે બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીના ગુજરાતમાં દલિત સમાજનો યુવાન ઘોડા પર બેસીને લગ્ન કરવા પણ જઇ શકતો નથી,, આ વખતે ઉત્તર ગુજરાતના
પાટણ જિલ્લાની છે, જ્યાં પોલીસની હાજરીમાં દલિત યુવાન યુવાનના વરઘોડા ઉપર પત્થર મારો થયો અને પોલીસ મુક પ્રેક્ષક બની રહી છે, મહત્વની વાત એ છે કે દલિત યુવાન અને તેના પરિવારને પહેલે થી જ આશંકા હતી કે જેથી પોલીસ બંદોબસ્ત માગ્યો હતો, છતાં પત્થર મારો થયો અને વરરાજા સહિત આઠ લોકો ઇજાગ્રસ્ત થયા,,

અતિ પછાત જ્ઞાતીમાં ભાજપમાં કોનો મેળ પડશે

પાટણના ભાટસણ ગામે દલિત યુવાનનો વરઘોડો નિકળ્યો હતો. ભાટસણ ગામના ઇતિહાસમાં પ્રથમ વખત અનુસૂચિત સમાજના યુવાનના લગ્નમાં વરઘોડાનું આયોજન કરાયું હતું. જેને લઇને ગામમા જ કેટલાક સમાજના લોકોએ વિરોધ નોધાવ્યો હતો, અને તેમને વરધોડો ન કાઢવા માટે ગર્ભીત ચિમકી આપી હતી, જો કે દલિત યુવાન અને તેનો પરિવાર મકકમ હતો, એટલે ગામના માથા ભારે તત્વો સામે વશ થવાના બદલે તેઓએ પાટણ જીલ્લા પોલીસની મદદ માંગી,, પાટણ જિલ્લા પોલીસના ચુનંદા
અધિકારીઓ અને કર્મચારીઓ ગુરુવારે સવારે ગામમાં આવી પહોચ્યા, પોલીસની હાજરીમાં રંગે ચંગે બેન્ડ વાજા સાથે વરઘોડો નિકળ્યો,વરધોડામાં પરિવાર પણ જોડાયો, જો કે વરધોડો થોડો આગળ પહોચ્યો ત્યાં તો વરરાજા અને અને તેના પરિવાર ઉપર
પોલીસની હાજરીમાં જ ભારે પત્થર મારો શરુ થયો, ખુશીના પ્રસંગમાં ચીસા ચીસમાં ફેરવાઇ ગયો, જેને જ્યાં જગ્યા મળી તેઓ પોતાને બચાવવા ભાગવા લાગ્યા, અસામાજીક તત્વોએ મંડપ સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં મંડપનો કેટલોક ભાગ પણ સળગી ગયો હતો, આ ઘટનામાં વરરજા સહિત આઠ લોકો ઘાયલ થયાં,,108 એમ્બ્યુલંશ આવી,, વરરાજાને 108ની ટીમે પ્રાથમિક સરવાર આપી,, આ ઘટનાના પગલે ઘોડા વાળો પણ ભાગી ગયો, પોલીસે આ ઘટનામાં સાત લોકોની અટકાયત કરી,, અને સમાજના આગેવાનોને ભેગા કરીને શાંતિ સુલેહ કરાવી દીધી,,
અતે બીજી ઘોડી મંગાવીને રંગે ચંગે, ડીજેના તાલ ઉપર ઘાયલ વરરાજાનું વરઘોડો નિકળ્યો લગન સમ્પન્ન થયા,,

કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને

Advertisement

સંઘે રાજ્ય સરકારને દલિત વિરોધી તત્વોને ડામવા આપી સલાહ

નેશનલ ક્રાઇમ રેક્રોર્ડ બ્યુરોના લેસ્ટેસ્ટ રિપોર્ટ મુજબ,ગુજરાતમાં દલિતો ઉપર અત્યારચારના 1300 કરતા વધુ ઘટના બની છે,,જેને લઇને આર એસ એસના વરિષ્ઠ પ્રચારક દ્રારા ગુજરાત ભાજપના મુખ્યાલય કમલમમાં ખાસ બેઠકનુ આયોજન કરાયુ હતું
જેમાં રાજ્યમાં દલિતો ઉપર વધી રહેલા હુમલાઓને ચિન્તા વ્યક્ત કરાઇ હતી, આ પ્રકારની ઘટના ન બને તે માટે ભાજપ સંગઠન અને સરકારને સૂચનો કરાયા હતા,,કે રાજ્યમાં સમાજીક સમરસતાનો વાતાવરણ બને સમાજમાં ઉચ નિચની જે ભાવના ઘર કરી ગઇ છે તે દુર કરવામાં આવે એ માટે વધુ પ્રયાસો કરવામા આવે, સાથે દલિત વિરોધી માનસિકતા ઘરાવતા તત્વો, અને હિન્દુ સમાજને તોડવા પ્રયત્ન કરતા તત્વોને ડામવા ત્વરીત પગલા ભરીને સમાજમાં દાખલો બેસાડવાની સલાહ અપાઇ હતી,

મણિનગર તોડ કાંડમાં માછલીઓ વિરુધ્ધ એફઆઇઆર-મગરમચ્છ સામે ક્યારે પગલા !

મોદીજી કી બેટી પાકિસ્તાનને સુધારશે !

Advertisement

ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !

PATAN

પાટણ જિલ્લા સહકારી દ્વારા જિલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો

Published

on

 

પાટણ જીલ્લા સહકારી સંઘ દ્વારા આજે પાટણ ખાતે કૉ.ઓપરેટીવ બેંક અને ક્રેડિટ સોસાયટીઓનો જીલ્લા કક્ષાનો સેમિનાર NCUI,ન્યૂ દિલ્હી,ઇફ્કો અને ગુજકોમાસોલનાના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને અને તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સદસ્ય રાષ્ટ્રીય મહિલા આયોગ ડો.રાજુલબેન દેસાઈ, રાષ્ટ્રીય હોર્ટીકલચર બોર્ડના ડિરેક્ટર મનીષ દિલીપભાઈ સંઘાણી ,સંઘના ચેરમેન સુરેશભાઇ પટેલ,ઉત્તર ગુજરાત કો ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીઝ ફેડરેશન લી.મહેસાણા અને પાટણ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શ્રી હરિભાઈ પટેલ,કાર્યક્રમના તજજ્ઞ તરીકે રાજ્ય સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર રાજેન્દ્રભાઈ ત્રિવેદી ,માનદ મંત્રી પ્રભુદાનભાઈ ગઢવી ,સંઘના મેનેજર ભરતભાઇ રાજ્પુરોહિત,જિલ્લા સહકારી સંઘ બોર્ડ ઓફ ડાયરેક્ટર,જિલ્લાની બેંકો અને ક્રેડિટ સોસાયટીઓના ચેરમેન,ડિરેક્ટર અને મેનેજરો મળી કુલ-૧૭૦ સહકારી આગેવાનોએ સેમિનારમાં ભાગ લીધો હતો.

Continue Reading

PATAN

પોલીસ દમન ના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા પાટણ માં અભિજીત બારડ ના નેતૃત્વ માં યોજાઈ રેલી

Published

on

પોલીસ દમન ના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા પાટણ માં અભિજીત બારડ ના નેતૃત્વ માં યોજાઈ રેલી

પોલીસ દ્વારા ઠાકોર સમાજના યુવાનો પર કરાયેલા દમન ના વિરોધમાં ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા અભિજીત બારડ ના નેતૃત્વમાં પાટણમાં ગાંધી બાગ ખાતે ક્ષત્રિય સમાજે રેલી યોજી હતી તેઓ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.અને આવેદનપત્ર આપ્યું હતું..અને રજુઆત કરી હતી કે ઠાકોર સમાજ ના યુવાનો પર દમન ગુજારનાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે આરેલી માં મોટી સંખ્યા માં ક્ષત્રિય સમાજના યુવાનો જોડાયા હતા

 

 

Continue Reading

PATAN

પોલીસ દમન ના વિરોધમાં યુવા ક્ષત્રિય સમાજ સેના ગુજરાત દ્વારા પાટણમાં રેલી નું કરાયું આયોજન

Published

on

પાટણ જિલ્લાના વામ્યા ગામના યુવાન ને પોલીસ દ્વારા ઢોર મારવાના મામલે ક્ષત્રિય સમાજ દ્વારા અભિજીત રાઠોડ ના નેતૃત્વ માં પાટણ ખાતે શનિવારે રેલી યોજવામાં આવશે.સવારે 11 વાગ્યે ક્ષત્રિય સમાજના યુવાનો ગાંધી બાગ  પાટણ ખાતે એકત્રિત થઇ ને પાટણ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર જવાબદાર લોકો સામે પગલાં ભરવા માટે માંગ કરાશે.

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.