Connect with us

અમદાવાદ

આનંદી બેન પટેલને રાષ્ટ્રપતિ બનાવવા કોણે શરુ કરી ઝુંબેશ !

Published

on

આનંદી બેન પટેલને રાષ્ટ્રપતિ બનાવવા કોણે શરુ કરી ઝુંબેશ !

રાષ્ટ્રપતિ ચૂંટણી જાહેર, ચર્ચામાં કેમ છે ગુજરાત !

દેશમાં જ્યારે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીના શંખનાદ થઇ ચુક્યા છે,ત્યારે ગુજરાતમાંથી પુર્વ મુખ્ય પ્રધાન અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ માટે હવે ગુજરાતના વિવિધ વોટ્સએપ ગ્રુપમાં રાષ્ટ્રપતિ બનાવવા માટે ઝુંબેશ શરુ કરી દેવાઇ છે
નિશ્ચિત ગ્રુપોમાં સીધો સંદેશો આપવામા આવી રહ્યો છે કે રાજકીય કાવાદાવાના કારણે આપણા અને સમાજ દ્વારા કરવામાં આવેલી ભુલો સુધારવાનો એક મોકો મળ્યો છે તેને વધાવી લો, દિલથી આનંદી બેન પટેલને સમર્થન કરીને ભારતના 16માં
રાષ્ટ્રપતિ બને તે માટે ઝુબેશ ચલાવીએ,, એટલુ જ નહી પોતાના આઇ ડી પર આનંદી બેન પટેલના હેસટેગ ચલાવવાનો આહ્વાન કરાવાયો છે,

રાષ્ટ્રપતિની ચૂંટણી-ઉમેદવારીથી નિમણૂક સુધીની પ્રક્રિયાને જાણો

Advertisement

દેશનો સર્વૌચ્ચ પદ એટલે કે રાષ્ટ્રપતિ પદ,, ત્યારે તેની ચૂટણીનો ટાઇમ ટેબલ જાહેર થઇ ગયો છે,15 જુનના રોજ ચૂટણીની જાહેરાત કરાશે ચૂંટણી માટે કુલ વોટ વેલ્યુ 1080131 છે,જેમાં ઉમેદવારને 540065થી વધુ મુલ્યોના મત મળશે તેને જ રાષ્ટ્રપતિ
પદનો તાજ પહેરાવાશે,, એનડીએ પાસે હાલ 532139 વેલ્યુના મતો છે, એટલે કે તેને માત્ર 7926 મુલ્યોના મતો જોઇએ છે, આ વખતે એનડીએ મજબુત સ્થિતિમાં છે, રાજ્ય સભા અને લોકસભાના મળીને 776 સાંસદો પૈકી 448 સાંસદ જ્યારે
4033 ધારાસભ્યો પૈકી 1737 ધારાસભ્યો ભાજપ પાસે છે, એટલે માનવામાં આવે છે કે આ વખતે ભાજપ ઇચ્છે તેને રાષ્ટ્રપતિ બનાવી શકે છે,,ત્યારે સુત્રોની માનીએ તો ભાજપ પાસે અનેક નામો છે,,ત્યારે દેશના સૌથી વધુ જનસંખ્યા
ધરાવતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલનુ નામ પણ રાષ્ટ્રપતિ માટે ચર્ચામા છેે,પરિણામે ગુજરાતની રાજનિતિમાં પણ આ વાતને લઇને ગપ સપ થઇ રહી છે,

દેશમાં કુલ 16 રાષ્ટ્રપતિ બની ચુક્યા છે, જેમાંથી કોગ્રેસના 8, અપક્ષ 4,જ્યારે એક એક ભારતિય જનતા પાર્ટી અને જનતા પાર્ટીના રહ્યા છે,
આ વખતે કુલ 776 સાસંદ અને 4033 ધારાસભ્યો રાષ્ટ્રપતિ ચૂંટશે,, રાજ્યસભાના 227, અને લોકસભાના 540 સાસંદમાંથી 448 સાંસદ એનડીએના છે,,દરેકની વોટ મુલ્ય 700 છે,
જ્યારે 4033 ધારાસભ્યો પૈકી 1737 ધારાસભ્યો એનડીએ પાસે છે, જેમાં રાજ્ય પ્રમાણે ધારાસભ્યોના વોટ મુલ્ય અલગ અલગ હોય છે જેમ કે યુપીના ધારાસભ્યોની વોટની સંખ્યા 208 તો ગુજરાતના ધારાસભ્યોના મતોનુ મુલ્ય 147 હોય છે,
રાષ્ટ્રપતિ બનવા માટે સાસંદો અને ધારાસભ્યોના વોટના કુલ મુલ્યના 50 ટકા વોટ મળવા જરુરી છે, 2017માં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને 10.69 લાખમાથી 7.02 લાખ વોટ મળ્યા હતા,

અત્યાર સુધી માત્ર નિલમ સંજીવા રેડ્ડી બિન હરીફ ચૂંટાયા

Advertisement

દેશમાં 16મી રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવીછે, છેલ્લી 15 રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં માત્ર 1977માં થયેલી સાતમી રાષ્ટ્રપિત ચૂંટણીમાં નીલમ સંજીવ રેડ્ડી બિન હરિફ ચૂંટાયા હતા,, આ સિવાય તમામ 14 ચૂંટણીમાં વોટિંગ થયુ હતું
આ ચૂટણી માટે કુલ 37 ઉમેદવારો માટે નામાંકન થયુ હતું પરંતુ 35 ઉમેદવારોએ નામ પરત લેવાના કારણે નિલમ સંજીવા રેડ્ડી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા,જ્યારે નિલમ સંજીવ રેડ્ડીએ પાચમા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ઝંપલાવ્યુ હતું ત્યારેતેમને 3.13548 મત મળ્યા હતા, જ્યારે તે ચૂટણીમાં 401515 મત મેળવીને વી વી ગીરી વિજયી થયા હતા, તે સમયે ઉપરાષ્ટ્રપતિ વી વી ગિરી સ્વતંત્ર ઉમેદવાર હતા, જ્યારે રે્ડડી કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર હતા, પહેલી અને બીજી ચૂંટણીમાં ડો રાજેન્દ્ર પ્રસાદ ચૂંટાયા હતા
ત્રીજી ચૂટણીમાં ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનની સામે બે ઉમેદવાર હતા, 1867માં યોજાયેલી ચૌથી ચૂટણીમાં 17 ઉમેદવારોની વ્ચચે મુકાબલો થયો હતો,ત્યારે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવારોની આ સોથી વધુ સંખ્યા હતી, જેમાથી 9 ઉમેદવારોને શુન્ય મત પ્રાપ્ત
થયા હતા, આ ચુટણીમાં વી વી ગિરી રાષ્ટ્રપતિ ચૂંટાયા હતા, પ્રથમ પાચ ચૂટણીમાં હરિરામ ચૌધરીએ હિસ્સો લીધો હતો, તેઓએ સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ પદની ચૂટણીમાં હિસ્સો લીધો, આ ઉપરાંત કૃષ્ણ કુમાર ચેટર્જી પણ ત્રણ વાર રાષ્ટ્રપતિ ચુટણીઓમાં હિસ્સો લીધો હતો, છઠ્ઠી રાષ્ટપતિની ચુટણીમાં ત્રિદિવ ચૌધરીને હરાવીને ફખરુદ્દીન અલી અહેમદે વિજય પ્રાપ્ત કર્યું..આ પહેલી ચૂટણી હતી જેમાં માત્ર બે ઉમેદવારો સામ સામે હતા, તે પછી આઠમી અગિયારમી અને 15 ચૂટણીમાં પણ બે
ઉમેદવારો જ સામ સામે ચૂટણી લડ્યા,, 11મી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કે આર નારાયણનને 956290 મત મળ્યા જે કોઇ ફણ ચુંટણીમાં મળેલા સૌથી વધુ મત હતા, તેમની સામે ટી એન શેષનને માત્ર 50631 મત મળ્યા,, 12 ચૂંટણીમાં ડો એપીજજે અબ્દુલ
કલામને 922884 મત મળ્યા આ સિવાય ટોપ 5 મત પ્રાપ્ત કરનારાઓમાં ફખરુદ્દીન અલી અહમદ, જ્ઞાની ઝૈલ સિહ તથા આર વેંકટરામન રહ્યા હતા,

આમ 16મા રાષ્ટ્રપતિ પદ માટે ચૂટણી થવાની છે, 18 જુલાઇ મતદાન અને 21 જુલાઇએ મતગણતરી થશે ત્યારે આ વખતે ગુજરાતમાં ચર્ચાઓ ખુબ વધુ દેખાઇ રહી છે, કારણ કે યુપી રાજ્યપાલ આનંદી બેન પટેલ રાષ્ટ્રપતિ બની શકે છે
તેવી ચર્ચાઓએ જોર પકડયુ છે,તે સિવાય પણ વડા પ્રધાન નરેન્દ્રમોદીના કોઇ અન્યને પણ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપી શકે છે,,

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.