અમદાવાદ
હાર્દીક પટેલના કમલમ પ્રવેશ પર કોણે લગાવી બ્રેક !

હાર્દીક પટેલના કમલમ પ્રવેશ પર કોણે લગાવી બ્રેક !
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ગુજરાતમાં ભાજપ કોંગ્રેસને મરણતોલ ફટકો મારવા માટે રણનિતી બનાવી છે
જેના ભાગ રુપે કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલને રાજીનામું અપાવીને ભાજપમાં જોડી દીધા છે, એક સમયે
ગુજરાત ભાજપની સરકારને જોખમમાં મુકી દેનાર હાર્દીક પટેલ ભાજપમાં જોડવા માટે ગુજરાત ભાજપના નેતાઓ થનગની રહ્યા છે,,ત્યારે હવે એક સમયે હાર્દીક પટેલના સાથીદાર
રહી ચુકેલા વરુણ પટેલ, ચિરાગ પટેલ અને રવિ પટેલ જેવા ભાજપના પાટીદાર નેતાઓએ નારાજગી વ્યક્ત કર્યો છે,, સુત્રોની વાત સાચી માનીએ તો
હાર્દીક પટેલના કહેવાતા ફોઇ ભત્રિજાની ભાજપમાં એન્ટ્રી ઇચ્છતા નથી,,પરિણામે હાર્દીકની ભાજપમાં તાજપોશી પર બ્રેક વાગી છે,
ગાંધીનગર ઉત્તરમાં થઇ શકે છે રાજકીય ઉથલ પાથલ- ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને લાગી શકે છે આંચકો !
વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્રમોદી દેશના વડા પ્રધાન બન્યા,,
તેમણે તેમના અનુગામી તરીકે પાટીદાર સમાજનુ ગૌરવ ગણાતા આનંદી બેન પટેલને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે જવાબદારી સોપી
જો કે ગુજરાતમાં 2015 આવતા ગુજરાતના પાટીદારોમાં અનામતને લઇને લાગણી જન્મી, આ મુદ્દાને પહેલા સરદાર પટેલ ગ્રુપના
પ્રમુખ લાલજી પટેલ બુલંદ કર્યો અને પાટીદારો માટે અલગથી અનામતની માંગણી ઉગ્ર બનાવી, પાટીદારો વચ્ચે જઇને લોકોને આંદોલન સાથે જોડ્યા
આ દરમિયાન આનંદી બેન પટેલના ખાસ ભાજપના માંડલના ધારાસભ્ય પ્રાગજી પટેલથી હોદ્દો ન મળતા નારાજ થયેલા હાર્દીક પટેલ પણ આંદોલનમાં બદલો લેવાની ભાવના સાથે
જોડાયો, થોડા સમયમાં જ તે લાલજી પટેલ સાથે અલગ થઇને પાટીદાર અનામત આદોલન સમિતીની રચના કરીને અનામતની માગણીને વધુ ઉગ્ર બનાવી,,
યુવા ચહેરો હોવાથી પાટીદારો યુવાનો સમાજ તેની સાથે જોડાયો, આદોલન દરમિયાન 14 પાટીદારોએ પોતાનો જીવ ગુમાવ્યો,,અને પાટીદાર યુવાનો, મહિલાઓ પોલીસ
અત્યાચાર ભોગ બન્યા, હાર્દીક પટેલ, ચિરાગ પટેલ, વરુણ પટેલ અને કેતનપટેલ જેવા નેતાઓ સામે રાજદ્રોહનો કેસ થયો,, આદોલન સાથે જોડાયેલા નેતાઓને જેલમાં લાંબા સમય સુધી રહેવુ પડ્યુ,
પાટીદાર સમાજમાં નારાજગી જોવા મળી, અને 2015માં યોજાયેલી સ્થાનિક સમાજની ચૂટણીમાં ભાજપને તાલુકા અને જિલ્લા પંચાયતો ગુમાવવી પડી,,જેની સાથે જ ગુજરાતમાં
પાટીદાર સમાજની દિકરી અને ગુજરાત મુખ્ય પ્રધાન આનંદી બેન પટેલનું રાજીનામં લઇ લેવામા આવ્યું, 2017 આવતાની સાથે પાટીદાર અનામત આદોલન સમિતિમાં ભાગલા પડ્યા
ચિરાગ પટેલ, વરુણ પટેલ કેતન પટેલ અને રવિ પટેલ જેવા પાટીદાર નેતાઓ ભાજપમાં જોડાયા,, જ્યારે હાર્દીક પટેલે કોંગ્રેસની વાટ પકડી,, અને અત્યારે તે કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ છે,,
મણીનગર તોડ કાંડ મામલો- કોન્સ્ટેબલો સસ્પેન્ડ,પીઆઇની ભુમિકાને લઇને તપાસ તેજ !
હાર્દીક પટેલની કોંગ્રેસમાં જે રીતે અવગણના થઇ રહી છે, તેનાથી નારાજ થઇ ભાજપના સુરમાં સુર મિલાવવા લાગ્યો હતો, અને જાહેર મંચ ઉપરથી કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સામે બળાપો કાઢવા લાગ્યો છે
મહત્વ પુર્ણ વાત એ છે કે હાર્દીક પટેલ સામે નિચલી કોર્ટથી લઇને સુપ્રિમ કોર્ટ સુધી કેસો ચાલી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે પોતાનુ વલણ હાર્દીક પટેલ પ્રત્યે કુણું વલણ અપનાવ્યું છે, જેની સાથે જ
હાર્દીક પટેલ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓને વેગ મળ્યો છે, તેવામાં ગુજરાતમાં આદિવાસી રેલીને સંબોધવા આવેલા રાહુલ ગાંધીએ જીગ્નેશ મેવાણીના વખાણ કર્યા પણ હાર્દીક પટેલના નામનો ઉલ્લેખ સુધ્ધા ન કર્યો,,
ત્યારે આ તક ઝડપીને ગુજરાતના ભાજપના મિડીયા સેલના કન્વિનર અને કોંગેસના દિગ્ગજ નેતાના પુત્ર એવા યગ્નેશ દવેએ વચ્ચેથી ટ્ટીટ રુપી ટાપસી પુરાવી,
, અને લખ્યુ કે
મેં સાંભળ્યું હતું કે કોંગ્રેસ જાતિવાદની રાજનીતિ કરે છે, પરંતુ આજે ખબર પડી કે કોંગ્રેસમાં પણ ભયંકર જાતિવાદ છે.
હાર્દિક પટેલ બે વર્ષ, 32 કેસ અને દસ મહિના જેલમાં રહ્યો હતો, પરંતુ રાહુલ ગાંધીએ સ્ટેજ પરથી ક્યારેય ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ જિજ્ઞેશ મેવાણીએ ઉલ્લેખ કર્યો હતો કે તે નવ દિવસ જેલમાં હતો.
कांग्रेस जातिवाद की राजनीति करती है यह तो सुना था लेकिन कांग्रेस में भी भयंकर जातिवाद है यह आज पता चल गया।
हार्दिक पटेल को दो साल की सजा, 32 केस और दस महीने जेल में बंद रहे लेकिन कभी भी राहुल गांधी ने मंच से ज़िक्र नही किया,परंतु जिग्नेश मेवानी नौ दिन जेल में रहे तो ज़िक्र किया.
— Dr.Yagnesh Dave (@yagnesh_dave) May 10, 2022
કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને
અહી સવાલ એ થાય છે કે યજ્ઞેશ દવેએ કોના કહેવાથી ટ્ટીટ કર્યુ,, શુ તેઓએ આના માટે પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની મંજુરી લીધી હતી, કારણ કે વાત
કોંગ્રેસની આંતરિક બાબત હતી, એમાં વચ્ચે પડવાની એમને ક્યાં જરુર હતી, છતાં તેઓએ ટ્ટીટ કરીને હાર્દીક પટેલ પ્રત્યે સહાનુભુતી દર્શાવી,,આના ટ્ટીટ પર થી
સ્પષ્ટ થાય છે કે હાર્દીક પટેલ આગામી સમયમાં ભાજપમા જોડાઇ શકે છે,,એના માટે યગ્નેશ દવે પ્લેટ ફોર્મ તૈયાર કરી રહ્યા છે,
જોકે એક સમયના હાર્દીકના જ સાથીઓ અને હાલ ભાજપના દિગ્ગજ નેતાઓ વરુણ પટેલ, ચિરાગ પટેલ અને રવિ પટેલે ,યજ્ઞેશ દવેના ટ્ટીટ સામે એક એક કરીને નારાજગી વ્યક્ત કરી છે
વરુણ પટેલે લખ્યુ છેકે
રાજ્યમાં મહિલાઓ અને બાળકો પ્રત્યે અપરાધ કરનારાઓની હવે ખેર નહી
હું રાજદ્રોહના કેસમાં 7 મહિનાથી જેલમાં પણ રહ્યો છું. કોંગ્રેસના નેતાને બદલે અમારા પર પણ થોડી સહાનુભૂતિ અને પ્રેમ રાખો.
પ્રિયજનોથી અંતર અને દુશ્મનોથી પ્રેમ…
भाई ३२ केस मेरे पर भी दर्ज हुए थे, पुलिस कस्टडी में भी बहुत रहा हूँ थोड़ा ज़िक्र मेरा भी किया करो. हम भी भाजपा के प्यार के हक़दार हे https://t.co/ms03YJSrt6
— Varun Patel (@varunpateloffic) May 11, 2022
મણીનગર તોડ કાંડ મામલો- કોન્સ્ટેબલો સસ્પેન્ડ,પીઆઇની ભુમિકાને લઇને તપાસ તેજ !
ચિરાગ પટેલે ટ્ટીટ કર્યુ છે કે
હું રાજદ્રોહના કેસમાં 7 મહિનાથી જેલમાં પણ રહ્યો છું. કોંગ્રેસના નેતાને બદલે અમારા પર પણ થોડી સહાનુભૂતિ અને પ્રેમ રાખો.
પ્રિયજનોથી અંતર અને દુશ્મનોથી પ્રેમ…
मैं भी 7 महीने राजद्रोह के केस में जेल में रहा हूं। कोंग्रेस के नेता की बजाय थोड़ी संवेदना और प्यार हमारे ऊपर भी रखा करो।
अपनों से दूरी और दुश्मनों से प्यार… https://t.co/2vqDDC79qN— Chirag Patel (@Chiragpatelbjp) May 11, 2022
ભુપેન્દ્ર યાદવ ફરી એક વાર પ્રભારીમંત્રી તરીકે આવી શકે છે ગુજરાત !
રવિ પટેલે લખ્યુ છે કે
હું સાબરમતી જેલમાં પણ રહ્યો છું અને દરેક તાલુકામાં મારી પર કેસ થયા છે. આજે હું ભાજપ પ્રદેશ યુવા મોરચામાં સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરી રહ્યો છું. કોંગ્રેસના નેતાને બદલે મારા પર થોડી સહાનુભૂતિ અને પ્રેમ રાખો.
પ્રિયજનોથી અંતર અને દુશ્મનોથી પ્રેમ…
मैं भी साबरमती जेल में रहा हूं ओर हर तहसीलमें मूँज पर केस हुए हे। में आज पूरी निष्ठा से भाजपा प्रदेश युवा मोर्चा में कार्य कर्ता हूँ| कोंग्रेस के नेता की बजाय थोड़ी संवेदना और प्यार मेरे ऊपर भी रखा करो।
अपनों से दूरी और दुश्मनों से प्यार…— Ravi H Patel (@ravihpatel1995) May 11, 2022
મહત્વપુર્ણ છે કે ઇફ્કોના ચેરમેન અને ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા દિલિપ સંધાણીએ હાર્દીકને ભાજપમાં લાવવા સામે નારાજગી વ્યક્ત કરી છે,, તે સિવાય સુત્રોની માનીએ તો
હાર્દીકના કહેવાતા ફોઇએ પણ ભાજપમાં એન્ટ્રી આપવા બાબતે કેન્દ્રિય નેતૃત્વ સમક્ષ નારાજગીનો સુર વ્યક્ત કર્યો છે, જેને ગુજરાતના પાટીદારોને ભાજપના વિરોધમાં ઉભો કર્યો
ગુજરાતના નિર્દોષ પાટીદાર યુવાનોની લાગણી સાથે રમત રમીને 14 જેટલા પાટીદાર યુવાનોનો ભોગ લીધો,પાટીદારોના નામે રાજનિતી કરનારે હાર્દીક પટેલને ભાજપમાં લાવવાથી
પાટીદાર ઉપરાંત અન્ય સમાજના લોકો પણ નારાજ થશે જેનાથી 2022માં ભાજપને ઇચ્છિત પરિણામો મેળવવામાં મુશ્કેલી પડશે, જેથી હાલ પુરતી હાર્દીકની કમલમમાં તાજપોશી
પણ બ્રેક લાગી છે,
ગુજ્જુ ગર્લનો બિકીની અંદાજ- જ્યાં બોલીવુડની અભિનેત્રીઓ પણ ભરે છે પાણી
અભિનેત્રી અન્વેશી જૈનની આવી હોટ ફોટો ઇન્ટરનેટ ઉપર માચાવી રહી છે ધમાલ
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ