અમદાવાદ
વડા પ્રધાન નરેન્દ્રમોદીને પારદ શિવલિંગ આપનારી ગુજરાતની શિવભક્ત દિકરી કોણ છે-જાણો-

વડા પ્રધાન નરેન્દ્રમોદીને પારદ શિવલિંગ આપનારી દિકરી કોણ છે-
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
વડા પ્રધાન નરેન્દ્રમોદીએ ગુજરાતના વિવિધ જિલ્લા પંચાયતોના 18 સભ્યોની મુલાકાત કરી
જેના માટે વિવિધ જિલ્લા પંચાયતોના પ્રમુખ અને સભ્યો સાથે નવી દિલ્હીમાં બોલાવીને ગુજરાતમાં પંચાયતી રાજ
વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટે જે કામગીરી થઇ તેમાં પંચાયતના સભ્યોના યોગદાન અંગે માર્ગ દર્શન આપ્યું
આઝાદીના અમૃત મહોત્સ્વની ઉજવણી ગ્રામીણ સ્તરે પણ જન સમુદાય સુધી વ્યાપક બનાવવા સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાઓના સભ્યોની ભુમિકા પણ વડા પ્રધાન નરેન્દ્રમોદીએ સમજાવી હતી,
ત્યારે ઉપસ્થિત તમામ સભ્યોએ ધન્યતા અનુભવી હતી,,અને વડા પ્રધાનની અનેક નિતીઓના વખાણ પણ કર્યા હતા,
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !
પાચ વર્ષની રાગીએ પીએમને આપ્યુ પારદશિવલિંગ
મહત્વની વાત એ છે કે આ પ્રસંગે એક નાની દિકરીએ વડા પ્રધાન નરેન્દ્રમોદીને પારદનું શિવલિંગ આપ્યુ હતું.વડાપ્રધાન નરેન્દ્રમોદી પોતે
શિવભક્ત છે, ત્યારે આ દિકરીએ આપેલુ પારદનુ શિવલિંગ
તમામના આકર્ષણનુ કેન્દ્ર પણ બન્યુ હતું, વડા પ્રધાન નરેન્દ્રમોદીએ પારાનો શિવલિંગ સ્વીકાર્યુ હતું
તેઓ પણ આ શિવલિંગ જોઇને ખુશ થઇ ગયા, તેઓએ એ દિકરી પાસે શિવભક્તિની આરતીઓ અને મંત્રો પણ સાભળ્યા હતા,
, આ દિકરી મોરબી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ જાહ્નવી બેન કૈલાની હતી,
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
મોરબી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખની દિકરી છે રાગી
જાહ્નવી બેન કૈલા અને તેમના પતિ જીગ્નેશ કૈલાએ જણાવ્યુ છે કે તેમની પાચ વરસની દિકરી રાગીએ પોતાની રીતે પારદ શિવલિંગ
પીએમને આપવાનુ નક્કી કર્યુ હતું, આમ તો જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા પીએમને મળવા દિલ્હી જવાના હતા
પણ તેમની તબિયત સારી ન હતી,જેથી તેમના બદલે ઉપ પ્રમુખ તરીકે જાહ્નવી બેનને પરિવાર સાથે વડા પ્રધાન નરેન્દ્રમોદીને મળવાનો
મોકો મળ્યો,, આ સમગ્ર પરિવાર ભગવાન શિવનો ભક્ત છે અને આ જ સસ્કારો તેમની દિકરીમાં ઉતર્યાછે,
ત્યારે ધાર્મિક પંડીતો પ્રમાણે પારદનો શિવલિંગ શિવનો સ્વરુપ માનવામાં આવે છે,તેનાથી કોઇ પણ સમસ્યા નજીક નથી આવતી,,
વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્કાબેન શાહે ઉજ્જવલા યોજનાના વખાણ કર્યા
તેમણે કહ્યુ કે અમને દિલ્હી બોલાવ્યા તે જ આનંદની વાત છે, આવુ સપને વિચાર્યુ નહતુ કે વડા પ્રધાનને આટલા નજીકથી જોઇશુ
જે ઘરમાં લકડા બળતા હતા તેમનેઉજ્જવલા યોજના માટે ગેસ આપ્યું બહેનોની સુરક્ષા માટે તેઓએ ઘરે ધરે શૌચાલય આપ્યા ખુબ મોટામાટા
કામ છે, મહિલાઓ માટે આશિર્વાદ કહો કે ભગવાન કહો તે બરાબર છે,
વડા પ્રધાન નરેન્દ્રમોદીથી મળ્યા બાદ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્કા બેન શાહે આવી રીતે પ્રભિભાવ આપ્યું pic.twitter.com/yowGVyfDmy
— Panchat TV (@panchattv) April 15, 2022
મોદી સાહેબને ભગવાન કરતા વધુ માનીએ છીએ અમથુભાઇ કઝેરીયા – ઉપ પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત
મોદી સાહેબને ભગવાન કરતા વધુ માનીએ છીએ,,છેવાડાના માનવીની ચિન્તા કરે છે, અમારા ત્યાં નર્મદાનુ પાણી આપ્યુ છેં, છેવાડાના ગામડાઓમાં જે રીતે મહિલાઓ માથામાં પાણી ભરવા જતી હતી, તેમાંથી મુક્તિ મળી ગઇ,,
ઘરે બેઠા હવે નળ ચાલુ કરીએ તો પાણી આવી ગયુ હોય,મા અમૃતમ યોજના સહિતના યોજનાઓનો લાભ મળ્યા છે, અમે ભગવાન કરતા વધુ માનીએ છીએ
વડા પ્રધાન નરેન્દ્રમોદીથી મળ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ અમથુ ભાઇએ આવી રીતે પ્રભિભાવ આપ્યું pic.twitter.com/aUoxoAs6Sa
— Panchat TV (@panchattv) April 15, 2022
પીએમ સાહેબને મળીએ છીએ તો નવી ઉર્જા મળે છે- ધીરજભાઇ પટેલ- પ્રમુખ સાબરકાંઠા જિલ્લા પંચાયત
પીએમ નરેન્દ્રમોદીથી મળીએ તો અમને નવી ઉર્જા મળે છે, કેવી રીતે કામ કરવું તેનું ગાઇડંશ પણ મળે છે, તેઓ પંચાયત પરિષદમાં આવ્યા હતા ત્યારે અનેક સલાહ આપી હતી, દેશનુ અમૃત મહોત્સવ છે,,તેઓએ જે સલાહ આપી હતી તે તાલુકા જિલ્લા અને ગ્રામ
પંચાયતમાં ઇમ્પલીમેન્ટ કરીશુ
વડા પ્રધાન નરેન્દ્રમોદીથી મળ્યા બાદ સાહરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરજ ભાઇ પટેલે એ આવી રીતે પ્રભિભાવ આપ્યું pic.twitter.com/KptTjowf8K
— Panchat TV (@panchattv) April 15, 2022
હાર્દીક પટેલ અને નૌતમ સ્વામી વચ્ચે મુલાકાત – કુછ તો લોગ કહેંગે
મોદી સાહેબે જે હુફ આપી છે જેથી દિકરીઓની હિમ્મત વધી છે, હંસાબેન પરમાર પ્રમુખ આણંદ જિલ્લા પંચાયત
પહેલા કહેતા હતા કે દિકરી સાંપનો ભારો,ના એવુ નથી પણ મોદી સાહેબે કડક બંદોબસ્ત કર્યો દિકરીઓ માટે,, તો દિકરીઓ પાયલોટ પણ છે,,સરકારી કર્મચારી છે, કંડકટર છે, ડ્રાયવર છે,ગોલ્ડ મેડલ જીત્યા છે, હુ એવુ માનુ છુ કે ચાર દિવારીમાં બહેનો રહી નથી,અમારા જેવી મહિલાઓ પ્રમુખ બની છે, અમે આઝાદ છીએ મોદી સાહેબે હિમ્મત આપી છે, આગળ વધવાનો મોકો મળ્યો છે,
વડા પ્રધાન નરેન્દ્રમોદીથી મળ્યા બાદ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમારએ આવી રીતે પ્રભિભાવ આપ્યું pic.twitter.com/8vxUlp8Jlp
— Panchat TV (@panchattv) April 15, 2022
ડાંગને ઓર્ગેનિક ખેતી માટે જિલ્લો જાહેર કરીને ફાયદો પહોચાડ્યો છે, મંગળ ગાવીત પ્રમુખ ડાંગ જિલ્લા પંચાયત
પીએમ બન્યા પછી મોદી સાહેબે દેશના વિકાસ માટે ખુબ કામ કર્યુછે, દેશને સુપથ ઉપર લઇ જવાનો કામ કર્યો છે,તે અમને ખુબ ગમ્યા છે, , ડાંગની વાત કરીએ દેશમાં પ્રથમ ડાગને ઓર્ગેનિક ખેતી તરીકે જાહેર કર્યો છે, રસાયણિક ખાતરથી લોકોને રોગો થતાહતા,
એમાથી આવનારા દિવસોમાં કેન્સરનો રોગ છે, બીજા રોગોથી લોકો સુખી થવાના છે, અનેક રીતે મોદી સાહેબ પીએમ બન્યા પછી સારી કામગીરી કરી છે,, તેઓ લોકોના દિલમાં વસી ગયા છે,તેમના જેવા કોઇએ કામ કર્યા નથી
વડા પ્રધાન નરેન્દ્રમોદીથી મળ્યા બાદ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવીતએ આવી રીતે પ્રભિભાવ આપ્યું pic.twitter.com/EAGHbBev8x
— Panchat TV (@panchattv) April 15, 2022
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ