Connect with us

અમદાવાદ

ભાજપમાં ટિકીટની રેસમાંથી કોણ થયા આઉટ !

Published

on

ભાજપમાં ટિકીટની રેસમાંથી કોણ થયા આઉટ !

રેશ્મા પટેલે હવે ભરત સિહ સોલંકી અને અમિત ચાવડા માટે શુ કહ્યુ !

ગુજરાત વિધાનસભાની ચૂટણીના આડે હવે છ મહિના જ બાકી છે, ત્યારે ભાજપે રાજ્યની તમામ વિધાનસભા બેઠકો જીતવા માટે ચુનંદા સેનાપતિઓને મૈદાનમા ઉતાર્યા છે, રાજ્યના ઉત્તર ઝોનના જિલ્લાઓ માટે
59 જેટલા મહારથીઓને બેઠક જીતાડવાની જવાબદારી સોપી છે, આ મહારથીઓને વિવિધ બેઠકો માટેના પ્રભારી તરીકેની જવાબદારી સોપાઈ છે, ત્યારે ચર્ચા છે કે જે સેનાપતિઓ હવે પોતે ચૂંટણીમાં જંગ લડવાની
તૈયાર જોર શોરથી કરી રહ્યા હતા ભાજપે તેમની તૈયારી ઉપર પાણી ફેરવી દીધુ છે ,,કારણ કે આ સેનાપતિઓને હવે બીજાને જીતાડવાની જવાબદારી સોપી દેવાઇ છે,જેની વિધિવત જાહેરાત કરી દેવાઇ છે,,

હર્ષ સંધવીએ કેમ કહ્યુ કે લેભાગુ વેપારીઓ ગુજરાતની સરહદ ઓળંગતા પહેલા હજાર વાર વિચારશે !

ભારતિય જનતા પાર્ટીએ ગુજરાતના ઉત્તર ઝોન એટલે મહેસાણા, બનાસકાંઠાં,સાબરકાંઠા અમદાવાદ કચ્છ, પાટણ ગાંધીનગર અને અરવલ્લીની 59 વિધાનસભા બેઠકો ઉપર જીત સુનિશ્ચિત કરવા માટે પ્રભારીઓના નામની
જાહેરાત કરી દેવાઇ છે, આ પ્રભારીઓના નામોની વાત કરીએ તો અનેક એવા નેતાઓ છે જેઓ વિધાનસભા લડવાની તૈયારીઓ કરી રહ્યા હતા, ટિકીટો માટે લોંબીંગ પણ શરુ કર્યુ હતુ, વિસ્તારમાં જન સંપર્ક શરુ કર્યો હતો,
સાથે સમાજીક અને ધાર્મિક કાર્યક્રમોમાં પણ છુટા હાથે લોકોને ભરપુર મદદ કરી રહ્યા હતા,

Advertisement

અગ્નીપથ યોજનામાં મુુસ્લિમ યુવકોને જોડાવવાની કોણ કરી રહ્યુ છે અપીલ !

પ્રભારી એટલે નાનો ચાણક્ય !

આ પ્રભારીઓની વાત કરીએ તો, પ્રદેશ અને બેઠક વચ્ચે સેતુ સમાન કામ કરશે, માઇનસ બુથોને પ્લસ કરવાની રણનીતિ બનાવશે, પ્રચારથી માંડી જનસપર્કના રુટો ગોઠવાશે,, પ્રભારીના માર્ગ દર્શન મુજબ જીત માટે રણનીતિ કરાશે,,
પ્રભારી એટલે જે તે બેઠક માટેનો નાનો ચાણક્ય, જેના આખ અને કાન થી પ્રદેશ નેતાગિરી જોસે અને સાભળશે, જરુર પ્રમાણે રણનિતી બનાવશે,

આ સેનાપતિઓના નામોની વાત કરીએ તો

માંડવી વિધાનસભા બેઠક માટે પુર્વ ધારાસભ્ય વસંત ભાઇ પુરોહિતને જવાબદારી સોપાઇ છે, જેઓ ધાનેરા વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે

Advertisement

સંજય દેસાઇને ભુજ બેઠકની જવાબદારી સોપાઇ,,તેઓ ડીસા અને ધાનેરા વિધાનસભા માટે દાવેદાર મનાય છે,

મગન ભાઇ માળી અંજાર બેઠકની જવાબદારી સોપાઇ છે તેઓ ડીસા બેઠક માટે દાવેદાર મનાય છે

આશિષ દવેને વાવ વિધાનસભા બેઠકની જવાબદારી સોપાઇ,, તેઓ ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે

થરાદ વિધાનસભા બેઠકની જવાબદારી પુર્વ ધારાસભ્ય પંકજ મહેતાને જવાબદારી સોપાઇ છે, તેઓ કચ્છ જિલ્લામાં વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે

રાજુલ દેસાઇને પાલનપુર વિધાનસભા બેઠકની જવાબદારી સોપાઇ છે, તેઓ ડીસા બેઠક માટે દાવેદાર મનાય છે

Advertisement

મહેન્દ્ર સિહ રાણાને કાકંરેજ વિધાનસભા બેઠકની જવાબદારી સોપાઇ છે, તેઓ ગાંધીનગર ઉત્તર માટે દાવેદાર મનાય છે

હરેશ ચૌધરીને ચાણસ્મા વિધાનસભાની જવાબદારી સોપાઇ છે, તેઓ પાલનપુર વિધાનસભા બેઠક દાવેદાર મનાય છે

રમેશ દેસાઇ વિસનગર વિધાનસભાની બેઠકની જવાબદારી સોપાઇ છે તેઓ અમરાઇવાડી વિધાનસભા માટે દાવેદાર મનાય છે

મહેસાણાની જવાબદારી સ્નેહલ પેટલને સોપાઇ છે ,તેઓ પાટણ બેઠક માટે દાવેદાર માનવામાં આવે છે

હિતેન્દ્ર પટેલને વિજાપુર બેઠકની જવાબદારી સોપાઇ છે તેઓ ગાંધીનગર દક્ષિણ માટે દાવેદાર મનાય છે

Advertisement

કલોલ વિધાનસભા બેઠકની યુવા નેતા રુત્વીજ પેટલને જવાબદારી સોપાઇ છે, તેઓ વિરમગામ અને ઘાટલોડિયા બેઠક પર દાવેદાર મનાય છે

વિરમગામ વિધાનસભા બેઠકની પ્રિતેશ મહેતાને જવાબદારી સોપાઇ છે,,તેઓ એલિસબ્રિજ વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે,

ઘાટલોડિયા વિધાનસભા બેઠકની ડો અનિલ પટેલને જવાબદારી સોપાઇ છે, તેઓ ઘાટલોડિયા ઉપરાંત નારાણપુરા,દરિયાપુર, એલિસ બ્રિજ વિધાનસભા બેઠક માટે દાવેદાર માનવામા આવે છે

વેજલપુર વિધાનસભા બેઠક માટે પુર્વ ડેપ્યુટી મેયર બિપિન સિક્કાને જવાબદારી સોપાઇ છે, તેઓ નરોડા વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે

વટવા વિધાનસભા બેઠકની જવાબદારી દિનેશ મકવાણાને સોપાઇ છે, તેઓ અસારવા અને દાણીલિમડા બેઠક માટે દાવેદાર મનાય છે,

Advertisement

મધુબને પટેલને એલિસ બ્રિજ બેઠકની જવાબદારી સોપાઇ છે, તેઓ નિકોલ બેઠક માટે દાવેદાર મનાય છે

કમલેશ પટેલને નિકોલ વિધાનસભાની જવાબદારી સોપાઇ છે, તેઓ અમરાઇવાડી અને મણિનગર વિધાનસભા માટે દાવેદાર મનાય છે

કૃષ્ણવદન બ્રહ્મભટ્ટને નરોડા વિધાનસભા બેઠકની જવાબદારી સોપાઇ છે, તેઓ દરિયાપુર શાહપુર બેઠક માટે દાવેદાર મનાય છે

ઠક્કરનગરની જવાબદારી નયન બ્રહ્મભટ્ટને સોપાઇ છે, તેઓ મણિનગર અને અમરાઇવાડી માટે દાવેદાર મનાય છે

બાપુનગરની જવાબદારી ડો વિષ્ણુપટેલને સોપાઇ છે,,તેઓ અમરાઇવાડી વિધાનસભા માટે દાવેદાર મનાય છે

Advertisement

જમાલપુર ખાડીયાની જવાબદારી પ્રવિણ પંડ્યાને સોપાઇ છે તેઓ કડી વિધાનસભા માટે દાવેદાર મનાય છે

એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલને મણિનગર વિધાનસભાની જવાબદારી સોપાઇ છે, તેઓ નરોડા બેઠક માટે દાવેદાર મનાય છે

પુર્વ સ્ટેન્ડિગ કમિટી ચેરમેન પ્રવિણપટેલને દાણિલિમડાની જવાબદારી સોપાઇ છે, તેઓ માણસા, અમરાઇવાડી અને દરિયાપુર વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે,

બિપિન પેટલને સાબરમતીની જવાબદારી સોપાઇ છે તેઓ ઠક્કર નગર અને માણસા વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાય છે,

ગાંધીનગરના પુર્વ ડેપ્યુટી મેયર નાઝા ભાઇ ઘાંઘરને ધોળકાની જવાબદારી સોપાઇ છે,,તેઓ ગાંધીનગર દક્ષિણ માટે દાવેદાર મનાય છે,

Advertisement

મોદી સરકારની અગ્નિપથ યોજનાથી અમદાવાદના યુવાનો કેમ થયા નારાજ

મહત્વની વાત એ છે કે ભાજપમાં જવાબદારીનુ વિશેષ મહત્વ રહ્યુ છે, અને ભાજપનો કાર્યકર્તા પોતાને મળેલ જવાબદારી તન મન ધન થી નિભાવતો રહ્યો છે, ભાજપનો કાર્યકર્તા પાર્ટી ફર્સ્ટમા માને છે,
વ્યક્તિગત હિત કરતા પાર્ટી અને સમાજનો હિત સર્વોપરિ માને છે,

અહી ગુજરાત ભાજપે ચૂંટણીના આટા પાટા જાણકાર કાર્યકર્તાઓ સાથે ઘરોબો ધરાવનાર બાજી પલટી નાખનાર, કાર્યકર્તાઓની નશ પારખનારા, કાર્યકર્તાઓની નારાજગી દુર કરનારા, ડેમેજ કંટ્રોલર,,આવા
ચૂનંદા સૈનિકોને વિધાનસભા બેઠકોની પ્રભારી જવાબદારી સોપાઇ છે, ત્યારે ભાજપનો કાર્યકર્તા પોતાનો વ્યક્તિગત સ્વપ્ન બાજુમા રાખી પાર્ટીને જીતાડવા મહેનત કરશે,ત્યારે નોધનિય છે કે જ્યારે તેમને
પ્રભારી તરીકે મોટી જવાબદારી મળી હોય ત્યારે તેમને ટિકીટ મળશે કે કેમ તે એક મોટો યક્ષ પ્રશ્ન છે, મતલબ સાફ કે આ નેતાઓ પોતાના માટે મૈદાનમાં ઉતરે તે પહેલા જ મૈદાનમાંથી આઉટ થઇ ગયા છે,

સુત્રોની માનીએ તો આ પ્રભારી નિમવામાં પણ કેટલાક નેતાઓએ લાગવગ લગાવી છે, એટલે પોતાના વિસ્તારમાં આ પ્રભારીઓ પહોચી જે તે નેતા વિશે માહોલ ઉભો કરીને ટિકીટ માટે અનુકુળ વાતાવરણ ઉભુ કરી શકે
અને વિરોધીઓને ઠેકાણે પાડવાનુ કામ કરે,,

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.