Connect with us

અમદાવાદ

કલોલમાં કયા બળીયાને મેદાનમાં ઉતારશે ભાજપ !

Published

on

કલોલમાં કયા બળીયાને મેદાનમાં ઉતારશે ભાજપ !

કડી વિધાનસભામાં કેમ છે દાવેદારોની ભરમાર !

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે,,ત્યારે ભાજપ અને ચંદ્રકાંત પાટીલ માટે પડકાર બન્યા છે,,ત્યારે એવી તમામ સીટો
ઉપર ભાજપ ગંભીર છે, જ્યાં છેલ્લા 2 કે ત્રણ વખતથી તેઓ હારી રહ્યા છે, કે પછી ભુતકાળમાં આ સીટો જીતી છે, તે પૈકી કલોલ બેઠક છે,,
જેમાં ભાજપ જીતવા માટે એડી ચોટીનો જોર લગાવી રહી છે,,આ બેઠક જીતવા માટે ખુદ કેન્દ્રિય ગૃહમંત્રી પોતે મૈદાનમાં ઉતર્યા છે,,
પણ ઉમેદવારોની પસંદગી કલોલમાં મહત્વની બની રહેશે,

ધાનેરામાં વારસદાર કે ઝભ્ભો પકડનારને ભાજપ આપશે ટીકીટ

કલોલ વિધાનસભાનો ઇતિહાસ

Advertisement

વર્ષ 1962માં કોંગ્રેસના શંકર જી ઠાકોરે સ્વતંત્ર પક્ષના છનગ લાલ પટેલને હરાવ્યા હતા

વર્ષ 1967માં કોંગ્રેસના એ બી ઠાકોર સ્વતંત્ર પક્ષના સી કે પટેલને હરાવ્યા હતા

વર્ષ 1972માં કોંગ્રેસના અર્જુન સિહ રાઠોડે ભારતિય જનસંધના ભરત ભાઇ પટેલને હરાવ્યા હતા

વર્ષ 1975માં નેશનલ કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશનના પટેલ ચિમનભાઇ પટેલે કોગ્રેસના શંકરભાઇ પટેલને હરાવ્યા હતા

વર્ષ 1980માં ઇન્દિરા કોંગ્રેસના ઠાકોર શંકર જીએ બીજેપીના કાંતિલાલ પટેલને હરાવ્યા હતા

Advertisement

વર્ષ 1985માં કોગ્રેસના ઠાકોર શંકર જીએ ભાજપના પટેલ વિઠ્ઠલ ભાઇને હરાવ્યા હતા

વર્ષ 1990માં ભાજપના વિઠ્ઠલ ભાઇપટેલે કોગ્રેસના ચૌધરી લક્ષ્મણ સિહને હરાવ્યા હતા

વર્ષ 1995માં ભાજપના વિઠ્ઠલભાઇ પટેલે કોગ્રેસના ચૌધરી જીવન ભાઇને હરાવ્ય હતા

વર્ષ 1998માં કોગ્રેસના સુરેશ કુમાર પટેલે ભાજપના પટેલ વિઠ્ઠલ ભાઇને હરાવ્યા હતા

વર્ષ 2002માં ભાજપના ડો અતુલ પટેલે કોગ્રેસના પટેલ સુરેશ કુમારને હરાવ્યા હતા

Advertisement

વર્ષ 2007માં કોંગ્રેસના સુરેશ કુમાર પટેલે ભાજપના નવિનચંદ્રને હરાવ્યા હતા

વર્ષ 2012માં કોંગ્રેસના બળદેવજી ઠાકોર ભાજપના ડો અતુલભાઇ પટેલને હરાવ્યા હતા,

વર્ષ 2017માં કોંગ્રેસના બળદેવજી ઠાકોરે ભાજપના ડો અતુલ ભાઇ પટેલને હરાવ્યા હતા,

પાલનપુરમાં ભાજપના જુનાજોગીઓ અને નવા કાર્યકર્તાઓ વચ્ચે જામશે જંગ !

કલોલ બેઠક ઉપરથી દસ વખત કોંગ્રેસના વિવિધ નેતાઓ જીત્યા છે,,

Advertisement

કલોલ બેઠક ઉપર ઠાકોર સમાજનું પ્રભુત્વ રહ્યુ છે, ઠાકોર સમાજના શંકર જી ઠાકોર વર્ષ 1962, વર્ષ 1980 અને વર્ષ 1985માં વિજય થયા હતા
જે તેમનો રેકોર્ડ અકબંધ છે, બીજા નંબરે ભાજપના વિઠ્ઠલ ભાઇ પટેલ વર્ષ 1990 અને 1995માં જીત્યા હતા, સુરેશ પટેલ 1998 અને 2007માં જીત્યા હતા
પછી બળદેવજી ઠાકોર કડી બેઠક અનામત થતા કલોલ બેઠક ઉપર 2012 અને 2017માં તેઓ જીત્યા હતા, તેમની પાસે શંકર જી ઠાકોરની
બરોબરી કરી હેટ્રીક સર્જવાની તક છે,
આ બેઠક ઉપર સાત વખત ઠાકોર આગેવાન તો છ વખત પાટીદાર આગેવાન જીત્યા છે,
ભાજપે અત્યાર સુધી પાટીદાર આગેવાનોને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે ઠાકોર, ચૌધરી અને પટેલને ટિકીટ આપી છે, કોગ્રંસનો ઠાકોર અને
પટેલને ટિકીટ આપવાનો દાવ સફળ રહ્યો છે,

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !

ભાજપનો કરી શકે છે ખાસ ઓપરેશન

ત્યારે સુત્રોની માનીએ તો કોંગ્રેસના બળદેવજી ઠાકોર કલોલમાં હેટ્રીક ન સર્જે તે માટે તેમના જ સાથી અને કલોલના પુર્વ ધારાસભ્ય અને હાલ માણસાના
ધારાસભ્ય સુરેશ પટેલને ભાજપમાં ખેચવાની કવાયત શરુ કરાઇ છે,, સુરેશ પટેલના અમેરિકામા પણ સંબંધ હોવાથી ત્યાંથી ભાજપમાં
જવા માટે સમજાવવાનું શરુ કરાયુ હોવાનુ સુત્રો કહી રહ્યા છે,
જો ભાજપ સુરેશ પટેલને પોતાના તરફ ખેચવામાં સફળ થશે તો તેમને કલોલમાં બળદેવજીની સામે બાથ ભીડવા માટે મેદાનમાં ઉતારી શકે છે,
અને માણસામાં પુર્વ ધારાસભ્ય અમિત ચૌધરીને ભાજપ મૈદાનમા ઉતારશે,

સચિવાલયમાં પ્રધાનના વહીવટદારનો દબદબો !

Advertisement

ભાજપ ત્રણ ટર્મથી કલોલમાં છે અસફળ

રામ જન્મ ભુમિ આંદોલન બાદ કલોલ બેઠક પર પ્રથમ વખત 1990માં ભાજપ તરફથી ઉદ્યોગપતિ વિઠ્ઠલ ભાઇ પટેલ (ગણેશ થ્રેસરવાળા)
ચૂંટણી જીત્યા વર્ષ 1995માં પણ તેઓ ફરી જીત્યા,, જો કે ગુજરાતમાં કેશુભાઇ પટેલના નેતૃત્વમાં સરકાર પણ બની,, જેની સાથે ભાજપમાં
સત્તાને લઇને હુંસા તુંસી શરુ થઇ,, ગુજરાત ભાજપના પુર્વ અધ્યક્ષ શંકર સિહ વાધેલાના નેતૃત્વમાં 46 ધારાસભ્યો સાથે ખજુરાહો કાંડ થયું
અને કોંગ્રેસ અને સયુક્ત મોર્ચાના આશિર્વાદ સાથે શંકર સિહ વાધેલાએ કેશુભાઇ પટેલની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી સરકાર ઉથલાવી
દીધી,,જેની સાથે ભાજપની પ્રથમ સરકારનું પતન થયું, કોગ્રેસના ટેકાથી શંકર સિહ વાધેલા ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા,, જો કે તેમની ટનાટન
સરકાર પણ લાંબુ ન ચાલી,, કોંગ્રેસે તેમના સ્થાને તેમના સાથી દિલિપ પરિખને મુખ્ય પ્રધાન તરીકે સ્વીકાર્યા જો કે થોડાક સમયમાં જ તેઓએ ગુજરાત
વિધાનસભાનો વિસર્જન દાવ ખેલ્યો, જો કે દિલિપ પરિખ અને શંકર સિહ વાધેલાનો જુગાર નિષ્ફળ ગયો, વર્ષ 1998માં ગુજરાત વિધાનસભાની ચૂટણી
આવી, અને ભાજપના વિઠ્ઠલ પટેલ કોંગ્રેસના સુરેશ પટેલ સામે ચૂટણી હારી ગયા, પણ સરકાર ભાજપની બની,,
વર્ષ 2002માં ગોધરા કાંડ બાદ રાજ્યમાં હિન્દુત્વની લહેર વચ્ચે ચૂંટણી યોજાતા ભાજપને 128 બેઠકો મળી,કલોલ બેઠક ઉપરથી મહેસાણાના પુર્વ
સાંસદ એ કે પટેલના ભાઇ ડો અતુલ પટેલ કોંગ્રેસના સુરેશ પટેલને હરાવીને વિધાનસભા પહોચ્યા,

વર્ષ 2007માં ડો અતુલ પટેલને ટીકીટ ન મળી,, તેમના સ્થાને નવીનચંદ્ર પટેલને ભાજપે ટીકીટ આપી, પણ તેઓ કોંગ્રેસના સુરેશ પટેલ સામે હારી ગયા
વર્ષ 2012 અને 2017માં અતુલ પટેલને ભાજપે ટિકીટ આપી તેઓ બન્ને વખત ચૂટણી હારી ગયા,,2017માં અતુલ પટેલને જીતાડવા માટે ખુદ વડા પ્રધાન
નરેન્દ્રમોદીએ કલોલમાં જાહેર સભા કરી,પણ કલોલની જનતાએ બળદેવજી પર ભરોસો મુક્યો,,અને ડો અતુલ પટેલ હારી ગયા,,

ઇડરિયા ગઢની ભાજપ કોને આપશે ચાવી !

Advertisement

કલોલમાં ભાજપમાં આ રહ્યા ઉમેદવારો

નવીન પટેલ-હારેલા ઉમેદવાર 2007

ડો અતુલ પટેલ- હારેલા ઉમેદવાર 2012-2017

અનિલ પટેલ-જિલ્લાપંચાયત સંભ્ય

રાજુ ભાઇ પટેલ- મહામંત્રી જિલ્લા ભાજપ ગાંધીનગર

Advertisement

રામાજી ઠાકોર-પુર્વ પ્રમુખ ગાધીનગર જિલ્લા પંચાયત(મુળ કોંગ્રેસી)

ગોવિંદ પટેલ-પ્રભારી પાટણ જિલ્લો ભાજપ

જયદીપ બારોટ-જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ,

રમેશજી ઠાકોર- જિલ્લા ભાજપ મહામંત્રી ગાંધીનગર

મનુજી ઠાકોર- મહામંત્રી કલોલ તાલુકો ભાજપ

Advertisement

જે કે પટેલ – ભાજપ પ્રમુખ શહેર

લક્ષ્મણ ભાઇ ઠાકોર- કોષાધ્યક્ષ-ગાંધીનગર જિલ્લો ભાજપ

જયેશભાઇ પટેલ, કારોબારી ચેરમેન,પુર્વ ચેરમેન કલોલ નગરપાલિકા

રાયચંદ જી ઠાકોર,, સિનિયર આગેવાન

ઠાસરામાં રામના પરિવારને કોણ પડશે ભારે !

Advertisement

કલોલ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ

આમ તો બેઠક ઉપર ભાજપ છેલ્લા ત્રણ ટર્મથી હારતું આવ્યુ છે,,સાથે સાથે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કલોલ વિધાનસભાનો સમાવેશ થાય છે
જેનુ પ્રતિનિધીત્વ કેન્દ્રિય ગૃહ અમિત શાહ કરે છે,ત્યારે આ બેઠક જીતવા માટે અત્યારે ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના પ્રભારી
હર્ષદ પટેલ અને સાબરમતીના ધારાસભ્ય અરવિંદ પટેલને વિશેષ જવાબદારી સોપાઇ છે, જેથી કલોલ બેઠક જીતી શકાય, ભાજપ માટે કલોલની બેઠક
કોંગ્રેસના કબ્જામાં હોવુએ સોનાની થાળીમાં લોઢાંની મેખ સમાન છે,, તેવી લાગણી પણ ભાજપના વરિષ્ઠ નેતાઓમાં છે, આના માટે
સ્વયં અમિત શાહ મહેનત કરી રહ્યા છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂટણીમાં કલોલમાં જીતી શકે તેવા ઉમેદવારની પસંદગી કરાશે,

ડીસા વિધાનસભામાં ચાલશે પરિવારવાદ કે સન્નિષ્ઠ કાર્યકર્તા !

હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ

બોલીવુડ એકટ્રેસ દિશા પટણીનો સેક્સી અંદાજ

Advertisement

સમાચાર માટે 9909941674 અને 9909941647 ઉપર સંપર્ક કરવા વિનંતી

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.