Connect with us

અમદાવાદ

 ચૂંટણીમાં પાટીદારો મતદારોને રિઝવવા કોંગ્રેસના કયા નેતાઓ કરશે કામ !

Published

on

ચૂંટણીમાં પાટીદારો મતદારોને રિઝવવા કોંગ્રેસના કયા નેતાઓ કરશે કામ

ગુજરાતમાં કોંગ્રેસ 32 વરસથી સત્તાથી દુર છે,,ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર ફરી આવવા માટે મથી રહી છે, ગુજરાતમાં કોંગ્રેસના એક વર્ગને નેતાઓને 32 વર્ષે ભાન થયુ  છે કે પાટીદારો વગર ગાંધીનગરમાં સત્તા શકય નથી, એટલા માટે જ ગુજરાતના કોંગ્રેસના પાટીદાર નેતાઓએ બોટાદમાં બેઠક કરી,, જેમાં 20 જિલ્લાના પાટીદાર આગેવાનોએ ઉપસ્થિત પાટીદાર સમાજને કઇ રીતે કોંગ્રેસ સાથે જોડી શકાય તેને લઇને ચિન્તન કર્યુ,

 

ગુજરાત કોંગ્રેસના પાટીદાર આગેવાનએ  કોંગ્રેસામં પ્રાણ પુરવાનો નિર્યણ કર્યો છે, જેમાં કોંગ્રેસ સમિતિના 5 મહામંત્રીઓ, 2 ઉપ પ્રમુખો 40થી વધુ સહિત 100 આગેવાનો હાજર રહ્યા, જેમાં મનહર પટેલ – બોટાદ, ડો જીતુ પટેલ- અમદાવાદ , મનુ પટેલ – સુરેન્દ્રનગર, ગીતાબેન પટેલ – અમદાવાદ, નિલેશ કુભાણી- સુરત, રમેશભાઇ દુધવાળા – દલસુખ પટેલ – અમદાવાદ, નિકુંજ બલર – અમદાવાદ , જયપ્રકાશ પટેલ , કીરીટ પટેલ પુવઁ મંત્રી – વિસનગર , કાંતિ ભાઇ બાવરવા – મોરબી સહિતના પાટીદાર આગેવાનોએ હાજરી આપી,,જેમાં નક્કી થયુ છે કે  પ્રદેશ અને રાજય કક્ષાએ પાટીદાર કોંગ્રેસની સંકલન સમિતિઓ નિમવામા આવશે પાટીદાર પ્રભાવિત વિભાનસભા કે જીલ્લામા પાટીદાર સભાઓનુ આયોજન થશે,

વર્ષ 1984માં સમગ્ર દેશમાં ભાજપને માત્ર લોકસભામાં માત્ર બે બેઠકો મળી હતી,  જેમાં બેઠકો પૈકી ગુજરાતમાં મહેસાણા લોકસભા બેઠક પરથી એ કે પટેલ ચૂંટણી જીત્યા હતા, ત્યારે વર્ષ 1985માં કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવ સિહ સોલંકી ખામ થિયરી સાથે

Advertisement

149 બેઠકો સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા, ત્યારે કોંગ્રેસના વાવાઝોડાને ખતમ કરવા માટે  ભાજપે હિન્દુત્વની થિયરી સાથે ગુજરાતમાં આગળ વધવાનુ પ્રણ લીધુ, સોમનાથથી અયોધ્યા ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ લાલ કૃષ્ણ આડવાણીના નેતૃત્વમાં રથયાત્રા કાઢવામા આવી, અને તેને જબરજસ્ત પ્રતિસાદ પ્રાપ્ત થયો, અને ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટી 63 બેઠકો સાથે  બીજા નંબરનો પક્ષ બન્યો, અને ચિમન ભાઇ પટેલની સરકારમાં સત્તા સુખ મળ્યું જો કે બાબરો ઢાચો ધ્વસ્ત થતા  જનતા દળ અને ભાજપ ગઠબંધન તુટ્યુ, વર્ષ 1995માં ભય ભુખ અને ભ્રષ્ટાચારની નેમ સાથે ગુજરાતમાં ભાજપ ચૂંટણી લડ્યું, હિન્દુત્વના રંગે રંગાયેલી ગુજરાતની પ્રજાએ ભાજપને 121 બેઠકો સાથે જીત અપાવી, અને કેશુ ભાઇ પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા,, ભાજપે પાટીદારોના ચહેરા તરીકે કેશુ ભાઇ પટેલ, ક્ષત્રિયોના ચહેરા તરીકે શંકર સિહ વાધેલાને મૈદાનમાં ઉતાર્યા હતા, આ બન્નેની જોડીએ ભાજપને સત્તા અપાવવામાં મહત્વનુ યોગદાન અપાવ્યું,

ઉલ્લેખનિય છેકે ગુજરાતમાં 2015માં પાટીદાર અનામત આંદોલનના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદારોએ કોંગ્રેસને સત્તા અપાવી હતી, એટલુ જ નહી 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને ગ્રામ્ય વિસ્તારમાં પાટીદારોએ 77 બેઠકો પર જીત અપાવવામાં મહત્વનો રોલ અદા કર્યો હતો, જો કે કોંગ્રેસમાં ઓબીસી એસસી એસટી અને માઇનોરિટીનો પ્રભાવ હોવાથી  પાટીદાર નેતાઓને સ્થાન જમાવવુ મુશ્કેલ લાગતુ હતું, પરિણામે નરહરી અમિન, આશા પટેલ, બ્રિજેશ મેરજા, હાર્દીક પટેલ, અને  જે વી કાકડીયા જેવા પાટીદાર નેતાઓએ કોંગ્રેસને અલવીદા કરી ભાજપનું કમળ પકડી લીધુ,, અને કોંગ્રેસ જોતી રહી ગઇ,,

કોંગ્રેસની ખામ થિયરી થી ત્રસ્ત પાટીદોરોને કેશુભાઇમાં મશીહા દેખાયા અને પાટીદારોએ કેશુભાઇમાં વિશ્વાસ મુક્યો, જે આજ દિન સુધી બરકરાર રહ્યો,, ગુજરાતમાં પાટીદારો ભાજપ તન મન અને ધનથી મદદ કરતા રહ્યા છે, જેના પરિણામ સ્વરુપ ગુજરાતમાં ભાજપ 27 વરસથી સત્તામાં છે, આ વાત ગુજરાત કોંગ્રેસના પાટીદારોને રહી રહીને સમજાઇ છે, ત્યારે હવે ગુજરાતમાં કોગ્રેસ સત્તા પર આવે તે માટે કોંગ્રેસના પાટીદારો સામાજીક સંગઠનોના માધ્યમથી કોંગ્રેસ પર વિશ્વાસ મુકે તે માટે પ્રયાસ કરી રહ્યા છે, અત્યારે હાલસિધ્ધાર્થ પટેલ, કિરીટ પટેલ, લલીત વસોયા, લલીત કગથરા, મનહર પટેલ, ગીતા પટેલ જેવા નેતાઓ ગામે ગામ જઇ પાટીદાર સમાજને ભાજપથી દુર રહેવા અને કોંગ્રેસ પર ભરોસો મુકવા લોકોને સમજાવશે,

ત્યારે સવાલ એ છે કે હવે જ્યારે અનેક પાટીદાર નેતાઓ કોંગ્રેસને અલવિદા કરીને જતા રહ્યા છે તેવામાં કોંગ્રેસના પાટીદાર નેતાઓની સમાજ અને યુવા પાટીદાર નેતાઓ ઉપર કેટલી અસર થશે તે એક જોવા જેવી બાબત રહેશે,

રાજ્યના અતિવૃષ્ટિ પ્રભાવિત વિસ્તારોની કોગ્રેસના ધારાસભ્યો લેશે મુલાકાત

Advertisement

અમદાવાદમાં ગાયોના મોતને લઇને રાજકારણ ગરમાયું- આપ અને એએમસી સામ સામે

અશોક ગેહલોતની એન્ટ્રીથી ગુજરાત કોંગ્રેસમાં કોને લાગ્યો ઝાટકો !

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.