એન્ટરટેનમેન્ટ
મહિલા કોન્ડોમ વેચશે તો શુ થશે- જુઓ કોમેડી ફિલ્મ જનહિતમા જારી-ટ્રેલર થયુ લોન્ચ

મહિલા કોન્ડોમ વેચશે તો શુ થશે- જુઓ કોમેડી ફિલ્મ જનહિતમા જારી-ટ્રેલર થયુ લોન્ચ-
પ્યાર કા પંચનામા ફેમ એક્ટ્રેસની કોમેડી ફિલ્મ ‘જનહિત મેં જારી’નું ટ્રેલર લોન્ચઃ નુસરત કોન્ડોમનું વેચાણ કરતી દેખાઇ
Manu ki manokamna ab hogi puri 🥳 Kuch hi der mein dekhiye iss womaniya ki kahaani 🔉 #JanhitMeinJaari trailer out today!
Releasing in cinemas on 10th June 2022.@Anudsinghdhaka #TinnuAnand @brijkala #IshtiyakhKhan #SapnaSand @Pparitosh1 @writerraj pic.twitter.com/eHhZMkP56B
— Nushrratt Bharuccha (@Nushrratt) May 6, 2022
પ્યાર કા પંચનામા અને સોનુ કે ટીટૂ કી સ્વીટી ફેમ ટેલેન્ટેડ અભિનેત્રી નુસરત ભરુચાની વિચિત્ર નામ ધરાવતી આગામી ફિલ્મ જનહિત મેં જારીનું ટ્રેલર લોન્ચ થઇ ગયું. હળવી કોમેડીની વાર્તાવાળી આ ફિલ્મનું ટ્રેલર જોતા હસવુ તો છૂટે છે. પરંતુ હાલ સાઉથની ફિલ્મોની આંધી વચ્ચે નુસરતની ફિલ્મ પ્રેક્ષકોનું કેટલું મનોરંજન કરશે અને કેટલી સફળ થશે, તે તો સમય જ કહેશે. કોમેડી ફિલ્મ ડ્રીમ ગર્લના મેકર્સે ‘જનહિત મેં જારી’ ફિલ્મ બનાવી છે.
‘જનહિત મેં જારી’નું ડિરેક્ટશન જય બસંતુ સિંહે કર્યું છે જ્યારે ફિલ્મના લેખક રાજ શાંદિલ્ય છે. ફિલ્મની વાર્તા કંઈક એ પ્રકારે છે કે એક યુવતી પોતાનું ઘર ચલાવવા માટે કોન્ડોમ પણ વેચી શકે છે.
‘જનહિત મેં જારી’ના ટ્રેલરમાં એક ડાયલોગ છે કે જેમાં એક્ટ્રેસ નુસરત ભરૂચા એવું કહેતા સાંભળવા મળી રહી છે કે….
‘તમે આંગળી ઉઠાવો, હું અવાજ ઉઠાવીશ. ભારતમાં દર વર્ષે ઘણાં મોટા પ્રમાણમાં ગર્ભપાત થાય છે. જેથી ઘણી છોકરીઓ પોતાનો જીવ ગુમાવે છે. પુરુષો માટે કદાચ આ માત્ર એક જરૂરિયાત હશે પણ મહિલાઓ માટે આ જરૂરી છે.’
Arey bhaiya, toh isme problem kya hai? 🤔 Ek womaniya sab pe bhaari; yeh suchna hai #JanhitMeinJaari. Trailer out tomorrow 🔊
Releasing in cinemas on 10th June 2022.@Anudsinghdhaka #TinnuAnand @Pparitosh1 @writerraj @basantujai @vinodbhanu pic.twitter.com/lL0kO388PW
— Nushrratt Bharuccha (@Nushrratt) May 5, 2022
‘જનહિત મેં જારી’ નાના શહેરમાં વસતી એક મધ્યમવર્ગીય નીતિ નામની યુવતીની વાર્તા છે જે સામાજિક બંધન હોવા છતાં ઘર ચલાવવા માટે બધી જ નીતિઓને કોરાણે મૂકી કોન્ડોમનું વેચાણ કરવા મજબૂર થાય છે. આ કામ માટે નીતિને ઘણાં વિરોધનો સામનો કરવો પડે છે. ફિલ્મમાં નુસરત ભરૂચા સામે અનુદ સિંહ જોવા મળશે. તેમજ એક્ટર વિજય રાઝ, ટીનુ આનંદ, બ્રિજેન્દ્ર કાલા સહિતના કલાકારો પણ ‘દેખાશે. આમ તો મોટાભાગના કલાકારો બહુ જાણીતા નથી, છતાં ટ્રેલરમાં તેમની મહેનત દેખાઇ રહી છે. ફિલ્મમાં જોવાની રહેશે.
કોરોના વાયરસની મહામારી દરમિયાન નુસરત ભરૂચાએ કહ્યું હતું કે…
મેં કેટલાંક પ્રોજેક્ટ માટે ફી ઘટાડી છે કારણકે મને ખબર છે કે ઈન્ડસ્ટ્રી આર્થિક રીતે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. આ સમયે અમે બધા ફિલ્મને બનાવવા માટે બહાદુરીભર્યુ પગલું લઈ રહ્યા છે. કોસ્ટ અને બજેટ ઘટાડ્યા બાદ મેકર્સ મારી પાસે આવ્યા હતા અને હું ફી ઘટાડવા માટે તૈયાર થઈ ગઈ હતી’.
#JanhitMeinJaari pic.twitter.com/qVVqQ8feUs
— Nushrratt Bharuccha (@Nushrratt) May 4, 2022
નુસરત છેલ્લે અમેઝોનની હોરર વેબ ફિલ્મ છોરીમાં દેખાઇ હતી. જે ગત વર્ષે નાના પડદે જોવા મળી હતી. છોરીમાં નુસરતનું પરફોર્મન્સ અદભૂત હતું. અગાઉ તેણે 2009 જય સંતોષી મા ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. પરંતુ તેને ખરી ઓળખ પ્યાર કા પંચનામા અને પ્યાર કા પંચનામા2 થી મળી હતી. પછી સોનુ કી ટીટૂ કી સ્વીટીમાં પણ તે છવાઇ ગઇ હતી. હવે તે હુડદંગ, અક્ષયકુમારની રામસેતુમાં દેખાશે. બંને ફિલ્મો આ વર્ષે જ રજૂ થશે. જ્યારે આવતા વર્ષે તેની ફિલ્મ સેલ્ફી પણ આવવાની છે.
The story of a saleswoman who will change the way we think. #JanhitMeinJaari Trailer out in 2 days! 🔊
Releasing in cinemas 10th June 2022.@Anudsinghdhaka #TinnuAnand @Pparitosh1 @writerraj @basantujai @vinodbhanu #KamleshBhanushali @vishalgurnani5 pic.twitter.com/lVY65Ndhu2
— Nushrratt Bharuccha (@Nushrratt) May 4, 2022
અમદાવાદ
.રાજયના વિકાસને નવો રાહ ચીંઘનારા પ્રતિભાશાળી ઇનોવેટર્સના સહયોગી બનવું એ અમારી સરકારનો ઘ્યેય :ભૂપેન્દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી

સમાજ જીવનમાં દરેક ક્ષેત્રના શ્રેષ્ઠ વ્યક્તિત્વનું સન્માન કરવું એ ખરેખર પ્રશંસનીય કાર્ય
મુખ્યમંત્રીશ્રીના હસ્તે દિવ્યભાસ્કર પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ- ૨૦૨૩ અર્પણ કરાયા
પ્રસિધ્ધ અભિનેતા નવાઝુદ્દિન સિદ્દિકીની પણ ઉપસ્થિતિ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિવિઘ ક્ષેત્રોના પ્રતિભાવાન મહાનુભાવોનું પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ- ૨૦૨૩થી સન્માન કરતા જણાવ્યું હતું કે, રાજયના વિકાસને નવો રાહ ચીંઘનારા પ્રતિભાશાળી ઇનાવેટર્સના સહયોગી બનવું એ અમારી સરકારનો ઘ્યેય છે. મુખ્યમંત્રીએ વઘુમાં જણાવ્યું હતું કે, સમાજ જીવનમાં દરેક ક્ષેત્રના શ્રેષ્ઠ વ્યક્તિત્વનું સન્માન કરવું એ ખરેખર પ્રશંસનીય કાર્ય છે.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર વિશ્વમાં દેશને આગવી ઓળખ આપી છે. ત્યારે તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતે પણ વિકાસના શ્રેષ્ઠ પરિણામો હાંસલ કર્યા છે. પ્રત્યેક ગુજરાતી ગૌરવ લઇ શકે તે પ્રકારે ગુજરાતનો વિકાસ થઇ રહ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રાઇડ ઓફ ગુજરાત- ૨૦૨૩ પુરસ્કારથી સન્માનિત સૌ મહાનુભાવોને શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પ્રસિઘ્ઘ અભિનેતા નવાઝુદ્દિન સિદ્દિકીએ કારકિર્દીની શરૂઆતમાં ગુજરાતમાં વિતાવેલા દિવસો અને ગુજરાતી નાટકોમાં કરેલા અભિનયને યાદ કરી ગુજરાત સાથેના ભાવનાત્મક સંબંઘોને તાજા કર્યા હતા. આ પ્રસંગે ઘારાસભ્ય રીટાબેન પટેલ અને ગાંધીનગર મહાનગરપાલિકા મેયર હિતેષ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર
પઠાણ ફિલ્મનો રાષ્ટ્રીય શેક્ષિક મહાસંઘે કર્યો વિરોધ

બોલિવૂડની ફિલ્મ પઠાણ 23 જાન્યુઆરીએ રિલીઝ થનાર છે ત્યારે આ ફિલ્મનું સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમથી ટ્રેલર અને ગીત લોન્ચ કરાયું છે, જેને લઈને અત્યારેસમગ્ર દેશમાંવિરોધ થઇ રહ્યો છે., ત્યારે ગુજરાતમાં પણ આ ફિલ્મ રીલિઝ ના થાય તે માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને માગ કરી છે
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ગુજરાતના પ્રમુખ ભીખાભાઇ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે, આગામી 25 જાન્યુઆરીએ પઠાણ ફિલ્મ રીલિઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલર અને ગીતનાં દૃશ્યો જોતાં તેમાં અશ્લીલતાથી ભરપૂર દૃશ્યો અને સમાજના પ્રત્યેક વર્ગની લાગણી દુભાઈ તે રંગના કોસ્ચ્યૂમ તેમજ અન્ય બાબતો છે. જે સમગ્ર ભારતના વિદ્યાર્થીઓના માનસ તથા સમાજ પર અત્યંત ખરાબ અસર ઊભી કરે તેમ છે.
તેમણે વધુમાં રજુઆત કરી છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલમાં લાવીને શિક્ષણના સમન્વય દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે ત્યારે આ ફિલ્મથી ભારતીય સંસ્કૃતિને પણ ઠેસ પહોંચી છે. આ ફિલ્મ સમાજ માટે ઘાતક છે, સરકાર તથા સામાજિક સંસ્થાની વર્ષોની મહેનત પર આવી ફિલ્મ કઠોરાઘાત કરી સંસ્કાર સિંચનને અટકાવે છે. નિમ્નકક્ષાની આવી ફિલ્મનું નિર્માણ કરતા ફિલ્મ પ્રોડ્યુસર, ડિરેક્ટર અને કલાકારોની ફિલ્મ પર સદંતર પ્રતિબંધ મૂકી કડક સંદેશ આપવા જોઈએ.
એન્ટરટેનમેન્ટ
કોણ છે માલવિકા મોહનન ?

કોણ છે માલવિકા મોહનન ?
માલવિકા મોહનન એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે, જે મુખ્યત્વે મલયાલમ ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. આ ફિલ્મો સિવાય તેણે હિન્દી, કન્નડ અને તમિલ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
તે સિનેમેટોગ્રાફર KU મોહનનની પુત્રી છે, જેણે તેણીને રોમેન્ટિક ડ્રામા ફિલ્મ પટ્ટમ પોલ (2013) માં કાસ્ટ કરી હતી, જે તેણીની પ્રથમ ફિલ્મ બની હતી. આ ફિલ્મ પછી, તેણીએ મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવવાનું શરૂ કર્યું, અને તેણીને ઘણી ફિલ્મોમાં તેના અભિનય માટે પ્રશંસા પણ મળી.
માલવિકાએ તેણીનું શાળાકીય શિક્ષણ મુંબઈમાં કર્યું હતું, જ્યાં તેણે વિલ્સન કોલેજમાંથી માસ મીડિયામાં ડિગ્રી મેળવી હતી, જેના કારણે તેણી સિનેમેટોગ્રાફર અથવા દિગ્દર્શક તરીકે તેના પિતાને મદદ કરી શકી હતી. તેણી આગળ અભ્યાસ કરવા માંગતી હતી, પરંતુ તેના પિતાના કહેવાથી તેણે કેટલીક ક્રીમની જાહેરાત વગેરેના શૂટિંગમાં કામ કરવાનું શરૂ કર્યું અને ત્યારથી તેને અભિનયમાં રસ પડવા લાગ્યો.
તેને આગામી મલયાલમ ફિલ્મમાં અભિનય કરવાની તક પણ મળી. પરંતુ માલવિકાએ તેની સાથે જોડાતા પહેલા આવો નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારવાનો સમય માંગ્યો હતો. ત્યારબાદ તેણીએ ઓડિશનમાં હાજરી આપી અને પટ્ટમ પોલમાં મુખ્ય પાત્ર તરીકે પસંદગી પામી. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ અજાયબી બતાવી શકી ન હતી અને તેને અસફળ જાહેર કરવામાં આવી હતી. ફિલ્મને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો
તેણી તેની બીજી ફિલ્મ નિર્ણાયકમ (2015) માં બેલે ડાન્સર બની હતી. આ ફિલ્મે સારી કમાણી કરવાની સાથે સાથે સારી સમીક્ષાઓ પણ મેળવી હતી. પરંતુ બાદમાં તેણીએ ફિલ્મના નિર્માણની વચ્ચે છોડી દીધી હતી.[8] 2016માં, માલવિકાએ તેની પ્રથમ કન્નડ ફિલ્મ નાનુ મટ્ટુ વરલક્ષ્મી (2016)માં અભિનય કર્યો હતો.જેમાં તેણે નવોદિત પૃથ્વી સાથે કામ કર્યું હતું. 2017), તે પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળ્યો હતો.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ