Connect with us

Uncategorized

ગુજરાતના આ સાસંદોની કપાઇ શકે ટીકીટ ! તેમના આનુગામીની તપાસ શરુ

Published

on

ગુજરાતના આ સાસંદોની કપાઇ શકે ટીકીટ ! તેમના આનુગામીની તપાસ શરુ

ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારી અત્યારથી આરંભી દીધી છે, ત્યારે પક્ષના નવા નિર્યણ પ્રમાણે 81 સાસંદોની ટીકીટ કપાઇ શકે છે,
જેમાં 9 સાસંદો ગુજરાતના પણ હશે, મહત્વપુર્ણ છે કે આમાં લિસ્ટમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો પણ સમાવેશ થયા છે, એટલે કે શક્ય છે કે 2014ના ના લોકસભાની ચૂંટણીમાં તેમની ટીકીટ પણ કપાઇ શકે છે,

નરેશ પટેલ મામલે હવે ભાજપ કરશે પોલીટીક્સ !

ભારતિય જનતા પાર્ટીએ હવે 2024 માટે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે જેમાં સાસંદોના દેખાવ, ,ગ્રાઉન્ડ ફીડ બેક અને વિવિધ જાતી સહિતના
સમિકરણો અને મુદ્દાઓની ગણતરી શરુ કરી દેવાઇ છે, સુત્રોની માનીએ તો આ વખતે ટિકીટોની વહેચણી માટે ઉમરના નિયમને પણ લાગુ પડાવાનો નિર્યણ કરાયો છે
ઉમર મુદ્દે હવે સીધી રીતે સર્વ સમંતી સિનિયર નેતાઓ વચ્ચે થઇ ગઇ છે, ભાજપના
સિનિયર નેતાઓની માનીએ તો હાલમાં જે સાસંદોનો જન્મ 1956 પહેલા થયા હોય તેમને 2024માં લોકસભાના ટિકીટો નહી અપાય,,
જો આ નિયમ લાગુ કરવામાં પાર્ટી સફળ રહેશે તો 301 પૈકી 81 સાસંદોને ટિકીટ કાપી દેવાશે જેમાં હેમા માલિની, સાદનંદ ગૌડા, અર્જુન રામ મેધવાલ અને આર કે સિહ જેવા નેતાઓ સામેલ છે, તેમના સ્થાને નવા ચહેરાઓને તક મળી શકે છે, ,
,જો કે કેટલાક નેતાઓને આમાં છુટ છાટ મળી શકે છે,

Advertisement

અનાર પટેલ માટે પાટણથી ચૂંટણી લડવાનો ગોઠવાતો તખ્તો !

વાત જો ગુજરાતની કરીએ તો અહી

નવસારીના સાંસદ સીઆર પાટીલનુ જન્મ 16 માર્ચ 1955ના રોજ થયો છે

બનાસકાંઠાના સાસંદ પરબત ભાઇ પટેલનું જન્મ 4 સપ્ટેમ્બર 1948 ના રોજ થયો છે

મહેસાણાના સાસંદ શારદા બેન પટેલનો જન્મ 21 માર્ચ 1948

Advertisement

પાટણના સાસંદ ભરતજી ડાભીનો જન્મ 18 માર્ચ 1955

સાબરકાંઠાના સાસંદનો દીપ સિહ રાઠોડનો જન્મ 1 જુન 1952

અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો કિરીટ સોંલંકીનો જન્મ 17 જુન 1950

રાજકોટના સાંસદ મોહન કુડારિયાનો જન્મ 6 સપ્ટેમ્બર 1951

અમરેલીના સાંસદ નારણ કાછડિયાનો જન્મ 25 એપ્રિલ 1955

Advertisement

વલસાડના સાસંદ કે સી પટેલનો જન્મ 10 જાન્યુઆરી 1950

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ

17મી લોકસભામાં ભાજપના 25 ટકા સાસંદ 70 વર્ષ કે તેનાથી વધુના ઉમરના થઇ જશે, જેમાં વડા પ્રધાન નરેન્દ્રમોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિહનો પણ સમાવેશ થાય છે, પણ કેટલાક કિસ્સાઓમાં છુટ છાટ અપાશે તેમ પણ પાર્ટીએ સ્વિકાર્યુ છે,
1956 પહેલા જન્મેલા સાસંદોમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં છે જેમાં વડા પ્રધાન નરેન્દ્રમોદી સહિત12 સાસંદ,ગુજરાતમાં સીઆર પાટીલ સહિત 9 સાસંદ, કર્ણાટકમાંથી 9, મધ્યપ્રદેશ અને બિહારથી છ- છ સાંસદ,
મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી 5-5 જ્યારે ઝાંરખંડમાંથી 2 સાસંદ 1956 પહેલા જન્મેલા છે, ત્યારે સવાલ એ આવે છે કે તેમના પછી કોણ,, ભાજપના
સુત્રો ત્યાં સુધી કહી રહ્યા છે હાલ આવા તમામ સાસંદોને કહી દેવામા આવ્યુ છે કે તેઓ જાતે પોતાના વિસ્તારમાં પોતાના અનુગામીની પસંદગી માટે
કવાયદ કરે, જેથી છેલ્લી ઘડી સુધી પાર્ટી પાસે યોગ્ય વિકલ્પ તૈયાર રહે,, આમ ભાજપ હવે કોર્પોરેશનથી માંડી સંસદ સુધી કાયાકલ્પ કરવા માંગે છે તેમ લાગી રહ્યુ છે, પણ તેના કારણે અનેક દિગ્ગજ નેતાઓનુ પત્તુ કપાશે તેમા કોઇ બે મત નથી

Advertisement

Uncategorized

સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારે શું કર્યું ?

Published

on

સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્ય સ્તરની ખાસ તપાસ દળ (S.I.T) ની રચના કરાઈ

રાજ્યના પુરવઠા વિભાગ હેઠળના ગોડાઉન કે સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિ કે ચોરીની ઘટના બાબતે રાજ્ય સરકાર ખૂબ જ સંવેદનશીલ છે. ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાની ઘટનાઓ પર સદંતર અંકુશ લાવી શકાય અને અગાઉ બનેલા આવા બનાવોના મૂળ સુધી પહોંચીને આરોપીઓને કડકમાં કડક સજા કરાવી શકાય તે માટે રાજ્ય સરકારે રાજ્ય સ્તરની SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) બનાવવાનો નિર્ણય લીધો છે. આ સીટની રચનાથી સ્થાનિક પોલીસને યોગ્ય માર્ગદર્શન મળશે અને સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓની તપાસમાં એકસૂત્રતા અને અસરકારકતા આવશે.

સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં રચાયેલી આ S.I.T માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ

SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અધ્યક્ષ તરીકે સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષકશ્રી હશે. તે ઉપરાંત સભ્ય તરીકે અન્ન અને નાગરિક પુરવઠાના નિયામક તેમજ સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ અધીક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીટમાં સભ્ય સચિવ તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડાયરેકટરશ્રી હશે. ઉપરાંત અન્ય સભ્યમાં સંબંધિત જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી અને સંબંધિત નાયબ પોલીસ અધીક્ષકનો સમાવેશ આ ખાસ તપાસ દળમાં કરવામાં આવ્યો છે.

ગૃહ વિભાગે બનાવેલી SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) રાજ્યભરમાં આ પ્રકારના દાખલ થયેલા ગુનાઓની સમીક્ષા કરીને તપાસ અધિકારીએ હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે. તે ઉપરાંત આ પ્રકારના જે ગુનાઓની પોલીસ તપાસ પૂર્ણ થઇ ગયેલી છે તે ગુનાઓની પણ સમીક્ષા કરીને સૂચિત કાર્યવાહી અંગે સંબંધિત પોલીસ અધીક્ષકને જરૂરી સૂચનો કરશે. આ સમિતિએ દર મહિને બેઠક કરીને કાર્યવાહીની સમીક્ષા નોંધ અધિક મુખ્ય સચિવ (ગૃહ) અને ગૃહ રાજ્ય મંત્રીને રજૂ કરવાની રહેશે.

Advertisement
Continue Reading

Uncategorized

કિસાનો માટે કલ્યાણકારી અને લાંબા ગાળાના લાભો આપનારું બજેટ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Published

on

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાત સરકારના વર્ષ 2023-24 ના અંદાજપત્રને ખેડૂતો માટે કલ્યાણકારી અને લાંબાગાળાના લાભો આપનારું અંદાજપત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ માટે કિસાનો પ્રેરિત થાય એવા પ્રયત્નો કરીને, ખેડૂતોની આવક બમણી કરવા સરકારે વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની પડખે રહેવાની પ્રતિબદ્ધતા આ અંદાજપત્રમાં વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને અમૃતકાળ માટે ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસની દિશા નિર્ધારિત કરતા અંદાજપત્ર માટે અભિનંદન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી સંલગ્ન પ્રશિક્ષણ અને કૃષિ, મત્સ્યોદ્યોગના વિસ્તરણ-સંશોધન માટે કાર્યરત ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને માળખાકીય સગવડોના વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા 1,153 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે, જે આવકાર્ય છે. આ જોગવાઈથી ખેડૂતોની આવતીકાલ વધુ ઉજ્જવળ બનશે.

ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચર લર્નિંગ એન્ડ ઇન્ટીગ્રેશન મિશન- TALIM યોજના પણ ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા રૂપિયા 203 કરોડની ફાળવણી કરાઈ છે, જેનાથી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા અને દેશી ગાયોની જાળવણી કરવા પ્રોત્સાહિત થશે.

Continue Reading

Uncategorized

ગુજરાતના પોલીસ સ્ટેશનો બનશે આત્મનિર્ભર !

Published

on

ગુજરાતના પોલીસ સ્ટેશનો બનશે આત્મનિર્ભર !

ગુજરાત સરકારનું ગૃહ વિભાગ હવે વડા પ્રધાન નરેન્દ્રમોદીના આત્મ નિર્ભર ભારતના સ્વપ્ન ને સાકાર કરવા તરફ વધી રહી છે,, સુત્રોની માનીએ તો ગૃહ વિભાગ ખાસ પ્લાન તૈયાર કરાયો છે, જેની બજેટ સત્રમાં જાહેરાત થઇ શકે છે,

 

ગૃહ વિભાગે જે પ્લાન બનાવ્યો છે તે મુજબ આગામી સમયમાં રાજ્યના 100થી વધુ નવા પોલીસ સ્ટેશનો બનશે, તે આત્મ નિર્ભર બનશે, જેના માટે ખાસ તૈયારી ગૃહ વિભાગે કરી છે,આ પ્લાનિંગમાં પોલીસ વિભાગ સાથે જન ભાગીદારીથી પોલીસ સ્ટેશનોનું નિર્માણ થશે, એટલુ જ નહી પોલીસ સ્ટેશનના ખર્ચમાં ઘટાડો થાયતે માટે સો થી વધુ પોલીસ સ્ટેશનમાં સોલાર પેનલ લગાવવામાં આવશે, જેના કારણે વિજ ખર્ચમાં ઘટાડો થશે, આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં મેન્ટનંસનો ખર્ચો ઉઠાવવો ન પડે તે માટે પોલીસ સ્ટેશનોમાં એટીએમ,બેંક,જેવી જાહેર સુવિધઓ ઉભી કરાશે, જે ગુજરાત સરકારનો પ્રથમ પ્રયોગ હશે, જેનાથી સરકારની તિજોરી ઉપર ભારણ ઘટશે,

 

Advertisement

 

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.