અમદાવાદ
મુન્દ્રા પોર્ટ ઉપર ડ્રગ્સ પકડનારી એજન્સી પાસેથી તપાસ ઝૂંટવી લેવાનું કામ કોના ઇશારે થયું ? તે સરકાર જાહેર કરે – પરેશ ધાનાણી

કાયદા પ્રત્યે લોકોમાં વિશ્વાસ પેદા થાય એવું વાતાવરણ
ઉભું કરવાની જવાબદારી સરકારની છે.
સરહદો ઉપર કેમેરા લગાડાય તો રાજયમાં ઘુસાડવામાં આવતો દારૂ અટકાવી શકાય.
ડીજીટલ માફીયાઓના કારણે માણસની પરસેવાની કમાણી
આજે બેંક ખાતામાં પણ સલામત નથી
મુન્દ્રા પોર્ટ ઉપર ડ્રગ્સ પકડનારી એજન્સી પાસેથી તપાસ ઝૂંટવી લેવાનું કામ
કોના ઇશારે થયું ? તે સરકાર જાહેર કરે – પરેશ ધાનાણી
વિધાનસભા ગૃહમાં રાજ્યના ગૃહમંત્રી દ્વારા લવાયેલ ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ વિધેયક-૨૦૨૨ માં વિચારો રજૂ કરતા પૂર્વ વિપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગૃહ સમક્ષ વિચારણા અર્થે મુકાયેલ આ બિલમાં ગુજરાતમાં વાણિજ્યિક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમતગમત સંકુલો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, લોકો એકત્રિત થતાં હોય તેવા સભાસ્થળો અને એવી બીજી બધી જ મોટી સંસ્થાઓ કે જ્યાં વધુ સંખ્યામાં લોકો ભેગા થાય છે ત્યાં ગુના અને સુરક્ષા અંગેના જોખમોને નિવારવા માટે આવી જગ્યાએ સી.સી.ટી.વી. કેમેરા ઈન્સ્ટોલ કરવા અને પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજિયાત બનાવવા નિર્ધાર કર્યો છે ત્યારે આ બિલમાં ઉદ્દેશો અને કારણોમાં સરકારે એ વાતને પણ સ્વીકારી છે કે, રાજ્યમાં મોટી સંખ્યામાં આવા સી.સી.ટી.વી. કેમરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. મહાનગરો, નગરપાલિકા વિસ્તાર, તાલુકાના વડા મથક, મુખ્ય ધોરીમાર્ગો સહિત ઘણી બધી જગ્યાએ સી.સી.ટી.વી. કેમેરા લગાડવાની પરંપરાને લગભગ ઘણાં વર્ષો પૂરા થયા છે.
શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહજીએ વર્ષ ૨૦૦૪માં ઇ-ગ્રામ યોજના રાજ્યો સહિત સમગ્ર દેશમાં લાગુ કરી. દેશના સાત લાખ કરતાં વધુ ગામની પંચાયતો ઇન્ટરનેટથી સીધી જ તાલુકા-જિલ્લાના વડા મથકે, રાજ્યના વડા મથકે જોડાય તથા ગામડાના સરપંચની વાત ઇ-મેઇલથી સીધી જ પ્રધાનમંત્રીસુધી પહોંચે એવી વ્યવસ્થાનો પાયો નંખાયો છે. પરંતુ આજેપણ ગુજરાતના કેટલાય ગામોને ઇ-ગ્રામ યોજનાનો લાભ મળ્યો નથી. કેટલાય દાતાશ્રીઓએ વ્યક્તિગત ધોરણે કોઇ એક પંચાયતમાં, બે પંચાયતોમાં, દસ પંચાયતોમાં કોમ્પ્યુટરનું દાન કર્યુ. એ કોમ્પ્યુટરને ધૂળ ચડી ગઇ, કોઇ વાપરનારૂ નથી. આવા કોમ્પ્યુટર ખોટકાણા તો એને રિપેર કરવાની સરકારે આજે ૧૫-૧૫ વર્ષનો સમય થયો હોવા છતાં ચિંતા કરી નથી. આ ગૃહમાં એવા કાયદાઓ ઘડે કે જે કાયદાથી લોકોના મનમાં વિશ્વાસ પેદા થાય કે, મારી સાથે કોઇ ખોટુ કરશે તો એને કાયદો પહોંચશે. પરંતુ આ ઉચ્ચ કોટિની પરંપરાને વિતેલા વર્ષોમાં તોડવાની શરૂઆત થઇ, પરિણામે આપણે જે કાયદા ઘડીએ, એ કાયદાથી વિશ્વાસના બદલે સામાન્ય માણસના મનમાં ડર પેદા થાય છે. આ કાયદાથી, કાયદા તોડનારાના રૂવાડાં ઉભા થઇ જવા જોઇએ, એ ગુનો કરતાં ડરવા જોઇએ. પણ કમનસીબે આવું બન્યું નથી.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ઘણા વર્ષોથી સી.સી.ટી.વી. કેમેરા લગાડવામાં આવ્યા છે. પરંતુ તેનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરી શકતા નથી જેથી હમણાં જ નામદાર હાઇકોર્ટે સરકારને ઠપકો આપવો પડ્યો કે, પોલીસ સ્ટેશનમાં જયારે કસ્ટોડિયલ ડેથના બનાવો બને, નામદાર હાઇકોર્ટ તેની તપાસ કરતી હોય ત્યારે ત્યાંના સી.સી.ટી.વી. કેમેરા બંધ હોય છે, સી.સી.ટી.વી. કેમેરા ખોટકાઇ ગયા હોય છે, સી.સી.ટી.વી. કેમેરા લાઇટના અભાવે બંધ હોય છે. પોલીસ સ્ટેશનમાં સી.સી.ટી.વી. કેમેરા લગાડયા પછી પણ કસ્ટોડીયલ ડેથમાં સમગ્ર ગુજરાત ભારતમાં અવ્વલ નંબરે શું કામે રહ્યું છે ? એ સરકારે જણાવવું જોઈએ. રાજયમાં તમામ પોલીસ કર્મીઓના ટોપામાં કેમેરો રાખવો જોઇએ. જેથી પોલીસ સાથે કોઇ દુર્વ્યવહાર કરે તો તેવા લોકોને સબક શીખવાડવામાં આવે અને પોલીસ પણ કોઇ સામાન્ય માણસ ઉપર સત્તાનો દુરઉપયોગ કરે તો એ સાચી વાતના લેખાજોખા પણ થાય આવી વ્યવસ્થા આજે આખું ગુજરાત ઇચ્છે છે.
ગુજરાતમાં હવે રાજનિતિક લડાઇ મરાઠા પાટીલ વર્સીસ ગુજરાતી પટેલ વચ્ચે બનવાના એંધાણ !
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના બગીચામાં, રોડ ઉપર, જાહેર ચોકમાં સી.સી.ટી.વી. લગાડયા, છતાં આપણે રાજ્યમાં ગુનાખોરી નિયંત્રિત કરી શકયા નથી. ગુજરાતને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનની સરહદ અડે છે, આ સરહદો ઉપર કેમેરા લગાડી દો તો રાજયમાં ઘુસાડવામાં આવતો દારૂ અને દિન દહાડે દારૂના થતા હોલસેલ વેપારને અટકાવી શકાય. રાજયમાં દરિયાકાંઠે જો સી.સી.ટી.વી. કેમેરા લગાડયા હોત તો ડ્રગ માફિયાઓ દરિયાથી જમીન ઉપર લેન્ડીંગ કરે એ પહેલા જ એને દબોચી લીધા હોત અને આ ગુજરાતનું યુવાધનને બરબાદ થતું બચાવી શકાયું હોત. તાજેતરમાં મુન્દ્રા પોર્ટ ઉપર જે એજન્સીએ ડ્રગ્સને પકડયું, એ પકડનારી એજન્સી પાસેથી તપાસ ઝૂંટવી લેવાનું કામ કોના ઇશારે થયું ? એ ગુજરાતની જનતા જાણવા માગે છે. આ ૩૦ હજાર કરોડ રૂપિયાના ડ્રગ્સકાંડ ઉપર પડદો પાડવાના પાપના કારણે આવતી પેઢી આ ડ્રગ્સ માફિયાઓના ગુલામ બનવાના છે ત્યારે એને બચાવવા માટે આ સી.સી.ટી.વી. કેમેરાનો ઉપયોગ થયો હોત તો યોગ્ય હતું. સરહદો ઉપરથી દરરોજ કરોડો રૂપિયાનો દારૂ, કયાંક એસ્કોર્ટની પાછળ, કયાંક પાઇલોટીંગ થતું હોય, એ ગુજરાતના ગામડે ગામડે બોટલો પહોંચે છે એવા લોકોને દબોચવા માટે આ સી.સી.ટી.વી.નો ઉપયોગ થયો હોત તો ગમત પણ જાહેર રસ્તાઓ ઉપર કેમેરા લગાડવા છતાં આપણે આ ગુનાઓને નિવારી શકયા નથી.
શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સી.સી.ટી.વી. કેમેરા લગાડયા પછી એનું નિયંત્રણ કોણ કરશે એના પણ પ્રશ્નો હતા, કયાંક નગરપાલિકા એનું સંચાલન કરશે, કયાંક પોલીસ વિભાગ એનું સંચાલન કરશે, કયાંક સાયન્સ અને ટેકનોલોજી વિભાગ એનું સંચાલન કરશે, કેમેરાઓ તો લગાડાઇ ગયા પછી તંત્ર દ્વારા તેની કાયમી નીભાવણી થવી જોઇએ તેના અભાવે રાજયમાં ગુનાઓ વધતા ગયા. રાજયમાં બે વર્ષમાં ૧૦૨૪ જેટલી લૂંટ થઇ, ૧૯૯૩ ખૂન થયા, કોઇ માણસ હથિયાર લઇને બહાર નીકળે એના મોઢા ઉપર ગુસ્સાના હાવભાવ સી.સી.ટી.વી.માં પકડાયા હોત તો ખૂનની ઘટનાઓ રોકી શકયા હોત પરંતુ કમનસીબે આવું ન થઇ શક્યું. ૨૭૧ જેટલી ધાડ પડી છે. ધાડપાડુઓ ખુલ્લે આમ કોઇની વસ્તુ છીનવી લે. આ ખુલ્લેઆમ વસ્તુઓ છીનવી લેવાનો પ્રયાસ ગુજરાતમાં થાય છતાંય આવી ઘટના રોકી શકયા નથી. ૧૮,૬૫૮ જેટલા ચોરીના બનાવો બન્યા છે. ગુજરાતમાં ૫,૩૩૨ જેટલા ઘરફોડ ચોરીના કિસ્સા બન્યા છે. આમ, સી.સી.ટી.વી. લગાડ્યા પછી ચોરી કરનારને રોકી શકયા નથી.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડિજીટલ ઇન્ડિયાનો નારો આવ્યો એ પછી પણ ડિજીટલ ઇન્ડિયાનો દુરપયોગ રોકી શકયા નથી. રાજ્યમાં સાઇબર હુમલા વધતા જાય છે એના નિયંત્રણ માટે કાયદો લાવ્યા પછી કોઇ માણસની પરસેવાની કમાણી બેંકના ખાતામાં સલામત નથી તો કોઇ માણસે બચત કરવા માટે ૧૮મી સદીની પૂરાણી પરંપરા પટારાને અલીગઢી તાળુ મારી એ પટારા માથે સૂવે તો એની બચત બચવી હોય તો બચે બાકી બેંકના ખાતામાંથી આ ડિજીટલ માફિયાઓ, સાયબર ક્રાઇમ કરનાર લોકો બારોબાર લઇ જાય અને છતાં સરકાર આના ઉપર નિયંત્રણ કરી શકે નહિ. આ રીતે ગુજરાતના લોકોની બચત પણ જોખમમાં છે.
https://www.facebook.com/pages/?category=your_pages&ref=bookmarks
રાજયમાં ડ્રોન કેમેરા હવામાં ઉડીને જમીન ઉપર સર્વેલન્સ કરશે અને આ રીતે ગુનેગારોને રોકવામાં આવશે. પરંતુ રાજયમાં સરકાર છેલ્લા ૨૦ વર્ષથી હવામાં ઉડે છે. ગામોમાં ગલીએ ગલીએ ગુંડાઓએ માઝા મૂકી છે. માત્ર હવામાં ઉડીને પ્રજાની સલામતી નહિ થાય.
ગુજરાત રાજય નંબર ૧ રાજય બને એ ગૃહની ચિંતા છે. રાજ્યમા ઇન્ટરનેટ સ્પીડ ખૂબ ઓછી છે. આ કેમેરામાં કોઇ ગુનાના ઇરાદાવાળો પકડાય જાય, એ ઇરાદો કેમેરામાં કંડારાય જાય, એ વિજયુઅલ સત્તાધિકારી પાસે પહોંચે એમાં સમય લાગે, એ દરમિયાન ગુનો કરનાર ગુનેગાર વિદેશ ભાગી જાય એટલી સ્પીડથી આપણું ઇન્ટરનેટ ચાલે છે. ત્યારે એની સ્પીડ વધારવા માટે સરકારે ચિંતા કરી હોત તો ગમત.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, દેશમાં વિતેલા ૧૦ વર્ષમાં યુ.પી.એ. સરકારે જે પાયો નાખ્યો હતો તેના ઉપર ઇમારત ઉભી થઇ રહી છે પણ આ જી.પી.એસ. ટ્રેકીંગ મારફતે ગુનેગારોને ટ્રેક કરવાના બદલે સજ્જન માણસોએ ક્યાંક તેનો ભોગ બનવું પડે એવી સ્થિતિ પેદા થઇ છે. ભૂતકાળમાં ટેક્નોલોજીના દુરુપયોગથી કેટલાય લોકોને તેની નિજતાના અધિકાર ઉપર વાર કરવાનો પ્રયાસ થયો છે. પૂ. બાબાસાહેબે ઘડેલા બંધારણે સમાનતા અને સદભાવનાના પાયા ઉપર દેશની ઇમારત ઉભી કરી હતી. કમનસીબે આ રાઇટ ટુ પ્રાઇવસી, નિજતાના અધિકાર ઉપર ક્યાંય કાયદાનો દુરુપયોગ કરી, રાજકીય ઇરાદાઓ સિદ્ધ કરવાનો પ્રસાય થશે તો તેની દુરોગામી અસરો દેખાશે અને ગુજરાતનું ઘોડિયામાં હીંચકતું ભવિષ્ય ગુલામ પેદા થશે.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજયમાં હવે પરંપરા શરૂ થઈ છે કે કોઇ યુગલ દાંમ્પત્યમાં પગલાં પાડતાં પહેલાં એકબીજાના વિચારોનું આદાન-પ્રદાન માટે, બે ઘરના વ્યવહાર, તેના જોણ શરૂ થાય, એકબીજાને સમજવાનો પ્રયાસ થાય, આવા વાર્તાલાપ માટે પણ ક્યાંય બગીચા, એક તો બગીચા ઘટ્યા અને તેમાંય બગીચામાં સરકાર સી.સી.ટી.વી. કેમેરા મૂકશે તો આવા યુગલો ક્યાં જશે ? તેની ચિંતા વ્યક્ત કરી હોત તો ગમત.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે. બહેનો-દીકરીઓ ઉપરના અત્યાચારના બનાવો સતત વધતા જાય છે તેના પર નિયંત્રણ કસવા માટે આ સી.સી.ટી.વી. કેમેરાનો ઉપયોગ થાય તો ગમશે પણ તેમાં ભયસ્થાન સમાયેલું છે. કોઇ જવાનિયા, તેનો પ્રેમ પાંગર્યો હશે, ક્યાંય બગીચામાં ફરવા ગયા હશે. આવા દૃશ્યો સી.સી.ટી.વી. કેમેરામાં કંડારાય અને તેની ક્લીપનો દુરુપયોગ કરશે તો ? સરકારે આ માટે તકેદારી રાખવી પડશે, દીકરીની આબરૂની ચિંતા કરવી પડશે.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સરકારે બિલમાં કલમ-૪(૩)થી જોગવાઇ કરી છે કે જાહેર સલામતી સમિતિ બનશે પણ આ સમિતિની પ્રસ્તાવના શું હશે ? સરકારી લોકો હશે કે ખાનગી લોકો હશે ? રાજકીય કે સામાજિક લોકો હશે ? એની સ્પષ્ટતા થતી નથી. આ સમિતિમાં કાયમી અધિકારી, કર્મચારીઓ હશે કે આઉટસોર્સ, ફીક્સ પે કે કરાર આધારિત નોકરી મેળવનારા કર્મચારીઓ હશે ? એની સ્પષ્ટતા નથી થઇ. જેની જોબ સિક્યોરિટી ન હોય એ કાયદાનું ઇમાનદારીથી પાલન કરવા ઇચ્છતા હોવા છતાં પણ કરી શકતા નથી ત્યારે કમ સે કમ કાંઇક ખોટું કરે તો એની નોકરી ઉપર જોખમ થવાનો ભય પેદા થાય એવા જ લોકોને આ સમિતિમાં નીમવા જોઇએ. આ સમિતિ જોખમના મૂલ્યાંકન માટે સંસ્થાની મુલાકાત લઇ શકશે. સંસ્થાઓને જાહેર સલામતીના પગલાં સંબંધી સૂચનાઓ આપી શકશે અને ઠરાવવામાં આવે તેવા બીજાં કાર્યો પણ જે-તે સંસ્થા ઉપર બોજ નાખવાની પ્રસ્તાવના કાયદાથી સરકારે બાંધી છે. જાહેર સલામતી સમિતિએ લેખિતમાં સુનિશ્ચિત કરેલ ભલામણ કરેલ હોય તે પ્રમાણે ૬ મહિનાની અંદર આવા પગલાં લેવાના રહેશે અને આવા પગલાં લેવામાં ક્યાંક ચૂક થશે, નાણાકીય અભાવે, ટેકનોલોજી ઉપલબ્ધ ન થવાના અભાવે, આવી સંસ્થા આવી વ્યવસ્થા પૂર્ણ ન કરી શકે તો કલમ-૫થી સજાની જોગવાઇ કરી છે.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, બિલની કલમ-૫(૧)માં સરકારના કોઇપણ અધિકારી ઓછામાં ઓછા બે દિવસની નોટિસ આપ્યા પછી દિવસના વાજબી કલાકો દરમિયાન ઇન્સ્ટોલેશનની તપાસ માટે કોઈ સંસ્થાની કોઇપણ જગ્યાએ, ઇમારતમાં પ્રવેશ કરશે તેવી જોગવાઈ છે. આ જોગવાઇ ખૂબ ગંભીર છે. દેશમાં કોઇપણ વ્યક્તિને એની નીજતાનો અધિકાર મળેલ છે. એની માલિકીની પ્રોપર્ટીમાં ક્યારેય કોઇએ પ્રવેશ કરવો હોય તો માલિકની અનુમતિ લેવી પડે અથવા સક્ષમ ઓથોરિટી સર્ચ વોરન્ટ જ્યાં સુધી ન આપે ત્યાં સુધી આવી કોઇપણ ખાનગી સંસ્થા કે મિલકતોની અંદર પ્રવેશ કરી શકાય નહીં. આ કલમમાં કરેલ જોગવાઇમાં પ્રવર્તમાન કાયદાઓની જોગવાઇઓનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. સરકારે આ અંગે પુનઃવિચાર કરવાની જરૂર છે. આ જોગવાઇ નીચે કોઇ અધિકારી ગમે ત્યારે કોઇના ઘરમાં ગમે ત્યાં સુધી પહોંચવાની વ્યવસ્થા, કાલે ઉઠીને કોઇ નબળી માનસિકતાના લોકો આ વ્યવસ્થાનો હિસ્સો બની મારા અને તમારા રસોડા સુધી ન પહોંચે એની સરકાર ચિંતા કરે એવી વિનંતી કરું છું.
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ