અમદાવાદ
શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું કરાયું આયોજન

શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું કરાયું આયોજન
સ્વ સોમાતભાઈ સુવા, શ્રી હરદાસભાઈ સુવા, સ્વ.શ્રી હરદાસભાઈ સુવા,કાનાભાઈ સુવા અને રાજશીભાઈ સુવા તથા સમસ્ત સ્વ. રાજાબાપા સુવા પરિવાર ઉપલેટા તરફથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. પૂ. રાજાબાપા સુવા મંદિર, ખાખીજાળિયા રોડ, બાયપાસ પાસે, ઉપલેટા, જિ. રાજકોટ ખાતે તા. 24 નવેમ્બર 2022થી 01 ડિસેમ્બર 2023 દરમિયાન શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ અવિરત ચાલુ રહેશે.
મહાભારતમાં ધર્મને ”ધારણાત્ ધર્મ ઈત્યાહુ ધર્મો ધારયતિ પ્રજા :” કહ્યો છે, જેનો અર્થ તત્વ, નિયમ/સિદ્ધાંત કે શાસન, જે વ્યક્તિ, સમાજ તેમજ દેશ ધારણ કરી ટકાવી રાખવા સાથે આધાર કે રક્ષણ આપતા તેને અનુસરી જીવન જીવે તે ધર્મ. ‘શ્રીમદ્ ભાગવત્’ 12 સ્કંધ, 735 અધ્યાય અને 18000 શ્લોક સાથેનો આ મહાગ્રંથમાં ધર્મની બહુ સરસ સમજ આપી છે. શ્રીમદ્ ભાગવત્ મનને સુધારી દ્રષ્ટિને દિવ્ય બનાવનાર પરમાત્માનું સાક્ષાત વાણી સ્વરૂપ છે. તે પિતૃઓના કલ્યાણ સાથે માણસને જીવન જીવતા શીખવતા ભયના નાશ સાથે અભયત્વ આપનાર અને પોતાની અંદર પરમાત્માના દર્શન કરવાનું સરળ સાધન છે. શ્રીમદ્ ભાગવત્ પરમાત્માનું સર્વવ્યાપક સ્વરૂપ દર્શાવે છે. ભગવાન વૈકુંઠમાં વિરાજતા હોવાનું જ્ઞાન સાધારણ જ્ઞાન છે, જ્યારે શ્રીમદ્ ભાગવત્ ગોલોક/વૈકુંઠમાં બિરાજતા ભગવાનને પોતાના હૃદયમાં પધરાવી પોતાની સાથે સર્વમાં વ્યાપક સ્વરૂપે પરમાત્માના દર્શન કરવાનું શિખવે છે. ભગવાન જ ભાગવત્ હોય શ્રીમદ્ ભાગવત્ બુદ્ધિમાનોને બુદ્ધિ અને શાણપણ થકી અસત્ય છોડી અવિનાશી સ્વરૂપ સત્યને પ્રાપ્ત કરાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવમાં ભક્તિ ઉત્પન્ન કરનાર ભાગવત છે, એક વખત અંતરમાં ભક્તિભાવ શરૂ થતા સાધક વૈરાગ્ય અને નિષ્કામ જ્ઞાનભાવ તરફ આગળ વધે છે. આમ શ્રીમદ્ ભાગવત્ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને મુક્તિનું શાસ્ત્ર છે.
આપણે ત્યાં પિતૃઓના કલ્યાણ માટે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવાની પરંપરા છે. મેં પણ મારા પિતાજી હરસુરબાપા ભગત અને સર્વ પિતૃઓના કલ્યાણ માટે 1997માં શ્રીમદ્ ભાગવત્ વિદ્યાપીઠ અમદાવાદના વિદ્વાન પંડિતશ્રી લાભશંકર શાસ્ત્રીની વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન કરેલ હતું. શાસ્ત્રોના ઊંડા અભ્યાસી અને ઉત્તમ વકતા પૂ. લાખણશીભાઈ ગઢવી જૂનાગઢ વ્યાસપીઠથી શ્રીમદ્ ભાગવત્ કથાનું રસપાન કરાવી રહ્યા છે. સરળ, સહજ, સ્પષ્ટ, સત્ય અને સજ્જનતા જેના આચાર, વિચાર અને વાણીમાં અનુભવી શકાય છે, તેવા વિદ્વાનશ્રી લાખણશીભાઈ ગઢવીની રસાળ કથાશૈલી માણવાના મને 25-26 નવેમ્બર 2022 એમ બે દિવસ અહોભાગ્ય પ્રાપ્ત થયા. શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞના યજમાન પદે સ્વ. રાજાબાપા સુવા પરિવાર તરફથી જે આયોજન કરવામાં આવેલ છે, તે દાદ માંગી લે તેવું છે. શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ સમગ્ર આયોજનમાં સમસ્ત આહીર સમાજ ઉપલેટાના પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ સુવાની એક અદના સેવક તરીકેની કામગીરી જોઈ તેમના પ્રત્યે અહોભાવની લાગણી અનુભવી.
સગા-સબંધીઓ ઉપરાંત જાહેર આમંત્રણથી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનસામાન્ય લોકોને સનાતન ધર્મની સીધી, સાદી અને સરળ સમજ આપવા સાથે પૂ. લાખણશીભાઈ ગઢવીની વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં પોતાની આગવી રસાળ શૈલીમાં કથારસ પીરસી રહ્યા છે, જે સાંભળી પ્રસન્નતાની લાગણી અનુભવવા મળી. મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાગણ માટે બપોર તથા સાંજના સરસ મજાના ભોજન સાથે જાહેર આમંત્રણથી આવેલા જાણ્યા તેમજ અજાણ્યા મહેમાનો માટે રહેવા વગેરેની સુવા પરિવાર તરફથી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે.
શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞના સુંદર આયોજન બદલ હરદાસભાઈ સુવા, કાનાભાઈ સુવા, રાજસીભાઈ સુવા,મેરામણભાઈ સુવા, શૈલેશભાઈ સુવા, કિશોરભાઈ સુવા, રંભીબેન સુવા, ધાનીબેન સુવા, લીરીબેન સુવા, હીરીબેન સુવા, લાખીબેન સુવા તથા તેમના સમસ્ત પરિવારનો જાહેરમાં આભાર માનતા ધન્યતાની લાગણી અનુભવી. એ સાથે સ્વ.શ્રી રાજાબાપા સુવા પરિવાર તરફથી મને જે માન-સન્માન આપ્યું તે બદલ સહૃદયી તેમનો આભારી છું.
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ