Connect with us

અમદાવાદ

વડા પ્રધાન નરેન્દ્રમોદીએ સાસંદોને આપ્યો 10 દિવસનો હોમવર્ક,,જાણો શુ છે પીએમનો હોમવર્ક

Published

on

વડા પ્રધાન નરેન્દ્રમોદીએ કાઉન્સિલરથી માંડી સાસંદોને આપ્યો 10 દિવસનો હોમવર્ક,,જાણો તેમને શુ કરવાનુ રહેશે

વડા પ્રધાન નરેન્દ્રમોદીએ થોડા સમય પહેલા જ દિલ્હીમાં ગુજરાતના સંસદો સહિત દેશભરના સાસંદો સાથે બેઠક કરી કરી હતી
જેમાં તેઓએ સાંસદોને 11 તારીખથી લઇને 20 તારીખ સુધી વિવિધ કાર્યક્રમો કરવા માટે સૂચના આપી હતી,
સાસંદોએ આ કાર્યક્રમ સ્થાનિક ધારાસભ્યો કાઉન્સિલર્સ અને પ્રદેશના હોદ્દેદારો સાથે મળીને કરવાનો રહેશે, જેનો
હિસાબ પણ તેમને આપવાનો રહેશે,,ત્યારે આ હોમવર્ક ગુજરાતની ચૂંટણીની તૈયારી માટે મહત્વપુર્ણ માનવામાં આવે છે

ભારત-પાક સરહદ- નડાબેટ પર જોવા મળશે વાઘા-અટારી બોર્ડર જેવો નજારો

10 દિવસ સાસંદો રહેશે વ્યસ્ત

દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ સક્રીય રહે તે ઉદ્દેશ્યથી પાર્ટી સ્તરે વિવિધ કાર્યક્રમોની યાદી હોય છે, પણ
જ્યારે આગામી દિવસોમાં દેશના ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઇલેક્શન છે, તે પછી 2024માં લોકસભા
ઇલેક્શન છે,,ત્યારે પીએમ નરેન્દ્રમોદી અત્યારથી સાસંદોને કામ આપવાની શરુઆત કરી દીધી છે,
જેનો મતલબ કે પ્રદેશ સ્તરના કાર્યક્રમો તો થશે, તે સિવાય સાસંદો પણ સ્થાનિક ટીમ સાથે મળીને
કાર્યક્રમોમાં હિસ્સો લે અને પ્રજાની વચ્ચે રહે તે જરુરી છે, પીએમ નરેન્દ્રમોદીએ હાલ માંજ
દિલ્હીમાં મળેલી તેઓએ સાસંદને 10 દિવસ માટે ખાસ્સો હોમ વર્ક આપ્યો છે,

Advertisement

 

વિધાનસભાની ચૂંટણીમાં આનંદી બેન પટેલના કેટલા સમર્થકોને મળશે ટીકીટ !

હોમવર્કની યાદી જોઇએ તો

11મીએ સામાજ સુધારક જ્યોતિબા ફુલેની જન્મ જંયતિની ઉજવણી કરવાની રહેશે
12 તારીખે કોવીડ ટિકાકરણ સેન્ટર્સ ઉપર જવાનુ રહેશે,, જ્યાં લોકો સાથે મળવાનુ રહેશે, જેઓ સાજા થયા હોય તેમની મુલાકાત લેવાનુ રહેશે
13મીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમ હેઠળ વિસ્તારના સસ્તા અનાજના દુકાનોની મુલાકાત લેવાની રહેશે, ત્યાં
યોજનાને લગતા સ્ટીકર ચોટાડીને દુકાનદારો અને ગ્રાહકો સાથે સંપર્ક કરવાનો રહેશે,અને તેમને યાદ કરાવવાનો રહેશે કે કઇ રીતે
આ યોજના હેઠળ ગરીબોને અનાજ મળ્યો હતો
14મીએ આંબેડકર જયંતિની ઉજવણી કરવાની રહેશે, અનુસુચિત જાતિના લોકો સાથે મુલાકાત કરવાનો રહેશે, સાથે એસસી વસ્તીઓમાં કાર્યક્રમો કરવાના રહેશે

 

Advertisement

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

15મીએ અનુસૂચિત જનજાતિ માટે કાર્યક્રમો અને ટ્રાયબલ વિસ્તારોમાં કાર્યક્રમો કરી તેવા પરિવારોની મુલાકાત લેવાનુ રહેશે
કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે માહિતી આપવાનુ રહેશે

16મીએ અસંગઠિત ક્ષેત્રના મજુરો સાથે મુલાકાત કરવાના રહેશે તે સિવાય સરકારી યોજનાઓ કઇ કઇ છે જેનાથી તેમને લાભ મળે છે
અથવા મળી શકે છે તેની માહિતીઓ આપવાની રહેશે

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ

 

Advertisement

17મીએ કેન્દ્ર સરકારની વિત્તિય ચોજનાઓની માહિતી જન જન સુધી પહોચાડવા માટે કાર્યક્રમો કરવાના રહેશે
18મીએ કિસાન સન્માન નિધી સહિતની યોજનાઓનો લાભ ખેડુતો સુધી પહોચે છે,,તેને લઇને ખેડુતો માટે કાર્યક્રમો કરના રહેશે
19મીએ કુપોષણ હટાવવા માટે કાર્યક્રમો,, આગંણવાણીઓ કેન્દ્રોની મુલાકાત લેવાની રહેશે
20મીએ આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠક બે કાર્યક્રમો કરવાના છે, જેમાં પોતાના વિસ્તારમાં નાના નાના તળાવોને
ઉડા કરાવવા,,તેની માવજત કરવવાનુ રહેશે, આવા તળાવનો નામ અમૃત સરોવર રાખવાનુ રહેશે તે સિવાય
સ્થાનિક આઝાદીના લડવૈયા અથવા સ્વતંત્રતા સેનાનીઓ જેમની વિશે કોઇ જાણતું ન હોય તેમની પ્રતિમાં મુકવાની કામગીરી કરવાની રહેશે

આ તમામ કાર્યક્રમ સાસંદોએ સાથે મળીને સ્થાનિક ધારાસભ્ય,કાઉન્સિલર્સ,પંચાયતોના સભ્યો, પ્રદેશના સ્થાનિક હોદ્દેદારો સાથે મળીને
કરવાનુ રહેશે..સાથે તેઓ અપાયેલ લેશનમાંથી કેટલુ કરી શક્યા છે,,તેનુ રિપોર્ટીંગ પણ રોજે રોજ કરવાનુ રહેશે

સાથે 21એ વડા પ્રધાન નરેન્દ્રમોદી સ્વયમ ગુજરાત આવી રહ્યા છે, તે સિવાય કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિતશાહ પણ હાજરી આપી રહ્યા છે

AMC પર હવે પ્રધાનના ભાઇનો દબદબો

આમ તો આ કાર્યક્રમો જોવામાં સમાન્ય લાગે છે, પણ પીએમ નરેન્દ્રમોદીએ આપેલા કાર્યક્રમો જનસંપર્ક આધારિત છે,
ગુજરાતની વાત કરીએ તો ઇલેક્શન જલ્દી થઇ શકે તેવી ચર્ચાઓ છે,તેવામાં સાસંદોના સ્તરે આ કાર્યક્રમો એ જનસપંર્ક આધારિત
કાર્યક્રમો છે,,જેથી ગુજરાતમાં અલગથી પ્રચાર જરુરિયાત પક્ષને નહી રહે,, પ્રજા વચ્ચે જન પ્રતિનિધીઓ જશે તો તેના
સારા પરિણામો જોવા મળી શકે છે,

Advertisement

 

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.