Connect with us

PATAN

કોંગ્રેસ ની જેમ ભાજપ પણ દેવી પૂજક સમાજ ને વિધાનસભાની ચૂંટણી માં ટિકિટ આપે

Published

on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ગાંધીનગરમાં દેવીપૂજક સમાજ દ્વારા અભિવાદન
દરેક સમાજ વર્ગોના વિકાસની દરકાર વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં
કેન્દ્ર-રાજ્ય સરકારોએ કરી છે :-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ગાંધીનગરમાં દેવીપૂજક સમાજ આયોજિત સ્નેહમિલનમાં અભિવાદન સન્માન સમાજે કર્યુ હતું.
આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરકારની દરેક યોજનામાં કેન્દ્રસ્થાને સમાજના હરેક વર્ગો, નાનામાં નાના માનવી છેવાડાના અંત્યોદને રાખ્યો છે. સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી વડાપ્રધાને સૌને વિકાસના અવસરો પૂરા પાડ્યા છે.

તેમણે ઉમેર્યુ કે, આ રાજ્ય સરકાર પણ વડાપ્રધાને કંડારેલી સર્વગ્રાહી વિકાસની પરિપાટીએ ચાલીને છેવાડાના નાનામાં નાના માનવી સુધી યોજનાઓના લાભ આપી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, કોરોના જેવા કપરા સમય પછી નાના વેપારી વર્ગો, જરૂરતમંદોને ફરી બેઠા કરવા સહાય, કોરોના દરમ્યાન ફ્રી રાશન અને મફત વેક્સિનેશન આપીને વડાપ્રધાનશ્રીએ અંત્યોદય વિકાસની ભાવનાને મૂર્તિમંત કરી છે.
દેવીપૂજક સમાજ સહિત જરૂરતમંદ વર્ગોની સહાય માટેની શૈક્ષણિક યોજના, સ્વરોજગાર યોજનાઓના વધુને વધુ લાભ લેવા પણ આ તકે અનુરોધ કર્યો હતો.
બક્ષીપંચ મોરચના પ્રમુખ ઉદય કાનગડ, ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચા ના પૂર્વ પ્રમુખ ભગવાનદાસ પંચાલ, નિવૃત સનદી અધિકારી પી બી પટણી તેમજ દેવીપૂજક સમાજના અગ્રણીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
સૂત્રો ની વાત માનીએ તો પી બી પટ્ટણી બાપુનગર વિધાનસભા બેઠક માટે મજબૂત દાવેદાર માનવા માં આવે છે અત્યારે ગુજરાત ભાજપ દેવીપૂજક સમાજ ને સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં પ્રતિનિધિત્વ આપે છે કે જોકે અત્યાર સુધી માં ભાજપે દેવી પૂજક સમાજ ને વિધાનસભાની ચૂંટણી માં ટિકિટ આપી નથી ત્યારે દેવી પૂજક સમાજ ની પણ લાગણી છે કે કોંગ્રેસ ની જેમ ભાજપ પણ દેવી પૂજક સમાજ ને વિધાનસભાની ચૂંટણી માં ટિકિટ આપે

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PATAN

પાટણ જિલ્લા સહકારી દ્વારા જિલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો

Published

on

 

પાટણ જીલ્લા સહકારી સંઘ દ્વારા આજે પાટણ ખાતે કૉ.ઓપરેટીવ બેંક અને ક્રેડિટ સોસાયટીઓનો જીલ્લા કક્ષાનો સેમિનાર NCUI,ન્યૂ દિલ્હી,ઇફ્કો અને ગુજકોમાસોલનાના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને અને તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સદસ્ય રાષ્ટ્રીય મહિલા આયોગ ડો.રાજુલબેન દેસાઈ, રાષ્ટ્રીય હોર્ટીકલચર બોર્ડના ડિરેક્ટર મનીષ દિલીપભાઈ સંઘાણી ,સંઘના ચેરમેન સુરેશભાઇ પટેલ,ઉત્તર ગુજરાત કો ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીઝ ફેડરેશન લી.મહેસાણા અને પાટણ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શ્રી હરિભાઈ પટેલ,કાર્યક્રમના તજજ્ઞ તરીકે રાજ્ય સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર રાજેન્દ્રભાઈ ત્રિવેદી ,માનદ મંત્રી પ્રભુદાનભાઈ ગઢવી ,સંઘના મેનેજર ભરતભાઇ રાજ્પુરોહિત,જિલ્લા સહકારી સંઘ બોર્ડ ઓફ ડાયરેક્ટર,જિલ્લાની બેંકો અને ક્રેડિટ સોસાયટીઓના ચેરમેન,ડિરેક્ટર અને મેનેજરો મળી કુલ-૧૭૦ સહકારી આગેવાનોએ સેમિનારમાં ભાગ લીધો હતો.

Continue Reading

PATAN

પોલીસ દમન ના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા પાટણ માં અભિજીત બારડ ના નેતૃત્વ માં યોજાઈ રેલી

Published

on

પોલીસ દમન ના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા પાટણ માં અભિજીત બારડ ના નેતૃત્વ માં યોજાઈ રેલી

પોલીસ દ્વારા ઠાકોર સમાજના યુવાનો પર કરાયેલા દમન ના વિરોધમાં ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા અભિજીત બારડ ના નેતૃત્વમાં પાટણમાં ગાંધી બાગ ખાતે ક્ષત્રિય સમાજે રેલી યોજી હતી તેઓ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.અને આવેદનપત્ર આપ્યું હતું..અને રજુઆત કરી હતી કે ઠાકોર સમાજ ના યુવાનો પર દમન ગુજારનાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે આરેલી માં મોટી સંખ્યા માં ક્ષત્રિય સમાજના યુવાનો જોડાયા હતા

 

 

Continue Reading

PATAN

પોલીસ દમન ના વિરોધમાં યુવા ક્ષત્રિય સમાજ સેના ગુજરાત દ્વારા પાટણમાં રેલી નું કરાયું આયોજન

Published

on

પાટણ જિલ્લાના વામ્યા ગામના યુવાન ને પોલીસ દ્વારા ઢોર મારવાના મામલે ક્ષત્રિય સમાજ દ્વારા અભિજીત રાઠોડ ના નેતૃત્વ માં પાટણ ખાતે શનિવારે રેલી યોજવામાં આવશે.સવારે 11 વાગ્યે ક્ષત્રિય સમાજના યુવાનો ગાંધી બાગ  પાટણ ખાતે એકત્રિત થઇ ને પાટણ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર જવાબદાર લોકો સામે પગલાં ભરવા માટે માંગ કરાશે.

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.