Connect with us

અમદાવાદ

પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થાય છે અમાનુષિ અત્યાચાર-અમને ભારતની નાગરિકતા આપો !

Published

on

પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થાય છે અમાનુષિ અત્યાચાર-અમને ભારતની નાગરિકતા આપો !

પાકિસ્તાનમાં અનેક યાતના ભોગીને ભારત આવેલા હિન્દુઓની સ્થિતિ પણ ભારતમાં બહુ સારી નથી, અમદાવાદના સરદાર નગરમાં પાકિસ્તાનથી જીવ બચાવીને આવેલા અનેક
હિન્દુઓની કહાની રુવાંટા ઉભા કરી દે તેવી છે, છતાં ભારત આવ્યાના 10 વરસથી લઇને 30 વરસ સુધી થવા છતાં તેમને નાગરિકા નથી મળી શકી,,કેટલાક તો નાગરિકાની રાજ જોતા જોતા ગુજરી પણ ગયા છે,
છતાં સરકારી કામકાજની ગતીમાં કોઇ વધારો નથી થયો,, પંચાત ટીવીએ અમદાવાદના સરદાર નગરમા અનેક પરિવારો સાથે વાત ચિત કરી,,

રાજ્ય પોલીસ ભેંસોના કતલ પર પાસાને લઇને બદલી શકે છે નિર્યણ !

પિતા કિડનેપ થયા અને ભારત આવવુ પડ્યુ

Advertisement

નામ ડોક્ટર કિશોર મહેશ્વરી,તેઓ વાસણાની એક હોસ્પિટલમાં અત્યારે ફરજ બજાવે છે
તેમની માનીએ તો પાકિસ્તાનમાં તેમના પિતાને સ્થાનિક અસમાજિક તત્વોએ અપહરણ કરી લીધુ છે,, ખુૂબ પ્રયત્નો કર્યા,, અને પિતાને હેમ ખેમ છોડાવવામાં સફળતા મળી,અનેક યાતનાઓ ભોગવી, પરિવાર અસુરક્ષિત હતો
પરિવારના સારો ભવિષ્ય આપવા માટે અમે 2009માં ભારત આવી ગયા, અને અમદાવાદ આવ્યા બાદ અમે સાત વરસ માટે નિયમ મુજબ લોંગ ટર્મ વિઝા મેળવી લીધા,, તમામ પ્રકારની પ્રક્રીયા પુર્ણ કર્યા બાદ અમને
તો નાગરિકાત મળી ગઇ,, પણ મારા માતા અને પુત્રને હજુ સુધી નાગરિકા નથી મળી શકી,, સરકારનો વલણ તો સારો છે, પણ સિસ્ટમ ખુબજ ધીમુ છે, કારણ કે એક વખત માતા પિતાને નાગરિતા મળી ગઇ હોય તો
તેમના સંતાનોને આપો આપ નાગરિકાત મળવી જોઇએ, પણ અહી ફરીથી સમગ્ર પ્રક્રીયા કરવી પડે છે,જેથી વિલંબ થાય છે અને ત્યાં સુધી શિક્ષણ સબંધી તકલીફો આવતી હોય છે,

હાર્દીક પટેલની શુભેચ્છા નિતિન ગડકરીને કેમ પડી ભારે, લોકોએ કેમ બજાવી બેન્ડ !

પાકિસ્તાનમાં હિન્દુઓ સુરક્ષિત નથી

અર્જુન ભાઇનો પરિવાર 1990માં પાકિસ્તાન છોડીને ભારત આવી ગયા છે, ગુજરાત અમદાવાદને તેમના પરિવારે કર્મભુમી બનાવી,,
અર્જુન ભાઇની માનીએ તો ત્યાં દિવસ રાત ડરનો માહોલમાં રહેવુ પડતું હતુ, હિન્દુઓ સાથે ક્યારે શુ થઇ જશે કોઇ કહી શકે તેમ નહતું, જેથી પિતાએ પરિવારને બચાવવા માટે પાકિસ્તાન છોડવાનુ નિર્યણ કર્યો,,
રાતો રાત અમે કોઇને કહ્યા વગર બધુ છોડીને ભારત આવી ગયા, આવ્યા પછી પિતાએ નિયમ પ્રમાણે તમામ દસ્તાવેજી કાર્ય કર્યુ, 2005માં અમારા નાગરિકાત માટે અમે અરજી કરી, માતા પિતાને તો
નાગરિકતા મળી ગઇ છે, પણ અમે બે ભાઇઓ અને ચાર બહેનોને નાગરિકતા મળી નથી, પિતાનુ થોડા સમય પહેલા નિધન પણ થઇ ગયું, હવે અમારી નાગરિકતા ન હોવાના કારણે ન તો અમે કોઇ દુકાન લઇ શકીએ
છીએ,ન તો વ્યવસાય કરવા માટે કોઇ લોન લઇ શકીએ છીએ, અમે ભારતમા આવીને શરણાર્થી બની ગયા હોઇએ એમ લાગે છે, સરકારે અમને જલ્દીથી નાગરિકતા આપી દેવી જોઇએ,જેથી અમારુ જીવન થોડુ સરળ બની શકે,,

ગુજરાતમાં વડા પ્રધાનના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા કોણે આપી ધમકી !

Advertisement

પાકિસ્તાનમા અમાનુષિ અત્યાચારથી ભયભીત છે હિન્દુઓ

કમલેશ ભાઇ પણ એવી સ્થિતિથી પસાર થઇને પાકિસ્તાનથી ગુજરાત આવી ગયા,તેમની માનીએ તો 1986માં તેમનો પરિવાર ગુજરાત આવી ગયો, ત્યારે તેઓ પાચ વરસના હતા, પાકિસ્તાનમાં ખુબજ ભયનો માહોલ હતો
ત્યાં હિન્દુઓ લધુમતીમાં હતા,જેથી હિન્દુ પરિવારો સાથે ક્યારેક કઇ પણ થઇ જતું,,બહેન દિકરીઓ સલામત ન હતી, સ્થાનિક તંત્ર પણ મદદ કરતું ન હતું પરિણામે સિંધી પરિવારો પોતાની દુકાનો સસ્તામાં વેચી દેતા હતા,
ઘણી વખત તો લોકો એમને એમ પોતાની સંપતિ છોડીને ભાગી જતા હતા,, કેટલાક પરિવારો સાથે તો અમાનુષી અત્યાચારોની ઘટના પણ અમે સાભળતા જેથી અમારા પરિવારે બધુ છોડીને ભારત આવવાનો નિર્યણ કર્યો
પણ અહી આવ્યા પછી દિલ્હીમાં માતા પિતાના પાસપોર્ટ અને દસ્તાવેજો જમા કરાવી દીધા,, પણ વર્ષો સુધી તેઓએ કાર્યવાહીમાં વિલંબ કર્યો, પછી તપાસવા માટે ગયા તો કહેવાયુ કે તમારા દસ્તાવેજો ખોવાઇ ગયા છે,
મળતા નથી, જેથી હજુ સુધી અમારા પરિવારને નાગરિતા મળી નથી, પિતા નાગરિકતાની રાહ જોતા જોતા ગુજરી ગયા છે,,માતા અને નાના ભાઇ બહેનો સાથે રહે છે, હવે તેમને વ્યવસાય અને નોકરી લેવામાં તકલીફ પડે છે
બાકીના બે ભાઇઓ અમદાવાદમાં જ જન્મ્યા છે, છતાં પણ તેમના લિવંગ સર્ટીફિકેટમાં પાકિસ્તાન લખેલુ હોવાથી ક્યાંય સહયોગ નથી મળતો,,સરકારે અમારા જેવા પરિવારો અંગે જલ્દી વિચારવુ જોઇએ

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

નાગરિકતાની રાહ જોતા જોતા માતા ગુજરી ગયા

વિજેન્દરના પિતા પણ 2012માં ભારત આવ્યા, તેમની પણ કહાની એવી જ હતી કે પાકિસ્તાનમાં આ પરિવારને સુરક્ષાનો અહેસાસ નથી રહ્યો, તેમના પિતાએ પાકિસ્તાનથી હિજરત કરીને અમદાવાદ આવી ગયા,વ્યવસાયે તેઓ
ડોક્ટર હતા, જેથી તેઓએ લોંગ ટર્મ વિઝા ઉપર અમદાવાદમાં રહેવા લાગ્યા, 2019માં તેઓએ નાગરિકતા માટે અરજી આપી, તેઓ સ્થાનિક મુલચંદ્ર ટ્રસ્ટમાં ડોક્ટર તરીકે ફરજ બજાવવા લાગ્યા, આ જ દરમિયાન તેઓ
કોરોના આવ્યો, કોરોના તેમને લાગ્યો અને પછી તેમની પત્નીને,, તેમની પત્નીનું નિધન થઇ ગયું એટલે કે નાગરિકતાની રાહ જોતા જોતા તેઓ મૃત્યુ પામ્યા,પછી વિજેન્દરના પિતાને નાગરિકતા મળી, હવે તેમના
વિજેન્દ્ર અને તેની બહેનના નાગરિકતા માટે કેહવામાં આવી રહ્યો છે કે તેમની માતા ગુજરી ગયા છે, જેથી સમસ્યા આવી રહી છે, કોઇ વ્યવસ્થિત રીતે જવાબ નથી આપી રહ્યા,હવે વિજેન્દર માર્કેટીંગ માટે અલગ વ્યવસાય
કરવા માંગે છે,,પણ તેને નાગરિકતા ન મળી હોવાથી તેને સમસ્યા આવી રહી છે, જેમા સ્કુલમાં એડમિશનથી માંડી,નાની નાની બાબતોમાં મુશ્કેલીનો સમાનો કરવો પડી રહ્યો છે,

Advertisement

વડોદરામાં કોણે કરી ચંદ્રકાંત પાટીલની બોલતી બંધ!

નાગરિકતા મળે તો અમને રાહત થશે

કટારિયા સંજીના કુંદનલાલની કહાની પણ પાકિસ્તાનથી આવેલા બીજા હિન્દુઓની જેમ જ છે, તેમનો પરિવાર પણ પાકિસ્તાન છોડીને 2010માં ભારત અમદાવાદ આવી ગયો, જેમાં તેમના ઘરમાં ચાર સભ્યોને નાગરિકતા મળી ગઇ,,પણ
તેમને અને તેમના ભાઇને નાગરિકાત મળી નથી, સમસ્યા એજ છે આ યુવાનોને હવે પોતાના ભવિષ્યને લઇને ચિન્તા છે, તેમનુ માનવુ છેકે નાગરિકતા ન મળવાથી નોકરી અને વ્યવસાય મેળવવામાં મુશ્કેલી થઇ રહી છે, નાગરિકતા
ક્યારે મળશે તેને લઇને કોઇ યોગ્ય જવાબ નથી આપતા, જેથી પરિવાર પણ ચિન્તામાં છે

ભાજપના સિનયિર નેતાઓ ક્યા જુનિયર નેતાને ટ્ટીટર ઉપર આપી સત્ય બોલવાની સલાહ


પાકિસ્તાનમાં હિન્દુઓને યાતનાઓ આપવામા આવી રહી છે,

સિંધી સમાજના આગેવાન લાલ ભાઇ પણ જણાવે છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ લધુમતીમાં છે, મારો પરિવાર પણ અહ પાકિસ્તાન છોડીને આવ્યો હતો, દેશના ભાગલા પડ્યા ત્યારે મોટી સંખ્યામાં હિન્દુઓ પાકિસ્તાન છોડીને ભારત આવી ગયા,જ્યારે હજુ પણ પાકિસ્તાનમાં હિન્દુઓને મોટાપાયે યાતનાઓ આપવામાં આવી રહી છે, સિંધી સમાજના લોકો અહી આવીને કાળી મજુરી કરીને સ્થાઇ થઇ રહ્યા છે, ત્યારે સરકારે આવા હિન્દુ પરિવારોને નાગરિકાત આપવી જોઇએ,,જેથી તેઓ જે યાતાઓ પાકિસ્તાનમાં થી ભોગવીને આવ્યા છે,,તેમાંથી તેમને રાહત મળી શકે

Advertisement

આ તો માત્ર ટ્રેલર છે, આવા સંખ્યાબંધ્ધ પરિવારો અમદાવાદ ગુજરાત સહિત દેશમાં નિવાસ કરી રહ્યા છે,,જેમની પીડા તમને હૃહયને પણ કંપાવી દેશે,
આમ આ સિંધી હિન્દુ પરિવારો જે પિડા ભોગવીને પાકિસ્તાન છોડીને ભારત આવ્યા, તેમને અહી થોડી રાહત તો મળી છે,પણ નાગરિકતા આપવામાં વિલંબ હોવાથી તેમના ભવિષ્ય સામે સવાલો ઉભા છે,અને એક ચિન્તા આ પરિવારોને સતાવી રહી છે,

ઈશા ગુપ્તાનો હોટ અંદાજ-ગ્લેમર ગર્લ છવાઇ ઇન્ટનેટ પર

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.