Connect with us

અમદાવાદ

યોગેશ ગઢવીએ ભાજપની કઇ રીતે વધારી મુશ્કેલી !

Published

on

યોગેશ ગઢવીના વિવાદાસ્પદ નિવેદનથી ભાજપની કઈ રીતે વધી મુસીબત

મણિનગર તોડ કાંડના આરોપી કોન્સ્ટેબલો સામે પોલીસ કેમ બની લાચાર !

કચ્છમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ ગઢવીએ દલિત સમાજ માટે અપમાનજનક જાતિવાદી શબ્દો વાપરવાના કારણે રાજ્યભરમાં દલિત સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે
પરિણામે સ્થાનિક લોકોએ તેમની વિરુધ્ધ પોલીસ ફરિયાદ પણ નોધાવી છે, જો કે સુત્રોની માનીએ તો ભાજપના ચિન્તન શિબિરમાં આ મુદ્દો ચર્ચાનો રહ્યો હતો, ત્યારે સંઘે પણ આ મુદ્દે નોધ લીધી છે,,

હાર્દીક પટેલનુ દિલ માંગે મોર, તો નરેશ પટેલ માટે ભાજપે કરી આ ખાસ ઓફર !

ભુજ શહેર એ ડીવિઝન પોલીસ સ્ટેશનનમાં વિશાલ ગરવા નામના સામાજીક આગેવાને ફરિયાદ નોધાવી છે કે ભીમ રત્ન સમરસ કન્યા છાત્રાલય ભુજ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલના હસ્તે ઉદ્ઘટાન કાર્યક્રમ
યોજાયો હતો, જે કાર્યક્રમમાં યોગેશ બોક્ષા તથા ઉમેશ બારોટ, તેમજ સોનલ સંધારનો સાસ્કૃતિ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો, જે કાર્યક્રમમાં સામાજિક આગેવાન તરીકે બપોરે ત્રણ વાગ્યે હુ પત્ર ત્યાં ઉપસ્થિત હતો,ત્યારે ચાર વાગ્યાના સમયે
યોગેશ બોક્ષાએ સાસ્કૃતિક પ્રવચન દરમિયાન જ માઇકમાં બોલવા લાગ્યા હતા કે

Advertisement

અસારવામાં બીજેપીમાં અનેક દાવેદાર !


લખી લેજો આ તો ભારતિય જનતા પાર્ટી તથા કેસરીયાના પ્રતાપે અહીયા આવું નહીતર સોનાની સડકો તોય આ ચારણ ના આવે, આને ચાલુ કરો, અને આને ચાલુ કરો એમ તમે કહેશો એમ અમે થોડા
કઇ વડ વાંદરા છીએ,, અમે કઇ… છીએ,, અમે ચારણ બારોટ છીએ,,અમને ફાવે એમ કરીએ આવી વાતો હાલતી હોય આડા ના આવશો મહેરબાની કરીને કોઇને કે તેવા શબ્દો સ્ટેજ ઉપરથી ઉચ્ચારવામા આવ્યા હતા

જેથી હુ અને મારા સમાજના આગેવાનો નરેશ ભાઇ મહેશ્વરી, હિતેશ મહેશ્વરી, ડો રમેશ ગરવા, વાલુ બેન ધેડા,,સહિત સામાજીક આગેવાનો સ્ટેજ પાસે જઇને પહોચ્યા અને કહ્યુ હતું કે આ અમારા સમાજની હોસ્ટલનુ
ઉદ્ઘાટન કાર્યક્રમ છે,અને તમે … જેવા શબ્દો બોલો છો,,જે તમને કલાકારોને શોભે નહી, તેમ કહેતા યોગેશ ભાઇ ઉભા થઇ ગયા હતા,

ઉલ્લેખનિય છે કે આના બે વિડીયો સામે આવ્યા છે, જેમાં પ્રથમમાં યોગેશ ગઢવીએ જે શબ્દો ઉચ્ચાર્યા હતા તે છે,,જ્યારે બીજા વિડીયોમાં તેઓએ દલિત સમાજથી માફી માંગી લીધી છે તે છે, એટલે કે જ્યારે
સમાજના આગેવાનોએ તેમને આ અંગે ધ્યાન દોર્યુ તો તેઓએ કહ્યુ કે હુ સામાજીક સમરસતા માટે કામ કરુ છુ હુ ક્યારેય આવુ ન બોલી શકુ,, છતાં કોઇ શરત ચુક થઇ છે તો હુ જાહેરમાં માફી માંગુ છે

કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને



.યોગેશ ગઢવીને થઇ શકે છે સાત વરસની સજા

Advertisement

મહત્વપુર્ણ છે કે આ ઘટના એ છે કે યોગેશ ગઢવીનુ આ નિવેદને સોશિયલ મિડીયમાં ખુબ ઉત્તેજન ઉભુ કર્યુ છે,,યોગશ ગઢવી ભાજપના વરિષ્ઠ નેતા ઉપરાંત તેઓ ગુજરાત સગીત અને નાટ્ય અકાદમીના
પુર્વ ચેરમેન રહી ચુક્યા છે,તેઓ ગુજરાત ભાજપના સાસ્કૃતિક સેલના કન્વીનર પણ રહી ચુક્યા છે,, તેઓ ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા હોવાના નાતે વડા પ્રધાન નરેન્દ્રમોદી, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ મુખ્ય પ્રધાન ભુપેન્દ્રપટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ
ચંદ્રકાંત પાટીલ સહિતના મોટા નેતાઓના માનીતા છે, અને ગુજરાત સરકાર હોય કે ભાજપના રાજકીય મેળવાડાઓમાં યોગેસ ગઢવી મતદારોને પ્રભાવિત અને મંત્રમુગ્ધ કરતો ગીત સંગીત રજુ કરે છે, અને તેમના વાક છટાથી મતદારો પ્રભાવિત થાય છે,
ત્યારે તેમના વિરુધ્ધ જે રીતે દલિત સમાજે એટ્રોસીટીની ફરિયાદ નોધાઇ છે, તેમની સામે ભુજ પોલીસે આઇપીસી કલમ 153-એ,તથા એટ્રોસીટી એક્ટની કલમ 3(1)આર,3(2)(5-એ) બે કોમો વચ્ચે દુશ્મનાવટના ધિક્કારની દ્વેશની લાગણીઓને
પ્રોત્સાહન આપે તેવા ગેર બંધારણિય અનુસુચિત જાતી પ્રત્યે અપમાન જનક,, — શબ્દ જાહેર કાર્યક્રમમા ઉચ્ચારવા બાબતે ગુનો દાખલ કરાયો છે, જેમાં સાત વરસની સજાની જોગવાઇ છે, ત્યારે તેમની ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે, સુત્રોની માનીએ તો તેઓ ધરપકડથી બચવા માટે તેઓ કાયદા વિદનો સલાહ લઇ રહ્યા છે,, સાથે સાથે રાજકીય આકાઓને શરણે પહોચ્યા છે, આવી સ્થિતિમાં પોલીસ સામે સાપે છછુદર ગળ્યા જેવી સ્થિતિ છે, એક બાજુ દલિત સમાજનો દબાણ છે તો બીજી તરફ
સત્તા પક્ષના વરિષ્ઠ નેતા હોવાથી યોગેશ ગઢવીની ધરપકડ કઇ રીતે કરવી તેને લઇને પોલીસ અસમંજસ જેવી સ્થિતિમાં છે, ધરપકડ ટાળવા માટે તેઓ ભુગર્ભમાં ઉતરી ગયા છે, કે ઉતારી દેવામા આવ્યા છે તેવો સવાલ ઉઠી રહ્યો છે,

આપની બિકીની ગર્લ પ્રચાર માટે આવી શકે છે ગુજરાત !

ભાજપમાં ચિન્તાનો વધારો

ઉલ્લેખનિય છે કે જે રીતે યોગેસ ગઢવી સામે પોલીસ ફરિયાદ થઇ અને રાજ્યભરમાં દલિતોમાં નારાજગી ઉભી થઇ તેનાથી ગુજરાત ભાજપમાં ચિન્તાનો માહોલ ફેલાયો છે,મહત્વપુર્ણ વાત એ કે અમિત શાહની હાજરીમાં પ્રદેશ ભાજપની ચિન્તન
શિબિરમાં પણ આની ચર્ચા થઇ છે,કારણ કે રાજ્યમાં અનુસુચિત જાતીની 13 સીટો છે, જે પૈકી ભાજપ પાસે 8 અને કોંગ્રેસ પાસે પાચ છે બેઠકો છે, ત્યારે ભારતિય જનતા પાર્ટીએ તમામ બેઠકો કબ્જે કરવા માટે રણનિતી તૈયાર કરી છે, જેના ભાગરુપે
કોંગ્રેસના ધારાસભ્યોના મત વિસ્તારમાં સામાજિક સમરસતા સમ્મેલનો યોજી ને ભાજપ દલિત સમાજમાં વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવા માંગે છે, તેવામાં રાજ્યમાં વિવિધ ભાગોમાં દલિત સમાજ પર અત્યાચાર અપમાન દમન અને શોષણની ઘટનાઓ
બની રહી છે,તેમાંય ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ ગઢવી ઉપર ભુજ પોલીસ સ્ટેશનનમાં એટ્રોસિટીની ફરિયાદ થતા વિવાદ વધ્યો છે, અને ભાજપના દલિત નેતાઓ અને કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે,
ત્યારે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘે પણ આની ગંભીર નોધ લીધી છે,અને ભાજપના મોવડી મંડળને સૂચના આપી દેવાઇ છે કે ભવિષ્ય કોઇ પણ સમાજનો અપમાન ન થાય તે માટે તમામ નેતાઓ બોલવા લખવા અને વ્યવહારમાં ધ્યાન રાખે,

એસ ટી વિભાગમાં બદલી કરાયેલ અધિકારીઓ કેમ જગ્યા છોડતા નથી- કરાઈ ફરિયાદ

Advertisement

કૉંગ્રેસના આ ધારાસભ્યએ કોને આપી ધમકી- ક્યાં થઇ અરજી

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

ભાજપની સમરસતા અભિયાનને પડશે ફટકો,

રાજ્યમાં કોંગ્રેસ પાસે રહેલ અનુસુચિત જાતિની પાચ બેઠકો કબ્જે કરવા માટે ભાજપે રણનિતી બનાવી છે,
જેમાં દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી, દાણિલિમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર,
કાલાવાડના ધારાસભ્ય પ્રવિણ મુછડીયા,, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી,
કોડીનારના ધારાસભ્ય મોહન ભાઇ વાળા સમાવેશ છે, ત્યારે આ તમામ બેઠકો પર કબ્જો કરવા માટે સંઘ પરિવારની ભગની સંસ્થાઓ ઉપરાંત ભાજપે વિશેષ ફોકસ કર્યુ છે, ત્યારે કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય મણિભાઇ વાધેલા,પુર્વ ધારાસભ્ય
પ્રવિણ મારુ સહિતના નેતાઓને ભાજપ જોડી રહ્યુ છે, જેથી પરિણામ પોતાના ફેવરમાં લાવી શકાય,, ભાજપ માટે હમેશા દાણિલિમડા, અને વડગામ જેવી સીટો લોઢાના ચણા ચાવવા સમાન છે, આવી કપરી પરિસ્થિતિમાં યોગેશ ગઢવી જેવા
નેતાઓ જે સાહિત્યના જાણકાર અને સરસ્વતીના પુજારી, જેના કંઠમાં સરસ્વતીના વાસ છે,, તેવા યોગેશ ગઢવી વિરુધ્ધ એટ્રોસીટીની પોલીસ ફરિયાદે ભાજપના સમગ્ર સામાજીક સમરસતા અભિયાન સામે પ્રશ્નો ઉભા કર્યા છે,

ગુજ્જુ ગર્લનો બિકીની અંદાજ- જ્યાં બોલીવુડની અભિનેત્રીઓ પણ ભરે છે પાણી

Advertisement

સોશિયલ મિડીયા પર ધુમ મચાવી રહી છે કમસિન સાક્ષી ચોપરા

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.