અમદાવાદ
Gujarat Assembly Election 2022:ભાજપે ગુજરાતમાં 151 સીટો જીતવા બનાવ્યો છે ખાસ પ્લાન- આ રીતે જીતાશે ગુજરાત

Gujarat Assembly Election 2022:ભાજપે ગુજરાતમાં 151 સીટો જીતવા બનાવ્યો છે ખાસ પ્લાન- આ રીતે જીતાશે ગુજરાત
ગુજરાતમાં વિધાનસભા ચૂટણીને લઇને ભાજપે પાચ સ્તરીય પ્લાનને અમલ કરવાની શરુઆત કરી દીધી છે,જેના માટે પીએમ નરેન્દ્રમોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અનેક નેતાઓના પ્રવાસ ગુજરાતમાં વધી ગયા છે, સાથે ભાજપ હાઇ કમાન્ડ
2017ની જેમ કોઇ જોખમ લેવા તૈયાર નથી, પરિણામે કાર્યકર્તાઓને દોડતા રાખવાની સાથે આવનારા પડકારોનો સમાનો કઇ રીતે કરવા તેને લઇને કામ શરુ કરી દેવાયો છે, સાથે આ વખતે વડા પ્રધાન નરેન્દ્રમોદી અને તેમના કામને લઇને જ ભાજપ
મૈદાનમાં ઉતરશે તેવી રણનિતી પણ બનાવી લેવાઇ છે,
ભાજપના કાર્યકર્તાઓએ પ્રધાનોના લીધા રિમાંડ-ધારાસભ્યો કામ ન કરતા હોવાની થઇ વ્યાપક ફરિયાદ !
જોખમ લેવા તૈયારન નથી ભાજપ- પીએમ મોદી અને અમિત શાહના વધતા પ્રવાસો
ગુજરાતમા સમયસર ચૂટણી થશે, જેના માટે તૈયારીઓમાં કચાસ ન રહે તે માટે કાર્યક્રમો શરુ કરી દેવાયા છે, પણ આ વખતે ભાજપ 2017ની જેમ કોઇ રિસ્ક લેવા તૈયાર નથી, તમામને ખબર છે કે 2017 વિધાનસભા ચૂટણીમાં જો વડા પ્રધાન નરેન્દ્રમોદીએ
ધુઆધાર પ્રચાર ન કર્યો હોત તો ભાજપ માટે ગુજરાત જીતવું મુશ્કેલ બની જાત,,એટલે આ વખતે ભાજપ ચૂંટણી પ્રચારથી માંડી મોટા નેતાઓનો પ્રવાસ વહેલા શરુ કરી દીધુ છે, પીએમ નરેન્દ્રમોદી અને અમિત શાહ સતત ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો
હેઠળ આવી રહ્યા છે, તેઓ રેલીઓ, રોડ શોડ વિગેરે કરી રહ્યા છે તે સિવાય ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે પી નડ્ડા, અને ભાજપના રાષ્ટ્રિય સંગઠન મહાસચીવ બી એસ સંતોષ પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીની રણનીતિ બનાવી રહ્યા છે,
ગુજરાત વિધાનસભાની ચૂટણી પર સંધ બનાવશે સમકક્ષ વ્યવસ્થા તંત્ર-કાર્યકર્તાઓને સોપશે સીધી જવાબદારી !
151 સીટો જીતવા ખાસ પ્લાન
ભાજપ ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્રમોદીની લોકપ્રિયતા અને સરકારી યોજનાઓની સફળતા સિવાય ગુજરાતી સ્વાભિમાનની વાતને લઇને પણ મતદારો વચ્ચે જઇ રહી છે, સાથે 182 પૈકી 151 સીટો જીતવા માટે કાર્યકર્તાઓને લક્ષ્ય પણ આપી દીધો છે,
આમ તો 1995થી ગુજરાતમાં ભાજપ જીતતી આવી છે, જેમાં 1998,2002,2007,2012,2017 આમ છ વખતમાં 99થી લઇને 127 બેઠકો જ ભાજપને પ્રાપ્ત થઇ હતી, જ્યારે 2014માં નરેન્દ્રમોદી પીએમ બન્યા ત્યારે ભાજપે એડિચોટીનો જોર લગાવીને
150 સીટો જીતવાનો લક્ષ્ય રાખ્યો હતો, જો કે તે સમયે પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપ 100 સીટો પણ જીતવામાં નિષ્ફળ રહી હતી, આ વખતે ભાજપ 151 સીટો જીતવા માટે શહેરી મતદારોની સાથે સાથે આદિવાસી, ઓબીસી
દલિત અને પાટીદારોને પણ સાથે રાખવાની રણનીતિ બાનાવાઇ છે,,આ વખતે કોંગ્રેસની પંરપરાગત વોટબેંક એવા આદિવાસી વિસ્તારોમાં પણ વડા પ્રધાન વધુ કાર્યક્રમો કરી રહ્યા છે,
હાર્દીકનો વિરોધ સો.મિડીયાથી આગળ હવે રસ્તા પર-હાર્દીકનો જાહેરમા કાર્યક્રમ કરવુ બનશે મુશ્કેલ !
રેકોર્ડ બ્રેક જીત માટે શુ છે રણનીતિ
ગુજરાત વિધાનસભાની 182 પૈકી 27 સીટો અનુસુચિત જનજાતી એટલે કે એસટી માટે અનામત છે, આદિવાસી મતદારોની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચ મહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, તાપી, વલસાડ
નવસારી,ડાંગ અને સુરતના કેટલાક ભાગોમાં છે,જ્યારે 13 સીટો અનુસુચિત જાતી એટલે કે એસસી સીટો માટે અનામત છે,, જ્યારે રાજ્યમાં લગભગ 12થી 14 ટકા પાટીદારોની વસ્તી છે, જેના માટે કહેવાય છે ખુબજ વિરોધ હોવા છતા પણ
હાર્દીક પટેલને ભાજપમાં સામેલ કરાયા,તે સિવાય દલિત, ઓબીસી અને તે સિવાય પણ ડોક્ટર્સ અને પ્રોફેસનલ્સને પણ ભાજપમાં જોડીને મતદારોમાં સીધો સંદેશ આપવાનો પ્રયત્ન થઇ રહ્યો છે, ઉલ્લેખનિય છેકે 2017માં ભાજપને 99 જ્યારે કોંગ્રેસને 77 સીટો મળી હતી, મતોના ટકાવારીની વાત કરીએ તો ભાજપને 49 ટકા મતદારોનો સમર્થન હતો, જ્યારે કોંગ્રેસને 41.5 ટકા મતદારોએ મત આપ્યો હતો, ત્યારે આ વખતે ભાજપ આ વખતે કોઇ ભ્રમમાં રહેવા માંગતો નથી, જેથી એક એક સીટોમાં
જાતે સર્વે કરીને જીત સુનિશ્ચિત કરવા માંગે છે
પોતાના નારાજ નેતાઓ અને વિરોધીઓની રણનિતિ ઉપર પણ નજર
ભાજપે જે રીતે વિજય રુપાણી અને તેમની કેબિનેટને એક સાથે બદલી દીધી,, તેનાથી સીધો સંદેશ આપી દેવાયો હતો કે ભાજપ હવે નવા લોકોને તક આપવા જઇ રહી છે, જેમા મોટા ભાગના સિનિયર અને વરિષ્ઠ નેતાઓની ટિકીટ કપાઇ જશે
તો નવા ચહેરાઓને તક આપવાની પાર્ટીની ગણતરી છે, માનવામાં આવે છે કે 100થી વધુ લોકો નેતાઓ હશે જેમને ભાજપ ટિકીટ નહી આપે,તેમને અત્યારથી જ મનાવવાની રણનિતિ બનાવી લેવાઇ છે,તેમને સંગઠનમાં જવાબદારીઓ સોપવાની
કામગીરી શરુ કરી દેવાઇ છે,ત્યારે સાથે આમ આદમી પાર્ટી, અને કોગ્રેસની રણનિતિ ઉપર પણ ભાજપ નજર રાખી રહી છે, ખાસ કરીને આમ આદમી પાર્ટી ભાજપને નુકશાન પહોચાડી શકેછે,જેથી આમ આદમી પાર્ટીના પ્રચારનો તોડ કઇ રીતે કરી શકાય તેની રણનિતિ પણ બનાવી લેવાઇ છે,
મોધવારી સહિતના મુદ્દાઓને ખાળવા માટે પ્રયાસો
ખાસ કરીને ગુજરાતમાં મુસ્લિમ અને દલિતો બાદ ઓબીસી અને પાટીદારોને સાધવા માટે વિશેષ રણનિતી બનાવાઇ છે,, તે સિવાય મોધવારી અત્યારે સૌથી મોટી ચિન્તા છે, તે સિવાય આરોગ્ય બાદ મોંધુ શિક્ષણ પણ ગુજરાતમાં મુદ્દો છે
જેને વિપક્ષ વારં વાર ઉઠાવી રહ્યો છે,, તે સિવાય ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પ્રશ્નો પણ ઉભા છે,, તો જે રીતે પુર્વ સૈનિકોનો આંદોલન શરુ થયો છે, તે પણ ચિન્તાનો વિષય છે, ખેડુતોના પ્રશ્ને પણ હવે ગ્રામ્ય વિસ્તારોમાં આદોલન
શરુ થઇ ગયા છે, તે સિવાય મોધવારીમાં મહિલાઓ પણ નારાજ જોવા મળી રહી છે, પેપરલીક કાંડ અને બેરોજગારી જોવા પ્રશ્નો પણ સરકારના ચિન્તાના કારણ બન્યા છે, ત્યારે સુત્રો કહી રહ્યા છે, ગુજરાત ભાજપનો ગઢ છે અને તેને ભાજપ
હિન્દુત્વનુ પ્રયોગશાળા પણ માને છે, ત્યારે હવે જેમ જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ વડા પ્રધાન નરેન્દ્રમોદી સહિતના નેતાઓના મહાજનસંપર્ક અભિયાન, સદસ્યતા અભિયાન, વિસ્તારક અને અલ્પ વિસ્તારક યોજનાઓ થકી
નારાજ લોકોને મનાવવા અને ગ્રાઉન્ડ લેવલ ઉપર મતદારોને સમજાવવાનો અભિયાન તેજ બનશે,
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રંગ રેલિયા મનાવતા પકડાયા-પત્નીનો હોબાળો- વિડીયો વાયરલ
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ