અમદાવાદ
મધ્યાહન ભોજનના નામે મજાક કરતી સરકાર !

મધ્યાહન ભોજનના નામે મજાક કરતી સરકાર !
કોરોનામાં મૃત્યુ પામેલાઓ સંચાલકોના પરિવારોના સહાય માટે ફાફા !
45 લાખ બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતી સરકાર !
96 હજાર કર્મચારીઓની હાલત દયનિય !
આચાર્ય સંઘના જય પ્રકાશ પટેલ સામે માધ્યમિક શિક્ષક સંઘે બાંયો ચઢાવી !
ગુજરાતમાં મધ્યાહન ભોજના માટે સરકાર ગરીબ બાળકો સાથે ક્રુર મજાક કરી રહી હોવાનો આરોપ લાગી રહ્યો છે
આરોપ લગાવનારા સ્વયમ ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોર ચંદ્ર જોશી છે,,
તેમની માનીએ તો 20 ગ્રામ લોટ,5 ગ્રામ તેલમાં કઇ રીતે બાળકોને મળશે પોષણ,,સાથે જે રીતે ગેસના બાટલા અને શાકભાજીના ભાવમાં
વધારો થયો છે, તે પોષાય તેમ નથી, જો સરકાર પગારમાં વધારો નહી કરે, અને મેન્યુમાં સુધારો નહી કરે તો આગામી દિવસોમાં
રાજ્યના 96 હજાર કર્મચારીઓ ચૂંટણીના બહિષ્કારનો મન બનાવી રહ્યા છે,
ટિકીટ મેળવવાની લ્હાયમાં શિક્ષકો અને આચાર્યો સાથે વિશ્વાસઘાત કરતા જય પ્રકાશ પટેલ

કિશોર એમ જોશી
ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળ ગાંધીનગરના પ્રમુખ કિશોર ચંદ્ર એમ જોશીએ જણાવ્યુ છે કે
રાજ્યમાં ભાજપની ગુજરાત સરકાર સુપોષણ અંતર્ગત અભિયાન ચલાવે છે જયારે ગુજરાત ના
અંદાજે 45 લાખ સરકારી સ્કૂલ માં ગરીબ બાળકો માટે ચાલતી મધ્યાહન ભોજન યોજના માટે 2013 માં નાસ્તા
માટે સુખડી આપવા ની જોગવાઈ કરવામા આવ્યુ હતું, જેમાં ધોરણ 1 થી 5 માટે 20 ગ્રામ લોટ 10 ગ્રામ તેલ અને
ગોળ અને બળતણ માટે 0.74 પૈસા કન્ટિજન્સી આપવાનુ હતું સાથે ધોરણ 6 થી 8 માટે 30 ગ્રામ લોટ અને 10 ગ્રામ તેલ
અને ગોળ તથા બળતણ માટે 1 રૂપિયા ની જોગવાઈ કરેલ છે જેમાં ઘઉં ના દલામણ માટે કોઈ જોગવાઈ નથી
2018માં રાજ્ય સરકારે જુના મેનુ ના બે ભાગ કરી કોઈ પણ નાણાકીય બોજો વધાર્યા વિના કે અનાજ નો
કોઈ વધારો કર્યા વિના એ ભાગ કરી જેમાં પ્રથમ ભોજન અને ત્યાર બાદ નાસ્તા ની જોગવાઈ કરી છે આ નવું મેનુ આવ્યું
ત્યાર થી સંચાલકોએ વિરોધ કર્યો હતો કારણ કે નાસ્તા આવવા થી કામ ની કલાક વધી ગઈ અને નવા મેનુ માં કેટલીક
વિસાગતા ના કારણે રાજ્ય સરકારે ત્રણ વાર મેનુ માં ફરફાર કર્યા છે, જેમાં સુખડી પહેલા ધોરણ1થી 5 માટે 20 ગ્રામ લોટ માં
બનાવવા ની હતી એ 50 ગ્રામ લોટ ની કરવા ની થઇ પહેલા 20 ગ્રામ લોટ અને 10 ગ્રામ તેલ આપવા માં આવતું હવે 50 ગ્રામ
લોટ સામે માત્ર 5 ગ્રામ તેલ કરી નાખ્યું અને જે 2013 માં ધોરણ 1થી 5 માટે 0.74 પૈસા કન્ટિજન્સી આપવા માં આવતી હતી
એ આજે નવ વર્ષ થયાં તથા લોટ 20 ગ્રામ ની સામે 50 ગ્રામ કર્યો તો પણ આ કારમી મોંઘવારી માં બાળકો ને કેવું પોષણ મળે
ખુબ ઓછા મળતો પગાર
1 થી 25 વિધાર્થી ની સંખ્યા સામે
સંચાલક ને માસિક વેતન 1600
રસોઈયા ને માસિક વેતન 500
મદદનીશ ને માસિક વેતન માત્ર 300
25 થી 100 વિધાર્થી ની સંખ્યા સામે
સંચાલક ને માસિક વેતન 1600
રસોઈયા ને માસિક વેતન 1400
મદદનીશ ને માસિક વેતન માત્ર 500
101 થી વધુ વિધાર્થી ની સંખ્યા સામે
સંચાલક ને માસિક વેતન 1600
રસોઈયા ને માસિક વેતન 1400
મદદનીશ ને માસિક વેતન 1400
45 લાખ બાળકોના કુપોષણ માટે કોણ જવાબદાર
મધ્યાહન ભોજન યોજના હેઠળ, રાજ્યની 33 હજાર શાળાઓમાં 45 લાખ બાળકો અભ્યાસ કરે છે
96 હજાર સંચાલકો કામ કરે છે, જેમાં સંચાલક, હેલ્પર,અને રસોઇયાનો સમાવેશ થાય છે
સંચાલકને માસીક 1600 રુપિયા, રસોઇયાને 1400 રુપિયા અને હેલ્પરને 300 રુપિયા મળે છે
તેમના પગાર પણ એક સાથે નથી થતા, તેમને કેન્દ્ર અને રાજ્ય સરકારનો અલગ અલગ બિલ
બનાવવો પડે છે, તે સિવાય કોરોના દરમિયાના ગરીબ બાળકોને ઘરે અનાજ મળી રહે તે માટે
આ સંચાલકોએ ઘરે ઘરે જઇને અનાજ વિતરણની કામગીરી કરી હતી,
જેમાં ખાલી સૌરાષ્ટ્રમાં 48 સંચલકોના મોત કોરોનાથી થયા હતા પણ વળતર માટે
સંચાલકોના પરિવારો વલખા મારી રહ્યા છે,
શ્રમ રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાના ભાઇની બદલી અમદાવાદ મહાનગર પાલિકા કેમ કરાઇ !
સરકાર સંચાલકો સાથે કરે છે ભેદભાવ
સંચાલકોનો આરોપ છે કે સરકાર મધ્યાહન ભોજન યોજના ચલાવવા માટે
એનજીઓને કામ સોપી રહી છે, જેમાં અમદાવાદ રાજકોટ, જામનગર શહેરોમાં અક્ષયપાત્રને કામ સોપાયુ છે
સરકાર સંચાલકોને તો દાળ ઘઉ ચોખા તેલ બધુ જાતે આપે છે, તેમને માત્ર બળતર અને શાકભાજી ખરીદવાનુ હોય છે,
2.88 પૈસા પ્રતિ બાળકો અપાય છે, અને 100 બાળકો માટે 288 રુપિયા અપાય છે, જેમાં બળતર અને શાકબાજી લેવાનુ હોય છે
જ્યારે એનજીઓને સરકાર સીધા રોકડા પૈસા આપે છે, દાળ તેલ ઘઉ પોતાની રીતે એનજીઓ ખરીદે છે, જેમાં તેઓ ગેરરીતી પણ કરે છે, તેઓ ઉદ્યોગો પાસેથી સીએસઆરના નાણાં પણ ઉધરાવે છે, સરકાર સંચાલકો સાથે
ભેદભાવ કરે છે, તે સિવાય ગરમ ભોજન માટે સુપ્રિમ કોર્ટનો આદેશ છે, પણ એનજીઓ ઠંડુ ભોજન આપે છે, તે સિવાય હજુ પણ સાબરકાંઠા માં ઘઉ ચોખા આવ્યા નથી તેલ અને દાળ છે, તો જામનગરમાં માત્ર કઠોળ આવ્યુ છે, આમ અનેક જિલ્લામાં
અનાજ સમયસર પહોચાડવામાં સરકારને રસ નથી, જેવો આરોપ પણ કિશોર એમ જોશીએ લગાવ્યા છે,
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ