Connect with us

અમદાવાદ

ખાતરમાં ભાવ વધારો ખેડુતો માટે મોટો ઝટકો- કોંગ્રેસ

Published

on

ખાતરમાં ભાવ વધારો ખેડુતો માટે મોટો ઝટકો- કોગ્રેસ

ખેડુતોએ નેનો યુરિયા તરફ વધવાની જરુર છે, – દિલિપ સંધાણી

 

અમદાવાદમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે 270 કરોડનો ચેક આપતી કેન્દ્ર સરકાર

ડીએપી અને એનપીકેના ભાવ વધારો થયાનો આરોપ

ડીએપી અને એનપીકેના ભાવ વધારો થયાનો આરોપ

એક તરફ વીજળી ની મોંકાણ, બીજી તરફ ખાતરમાં ભાવ વધારાથી ખેડૂતો – ખેતી – ગામડા થઈ રહ્યાં છે બરબાદ : ગુજરાતના ખેડૂતો પર 90,000 કરોડ રૂપિયાનું જંગી દેવું.
• ડી.એ.પી. માં ૧૫૦ રૂપિયા. એન.પી.કે મા ૨૮૫ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો.

રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને સલામતીનું વાતાવરણ પૂરું પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ: પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

Advertisement

• સરકારના ના.. ના કહેતી રહી પણ આખરે ખેડૂતોને લૂંટવાનું શરૂ, ખેડૂતોને પડ્યા પર પાટું, ખાતરના ભાવમાં ધરખમ વધારો.
કોગ્રેસના પ્રવક્તા મનિશ દોશીએ જણાવ્યુ છેકે રાજ્યના 58 લાખ ખેડૂતો છેલ્લા ત્રણ મહિનાથી વિજળીની અનિયમિતતાથી સતત પરેશાન થઈ રહ્યાં છે અને માત્ર 2 થી 4 કલાક જ વિજળી ખેડૂતોને મળી રહી છે. વીજળી ની મોકાણ
વચ્ચે હવે ગુજરાતના ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી – પરેશાનીના સમાચાર ભાજપ સરકારે આપ્યો છે. રાસાયણિક ખાતરના ભાવમાં આજે ધરખમ વધારો કરવામાં આવતાં ખેડૂતો ને મોટો ઝટકો મળ્યો છે
ખાતરના ભાવમાં આજે ડી.એ.પી માં ૧૫૦ રૂપિયા. એન.પી.કે મા ૨૮૫ રૂપિયા નો વધારો થયો છે સરકાર અને વડાપ્રધાન

 

છ એપ્રિલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન !

દ્વારા ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બામણી કરવાની વાત કરી હતી પરંતુ હાલની પરિસ્થિતિમાં ખેત પેદાશોના નહીં પરંતુ ખેડૂતોની હાલત કફોડી બની જવા સાથે સરકાર ની આવક બમણી અને ખેડૂતોથી
આવક અડધી થઈ રહી છે ત્યારે ખેડૂત, ખેતી અને ગામડાને બરબાદ કરવાની ભાજપાની નિતી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે
, રાજ્યમાં પેટ્રોલ.ડીઝલ.સીએનજી.પીએનજી તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના રોજેરોજ વધતા ભાવના કારણે ધરતીપુત્રો તેમજ રાજ્યના સામાન્ય નાગરિકો પરેશાન છે આજે અચાનક ખાતરના
ભાવમાં ધરખમ ભાવ વધારો કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને ગુજરાતના ખેડૂતો પર સૌથી મોટો બીજો ફટકો ઝીંકાયો છે. ઇફકો કંપની એ છેલ્લા એક વર્ષમાં રાસાયણિક ખાતરોના ભાવોમાં તોતિંગ
ભાવ વધારો કર્યો છે ત્યારે આજે ખાતરના ભાવમાં ફરી એકવાર વધારો થતાં જગતના તાત માટે મુશ્કેલી ઊભી થઈ છે ડીએપી. પોટાશ. એન.પી.કે અને યુરિયા ના ભાવ આસમાનને આંબતા ખેડૂતો ત્રાહીમામ છે.

 

Advertisement

અમદાવાદમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે 270 કરોડનો ચેક આપતી કેન્દ્ર સરકાર

વારંવાર વધતા ખાતર ના ભાવે ખેડૂતોની કમર તોડી નાખી છે. સતત વધતા વિજળી, ખાતર, સિંચાઈના પાણી, જંતુનાશક દવા, બિયારણને કારણે ગુજરાતના ખેડૂતો 90,000 કરોડ જંગી દેવાદાર બન્યો છે. એક
તરફ ભાજપ સરકાર ખેડૂતોને 4 કલાક પૂરતી પણ વિજળી અપાતી નથી. બીજી તરફ ખેડૂતોને સિંચાઈ માટે વીજળી ની મોકાણ લઈને પાક કેવી રીતે બચાવવો તેની મુશ્કેલી સર્જાઈ છે. ત્યારે હવે ખાતર ના
ભાવો વધારી ખેડૂતોની કમર તોડી નાંખી છે એક બાજુ ખેતી સાથે સંબંધીત તમામ વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી બાજુ ખેડૂતોના ઉત્પાદિત શેરડી.ડાંગર. કપાસ.મગફળી.
સહિતના પેદાશોના ભાવ સતત ઘટતા જઈ રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ખેતી કરવામાં ઉપયોગી ટ્રેક્ટર અને અન્ય સાધનો ના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે ખેડૂતોને ખેતીમાં ઉપયોગી
વસ્તુઓના ભાવમાં સતત વધારો અને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવો ખેડૂતો ને નહીં મળવાને કારણે ખેડૂતોની હાલત દયનીય બની જવા પામી છે ત્યારે આજે ખાતરના ભાવ વધારો ખેડૂતોને
વધુ એક પડ્યા પર પાટું સમાન છે સરકાર અને વડાપ્રધાન દ્વારા ૨૦૨૨ સુધી માં ખેડુતો ની આવક બમણી કરવાની વાત હતી પરંતુ હાલની પરિસ્થિતિમાં ખેત પેદાશોના નહીં પરંતુ ખેતીમાં
ઉપયોગી સાધનો અને રાસાયણિક ખાતરોના ભાવ વધતા ચીજવસ્તુઓના ભાવ ડબલ થઇ ગયા છે અને ખેડૂતોની આવક ડબલ થવાને બદલે ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે જે
માટે ભાજપા સરકારની ખેડૂત વિરોધી નીતિ સીધી જવાબદાર છે.

 

દિલિપ સંધાણીએ ખેડુતોને નેનો ટેક્નોલોજીની કરી વકિલાત !

દિલિપ સંધાણી

દિલિપ સંધાણી

આ અંગે ઇફ્કોના ચેરમેન દિલિપ સંધાણીએ જણાવ્યુ કે ડીએપીમાં 150 રુપિયા વધ્યા છે,

પણ ખેડૂુતોએ હવે નેનો યુરિયા તરપ વધવુ જોઇએ કારણ કે 240માં પડે છે, ઇન્ટરનેશનલ માક્રેટમાં ડીએપીમાં 4 હજારની સબસીડી આપવામાં આવે છે,જેથી હવે ખેડુતોએ હવે નેનો ટેક્નોલોજીથી બનેલા યુરિયા તરફ જવુ પડશે

Advertisement

જે ખુબ સસ્તામાં પડે છે, અને કામ એટલુ જ આવે છે,

 

 

 

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.