Connect with us

અમદાવાદ

કોંગ્રેસનો આંતરિક કલહ, આંતરિક વિરોધ, ઘરના ઝઘડાના કારણે રાજસ્થાનની જનતાને ખૂબ મોટું નુકસાન થયું છે તે નજીકના ભવિષ્યમાં ભરપાઈ થાય તેવું લાગતું નથી.સતીશ પુનિયા

Published

on

રાજસ્થાનથી 160 જેટલા સિનિયર કાર્યકર્તાઓ ગુજરાત રાજ્યના નવ જિલ્લાની 46 જેટલી વિધાનસભા બેઠકો પર અત્યારે સક્રિય રીતે કાર્યરત છે. ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણીના સંગઠન, ચૂંટણી પ્રબંધન, જનજાગરણ માટે તેઓ  રાજનૈતિક પ્રવુતિઓમાં કાર્યરત છે.-
સતીશ પુનિયા

વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં રાજનૈતિક પરિવર્તનની શરૂઆતનો ગુજરાત સાક્ષી રહ્યો છે.-
સતીશ પુનિયા

કટોકટી કાળ હોય, ગુજરાત નવ નિર્માણનું આંદોલન હોય ગુજરાત હર હંમેશ સંઘર્ષમાં રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2001થી ગુજરાતની ધુરા સંભાળી ત્યારથી એક મોડેલ રાજ્ય તરીકે દુનિયા સમક્ષ ઉપસી આવ્યું છે. સતીશ પુનિયા

દેશને પ્રાથમિક સુવિધાઓ તેમજ વૈચારિક આધારે બદલવાની નરેન્દ્રભાઈ મોદીએ શરૂઆત કરી અને તેના સુખદ પરિણામો આજે આપણી સામે છે-  સતીશ પુનિયા

ગુજરાત અને રાજસ્થાનનો સંબંધ બે ભાઈ જેવો સંબંધ છે. પડોશી રાજ્ય હોવાના કારણે આર્થિક ગતિવિધિઓ તેમજ રાજકીય ગતિવિધિઓનો ખૂબ મોટો પ્રભાવ એકબીજા પર પડી રહ્યો છે અને પડતો આવ્યો છે સતીશ પુનિયા

રાજસ્થાનમાં હોસ્પિટલો બીમાર છે, નિશાળો લાચાર છે અને જનતા બેરોજગાર છે. અશોક ગેહલોત અગર આ મોડેલ ગુજરાતમાં લાગુ કરવા માંગતા હોય તો ગુજરાતની જનતાને ચેતવાની જરૂર છે.-
સતીશ પુનિયા

Advertisement

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરતા રાજસ્થાન કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈતી હતી.-સતીશ પુનિયા

 

કોંગ્રેસનો આંતરિક કલહ, આંતરિક વિરોધ, ઘરના ઝઘડાના કારણે રાજસ્થાનની જનતાને ખૂબ મોટું નુકસાન થયું છે તે નજીકના ભવિષ્યમાં ભરપાઈ થાય તેવું લાગતું નથી.સતીશ પુનિયા

ભારતીય જનતા પાર્ટી રાજસ્થાનના પ્રદેશ પ્રમુખ સતીશ પુનિયાએ એક પત્રકાર પરિષદને સંબોધી હતી.આજે સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત અને ગુજરાત પર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં રાજનૈતિક પરિવર્તનની શરૂઆતનો ગુજરાત સાક્ષી રહ્યો છે. કટોકટી કાળ હોય, ગુજરાત નવ નિર્માણનું આંદોલન હોય ગુજરાત હર હંમેશ સંઘર્ષમાં રહ્યું છે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001થી ગુજરાતની ધુરા સંભાળી ત્યારથી એક મોડેલ રાજ્ય તરીકે દુનિયા સમક્ષ ઉપસી આવ્યું છે.

પુનિયાજીએ વધુમાં જણાવ્યું કે ગુજરાત મોડેલ દેશ અને દુનિયા સમક્ષ હતું તે કારણે 2014માં દેશની 130 કરોડની જનતાએ 30 વર્ષ પછી એક બહુમત વાળી સરકાર કેન્દ્રમાં ચુંટી નાખી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશની વિકાસની હરણફાળ ભરવાનો એક સુવર્ણ મોકો આપ્યો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી 14 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યરત રહી ગુજરાતની સેવા કરી અને હવે 8 વર્ષથી દેશ સેવા કરી રહ્યા છે. દેશને પ્રાથમિક સુવિધાઓ તેમજ વૈચારિક આધારે બદલવાની નરેન્દ્રભાઈ મોદીએ શરૂઆત કરી અને તેના સુખદ પરિણામો આજે આપણી સામે છે.

Advertisement

પુનિયાએ વધુમાં જણાવ્યું કે ગુજરાત અને રાજસ્થાનનો સંબંધ બે ભાઈ જેવો સંબંધ છે. પડોશી રાજ્ય હોવાના કારણે આર્થિક ગતિવિધિઓ તેમજ રાજકીય ગતિવિધિઓનો ખૂબ મોટો પ્રભાવ એકબીજા પર પડી રહ્યો છે અને પડતો આવ્યો છે.

પુનીયાએ વધુમાં જણાવ્યું કે રાજસ્થાનથી 160 જેટલા સિનિયર કાર્યકર્તાઓ ગુજરાત રાજ્યના નવ જિલ્લાની 46 જેટલી વિધાનસભા બેઠકો પર અત્યારે સક્રિય રીતે કાર્યરત છે. ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણીના સંગઠન, ચૂંટણી પ્રબંધન, જનજાગરણ માટે તેઓ શ્રી રાજનૈતિક પ્રવુતિઓમાં કાર્યરત છે. તેમની સાથે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે એક અગત્યની બેઠક કરવામાં આવી અને આગામી ચૂંટણી સંબંધી માર્ગદર્શન આપીને રાજનૈતિક સંગઠનને કેવી રીતે જીતમાં પરિવર્તિત કરવું તે બાબતે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી.

પુનિયાએ વધુમાં જણાવ્યું કે ગુજરાતના નાગરિકોએ જે રીતે રાજસ્થાનના નાગરિકોને અપનાવ્યા છે આર્થિક પ્રવૃત્તિઓમાં જોડ્યા છે તે અપનત્વ ભાઈચારો એ સામાજિક સમરસતાનો ખૂબ મોટો દાખલો છે. બંને રાજ્યો એકબીજાના પૂરક છે અને આ બોન્ડિંગના કારણે ખૂબ મોટા લાભો બંને રાજ્યોને ભવિષ્યમાં પણ થનાર છે.

પુનિયાએ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ચૂંટણી પ્રભારી અશોક ગહેલોત પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે ગુજરાતમાં આવીને રાજસ્થાન મોડેલની પ્રજા સમક્ષ મૂકીને તેમણે જુઠ્ઠાણા ચલાવ્યા છે. રાજસ્થાનમાં ક્રાઇમરેટમાં ગેહલોત સરકારમાં ખૂબ વધારો થયો છે. રાજ્યમાં 7લાખ 97 હજાર જેટલી એફઆઇઆર નોંધવામાં આવી છે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ રાજસ્થાનની કાનુન વ્યવસ્થાની પોલ ખોલી નાખતા આંકડા જારી કર્યા છે કે 6337 રેપ કેસ રાજસ્થાનમાં થયા છે તે દેશમાં સર્વાધિક છે, આમ જોવા જઈએ તો રોજના 17 બળાત્કારની એવરેજ આવે છે અને આટલાથી ન અટકતા દરરોજ 7 નાગરિકોના મર્ડર રાજસ્થાનમાં થઈ રહ્યા છે, અને હાલમાં જ આવેલ આંકડા મુજબ દર 12 કિલોમીટરે રાજસ્થાન સરકારના એક અધિકારીની ટ્રેપ થઈ રહી છે, રાજસ્થાનમાં 32% જેટલો સૌથી ઊંચો બેરોજગારી દર છે અને વિધાનસભાના ફ્લોર પર સ્વીકાર્યું કે 70 લાખ બાળકોએ વિવિધ પરીક્ષાઓ આપી તેમાંથી માત્ર એક લાખ બાળકોને રોજગારી તેઓ આપી શક્યા છે બાકી બચેલ 69 લાખ બાળકોને તે રોજગારી આપી શક્યા નથી.રાજસ્થાનમાં હોસ્પિટલો બીમાર છે,નિશાળો લાચાર છે અને જનતા બેરોજગાર છે. અશોક ગેહલોતે અગર આ મોડેલ ગુજરાતમાં લાગુ કરવા માંગતા હોય તો ગુજરાતની જનતાને ચેતવાની જરૂર છે.
પુનીયાએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરતા રાજસ્થાન કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈતી હતી. રાજસ્થાનના રાજભવન બહાર સમગ્ર 4 વર્ષ દરમ્યાન બે-બે મુખ્યમંત્રીઓના નારા લાગે છે અને રાજસ્થાનના ધારાસભ્યોએ રાજીનામાના પત્રો મીડિયામાં વહેતા કરવા પડે છે. અશોક ગેહલોત સરકાર કોરોનામાં પણ ખૂબ નિષ્ફળ રહી અને 50-50 દિવસ સુધી કોઈપણ કોંગ્રેસના મંત્રી જાહેરમાં ન દેખાયા. કોંગ્રેસનો આંતરિક કલહ, આંતરિક વિરોધ, ઘરના ઝઘડાના કારણે રાજસ્થાનની જનતાને ખૂબ મોટું નુકસાન થયું છે તે નજીકના ભવિષ્યમાં ભરપાઈ થાય તેવું લાગતું નથી. જે રીતે એક ગીત બહુ પ્રચલિત થયું હતું કે દિલ કે ટુકડે હજાર તેવી રીતે કોંગ્રેસ ટુકડા ટુકડામાં તૂટી ગઈ છે અપરાધમાં નંબર વન, બળાત્કારમાં નંબર વન, ભ્રષ્ટાચારમાં નંબર વન રાજસ્થાન મોડલથી સૌએ ચેતવું જોઈએ. આવનારી 2023ની રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાફ થઈ જવાની છે અને ભાજપાની પૂર્ણ બહુમત વાળી સરકાર રચાશે તેવો વિશ્વાસ પુનિયા એ વ્યક્ત કર્યો હતો.

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.