Connect with us

Uncategorized

સાબરકાંઠામાં ભાજપની જુથબંધી ડુબાડશે ચંદ્રકાંત પાટીલની નાવ !

Published

on

 

સાબરકાંઠામાં ભાજપની જુથબંધી ડુબાડશે ચંદ્રકાંત પાટીલની નાવ !

 

સાબરકાંઠા જિલ્લામાં ભારતિય જનતા પાર્ટીમાં જુથબંધી ચરમસીમાએ પહોચી છે, જેમાં એક ભારતિય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ છે તો બીજી તરફ યુવા નેતાઓ છે, બન્ને જુથો એક બીજાને પછાડવા માટે

રાજકીય કાવા દાવા ખેલી રહ્યા છે જેના કારણે જિલ્લામા ભાજપની સંગઠન શક્તિને મોટુ નુકશાન થઇ રહ્યુ છે, કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે જો આવુ જ ચાલતુ રહ્યુ તો રાજકીય ઓપરેશનોનો કોઇ મતલબ રહેશે નહી

Advertisement

પ્રાંતિજમાં ભાજપને મળ્યો ગજેન્દ્ર સિહ ચૌહાણનો વિકલ્પ – ભાજપ હવે આ નેતાને ઉતારશે મેદાને !

ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ ગુજરાત વિધાનસભાને કોંગ્રેસ મુક્ત કરવાની નેમ સાથે 182 બેઠકો જીતવા માટે  દિન રાત એક કરી રહ્યા છે, તેઓ પોતે અને તેમની ટીમ  અથાક પરિશ્રમ કરી રહી છે, ત્યારે

તેમના સ્વપનાને ચકનાચુર થાય અને મહેનત ઉપર પાણી ફરી વળે તેવી રીતે સાબરકાંઠા જિલ્લા ભાજપમાં આતંરિક રીતે જુથો એક બીજાને પછાડવા માટે તન મન ધન લગાવી રહ્યા છે જેથી વિરોધીઓના કપડા કાઢીને બેઆબરુ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે, સાબરકાંઠા જિલ્લામાં 2017 પ્રમાણે  સાત બેઠકો પૈકી 3 બેઠકો ભાજપ જ્યારે ચાર બેઠકો કોગ્રેસ પાસે હતી

જેમાં  ભાજપમા

પ્રાતિંજ ગજેન્દ્ર સિહ પરમાર

Advertisement

હિમ્મત નગર રાજેન્દ્ર સિહ ચાવડા

ઇડર હિતુ કનોડીયા

જ્યારે કોંગ્રેસ પાસે

બાયડ- કોંગ્રેસ જશુ પટેલ

ખેડ બ્રેહ્મા અશ્વિન કોટવાલ કોંગ્રેસ

Advertisement

મોડાસા- રાજેન્દ્ર સિહ ઠાકોર કોંગ્રેસ

ભીલોડા- સ્વર્ગિય ડો અનિલ  જોશિયારા  કોંગ્રેસ પાસે બેઠક હતી

ગુજરાતના કયા મોટા નેતાના ઘરે ઇડીની ટીમ બની મહેમાન

વડા પ્રધાન નરેન્દ્રમોદી  27 વરસથી ભાજપના ગઢ બનેલ ગુજરાતને જાળવી રાખવા માટે ખુદ ફોકસ કરતા હોય છે, તેઓ ખુદ પોતાની ઉમર 72 વરસની હોવા છતાં પણ અવાર નવાર  સતત ગુજરાતનો પ્રવાસ કરતા હોય છે

જેથી કાર્યકર્તાઓ અને પ્રજામાં ભાજપનો પ્રભાવ જળવાઇ રહે,,ત્યારે બીજી તરફ સાબરકાંઠા જિલ્લા ભાજપના નેતાઓ પોતાનો આંતરિક સ્વાર્થ સાધવા માટે એક બીજાને કેવી રીતે પછાડી શકાય એની રણનીતિ તૈયાર કરી રહ્યા છે

Advertisement

ભીલોડાના  સ્વર્ગસ્થ ડો અનિલ જોશિયારાના પુત્ર કેવલ જોશિયારા, ખેડાબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ, સાથે સતત સંપર્કમાં રહીને પીએમ મોદીએ સમગ્ર ઓપરેશન દિલ્હીથી પાર પાડ્યું, જેથી સાબરકાંઠામાં ભાજપ મજબુત થાય,, ત્યારે બીજી તરફ ચૂંટણીના આડે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે રાજકીય હરિફોને ખતમ કરવા  છેલ્લી પાયરીની લડાઇ શરુ થઇ ચુકી છે,

ગુજરાતમાં છોટુ વસાવા કોના થશે-આપ કે કોંગ્રેસ

 

રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ

સુત્રોની વાત સાચી માનીએ તો એક તરફ સાબરકાંઠાના સાંસદ, દિપ સિહ રાઠોડ, હિમ્મત નગરના  બે ટર્મના ધારાસભ્ય રાજેન્દ્ર સિહ ચાવડા સહિતના કાર્યકર્તાઓ એક તરફ છે, તો બીજી તરફ પ્રથમ ટર્મમાં સત્તાનો સ્વાદ ચાંખીને

Advertisement

મોટા બનેલા યુવા નેતા ગજેન્દ્ર સિહ પરમાર, હિતેશ પટેલ, સિધ્ધાર્થ પ્રફુલ ભાઇ પટેલ સહિતની ટીમ  જોવા મળી રહી છે, આ બન્ને જુથો એક બીજાને પછાડવામાં કોઇ કસર છોડી નથી રહ્યા, તેના મુળમાં સત્તાની લડાઇ છે,

મહત્વની વાત એ છે કે ભુપેન્દ્ર પટેલની સરકાર બની એ સમયે સાબરકાંઠા જિલ્લાના સિનિયર ધારાસભ્ય અને ક્ષત્રિય નેતા રાજેન્દ્ર સિહ ચાવડા મંત્રી પદ માટે મજબુત દાવેદાર મનાતા હતા, જો કે તેમના બદલે યુવા નેતા પ્રથમ ટર્મમાં ચુંટાયેલા  ગજેન્દ્ર સિહ પરમારનો પ્રધાન પદમાં નબર લાગી ગયો,  અને શરુ થઇ ગઇ લડાઇ,,

સુત્રો કહે છે કે ગજેન્દ્ર સિહ પરમારને ટિકીટ અપવવામાં સાસંદ દિપ સિહ રાઠોડે મોટી ભુમિકા ભજવી હતી, પણ ચૂંટાયા બાદ સ્થિતિ બદલાઇ અને દિપ સિહ રાઠોડ રાજનિતીક ચેલો પહેલવાનની ભુમિકામાં આવી ગયો,અને પોતાના

ગુરુ સામે જ દાવ રમવા માંડ્યો,,, સ્થાનિક કાર્યકર્તાઓ કહે છે કે સાંસદ દિપ સિહ રાઠોડના પુત્ર રણજીત સિહ રાઠોડ પણ પ્રાંતિજ બેઠક માટે મજબુત દાવેદાર મનાય છે, અને જે રીતે ગજેન્દ્ર સિહ કથિત અનૈતિક સબંધને લઇને ચર્ચામાં આવ્યા છે જેના કારણે પ્રાંતિજમાં રાજકીય સમિકરણો બદલાઇ શકે છે,

હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ

Advertisement

 

યુવતી ઉપર બળકાત્કાર ગુજારનાર એ રાજનેતા કોણ- ઓડિયો વાયરલ

Uncategorized

સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારે શું કર્યું ?

Published

on

સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્ય સ્તરની ખાસ તપાસ દળ (S.I.T) ની રચના કરાઈ

રાજ્યના પુરવઠા વિભાગ હેઠળના ગોડાઉન કે સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિ કે ચોરીની ઘટના બાબતે રાજ્ય સરકાર ખૂબ જ સંવેદનશીલ છે. ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાની ઘટનાઓ પર સદંતર અંકુશ લાવી શકાય અને અગાઉ બનેલા આવા બનાવોના મૂળ સુધી પહોંચીને આરોપીઓને કડકમાં કડક સજા કરાવી શકાય તે માટે રાજ્ય સરકારે રાજ્ય સ્તરની SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) બનાવવાનો નિર્ણય લીધો છે. આ સીટની રચનાથી સ્થાનિક પોલીસને યોગ્ય માર્ગદર્શન મળશે અને સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓની તપાસમાં એકસૂત્રતા અને અસરકારકતા આવશે.

સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં રચાયેલી આ S.I.T માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ

SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અધ્યક્ષ તરીકે સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષકશ્રી હશે. તે ઉપરાંત સભ્ય તરીકે અન્ન અને નાગરિક પુરવઠાના નિયામક તેમજ સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ અધીક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીટમાં સભ્ય સચિવ તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડાયરેકટરશ્રી હશે. ઉપરાંત અન્ય સભ્યમાં સંબંધિત જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી અને સંબંધિત નાયબ પોલીસ અધીક્ષકનો સમાવેશ આ ખાસ તપાસ દળમાં કરવામાં આવ્યો છે.

ગૃહ વિભાગે બનાવેલી SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) રાજ્યભરમાં આ પ્રકારના દાખલ થયેલા ગુનાઓની સમીક્ષા કરીને તપાસ અધિકારીએ હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે. તે ઉપરાંત આ પ્રકારના જે ગુનાઓની પોલીસ તપાસ પૂર્ણ થઇ ગયેલી છે તે ગુનાઓની પણ સમીક્ષા કરીને સૂચિત કાર્યવાહી અંગે સંબંધિત પોલીસ અધીક્ષકને જરૂરી સૂચનો કરશે. આ સમિતિએ દર મહિને બેઠક કરીને કાર્યવાહીની સમીક્ષા નોંધ અધિક મુખ્ય સચિવ (ગૃહ) અને ગૃહ રાજ્ય મંત્રીને રજૂ કરવાની રહેશે.

Advertisement
Continue Reading

Uncategorized

કિસાનો માટે કલ્યાણકારી અને લાંબા ગાળાના લાભો આપનારું બજેટ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Published

on

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાત સરકારના વર્ષ 2023-24 ના અંદાજપત્રને ખેડૂતો માટે કલ્યાણકારી અને લાંબાગાળાના લાભો આપનારું અંદાજપત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ માટે કિસાનો પ્રેરિત થાય એવા પ્રયત્નો કરીને, ખેડૂતોની આવક બમણી કરવા સરકારે વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની પડખે રહેવાની પ્રતિબદ્ધતા આ અંદાજપત્રમાં વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને અમૃતકાળ માટે ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસની દિશા નિર્ધારિત કરતા અંદાજપત્ર માટે અભિનંદન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી સંલગ્ન પ્રશિક્ષણ અને કૃષિ, મત્સ્યોદ્યોગના વિસ્તરણ-સંશોધન માટે કાર્યરત ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને માળખાકીય સગવડોના વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા 1,153 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે, જે આવકાર્ય છે. આ જોગવાઈથી ખેડૂતોની આવતીકાલ વધુ ઉજ્જવળ બનશે.

ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચર લર્નિંગ એન્ડ ઇન્ટીગ્રેશન મિશન- TALIM યોજના પણ ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા રૂપિયા 203 કરોડની ફાળવણી કરાઈ છે, જેનાથી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા અને દેશી ગાયોની જાળવણી કરવા પ્રોત્સાહિત થશે.

Continue Reading

Uncategorized

ગુજરાતના પોલીસ સ્ટેશનો બનશે આત્મનિર્ભર !

Published

on

ગુજરાતના પોલીસ સ્ટેશનો બનશે આત્મનિર્ભર !

ગુજરાત સરકારનું ગૃહ વિભાગ હવે વડા પ્રધાન નરેન્દ્રમોદીના આત્મ નિર્ભર ભારતના સ્વપ્ન ને સાકાર કરવા તરફ વધી રહી છે,, સુત્રોની માનીએ તો ગૃહ વિભાગ ખાસ પ્લાન તૈયાર કરાયો છે, જેની બજેટ સત્રમાં જાહેરાત થઇ શકે છે,

 

ગૃહ વિભાગે જે પ્લાન બનાવ્યો છે તે મુજબ આગામી સમયમાં રાજ્યના 100થી વધુ નવા પોલીસ સ્ટેશનો બનશે, તે આત્મ નિર્ભર બનશે, જેના માટે ખાસ તૈયારી ગૃહ વિભાગે કરી છે,આ પ્લાનિંગમાં પોલીસ વિભાગ સાથે જન ભાગીદારીથી પોલીસ સ્ટેશનોનું નિર્માણ થશે, એટલુ જ નહી પોલીસ સ્ટેશનના ખર્ચમાં ઘટાડો થાયતે માટે સો થી વધુ પોલીસ સ્ટેશનમાં સોલાર પેનલ લગાવવામાં આવશે, જેના કારણે વિજ ખર્ચમાં ઘટાડો થશે, આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં મેન્ટનંસનો ખર્ચો ઉઠાવવો ન પડે તે માટે પોલીસ સ્ટેશનોમાં એટીએમ,બેંક,જેવી જાહેર સુવિધઓ ઉભી કરાશે, જે ગુજરાત સરકારનો પ્રથમ પ્રયોગ હશે, જેનાથી સરકારની તિજોરી ઉપર ભારણ ઘટશે,

 

Advertisement

 

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.