Connect with us

અમદાવાદ

આદિવાસી વિધાનસભાઓ જીતવા માટે ભાજપનો માસ્ટર પ્લાન !

Published

on

 

આદિવાસી વિધાનસભાઓ જીતવા માટે ભાજપનો માસ્ટર પ્લાન !

 

ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટી રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો જીતવા માંગે છે ત્યારે વર્ષોથી કોંગ્રેસની મતબેંક રહેલ આદિવાસી પટ્ટીમાં ભાજપનુ સ્થાન મજબુત થાય અને ભવ્ય જીત પ્રાપ્ત થાય તે માટે આદિવાસી સમાજમાં સેવા કાર્યો સાથે જોડાયેલા રાજકીય આગેવાનોને ભાજપમાં જોડવાનું એક માસ્ટર માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે, જેમાં ગુજરાતના પુર્વ મુખ્યપ્રધાન અમરસિહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી, વ્યારાના કોગ્રેસી ધારાસભ્ય પુનાભાઇ ગામીત અને માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીને ભાજપમાં જોડવાની રણનીતિ બનાવાઇ છે, જેથી આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં ભાજપને આદિવાસી પટ્ટીમાં મહત્તમ ફાયદો થાય,

Advertisement

ગુજરાતમાં હવે ચૂંટણીના બ્યુંગલ ફુકાઇ ગયા છે, અને ગુજરાત ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ 182 વિધાનસભા જીતવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે, તેમનુ એક જ મિશન છે રાજ્યની તમામ વિધાનસભા બેઠકો જીતવી,અને ગુજરાતની રાજનીતિમાં નવો ઇતિહાસ સર્જવો,, તેઓ 65 વરસ કરતા વધુ વય હોવા છતાં યુવા નેતાઓને પણ શરમાવે તેવી સ્ફુર્તી સાથે તેઓ દોડી રહ્યા છે, ભાજપ માટે હમેશા આદિવાસી વિધાનસભાઓ માથાનો દુખાવો બન્યા છે, ત્યારે આદિવાસી વિસ્તારોને જીતવા માટે ખાસ રણનીતિ ઉપર ભાજપ કામ કરી રહ્યુછે,

જેના માટે પુર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, પુર્વ આરોગ્યપ્રધાન અનિલ જોશીયારાના પુત્ર કેવલજોશિયારાને પણ ભાજપમાં જોડ્યા છે, ભાજપ માટે જે બેઠકો લોઢાના ચણા ચાવવા સમાન છે, ભાજપનો ઉમેદવાર આજદિન સુધી ક્યારેય જીત્યો નથી,,તેવી બેઠકો પણ ચૂંટણી જીતવા માટે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં જોડાવા માટેની તૈયારીઓ શરુ કરી દેવાઇ છે, જેથી 182નો અંક સિધ્ધ થઇ શકે,,

ભાજપ વ્યારા બેઠક ગુજરાતની સ્થાપના થઇ ત્યારથી વર્ષ 2017 સુધી યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરી શક્યુ નથી,

વર્ષ 2002માં ગુજરાતના પુર્વ મુખ્ય પ્રધાન અમરસિહ ચૌધરીન પુત્ર ડો તુષાર ચૌધરી ગોધરાકાંડના કારણે સમગ્ર ગુજરાતમાં છવાયેલી હિન્દુત્વની લહેર વચ્ચે વ્યારામાં કોગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતવામાં સફળ થયા હતા,

વર્ષ 2004માં કોંગ્રેસે તેમને લોકસભાની ટિકીટ આપતા તેઓ લોકસભા જીત્યા, તેમના રાજીનામાથી વ્યારા બેઠક ખાલી પડી હતી,

Advertisement

વર્ષ 2004માં પુનાભાઇ ગામીત કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા,

વર્ષ 2007,2012 અને 2017 સતત તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભાજપના ઉમેદવારને હરાવતા રહ્યા,

વર્ષ 2017માં કોંગ્રેસના 14થી વધુ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયાા,

વર્ષ 2017માં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા બળવંત સિહ રાજપુતે કોંગ્રેસ સાથે છેહ કરી ભાજપ સાથે હાથ મિલાવ્યો અને ભાજપમાં જોડાઇ ગયા, તેઓ એક સમય અહેમદ પટેલના અંગત વિશ્વાસુ હતા, અને અહેમદ પટેલની સામે ભાજપના ઉમેદવાર તરીકે ભાથ ભીડી, એ સમયે પુના ભાઇ ગામીતને એક સિનિયર પોલીસ અધિકારીએ ધાક ધમકીથી દબાવવાનો પ્રયાસ પણ કર્યા હોવાનો આરોપ લગાવાયો હતો,પુના ભાઇ ગામીતે કોગ્રેસ સાથેની વફાદારી જાળવી રાખી,હવે જ્યારે અહેમદ પટેલ આ દુનિયાથી વિદાય લઇ લીધી છે ત્યારે પુનાભાઇ ગામીતનું નામ ભાજપમાં જોડાશે અટકળોએ જોર પકડ્યુ છે, સાથે તુષાર ચૌધરી પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ ચાલી રહીછે,

વર્ષ 2012માં કોંગ્રેસના પ્રભુ વસાવા માંડવી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા જોકે વર્ષ 2014માં પ્રભુ વસાવાને ભાજપે બારડોલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવવની ઓફર કરતા કોગ્રેસ છોડી તેઓ ભાજપમાં જોડાયા, અને ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા,

Advertisement

વર્ષ 2014માં બારડોલી વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાતા, કોગ્રેસના ઉમેદવાર તરીકે આનંદ ચૌધરી ચૂંટાયા, વર્ષ 2017માં તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફરી ચૂંટાયા, વર્ષ 2017માં તેમને પણ ભાજપની ઓફર હતી, પણ તેઓ કોંગ્રેસને વફાદાર રહી રાજ્યસભાની ચૂટણીમાં અહેમદ પટેલને મત આપ્યો,

હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે હવે સત્તા મેળવવાના નેમ સાથે રાજકીય ભવિષ્ય બનાવવા માટે મથી રહ્યા છે,આમ તો આ બેઠકો પર ખ્રિસ્તી મિશનરીઓનો પ્રભાવ હોવાનુ માનવામાં આવે છે, મિશનરીઓના પ્રભાવ સામે સંઘ પરિવાર અને હિન્દુ સંગઠનો પણ આદિવાસી સમાજમાં  હિન્દુ ધર્મનુ જાગરણ કરી રહ્યા છે, જો કે તેમ છતાં જોઇએ તેવો પ્રભાવ ઉભો કરી શક્યા નથી,  જેને કારણે ભાજપને અત્યાર સુધી વ્યારા, બારડોલી, માંડવી ભીલોડા ખેડબ્રહ્મા જેવી ભાજપ જીતી શકતું નથી,

 

 

Advertisement

 

રાજકીય પાર્ટી બનાવી હવાલા કરતા નેતાને બચાવવામાં કોને છે રસ

ગુજરાતના એ નેતા જેઓ ઠગ ભગતથી ઓળખાય છે

 

ભાજપનાં ડોક્ટર કરશે કોગ્રેસનું ઓપરેશન !

Advertisement

એક કિડની વાળો ફાયનાન્સર કોણ છે જે બુટલેગરોને કરે છે ફાયનાન્સ ! પોલીસમાં ચર્ચા

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.