Connect with us

અમદાવાદ

વિસનગરમાં ભાજપની પહેલી પસંદગી રુષિકેશ પટેલ.પણ રુષિકેશ પટેલના મનમાં છે શુ !

Published

on

વિસનગરમાં ભાજપની પહેલી પસંદગી રુષિકેશ પટેલ.પણ રુષિકેશ પટેલના મનમાં છે શુ 

સ્થાનિક સ્વરાજની ચૂટણીની જેમ ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની પસંદગીને લઇને મોટો નિર્ણય કરી શકે છે,  જેની અસર વર્તમાન ધારાસભ્યોના રાજકીય ભવિષ્ય ઉપર પણ પડી શકે છે,આજે વાત કરીશુ કોપર નગરી વિસનગરની,, જ્યાથી રાજ્યના આરોગ્ય પ્રધાન કમ બિલ્ડર, કમ સહકારી આગેવાન, કમ સમાજ સેવી એવા રુષીકેશ ભાઇ પટેલ ધારાસભ્ય છે, વિસનગરના રાજકીય સુત્રોની માનીએ તો રુષીકેશ પટેલ અમદાવાદ શહેરમાંથી ચૂંટણી લડવા તૈયારીઓ કરી રહ્યા છે, મંત્રી મંડળમાં થતી ચર્ચાઓ મુજબ રુષિકેશ પટેલ આગામી સમયમાં ભુપેન્દ્ર પટેલના આનુગામી બની શકે છે, આ વખતે જ્યારે મુખ્ય પ્રધાન તરીકે નામોની ચર્ચા થઇ ત્યારે રુષિકેશ પટેલ જગદીશ પટેલ જેવા ધારાસભ્યોની ચર્ચા થઇ હતી, જો કે ભુપેન્દ્ર પટેલને ત્યારે ચાન્સ લાગ્યો, ત્યારે હવે રુષિકેશ પટેલને પણ ક્યારે ચાન્સ લાગશે તે ચર્ચાનો વિષય છે,

ગુજરાત સરકારના કયા કેબીનેટ પ્રધાન સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવતો પત્ર થયો વાયરલ

વિસનગરના ઇતિહાસની વાત કરીએ તો

વર્ષ 1962માં  કોંગ્રેસના રમણિકલાલ મણિયારે સ્વતંત્ર પક્ષના ઇશ્વર પટેલને હરાવ્યા

Advertisement

વર્ષ 1967માં કોગ્રેસના એસ બી પટેલે સ્વતંત્ર પક્ષના આઇ બી પટેલને હરાવ્યા

વર્ષ 1972માં કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશનના જગન્નાથ વ્યાસે કોંગ્રેસના શાંતા બેન પટેલને હરાવ્યા

વર્ષ 1975માં  વર્ષ અપક્ષ ઉમેદવાર સાકળચંદ પટેલ એનસીઓના જગન્નાથ વ્યાસને હરાવ્યા હતા

વર્ષ 1980માં  ભાજપના ગંગારામ પટેલે કોંગ્રેસ આઇના ફુલજી ભાઇ ચૌધરીને હરાવ્યા

વર્ષ 1985માં અપક્ષ ઉમેદવાર ભોળા ભાઇ પટેલે કોંગ્રેસના બબલદાસ પટેલને હરાવ્યા

Advertisement

વર્ષ 1990માં  જનતાદળના ભોળા ભાઇ પટેલે કોંગ્રેસના રમણિક ભાઇ પટેલ મણિયારને હરાવ્યા

વર્ષ 1995માં ભાજપના કિરીટ પટેલે કોંગ્રેસના ભોળા ભાઇ પટેલને હરાવ્યા

વર્ષ 1998માં ભાજપના પ્રહલાદ ભાઇપટેલે અપક્ષ ઉમેદવાર ભોળાભાઇ પટેલને હરાવ્યા

વર્ષ 2002માં ભાજપના પ્રહાલદ પેટલે કોંગ્રેસના કિરીટ પટેલને હરાવ્યા હતા

વર્ષ 2007માં ભાજપના રુષિકેશ પટેલે કોંગ્રેસના બબલદાસ પટેલને હરાવ્યા

Advertisement

વર્ષ 2012 ભાજપના રુષિકેશ પટેલે કોંગ્રેસના ભોળાભાઇ પટેલને હરાવ્યા

વર્ષ 2017માં ભાજપના રુષિકેશ પટેલે કોંગ્રેસના મહેશ ભાઇ પટેલને હરાવ્યા,

 

ગુજરાતની સ્થાપના પછી વિસનગરના પ્રથમ ધારાસભ્ય બનવાનું રમણિકલાલ મણિયારને શ્રેય જાય છે, જ્યારે વિસનગરના પ્રથમ મહિલા ધારાસભ્ય બનવાનુ શ્રેય શાંતા બેન પટેલને જાય છે,

Advertisement

વર્ષ 1962 અને 1972ને બાદ કરતા આ બેઠક પર અત્યાર સુધી મોટા ભાગે પટેલ ઉમેદવાર જ ચૂંટણી જીત્યા છે,  આ સિવાય બ્રહ્મ સમાજ અને વણિક ઉમેદવાર પણ આ બેઠક થી ચૂંટણી જીતી ચુક્યા છે,

વર્ષ 1980માં ભાજપનુ કમલ પ્રથમ વખત ખિલ્યું હતું, તે પછી 15 વરસના વનવાસ બાદ વર્ષ 1995માં  ભાજપના કિરીટ ભાઇ પટેલ ચૂંટણી જીત્યા હતા,

જો કે પુર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલની સરકાર સામે  ભાજપના દિગ્ગજ નેતા શંકર સિહ વાધેલાએ 46 ધારાસભ્ય સાથે બળવો કરી ખજુરાહો પહોચ્યા જેમાં કિરીટ પટેલ પણ જોડાયા હતા, અને રાજપા સરકારમાં  તેમને ઇનામ રુપે મંત્રી પદ પણ મળ્યુ હતું,  જો કે તેઓએ ફરી વાર ચૂટણી લડ્યા, પણ ભાજપ સાથે કરેલો વિશ્વાસઘાત તેમને ફળ્યો નહી, અને જનતાએ તેમની ઉપર વિશ્વાસ ન મુક્યો

વિસનગરની ભૌગૌલિક સ્થિતિ 

Advertisement

વિસનગર વિધાનસભા બેઠક મહેસાણા જિલ્લાની મહત્વની બેઠક છે. વિસનગર વિધાનસભા બેઠકમાં વિસનગર તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. તાલુકામાં બાકરપુર, બસાણા, બેચરપુરા, ભાલક, ભાંડુ, બોકરવાડા, છોગાળા, ચિત્રોડા મોટા, ચિત્રોડીપુરા, દહીયાલ, દેણપ, ધામણકુવા, ધરુસણા, ગણપતપુરા, ઘાંઘરેટ, ગોઠવા, ગુંજા, ગુંજાળા, હસનપુર, ઇયાસરા, જેતલવાસણા, કડા, કાજીઅલિયાસણા, કામલપુર (ગોઠવા), કમલપુર, (ખરવાડા), કમાણા, કાંસા સહિતના 58 જેટલા ગામ આવેલા છે.

જાતિગત સમિકરણો

વિસનગર વિધાનસભામાં. 33 ટકા પટેલ, 23 ટકા ઠાકોર, 6 ટકા મુસ્લિમ, 14 ટકા ઓબીસી, 10 ટકા એસ.સી, 14 ટકા અન્ય મતદારોનો સમાવેશ થાય છે. એટલે કે આ બેઠક પર પટેલની સાથે ઠાકોર, આંજણા ચૌધરી, લધુમતી, બારોટ,કંસારા, નિર્ણાયક મતદારો  છે.

વિસનગરમાં ઉમેદવાર

રુષિકેશ પટેલ, ધારાસભ્ય

Advertisement

પ્રકાશ પટેલ, સાકળચંદ પટેલ યુનિવર્સિટીના માલિક

રાજેશ પટેલ,, આર કે ભુરી નામથી ઓળખાય છે

જશુભાઇ પટેલ, પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ,

સુમિત્રા બેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ,

શુ ગુજરાત સરકાર પ્રસિદ્ધીની લ્હાયમાં કરી રહી છે રાષ્ટ્ર ધ્વજનુ અપમાન-રાજ્યપાલથી માંડી હાઇકોર્ટ સુધી કોણે કરી ફરિયાદ

Advertisement

રુષિકેશ પટેલની ટીકીટ આમ તો વિસનગરમાં ફાઇનલ માનવામાં આવે છે, પણ સુત્રોની માનીઓ તો તેઓ અમદાવાદમાં પણ ચૂટણી લડવાની તૈયારી કરી રહ્યા છે, કારણ કે 2017માં તેઓ વિસનગરમાં પાટીદાર અનામત આંદોલનના કેર વચ્ચે તેઓ માંડ માંડ 3200ની આસપાસ મતોથી જીત્યા હતા, આ વખતે તે પ્રકારની સ્થિતિનો સમાનો ન કરવો પડે તે માટે અમદાવાદ શહેરમાંથી ચૂંટણી લડવામાં આવે તો કોઇ મુશ્કેલી ન પડે, જો કે કોણે કયાંતી ચૂંટણી લડવી કે ના લડવી તે ભાજપમાં પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતુ હોય છે, સ્થાનિક સ્વરાજની જેમ માપદંડ નક્કી થાય તો અનેકની ચૂંટણી લડવાના અરમાનો ઉપર પાણી ફરી શકે છે,  સુત્રોની વાત સાચી માનીએ તો ચાર ટર્મ અને 65 વરસની વય ધરાવતા ઉમેદવારોને  ચૂટણી લડવાની રાજનીતિથી દુર કરી ચૂટણી જીતાડવાની રણનીતિ તૈયાર કરવાની પાર્ટી જવાબદારી સોપાવાની તૈયારી કરી રહી છે, જેથી વિપક્ષનો સારી રીતે મુકાબલો કરી શકાય ,

 

દાણીલિમડા બેઠક જીતવા ચંદ્રકાંત પાટીલને કોણે આપી સલાહ-પત્ર થયુ વાયરલ

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.