અમદાવાદ
કેજરીવાલ મોડલ જોવા ભાજપના નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીની જીત છેઃ ગોપાલ ઈટાલિયા

કેજરીવાલ મોડલ જોવા ભાજપના નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીની જીત છેઃ ગોપાલ ઈટાલિયા
ભાજપ આજે આમ આદમી પાર્ટીની પરિવર્તન ની રાજનીતિ અપનાવી રહી છેઃ ગોપાલ ઈટાલિયા
ભાજપના નેતાઓએ ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ કર્યું છેઃ ગોપાલ ઈટાલિયા
આમ આદમી પાર્ટી શિક્ષણને દેશ સેવા માને છેઃ ગોપાલ ઈટાલિયા
ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે અને દિલ્હીમાં શિક્ષણ દ્વારા દેશની સેવા થઈ રહી છેઃ ગોપાલ ઈટાલિયા
ગુજરાતમાં ભાજપના નેતાઓએ ખાનગી શાળાઓ શરૂ કરીને શિક્ષણનો ધંધો કર્યો છેઃ ગોપાલ ઈટાલિયા
શિવસેનાના બાગી નેતાઓની જેમ ગુજરાતના નેતાઓ પણ કેમ કરી રહ્યા છે ગુવાહાટીનો પ્રવાસ
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મીડિયાને સંબોધતા કહ્યું કે, દેશમાં શિક્ષણ ક્રાંતિની શરૂઆત દિલ્હીથી થઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા જી ના નેતૃત્વમાં દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિની વાતો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુંજતી રહી છે. આજે દેશમાં ક્યાંય પણ સારી શાળાઓ અને સારી શિક્ષણ વ્યવસ્થા અને આરોગ્ય વ્યવસ્થાની વાત થાય છે, તો ચોક્કસ દિલ્હીના કેજરીવાલ મોડલની વાત થાય છે, આમ આદમી પાર્ટી દ્વારા દેશમાં પહેલીવાર આવી અદ્ભુત વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા જે વ્યવસ્થા પરિવર્તન આવ્યું છે તેણે સમગ્ર દેશને એક ઉદાહરણ આપ્યું છે. અરવિંદ કેજરીવાલ જી એ આખા દેશના નેતાઓ અને પાર્ટીઓને એક રસ્તો બતાવ્યો છે કે જો નિયત સાફ હોય તો પરિવર્તન નિશ્ચિત છે.
કયા પાટીદાર નેતાએ કહ્યુ કે બિન અનામત આયોગ અને નિગમને બંધ કરો
અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની સ્થાપના સમયે કહ્યું હતું કે અમે રાજનીતિ કરવા નથી પરંતુ રાજનીતિ બદલવા આવ્યા છીએ. ધીરે ધીરે, સંઘર્ષ કરતા-કરતા, આમ આદમી પાર્ટી આગળ વધીને સાચી સાબિત થઈ છે. સરકારી શિક્ષણ પ્રણાલી અને સરકારી આરોગ્ય વ્યવસ્થા જેવા મુદ્દાઓ ક્યારેય ભાજપના મુદ્દા ન હતા પરંતુ આજે ભાજપને આમ આદમી પાર્ટીના પરિવર્તન ની રાજનીતિને અનુસરવાની ફરજ પડી છે, આ અમારી સફળતા છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને આજે અમારા મુદ્દાઓ પર કામ કરવાની ફરજ પડી છે, કારણ કે આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ એ શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે દિવસ-રાત મહેનત કરી છે. લોકો ને જાગૃત કરવાનું કામ કર્યું છે.
હું ગુજરાતના ભાજપના નેતાઓને અભિનંદન આપું છું જેઓ દિલ્હીની સરકારી શાળા અને સરકારી હોસ્પિટલ જોવા જઈ રહ્યા છે અને કહેવા માંગુ છું કે જો તમે ગુજરાતની ખરાબ વ્યવસ્થા જાણો છો તો દિલ્હીની સારી શિક્ષણ વ્યવસ્થા અને આરોગ્ય વ્યવસ્થામાંથી કંઈક શીખીને આવજો. ગુજરાતમાં ભાજપના નેતાઓ તેમના માતા-પિતાના નામે ટ્રસ્ટ શરૂ કરીને, ખાનગી શાળાઓ શરૂ કરીને શિક્ષણનો વેપાર કરી રહ્યા છે. હું બીજેપીના નેતાઓને બીજી એક વાત કહેવા માંગુ છું કે ત્યાં ફક્ત ફરીને અને માત્ર ફોટો પડાવી ને પાછા ના આવો અને ગુજરાતમાં આવીને લોકોમાં ખોટો ભ્રમ ન ફેલાવો.
આમ આદમી પાર્ટી શિક્ષણને દેશ સેવાનું માધ્યમ માને છે. અમારું માનવું છે કે શિક્ષણ દ્વારા આપણે સમાજ અને સમગ્ર દેશને આગળ લઈ જઈ શકીએ છીએ. જ્યારે બીજી તરફ ભાજપ શિક્ષણને ધંધો માને છે. એટલે ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે અને દિલ્હીમાં શિક્ષણ દ્વારા રાષ્ટ્રની સેવા થઈ રહી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મિલેનિયા ટ્રમ્પ જ્યારે દિલ્હી આવ્યા હતા ત્યારે તેમણે પણ દિલ્હીની સરકારી શાળાઓના વખાણ કર્યા હતા, તેથી ભાજપના લોકો પણ આ જ રીતે સકારાત્મક વલણ રાખીને દિલ્હીની શાળાઓની સમીક્ષા કરે તેવી આશા છે. આપણા માટે વધુ એક ગર્વ જેવી વાત છે કે ભાજપ સરકારે આજ સુધી ક્યારેય વિરોધ પક્ષની એકપણ સરકારી શાળાની હોસ્પિટલ જોવા માટે કોઈ કામ કર્યું ન હતું, તેથી ઈતિહાસમાં પહેલીવાર આવું થઈ રહ્યું છે, તે સારી વાત છે.
ભાજપના નેતાઓ પહેલા આમ આદમી પાર્ટીની ટીકા કરતા હતા અને કહેતા હતા કે દિલ્હી એક નાનું શહેર છે અને અરવિંદ કેજરીવાલ એક શહેરના મેયર છે અને આમ આદમી પાર્ટી માત્ર શહેરી પાર્ટી છે, આવી ઘણી બકવાસ વાતો કરી છે, પરંતુ આજે ભાજપના નેતા પોતે કેજરીવાલ મોડેલની શાળા અને હોસ્પિટલ જોવા જઈ રહ્યા છે, આ કેજરીવાલ મોડેલ, આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના લાખો કાર્યકરોની મહેનતની જીત છે.
આ મહત્વની પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ કોષાધ્યક્ષ કૈલાશદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
યુવરાજ સિહ જાડેજાએ હવે અગ્નિપથ યોજનાને લઇને મોદી સરકાર માટે કહી આટલી મોટી વાત !
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ