Connect with us

અમદાવાદ

હાર્દીક પટેલને સાચવવા માટે ભાજપે શરુ કર્યુ ઓપરેશન વિરમગામ !

Published

on

હાર્દીક પટેલને સાચવવા માટે ભાજપે શરુ કર્યુ ઓપરેશન વિરમગામ

હાર્દીક પટેલના ભાજપમાં આવવાથી કોના થશે સપના ચકનાચૂર !

હાર્દીક પટેલ હવે ભાજપમાં જોડાશે તેને લઇને તારીખ હવે નક્કી થઇ ગઇ છે,ત્યારે ભાજપે હવે હાર્દીકની સરળતા માટે તેના રાજકીય હરિફોને ઠેકાણે પાડવાની શરુઆત કરી દીધી છે, ત્યારે માનવામાં
આવે છેકે હાર્દીક પટેલને વિરમગામ બેઠક પરથી ચૂટણી લડશે,,જેના માટે હાર્દીકના સમર્થકોએ તૈયારીઓ પણ શરુ કરી દીધી છે

હાર્દીક પટેલનુ દિલ માંગે મોર, તો નરેશ પટેલ માટે ભાજપે કરી આ ખાસ ઓફર !

Advertisement

હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે. કમલમમાં સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક ભાજપમાં જોડાશે. 15000 કાર્ચકર્તાઓ સાથે હાર્દિક કેસરિયો ધારણ કરશે. કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલ હાર્દિક ભાજપમા જોડાશે તેવી ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. જો કે હવે આ તમામ અટકળોનો અંત આવી ગયો છે. જો કે ભાજપ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો બીજી તરફ પાટીદાર આંદોલન દરમિયાન તેમના પર થયેલા કેસ અંગે કોર્ટ દ્વારા હાર્દિકને રાહત આપવામાં આવી હતી. તેથી હાર્દિકના ચૂંટણી લડવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. તેથી હવે એ વાત પણ નક્કી છે કે હાર્દિક પટેલ ભાજપની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડશે.

હાર્દીકે ધારણ કર્યો કેસરિયો ખેસ !

પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ ની રજુવાત પગલે ખેડૂતો 15જૂન સુધી માટી,મોરમ, ટાંચ ઉપાડી શકશે પરિપત્ર ની મુદત વધારાઈ

વિરમગામ બેઠકની વાત કરીએ તો અહી છેલ્લા બે ટર્મથી ભાજપને કોંગ્રેસને વનવાસ આપી રહ્યુ છે,,વર્ષ 2012માં કોંગ્રેસના તેજશ્રી બેન પટેલે વિરમગામ વિધાનસભા સીટ જીત્યા હતા, તેઓ 2017માં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન
કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર અહેમદ પટેલને હરાવવાની નેમ સાથે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઇ ગયા હતા, તેઓ વર્ષ 2017માં ભાજપના ઉમેદવાર તરીકે વિરમગામ બેઠક પરથી ચૂટણી લડ્યા
ત્યારે સ્થાનિક મતદારોએ પક્ષ પલ્ટુ એવા તેજશ્રી બેન પટેલ ઉપર ભરોસો કરવાના બદલે કોંગ્રેસના લાખા ભાઇ ભરવાડને વિજય અપાવ્યો,,ત્યારે આ બેઠક ઉપર અત્યારે પુર્વ ધારાસભ્ય તેજશ્રી બેન પટેલ
પુર્વ ધારાસભ્ય કામભાઇ રાઠોડ, પુર્વ ધારાસભ્ય પ્રાગજી ભાઇ પટેલ, પુર્વ ધારાસભ્ય વજુ ભાઇ ડોડીયા, અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી નવદીપ વજુ ભાઇ ડોડીયા, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પુર્વ ચેરમેન
જે જે પટેલ, પ્રદેશ ભાજપ યુવા મોર્ચાના પુર્વ પ્રમુખ રુત્વીજ પટેલ, અમદાવાદ મહાનગર પાલિકાના પુર્વ દંડક રાજુ ભાઇ ઠાકોર દાવેદાર માનવામાં આવે છે,જો કે હાર્દીક પટેલની ભાજપમાં તાજ પોશી બાદ
ભાજપના તમામ દાવેદારોનુ ધારાસભ્ય બનવાનુ સ્વપ્ન રોળાઇ જશે,

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

Advertisement

રખડતા ઢોરો ત્રાસને લઇને કોંગ્રેસના ધારાસસભ્યે કેમ કરી કાયદો કડક બનાવવાની માંગ

હાર્દીક પટેલ વિરમ ગામ બેઠક પરથી ઉમેદવાર તરીકે નિશ્ચિત માનવામાં આવે છે ત્યારે તેમના વિજયમાં કોઇ નડતર રુપ કે વિધ્ન રુપ ન થાય તે માટે ભાજપ અત્યારથી વિજય વિરમગામ ઓપરેશન આંરભી દીધુ છે,સુત્રોની માનીએ તો
વિરમગામના કદ્દાવર નેતા અને પુર્વ ધારાસભ્ય વજુ ભાઇ ડોડીયાને રાજ્યની સૌથી મોટીસહકારી સંસ્થા ગુજકોમાસોલમાં ડીરેક્ટર પદ માટે ચૂટણી લડાવવાનો નિર્ણય કરાયો છે, એટલુ જ નહી આગામી સમયમાં તેમને
વાઇસ ચેરમેન પદ પણ આપી શકાય છે, જ્યારે અન્ય દાવેદારોને પણ તેમના કદ પ્રમાણે બોર્ડ નિગમમાં કે સંગઠનના યોગ્ય સ્થાન આપવામા આવશે, તેવી સંભાવના વ્યકત થઇ રહી છે,

આમ વજુ ભાઇ ડોડીયાને સહકારી સંસ્થામા સ્થાન આપીને પક્ષે તેમના પુત્ર નવદીપ ડોડીયાને પણ વિરમગામ બેઠક પરના દાવેદાર તરીકેનો સ્થાન ઝુટવી લીધો છે, તે સિવાય બાકી દાવેદારોનો પણ હવે છેદ ઉડાડી દેવામાં આવશે,

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.