ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

ભરત સિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
અમદાવાદ
ગુજરાત કોગ્રેસના બે દિગ્ગજ નેતાઓ સામે મહિલાઓના યૌન શોષણનો આરોપ કોગ્રેસની મહિલા નેતાએ લગાવ્યો છે,એક નેતા છે ભરત સિહ સોલંકી અને બીજા નેતા છે ગુજરાત કોગ્રેસના પુર્વ પ્રમુખ અને આંકલાવ (Aanklav) ના ધારાસભ્ય અમિત ચાવડા વંદના બેન પટેલે પંચાત ટીવી સાથે એક્સક્લુસીવ વાત ચિત કરી છે. તેમની માનીએ તો ભરત સિહ સોલંકી દુર્યોધન છે, તો અમિત ચાવડા તેમને છાવરવા વાળા દુશાસન છે. તેઓ હવે બન્ને નેતાઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને રજુઆત કરશે.
મહિલાઓના શારિરીક શોષણ સામે વંદના પટેલે શરુ કર્યો શુધ્ધી કરણ યજ્ઞ-વંદના પટેલ
ગુજરાત મહિલા કોગ્રેસના નેતા વંદના બેન પટેલે પુર્વ કેન્દ્રીય પ્રધાન અને ગુજરાત કોગ્રેસના પુર્વ પ્રમુખ ભરતસિહ સોલંકી ઉપર નિશાન સાધ્યુ છે.તેમના કહેવા મુજબ ભરત સિહ સોલંકી સેક્સમેનિયાક છે, તેઓ આશારામની જેમ મહિલાઓનુ શોષણ કરે છે,,અને સુંદર,સ્વરુપવાન મહિલા કાર્યકર્તાઓનો શિકાર કરે છે આવી કાર્યકર્તાઓને તેઓ લાભામણા વાયદા કરે છે, આર્થિક અને પદનો લાભ આપવાનો વાયદો કરે છે, તેમનુ શારિરીક શોષણ કરે છે, અને જે કાર્યકર્તાઓ તેમને વશ નહી થતી તેમની રાજકીય કારકીર્દી ખતમ કરવાની ધમકી અપાય છે.
કોગ્રેસમાં મહિલાઓને ન્યાય અપાવવા લડકી હુ લડ સકતી હુ અભિયાન શરુ-વંદના પટેલ
વંદના પટેલે ચોકવાનારો ખુલાસો કર્યો છે કે ભરત સિહ સોલંકી મોડી રાત્રે મહિલા કાર્યકર્તાઓને અશ્લિલ મેસેજ કરે છે, અને પથારી ગરમ કરવાના મેસેજ કરે છે,.
જે મહિલાઓ તેમની વાત માને છે તો તેમને નગર પાલિકા, મહાનગર પાલિકા,તાલુકા પંચાયત જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા ,રાજ્યસભા ઉપરાંત સંગઠનમાં મહત્વના હોદ્દાઓ લ્હાણી કરાય છે
તેઓનો આરોપ છે કે આ અંગે પ્રદેશની નેતાઓ પણ જાણે છે, છતાં તેઓ ધૃતરાષ્ટ્રની ભુમિકા ભજવી રહ્યા છે, જ્યારે સારા નેતાઓ ભિષ્મની ભુમિકામાં છે, તેઓ ખુલીને અમિત ચાવડા, અને ભરત સિહ સોલંકીના વ્યભિચાર સામે ખુલીને વિરોધ કરતા નથી, તેમની રાજકીય મજબુરી સામે વંદના પટેલે સવાલો ઉઠાવ્યા છે,
ગુજરાત કોગ્રેસમાં મહિલાઓ સુરક્ષિત નથી- વંદના પટેલ
વંદના પટેલ હવે કોગ્રેસમાં આવી પીડીત મહિલાઓને એકત્ર કરીને દિલ્હી જઇને સોનિયાગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને રજુઆત કરવા માંગે છે, તેઓની માનીએ તો આ બન્નેને પાર્ટી સસ્પેન્ડ કરે તો જ
કોગ્રેસનુ શુધ્ધિકરણ થશે, અને સારી મહિલાઓ કોગ્રેસમાં આવશે,,ગુજરાતમાં કોગ્રેસનુ શુધ્ધી કરણ યજ્ઞ કરવાની તેઓ જઇ રહ્યા છે, કોગ્રેસનુ શુધ્ધીકરણ થશે તો જ કોગ્રેસ ગુજરાતમાં સત્તામાં આવી શકસે, નહી તો કોગ્રેસ પતી જશે,
ગુજરાત કોગ્રેસમાં હાલ જુથ બંધી ચરમસીમાએ જોવા મળી રહી છે, ગુજરાતમાં કોગ્રેસ 27 વરસ કરતા વધુ સમયથી સત્તાથી વંચિત છે આરોપો થતા હોય છે કે કોગ્રેસને હરાવવા કોગ્રેસના જ લોકોને રસ છે, એટલે કે કોગ્રેસમાં અનેક જુથો છે, જેમાં ભરત સિહ સોલંકી,સિધ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા અને પરેશ ધાનાણી, શક્તિ સિહ ગોહિલ જેવા કોગ્રેસના મુખ્ય નેતાઓના જુથ છે.આ કોગ્રેસના આતંરિક જુથબંધીના પરિણામે ગુજરાતમાં કોગ્રેસ જીતનો સ્વાદ ચાખી શકતી નથી, કારણ એક જુથને હમેશા બીજા જુથ ના ઉમેદવારને પાડી દેવામા રસ હોય છે ,,પરિણામે ગુજરાતમાં કોગ્રેસના નેતાઓની વ્યક્તિગત બાબતો પણ જાહેર કરીને બદનામ કરાય છે,,અને કોગ્રેસના નાવને ડુબાડી દેવામાં આવે છે, ત્યારે આ વખતે નિશ્ચિત જુથ અમિત ચાવડા અને ભરત સિહ સોલંકીની રાજકીય કારકીર્દીને સુર્યાસ્ત કરવા માંગે છે.

સોશિયલ મિડીયામાં વાયરલ ફોટો
કોણ છે વંદનાબેન પટેલ
વંદના બેન પટેલ મુળ ભાજપ(BJP Gujarat) ના કાર્યકર્તા રહ્યા છે, બીજેપી મહિલા મોર્ચાના મંત્રી પણ હતા, 2015માં પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan) થી પ્રભાવિત થઇ,તેઓએ બીજેપી છોડી અને આપનુ (AAP) ઝાડુ પકડ્યુ, 2014માં તેઓ આપના ઉમેદવાર તરીકે મહેસાણા લોકસભા (Mehsana Parliament Seat) બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા, અને હાર્યા. 2017માં તેઓએ હાર્દીક પટેલના (Hardik Patel ) પ્રભાવમાં આપ છોડીને કોગ્રેસમાં હાથ પકડ્યો હવે તેમને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે,
ફોટો વાયરલ કરવાનો અભિયાન તેજ !
પુર્વ કેન્દ્રીય ભરત સિહ સોલંકી (BharatSinh Solanki) માટે એક જોડે ત્યાં તેર તુટે જેવી સ્થિતિનો નિર્માણ પામ્યો છે, પહેલા તેમના દામ્પત્ય જીવનમાં ચાલતા ખટરાગ સાર્વજનિક થયુ જેના કારણે તેમની રાજનિતિક બદનામી થઇ તો હવે સોશિયલ મિડીયાંમાં નવા ફોટા વાયરલ કરાયા છે, જેમાં કોંગ્રેસના રંગીલા ભરત ભાઇ નામથી ફોટો વાયરલ થવાથી અનેક સવાલો ઉભા થયા છે કે તેમની રાજકીય કારકીર્દી પતાવવામાં કોણ રસ લઇ રહ્યુ છે.
વંદના પટેલે કોંગ્રેસની પ્રદેશ નેતાગિરીને લખ્યો ખુલ્લો પત્ર
ભરત સોલંકી ના પત્ની રેશમા સોલંકી ને ન્યાય અપાવવા, કોંગ્રેસ પક્ષ તેમના વ્યભિચાર ની પરાકાષ્ટ પછી પણ છાવરી રહી છે અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ઓ માં ભરત સોલંકી ની માનીતી મહિલાઓ ને ટીકીટ આપી ને જે તે વખતે અમિતભાઇ ચાવડા એ સજ્જન મહિલાઓ ને કાપીને સારા ને કાપીને મારા ને ભાતૃ પ્રેમ માં ટીકોટો ની લ્હાણી કરી. પુરુષ કાર્યકર્તા ઓ માં પણ આવુ જ કર્યું અને પક્ષ ને મોટુ નુકસાન થયું.
ઇન્ડિયા કોલોની વાળા સોનલબેન પટેલ જેવા સંસ્કારી, વફાદાર અને સજ્જન મહિલા ને અમિતભાઇ ચાવડા એ સસ્પેન્ડ કર્યા. ખરેખર એમના ભાઈ ને સસ્પેન્ડ કરવા ની જરૂર હતી. પરંતુ મુખ્ય મંત્રી ના દીકરા પોતે પુર્વ કેબિનેટ મિનિસ્ટર અને બે વખત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ રહ્યા છે. સતત સંગઠન નો તેમનો હોલ્ટ તેમને માટે સત્તા બરાબર છે. તેમને માટે સત્તા ની જરૂર જ નથી. તેમની રાજ રમતો, જુથવાદ ની માનસિકતા અને સેક્સુઅલ મનોરોગ પક્ષ ને સતત નુકસાન કરાવે છે.
ભૂતકાળ માં સ્થાનિક સ્વરાજય ની ચૂંટણીઓ, વિધાનસભા, અને લોકસભા તેમજ રાજ્યસભા ના પ્લેટફોર્મ નો તેમની વગ થી દુરુપયોગ કરીને, પક્ષ ના સંગઠન માં મહેનતુ અને નિષ્ઠવાન કાર્યકર્તા ઓ ચુપ થઈ માનસિક યાતનાઓ સાથે પીડા ભોગવતા રહ્યા છે. મેં અહીં આવીને કોંગ્રેસ સંગઠન નું અવલોકન અને મૂલ્યાંકન કર્યું છે. પક્ષ ચંદ લોકો ને લીધે સત્તા પર થી દૂર રહે છે. અને લાખ્ખો મહેનતુ કાર્યકર્તા ઓ મહેનત પછી પણ, અસન્તોષ સાથે સમસમીને બેસી રહે છે. જે તેમની સામે પડે યા સવાલો કરે તેમને, બંને ભાઈઓ સાથે મળીને બદનામ કરીને, ઉશ્કેરીને કંઈ પણ બોલાવીને કાવતરા કરીને સજ્જન લોકો ને ચુપ કરી દે છે.
કોઈ પણ રાજકીય પાર્ટી એ બંધારણ મુજબ કોઈ ની પણ માલિકી ની ના હોઈ શકે. નેતા એ “ખુદ પર શાશન ફિર અનુશાસન ” ના આદર્શ રૂલ્સ ને ફોલો કરવાની જગ્યા એ, વ્યભિચાર મનમાની અને બેફામ બને ત્યારે કાર્યકર તરીકે હું ચુપ રહીશ નહીં. ક્યારેય કોઈ પણ વ્યક્તિ તેના બલિદાન અને આદર્શ વ્યક્તિત્વ થી મહાન બને છે. જનતા ત્યારે જ સ્વીકાર કરે છે. પરંતુ કોંગ્રેસ પક્ષ માં એમના જેવા લોકો એમના અવગુણો ને સતત પોષી રહ્યા છે. તેમના નાના ભાઈ અને રબ્બર સ્ટેમ્પ અમિતભાઇ ચાવડા પણ પોતાના દિમાગ ને લોક રાખી ને, લાસ્ટ ચૂંટણીઓ માં અમારી ત્રણેક સજ્જન બહેનો ને બેહુદો અન્યાય કરીને, સાવ મનમાની કરી, આ બાબતો મીડિયા અને કાર્યકર્તા ઓ ના માધ્યમ થી લોકો સુધી પહોંચી અને પક્ષ બુરી રીતે હાર્યો. તેમ છતાંય આજે પણ તેમની દાદાગીરી ઓછી થતી નથી. સુધરવાનું નામ લેતા નથી. જગદીશ ભાઈ ઠાકોર નાના કાર્યકર્તા ઓ ને નાની બાબતો માં, સાચા લોકો ને ભરત સોલંકી ના કહેવા થી સસ્પેન્ડ કરી નાંખે છે અને પક્ષ ના વફાદાર લોકો ને પણ અન્યાય કરે છે. જગદીશ ભાઈ ના માં જો રિયલ હિમ્મત હોય અને ભાષણ અને મીડિયા માં જે બોલે છે. તે મુજબ રિયલ માનવતા અને માણસાઈ નો અંદાજ આવતો હોય તો ભરત સોલંકી અને ઠંડા દિમાગે રાજનીતિ કરી સતત ભરત સોલંકી ને પોષી ને પક્ષ ને જે ભયકંર નુકસાન કર્યું છે તે, માટે બેય ને સસ્પેન્ડ કરીને બતાવે.
હું વંદના પટેલ તેમની કહ્યાગરી ના બનતા, મારા આદર્શ અને સંસ્કાર નહીં છોડતા, મારી સાથે સતત અન્યાય અને રાજરમતો કરી રહેલા છે. મારી જેમ કેટલીયે સજ્જન બહેનો દુઃખી થઈ ને સારી કામગીરી ની નોંધ નહીં પણ એમના માટે સારા ના બનો તો રાજકારણ પુરૂ કરી દેવાની ધમકી અમિતભાઇ ચાવડા એ જ આપી હતી.
હું ટૂંક સમય માં પક્ષ માં નેતાઓ થી જ મહિલાઓ સુરક્ષીત ના હોય, સારા નહીં પણ મારા બહેનો ને ગોઠવ્યા છે તેના તમામ બાબતો નામ જોગ જાહેર કરીશ. સમગ્ર બાબતો ની તપાસ સમિતિ ની રચના કરવામાં આવે, અને આજ દિવસ સુધી કરેલા તમામ ગુનાઓ ને લીધે સજ્જન લોકો ને થયેલા અન્યાય ની માફી માગી તેમનું સાપેન્ડસન પાછું ખેંચી ન્યાય આપવામાં નહીં આવે તો, પક્ષ ના ચંદ લોકો સામે,” કોંગ્રેસ શુદ્ધિકરણ યજ્ઞ ” કરીને ” વોઇસ ઓફ વર્કર ” કાર્યકર્તા ઓ નો અવાજ બુલંદ બનાવવા ની પહેલ કરીને, કોઈ પણ પાર્ટી એ કાર્યકર્તા ઓ ની પાર્ટી છે. અને કાર્યકર્તા જ પક્ષ ni સાચી મૂડી છે. તે સાબિત કરવા આંદોલન કરવામાં આવશે.
પક્ષ માં અન્ય કેટલીયે બહેનો એ તેમની હેરાનગતિ થી બ્લોક કરવા પડ્યા છે. તેમને માનસિક સારવાર ની તાતી જરૂરિયાત છે. પ્રદેશ પ્રમુખ એ તેમના ડર થી મને જે સસ્પેન્ડ લેટર આપ્યો છે તેને હું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી, રાહુલજી અને સોનિયાજી, પ્રિયંકાજી જોડે લઈ જઈશ, એક લકઝરી ભરી મહિલાઓ સાથે દિલ્હી જઈને રજુઆત કરવામાં આવશે.
પ્રદેશ મોવડી મંડળ કોઈ જ ગંભીર નોંધ લેતું જ નથી. સંગઠન પ્રતેય બિલકુલ અભ્યાસ કે દીર્ઘ દ્રષ્ટિ નથી. કોંગ્રેસ માં કોઈ મોવડી મંડળ હોય તેવો કાર્યકર્તા તરીકે અહેસાસ પણ અનુભવાતો નથી. ત્યારે મીડિયા, જનતા અને જરૂર પડે, દિલ્હી ઓલ ઇન્ડિયા કમિટી નો સહારો લઈ ને પણ ” કોંગ્રેસ શુદ્ધિકરણ ” મુહિમ ચલાવીને પક્ષ ના સંગઠન ને નવો જોમ જુસ્સો અને જનભાગીદારી વધારીને, નુસન્સ નેતા અને કાર્યકર્તા કોઈ પદ પર ગોઠવાઈ જાય તે મેરીટ પર નહીં અને મારા ની નીતિ પર અવાજ બુલંદ કરવામાં આવશે. પક્ષ દરેક કાર્યકર્તા નો છે. કોઈ ની માલિકી નો નથી.
🙏વંદના બેન પટેલ 🙏
9723022403
પુર્વ ગાંધીનગર જિલ્લા અને ગાંધીનગર શહેર પ્રભારી, પુર્વ પ્રદેશ પ્રતિનદીધી કલોલ તાલુકા અને ગાંધીનગર તાલુકા.,
ડિબેટ પેનલ પ્રવક્તા.
ગુજરાત
50 વર્ષ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર આવ્યું, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચ્યું

નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની… નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચી… હાલ નર્મદા નદીનું જળસ્તર 41.60 ફુટ… અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોને છોડીને સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. ઉત્તર ગુજરાતને વરસાદે મોટી રાહત આપી છે. જો કે ભારે વરસાદે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં નુકસાન પણ વેર્યું છે. ગુજરાતમાં NDRFની 10 ટીમ તહેનાત કરવામાં આવી છે. ભરૂચમાં NDRFની ત્રણ ટીમ મુકવામાં આવી છે. નર્મદામાં NDRFની બે ટીમ તો પંચમહાલ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ, રાજકોટમાં એક એક ટીમ તૈનાત કરાઈ છે. નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. ભરૂચ આખામાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચી છે. હાલ નર્મદા નદીનું જળસ્તર 41.60 ફુટ પર પહોંચ્યું છે. અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં ગરકાવ થયા છે.
ભરૂચના શહેરી વિસ્તારોમાં નર્મદાના પૂરના પાણી ભરાયા છે. ફુરજા બંદર, ચાર રસ્તા, દાંડિયા બજાર, વિસ્તારમાં પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. વર્ષ 1970 બાદ ફરી એકવાર નર્મદાએ ઐતિહાસિક સપાટી વટાવી છે. આ કારણે અંકલેશ્વર, હાંસોટ રોડ અને દીવા રોડની સોસાયટીઓમાં અનેક મકાનોમાં પ્રથમ માળ સુધી પાણી ભરાયાં છે. હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત મૂકાયું છે. અંકલેશ્વરના રામકુંડ રોડ ઉપર આવેલ રોહિતવાસમાં પૂરના પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. તો અંકલેશ્વર, ઝઘડિયા , ભરૂચ અને વાગરાનાં અનેક ગામોમાં પાણી ભરાયા છે.
ભરૂચની અનેક સોસાયટીઓમાં પહેવા માળ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા છે. અંકલેશ્વર, હાસોટ રોડ, દીવા રોડની અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ છે. અંકલેશ્વરના રામકુંડ રોડ પર રોહિતવાસમાં નર્મદાના પાણી ફરી વળતા વિકટ સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાતા ફુરજા બંદર, ચાર રસ્તા, દાંડિયા બજાર, વિસ્તારમાં વાહન વ્યવહાર ખોરવાયો છે.
રેવામાં રેલની 136 વર્ષની તવારીખ : સદીઓમાં પેહલી વખત ઐતિહાસિક 18 લાખના ઘોડાપુરની ભરૂચમાં સુનામી
– 1970 ની મહારેલ : ભરૂચમાં 41.50 ફૂટની સપાટી, 256 ગામના 2.15 લાખ લોકો પ્રભાવિત
– એ ઐતિહાસિક નર્મદા નદીની રેલમાં 355 માનવી અને 1972 પશુઓના થયા હતા મોત
– જુના ભરૂચના કતોપોર બજારમાં 15 ફૂટ જેટલી ઊંચાઈ એ વહ્યાં હતા પુરના પાણી
– ત્રણ દિવસ રહેલા વિનાશક પુરમાં બે દિવસમાં વાવાઝોડા સાથે 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો
– સાલ 1887 થી 1936 સુધી 50 વર્ષમાં નર્મદા નદીમાં 15 લાખ ક્યુસેકના પુર આવ્યા
– 1937 થી 67 સુધીના 30 વર્ષમાં 15 લાખ ક્યુસેક કરતા વધુના ઘોડાપુર ભરૂચમાં નોંધાયા
– 121.92 મીટરની નર્મદા નદીની સપાટી સુધી 12 લાખ ક્યુસેકના પુરનો ભૃગુણગરીએ કર્યો સામનો
– નર્મદા ડેમની સપાટી 138.68 મીટર થતા 8 લાખ ક્યુસેકમાં જ 6 વર્ષથી પુર સીમિત થયા
– ડેમ પર દરવાજા બાદ સદીમાં પેહલી વખત 18 લાખ ક્યુસેકથી ભરૂચ ભયંકર પુરનું સાક્ષી બનવા ભણી
ભરૂચ એકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે પાણી ભરાયા છે. જેથી ભરૂચ અંકલેશ્વર વાહનવ્યહાર બંધ કરાયો છે. હાઇટેન્શન વાયર સુધી પૂરના પાણી ભરાયા છે. અંકલેશ્વરમા એનડીઆરએફએ 16 લોકોનુ રેસ્કયુ કરાયું છે. જલારામ સોસાયટીમાથી લોકોને રેસ્કયુ કરવામા આવ્યું.
ગાંધીનગર
બહુચરાજીનો રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
ઉત્તર ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતના પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા માં બહુચરના યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે. જેમાં પ્રથમ તબક્કામાં રૂપિયા ૨૦ કરોડની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે.મંત્રીએ ઉમેર્યું કે, લાખો શ્રદ્ધાળુઓના પ્રતીક સમા માં બહુચરના ધામ ખાતે યાત્રાળુઓને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હયાત સુવિધાઓ અને આગામી ૨૫ વર્ષમાં બહુચરાજી તીર્થધામના વિકાસ માટે માસ્ટર પ્લાનિંગ કરી ત્રણ તબક્કામાં વિકાસ કરવાનું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રથમ તબક્કામાં આજે પૂનમના પવિત્ર દિવસે રૂપિયા ૨૦ કરોડ ફાળવ્યા છે. જે હેઠળ માતાજીના મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરની શિખર ની ઊંચાઈ જે હાલ ૪૯ ફૂટ છે. તે વધારીને અંદાજે ૭૧.૫ ફૂટ કરવામાં આવશે. જે થકી મંદિર પરિસર ભવ્ય અને દિવ્ય બનશે અને યાત્રાળુ માટે આકર્ષણનો કેન્દ્ર બનશે. મંદિરની ઊંચાઈ વધારવાની સાથે સાથે આવનારા સમયમાં મંદિરના પરિસર અને વિકાસનું આયોજન કરવામાં પણ આવશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવશે.
રાજ્યમાં આરાસુર અંબાજી શક્તિપીઠ મહાકાળીધામ પાવાગઢ, શક્તિપીઠ અને બહુચરાજી શક્તિપીઠ પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક રીતે અતી મહત્વના શક્તિપીઠો હોય આવનારા શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ વધુને વધુ સારી વ્યવસ્થાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે આ સમગ્ર આયોજન કરાયું છે.
agriculture
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો કુંવરજીભાઇ બાવળીયા

ઉત્તર ગુજરાતમાં રૂ.૬૫૦ કરોડના ખર્ચે શરૂ થનાર કસરા થી દાંતીવાડા પાઈપલાઈન કામગીરી થકી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ મળશે
એક સમયે પશુપાલકોએ હિજરત કરવી પડતી હતી, આજે તે કચ્છડો બારે માસ હરિયાળો પ્રદેશ બન્યો : કચ્છ વિસ્તારમાં નર્મદાના વધારાના પાણી વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનોના કામો માટે અંદાજિત રૂ.૪૩૬૯ કરોડની વહીવટી મંજુરી અપાઇ
સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ : ૮૫ જળાશયો, ૧૬૫ કરતાં વધુ તળાવો અને ૯૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૫૮,૦૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિંચાઇ સુવિધા માટે વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત રૂ.૫૯૦૩ કરોડના ખર્ચે ૧૫,૭૯૮ના વિવિધ કામો થકી ૫,૫૫,૮૦૫ એકર વિસ્તારમાં સિંચાઇનું આયોજન
રાજ્યમાં ઉમરગામ થી અંબાજી સુધીના પુર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાને સિંચાઇની સવલતો પુરી પાડવા માટે નવા ચેકડેમો બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલના કામોનું આયોજન
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં તળાવો ઉંડા કરવા તથા નવા તળાવો સહિતના ૭૪,૫૦૯ કામો હાથ ધરાયા : ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવ્યા
સિંચાઇ અને ભૂમિ સંરક્ષણ માટે મહેસૂલી ખર્ચ રૂ.૨૫૪૪.૦૨ કરોડ અને મૂડી ખર્ચ માટે રૂ.૮૫૨૬.૯ કરોડની વિગતો ગૃહ સમક્ષ રજુ કરતાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યુ કે, જળસંપત્તિ વિભાગ દ્વારા સિંચાઈ યોજનાઓની કાર્યક્ષમતામાં વધારો કરવો, નવી માળખાકીય સુવિધા ઉભી કરવી, નવી સિંચાઈ યોજનાઓ / જળસંગ્રહ માટેના સ્ટ્રક્ચરો બનાવી સિંચાઈથી વંચિત વિસ્તારોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવી, ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા જેવા બહુહેતુક કાર્યો હાથ ધરવામાં આવે છે.
તેઓએ ઉત્તર ગુજરાત વિસ્તારની પરિસ્થિતિ અંગે માહિતી આપતા કહ્યું કે, આ કાયમી જળ સમસ્યાવાળા વિસ્તારમાં થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે રૂ.૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેનાથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોને પુરક સિંચાઈનો લાભ થશે. તે ઉપરાંત ખોરસમ–માતપુર–ડીંડરોલ પાઈપલાઈનને લંબાવી મુકતેશ્વર જળાશયમાં નર્મદાના પુરના વધારાના પાણી પહોંચાડવાની કામગીરી માટે રૂ.૧૦૯ કરોડની જોગવાઈ, કસરા થી દાંતીવાડા પાઈપલાઈન માટે રૂ.૬૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેનાથી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ મળશે. તેવી જ રીતે ધરોઈ ડેમથી સંત સરોવર બેરેજ સુધીમાં સંબંધીત વિવિધ ગામો પાસે પાંચ બેરેજ/વિયર બનાવવાની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ રાખવામાં આવી છે. મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સીરીઝ ઓફ ચેકડેમની કામગીરી માટે રૂ.૫૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેનાથી ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓને લાભ મળશે. તો બીજી તરફ ગાંધીનગર ખાતે આવેલા ગીફટ સીટી નજીક સાબરમતી નદીના કાંઠાના પ્રોટેકશનની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ તેમજ ખારીકટ કેનાલને અંડર ગ્રાઉન્ડ કરવા માટેની કામગીરી માટે રૂ.૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
તેઓએ કચ્છ વિસ્તારની માહિતી આપતા ઉમેર્યું કે, એક સમય એવો હતો કે પશુપાલકો હિજરત કરી જતા, આજે તે કચ્છડો બારે માસ હરિયાળો પ્રદેશ બન્યો છે. કચ્છ વિસ્તારમાં નર્મદાના વધારાના પાણી વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનોના તબક્કા-૧ અને તબક્કા-૨ અન્વયેના કામો માટે રૂ.૪૩૬૯ કરોડની અંદાજિત રકમની વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ યોજનાથી પ્રથમ તબક્કા હેઠળ કચ્છ જિલ્લાના ૬ તાલુકાને સિંચાઇનો લાભ મળશે. પ્રથમ તબક્કાના ત્રણ લીંકોના કામો પૈકી નોર્ધન લીક, સધર્ન લીંક અને હાઇ કન્ટુર સ્ટોરેજ લીંકના કામો શરુ થયા છે જ્યારે સારણ લીંકની કામગીરીનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. પ્રથમ અને દ્વિતીય તબક્કાના કામો માટે બજેટમાં રૂ.૧૯૭૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઇ વ્યવસ્થા અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, એક જમાનામાં સૌરાષ્ટ્રના વિસ્તારો સુકાભઠ વિસ્તારો હતા કે જ્યાં પીવાના પાણી માટે પણ લોકો વલખા મારતા હતા. સૌરાષ્ટ્રના વિસ્તારો માટેની સૌની યોજના પૂર્ણતાના આરે છે. જે આશીર્વાદરૂપ પુરવાર થઇ છે. સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ થઈ ગયા છે. પૂર્ણ થયેલ કામગીરીથી ૮૫ જળાશયો, ૧૬૫ કરતાં વધુ તળાવો અને ૯૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૫૮,૦૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું છે. તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાના પાણીનો ફાયદો થયો છે અને આશરે પાંચ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્દઢ થઇ છે.
તેઓએ વધુમાં કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભરતી નિયંત્રક, બંધારા, રીચાર્જ રીઝર્વોયર, રીચાર્જ ટેન્ક, રીચાર્જ વેલ, વનીકરણ, નાલા પ્લગ, વિસ્તરણ નહેરો, રેડીયલ કેનાલો અને ચેકડેમો ક્ષાર નિવારણ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. જેના થકી સૌરાષ્ટ્રમાં અને કચ્છ વિસ્તારમાં ૪૩૯ લાખ ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ થતાં જમીનને સિંચાઈનો સીધો તથા આડકતરો ફાયદો મળ્યો છે. આ કામો થકી ભૂગર્ભ જળની ગુણવતામાં સુધારો તથા ભૂગર્ભ જળની સપાટીમાં વધારો નોંધાયો છે.
રાજ્ય સરકાર દ્વારા આયોજન હેઠળના કામોની વિગતો આપતા જણાવ્યું કે, ભાવનગર જીલ્લાના તળાજા તાલુકામાં મેથળા બંધારાનું, સરતાનપર બંધારાનું કામ, ગીર સોમનાથ જીલ્લાના આવેલ હયાત આદ્રી બંધારાથી મુળ દ્વારકા ટાઇડલ રેગ્યુલેટરને જોડતી વિસ્તરણ નહેરનું કામને અંદાજીત રૂા.૧૦૧.૯૯ કરોડની સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. તે ઉપરાંત ધેડ વિકાસ યોજના – ક્ષાર અંકુશ યોજનાના કામો માટે અંદાજિત કિંમત રૂ. ૩૭ કરોડનું આયોજન છે. માલણ બંધારા તથા સમઢીયાળા બંધારાને જોડતી વિસ્તરણ નહેર માટે અંદાજે રૂ.૩૯.૧૫ કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળી છે. ઉપરાંત નાની સિંચાઇ યોજનાઓ / જુના સ્ટ્રક્ચર / અનુશ્રવણ તળાવો/ ચેકડેમો જે રીપેર થઇ શકે તેવા કામોને સેઇફ સ્ટેજે લઇ જવા, ડીપનીંગ થઇ શકે તેવા ચેકડેમો જે તે યોજનાઓમાં થયા હોય પરંતુ રીપેર થઇ શકે તેવા હોય, તેવા તમામ કામોને સલામત સ્થિતિએ લઇ જવાના કામોને ચાલુ વર્ષે અગ્રતા આપવામાં આવશે.
તેઓએ આદિવાસી વિસ્તાર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિંચાઇ સુવિધા અંગે જણાવ્યું કે, રાજ્યમાં ઉમરગામ થી અંબાજી સુધીના પુર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાને સિંચાઇની સવલતો પુરી પાડવા માટે નવા ચેકડેમો બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત રૂ.૫૯૦૩ કરોડના ખર્ચે ૧૫,૭૯૮ના વિવિધ કામો થકી ૫,૫૫,૮૦૫ એકર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરવામાં આવ્યું છે.
તેઓએ ઉદ્વહન પાઇપલાઇન સિંચાઇ યોજનાઓ અંગે કહ્યું કે, આદિવાસી વિસ્તાર જયાં અંતરિયાળ/પર્વતીય વિસ્તારોમાં પાણી પહોંચાડવુ મુશ્કેલ હતુ ત્યાં કડાણા જળાશય, કરજણ જળાશય, કાંકરાપાર જળાશય અને ઉકાઇ જળાશય આધારીત ૧૩ મોટી ઉદ્વહન યોજનાઓ સિંચાઇ સુવિધા આપવા માટે રૂ.૫૦૪૨ કરોડના ખર્ચે હાથ ધરાઇ છે. આ પૈકી ૭ યોજનાઓની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ૬ યોજનાઓના કામો પ્રગતિ હેઠળ છે. પ્રગતિ હેઠળની રૂ.૧૦૨૦ કરોડના ખર્ચે ઉકાઇ જળાશય આધારીત સોનગઢ–ઉચ્છલ–નીઝર ઉદ્વહન પાઇપલાઇન માટે રૂ.૧૭૫ કરોડની જોગવાઇ કરી છે. સુરત જીલ્લામાં રૂ.૫૯૦ કરોડના ખર્ચે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્વહન પાઇપલાઇન યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની નર્મદા જીલ્લાના કરજણ જળાશય આધારીત રૂ.૪૧૮ કરોડ કિંમતની ઉદ્વહન પાઇપલાઇન યોજના માટે રૂ.૪૫ કરોડની જોગવાઇ, જેનાથી નર્મદા જિલ્લાના, સુરત જિલ્લાના અને ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. ઉપરાંત પ્રગતિ હેઠળની રૂ.૭૧૧ કરોડની અંદાજિત રકમની તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો માટે રૂ.૧૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની અંદાજીત રકમ રૂ.૨૨૬.૩૪ કરોડની કડાણા જળાશય આધારીત કડાણા-દાહોદ પાઇપલાઇનનું વિસ્તૃતિકરણના કામોથી સિંચાઇથી વંચિત રહેતા આદિવાસી વિસ્તારને લાભ થશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, પંચમહાલ જિલ્લાના તેમજ મહિસાગર જિલ્લાના વિસ્તારો માટે પાનમ ઉચ્ચસ્તરીય કેનાલ આધારિત યોજના માટે તથા પંચમહાલ જિલ્લાના વિસ્તારો માટે પાનમ જળાશય આધારીત પંચમહાલ જીલ્લાના પુર્વપટ્ટી વિસ્તાર માટેની યોજનાઓ માટે જોગવાઇ કરવામાં આવી છે. કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત યોજના માટે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં વિવિધ તળાવો ભરવાની યોજનાથી વિવિધ વિસ્તારને લાભ થશે તથા સંતરામપુર તાલુકાનાં ગ્રામ્ય તળાવો તથા મોરલનાકા અને બાબરી નાની સિંચાઇ યોજનાને પાઇપલાઇન દ્વારા લીંક કરી પાણી ભરવાની યોજનાથી વિવિધ વિસ્તારને લાભ થશે. આ બન્ને કામો પુર્ણ કરવામાં આવ્યા છે. જેમાં વાત્રક નદીના બંને કાંઠા પાસે વેલ પોઇન્ટ બનાવી અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારના તળાવો ભરવાની યોજના અને શામળાજી પાસે આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી ઉદવહન કરી ભિલોડા તથા મેઘરજ તાલુકાના વિવિધ તળાવો ભરવા માટે યોજનાનો સમાવેશ થાય છે.
મંત્રીએ કહ્યું કે, કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગે એલ.આઈ સ્કીમ તથા કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇન દ્વારા લીન્ક કરી પાણી ભરવાની યોજના બનાવી સિંચાઇ સુવિધા આપવા માટે જોગવાઇ કરવામાં આવી છે. પાનમ જળાશય આધારીત (વાંકડી ગામ પાસેથી) સંતરામપુર તાલુકાના ગામોના તળાવો ભરવા માટે અંદાજિત રૂ.૧૩૨.૭૨ કરોડની ઉદ્વહન સિંચાઇ યોજનાનું આયોજન કરેલ છે. જેનાથી ૨૩ ગામો લાભિત થશે.
મંત્રીએ વિયર, રીચાર્જ યોજનાઓ તથા અન્ય કામો અંગે ઉમેર્યું કે, નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂ.૮૦ કરોડની જોગવાઇ, નવસારી જીલ્લામાં વિરાવળ-કસ્બાપાર ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વિવિધ ગામોને સિંચાઇ સુવિધા આપવા માટે પોઇચા ગામે મહી નદી પર વિયર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જળસંચયની કામગીરી અંગે મંત્રીએ કહ્યું કે, જળસંચયની કામગીરી માટે રૂ.૨૭૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં ૭૪૫૦૯ કામો હાથ ધરવામાં આવ્યા છે, જે પૈકી મુખ્યત્વે તળાવો ઉંડા કરવાના/ નવા તળાવોના ૨૭૭૯૯ કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના ૧૬૨૯૧ કામો તથા ચેકડેમ રીપેરીંગના ૪૫૦૮ કામો કરવામાં આવ્યા છે. કુલ ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવ્યા છે. અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં થયેલા કામોથી જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો છે તથા ૧૭૮ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થયેલ છે. રાજ્યમાં ૧,૮૬,૦૦૦ થી વધારે ચેકડેમો બાંધવામાં આવ્યા છે. આ ચેકડેમો પૈકી અમુક ચેકડેમોને મરામત/સુદ્રઢીકરણની જરૂરીયાત હોવાથી મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેર કરેલ વિવિધ બિનસરકારી સંગઠનો માટે જનભાગીદારીથી ૮૦:૨૦ ની ફોર્મ્યુલા અંતર્ગત એક નવતર પહેલ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ વધારે ને વધારે લોકભાગીદારી થાય, લોકો જોડાય જેથી જળસંચય અભિયાન થકી જળ સંગ્રહમાં વધારો થાય તે અમારી સરકારનો શુભ આશય છે.
જુના કામો/હયાત બાંધકામ/ચેકડેમ/નહેરોની સુધારણા અને સહભાગી સિંચાઇ વ્યવસ્થાપન અંગે મંત્રીશ્રીએ કુંવરજીભાઇ બાવળીયાએ ઉમેર્યું કે, રાજ્યમાં ૨૫ વર્ષ કે તેથી જુના સ્ટ્રક્ચર હયાત હોય અને તેની સુધારણા કોઈ પણ સ્કીમ હેઠળ અગાઉ ન થયેલી હોય, તેવા સ્ટ્રક્ચરનું નવીનીકરણ ઝુંબેશના સ્વરૂપે હાથ ધરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. વર્ષોથી જુના સ્ટ્રક્ચરો છે, તે તમામનું તબક્કાવાર ઓછા ખર્ચે નવીનીકરણ થશે. આ ઝુંબેશથી સ્વાભાવિકપણે સિંચાઈ વિસ્તાર વધશે, પાણીની સંગ્રહ શક્તિ વધશે, પાણીનો દુર્વ્યય થતો અટકશે તેમજ ખેડૂતોને સમયસર, પ્રમાણસર અને પુરતું પાણી પિયત માટે મળી રહેશે.
અટલ ભુજલ યોજના અંગે મંત્રીએ કહ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી અટલબિહારી વાજપઈજીનાં જન્મજ્યંતિ પર ૨૫મી ડિસેમ્બર-૨૦૧૯ થી અટલ ભૂજલ યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાનો સમયગાળો પાંચ વર્ષનો છે. આ યોજના ભૂગર્ભજળને લગતી છે અને તેનું લક્ષ્ય દેશનાં જે ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ઘણું નીચે ઉતરી ગયું છે, તેવા ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ઉપર લાવવાનું છે. ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને કચ્છ એમ કુલ-૬ જિલ્લાઓમાં આ યોજના હેઠળ આવરી લેવાયા છે.
મંત્રીએ અન્ય અગત્યની યોજનાઓ અંગે ઉમેર્યું કે, સૂક્ષ્મ સિંચાઇથી “પર ડ્રોપ, મોર ક્રોપ” ની વિભાવના સાર્થક થશે. ઉદ્વહન સિંચાઇ યોજનાઓમાં પાઇપલાઇન દ્વારા અપાતા પાણીમાં સુક્ષ્મ સિંચાઇના ઉપયોગથી વોટરયુઝ એફીસીયન્સીોમાં વધારો કરી પાણી અને વીજળીની બચત અને ખેત ઉત્પાદન વધારી શકાય છે. ઉદ્વહન સિંચાઇ યોજનાઓને સુક્ષ્મ સિંચાઇથી જોડવા માટે જુદી જુદી યોજનાઓ અંતર્ગત રૂ.૪૮૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ
-
અમદાવાદ3 years ago
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રંગ રેલિયા મનાવતા પકડાયા-પત્નીનો હોબાળો- વિડીયો વાયરલ
Pingback: ગુજરાતમાં હવે રાજનિતિક લડાઇ મરાઠા પાટીલ વર્સીસ ગુજરાતી પટેલ વચ્ચે બનવાના એંધાણ ! - Panchat TV
Pingback: ગરમી નહીં ભડકો મોંઘવારીનોઃ પેટ્રોલ - ડીઝલ બાદ CNG, LPG અને DAP પણ મોંઘાદાટ - Panchat TV
Pingback: ભાજપનાં ડોક્ટર કરશે કોગ્રેસનું ઓપરેશન ! - Panchat TV
Pingback: - Panchat TV
Pingback: એલિસ બ્રિજ વિધાનસભામાં ભાજપમાં ટિકિટ માટે કોણ મારશે બાજી ! - Panchat TV
Pingback: જમાલપુર ખાડીયા વિધાનસભામાં ભાજપના હાર માટે જવાબદાર કોણ ! - Panchat TV
Pingback: ટિકીટ મેળવવાની લ્હાયમાં શિક્ષકો અને આચાર્યો સાથે વિશ્વાસઘાત કરતા જય પ્રકાશ પટેલ - Panchat TV
Pingback: જંગ અભી જારી હૈ- ABVP VS યુથ બીજેપી - Panchat TV