Connect with us

અમદાવાદ

અશોક ગેહલોતની એન્ટ્રીથી ગુજરાત કોંગ્રેસમાં કોને લાગ્યો ઝાટકો !

Published

on

અશોક ગેહલોતની એન્ટ્રીથી કોંગ્રેસમાં કોને લાગ્યો ઝાટકો !

ગુજરાતમાં કોંગ્રેસ 27 વરસથી સત્તાથી વંચિત છે ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસે જીતના જાદુગર ગણાતા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતાડવાની જવાબદારી સોપી છે, જેની સાથે જ ગુજરાત કોંગ્રેસના એક જુથમાં સોપો પડી ગયો છે, તેમનામાં નિરાશા જોવા મળી રહી છે, જો કે કોઇ ખુલીને બોલવા તૈયાર નથી, અને આની આડ અસર ગુજરાત કોંગ્રેસના સંગઠનથી લઇને ચૂંટણી પ્રક્રીયા ઉપર પણ પડશે,

પુર્વ મુખ્ય પ્રધાન માધવ સિહ સોલંકીના નેતૃત્વમાં વર્ષ 1985માં  યોજાયેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 182માંથી 149 બેઠકો સાથે જ્વલંત વિજય પ્રાપ્ત થયો હતો, જો કે માધવ સિહ અનામત વિરોધી આંદોલન થયા બાદ પાચ વર્ષ પણ પુર્ણ કરી શક્યા ન હતા, તેમના સ્થાને અમર સિહ ચૌધરી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા, જો કે વર્ષ 1990માં યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયોહતો, કોંગ્રેસને માત્ર 32 બેઠકો પ્રાપ્ત થઇ હતી, જ્યારે રામ જન્મ ભુમિ આદોલનને પરિણામે ગુજરાતમાં ભાજપ 63 બેઠકો પ્રાપ્ત થઇ હતી જ્યારે જનતા દળને 65 બેઠકો મળી હતી, જનતા દળ અને ભાજપે  ગુજરાતમાં સયુક્ત સરકાર બનાવી હતી, જો કે બાબરી મસ્જીદ ધ્વસ્ત થયા બાદ ગુજરાતમાં ચીમનભાઇ પટેલ સરકાર સામે સંકટ ઉભુ થયું  રાજકીય કાવાદાવામાં માહિર ચિમન ભાઇ પટેલ સરકાર બચાવવા માટે કોગ્રેસમાં ભળી ગયા હતા, અને મુખ્ય પ્રધાન પદ ટકાવી રાખ્યું, મહત્વપુર્ણ વાતએ છે કે ગુજરાતમાં કોંગ્રેસે વર્ષ 1990થી 1995, 1998,2002, 2007,.2012,2017 સહિતની વિધાન સભાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ સુધર્યો. પણ સત્તા પ્રાપ્ત કરી શકી નથી, ત્યારે આ વખતે ભાજપ પાસેથી રાજસ્થાનમાં સત્તા આંચકી લેવામાં સફળ થનાર જાદુગર એવા અશોક ગેેહલોતને જવાબદારી સોપી છે,  જો કે તેની સાથે જ ગુજરાત કોંગ્રેસમાં કઠણાઇ પણ શરુ ગઇ છે,

અશોક ગેહલોતની નિમણુંક થતાની સાથે જ ગુજરાતમાં કોંગ્રેસના એક જુથ ગમ્યુ નથી, અત્યાર સુધી ગુજરાતમાં રાજ્ય સભાના પુર્વ સાંસદ અહેમદ પટેલનો એક ચક્રીય શાષન રહ્યુ છે, જો કે તેમના નિધન બાદ ગુજરાત કોંગ્રેસની નેતાગિરીમાં શુન્યવકાશ ઉભો થયો છે,તેમની ગેર હાજરીમાં તેમના ચુસ્ત મનાતા ટેકેદારોમાં  નિરાશા જોવા મળતી હતી,  સુત્રોની વાત માનીએ તો અહેમદ પટેલના જુથમાં શક્તિ સિહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા, શેલૈષ પરમાર, હિમ્મત સિહ પટેલ, અને નિશિથ વ્યાસ, જેવા સિનિયર નેતાઓ સામેલ છે, જ્યારે પુર્વ કેન્દ્રિય પ્રધાન ભરત સિહ સોલંકીના જુથમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદિશ ઠાકોર, બળદેવજી ઠાકોર, સી જે ચાવડા, અમિત ચાવડા,  જેવા કોંગ્રેસના સિનિયર નેતાઓ સમાવેશ થાય છે,

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે  કેન્દ્રિય નેતૃત્વ દ્વારા  ગુજરાત કોંગ્રેસ જાતિગત સમિકરણોના આધારે સાત કાર્યકારી પ્રમુખ બનાવીને પ્રદેશ પ્રમુખની સત્તામાં કાપ મુકી દેવાયા હોવાનુ સુત્રો કહે છે, આ તમામ લોકો અહેમદ જુથના હોવાનો માનવામાં આવે છે, ત્યારે હવે ગુજરાતમાં ચૂંટણી સંચાલનની જવાબદારી અશોક ગહેલોતને સોપાઇ છે, ત્યારે અશોક ગેહલોત પણ અહેમદ પટેલ જુથના માનવામાં આવે છે, પરિણામે ગુજરાતમાં અહેમદ જુથ હાલ ફોમમાં આવી ગયો છે,કારણ બહુ સ્પષ્ટ છે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી  ચૂંટણી સંચાલન, ચૂંટણી ભંડોળ અને ખર્ચ સહિતની વ્યવસ્થાઓની જવાબદારી  રેહવાની છે, ત્યારે સ્વભાવિક છે મલાઇદાર જવાબદારી દરેક નેતા અને કાર્યકર્તાને રસ હોય,, જો કે હવે અહેમદ પટેલ વિરોધી જુથે આવી મલાઇદાર જવાબદારી ભુલ જવુ પડશે,  પરિણામે હવે મલાઇદાર જવાબદારી મેળવવા માટે લોંબીંગ શરુ થઇ ગઇ છે,

Advertisement

ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓમાં નિરાશા જોવા મળી રહી છે, પોતાના નજીકના જુથના અગ્રણિઓને ટિકીટ અપાવી શકાશે કે કેમ તેને લઇને તેઓ આશંકિત બન્યા છે, હવે જ્યારે અશોક ગેહલોત પાસે ચૂંટણી દરમિયાન ટિકીટ વહેચણીથી લઇ ચુંટણી મેેજનેમેન્ટ પ્રચાર સહિતની આર્થિક જવાબદારી જોવાના છે ત્યારે તેમના લોકોને જવાબદારી મળશે કે કેમ તેને લઇને તેઓ અવઢવમાં છે,સુત્રોની માનીએ તો આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને મળવા દિલ્હી દરબારમાં પહોચ્યા હતા,તેમણે ત્રણથી ચાર વખત તેમના નિવાસસ્થાને જઇને ડોર બેલ બજાવી જોયું પણ તેમને દરવાજેથી અપમાનિત કરી રવાના કરી દેવાયા,, એ એનાએ પોતાના જુથ સ્પષ્ટ સંકેતો આપી દીધા છે કે હવે અશોક ગેહલોતના નેતૃત્વમાં જ ચૂંટણી લડાશે,, હાઇકામન્ડે અશોક ગેહલોત ઉપર જ તમામ જવાબદારી છોડી દીધી છે, જેથી મને કમને  અશોક ગેહલોત સાથે તાલ મિલાવીને કામ કરવુ પડશે,

જીએસટી લાગુ કરાતા ગૃહિણીઓનું બજેટ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે- કોંગ્રેસ

અરવિંદ કેજરીવાલ 21 જુલાઈએ ગુજરાત આવી ને શું કરશે

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.