Connect with us

અમદાવાદ

પશુ નિયંત્રણ કાયદો એ ગૌચર જમીનો ઉદ્યોગપતિઓને આપવાનો કારસો- ગુજરાત માલધારી મહાપંચાયતનો આરોપ

Published

on

પશુ નિયંત્રણ કાયદો એ ગૌચર જમીનો ઉદ્યોગપતિઓને આપવાનો કારસો- ગુજરાત માલધારી મહાપંચાયતનો આરોપ

 

સરકારની મેલી મુરાદ !!

રાજ્ય સરકારે મહાનગરોમાં પશુ રાખનારાઓ માટે લાયસંસ લેવાનો કાયદો ફરજિયાત કરી દીધુ છે, ત્યારે સમગ્ર રાજ્યમાં માલધારી સમાજ નારાજ થયો છે,

Advertisement

ગાંધીનગર શેરથામાં ગુજરાત માલધારી મહાપચાયતની બેઠક મળી, જેમા હવે સરકાર સામે લડી લેવા માટે રણનિતિ બનાવી દેવાઇ છે,

જેના ઉપર 18મી એપ્રિલથી અમલ શરુ કરી દેવાશે, ત્યારે મહા પંચાયતે આરોપ લગાવ્યો છેકે સરકાર શહેરોમાંથી માલાધારીઓને દુર કરીને

ત્યાંની ગૌચરો બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને આપવા માંગે છે, આમ આ કાયદો લાવવા પાછળ સરકારની મેલી મુરાદ છે,

માલધારીઓ કરશે 19મીથી ગાંધીનગરમા આમરણાંત ઉપવાસ આંદોલન

 

Advertisement

માલાધરીઓને અપાય વૈકલ્પિક વ્યવસ્થા 

ગુજરાત માલધારી મહા પંચાયતના પ્રવક્તા નાગજી દેસાઇ સાથે પંચાત ટીવી સાથે વાત કરતા જણાવ્યુ કે પશુના કારણે કોઇ અકસ્માત થાય તે વાતનો દુખ સમગ્ર માલધારી સમાજને છે,,અમે પણ ઇચ્છિએ છીએ કે

રસ્તાઓ ઉપર ગાય માતા કે પશુઓને ન હોવા જોઇએ,,  શહેરોનો વિકાસ થયો છે,, શહરોમાં ગામડાઓનો સમાવેશ કરવો પડ્યો છે,, એટલે કે પશુઓ શહેરોમાં નથી આવ્યા, પણ શહેરોએ પશુઓ માટેની જગ્યાઓ પડાવી છે

અમદાવાદમાં મુળ શહેરના વિકાસ માટે આસપાસના 38 ગામોનો સમાવેશ થયો છે, ત્યાં વરસા માલધારીઓ માટે કોઇ અલગ વ્યવસ્થા કરાઇ નથી, તેઓ ત્યા જ છે, તેમના ગૌચરો ત્યાં જ છે, ગૌચરો ઉપર દબાણ થયા

જેથી પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ન થઇ

Advertisement

હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ

લાખો થશે બરોજગાર

ઉદાહરણ તરીકે અમદાવાદની વાત કરીએ તો મહાનગર પાલિકાએ માલધારી સમાજની ગણતરી કરી અમુક ચાર્જ લઇને તેઓએ એક યાદી પણ બનાવી છે, થોડા સમય પહેલા માલધારી સમાજ તરફથી

એક પ્રોજેક્ટ રજુ કરાયો હતો, જેમાં ભુતકાલની સરકારો એ માલધારી વસાહતો માટે અલગ જગ્યાઓ ફાળવી છે, તો આવી રીતે સાણંદ, ખેડા, દહેગામ જેવા વિસ્તારોમાં અલગ વસાહતો

બનાવીને માલધારી સમાજને ત્યાં વસાવી શકાય અને પછી દંડની જોગવાઇ કરાય,, પણ તંત્રને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં રસ નથી, અત્યારે 50 હજારથી વધુ લોકો દુધના વ્યવસાય

Advertisement

સાથે સંકડાયેલા છે, એટલે કે દુધાળા પશુઓથી રોજગારી મેળવી રહ્યા છે,

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

ગૌચર જમીનો ઉદ્યોગપતિઓને અપાશે !!

નાગજી દેસાઇ વધુ માં જણાવ્યુ કે રાજ્યમાં 8 મહાનગર પાલિકા અને 156 નગરપાલિકાઓ છે, સરકાર આ કાયદો લાવીને ગૌચરની જમીનો છીનવી લેવા માંગે છે, તંત્ર આ  જમીનો કોને આપવા માગે છે

તે સ્પષ્ટતા નથી કરતી,, આ જમીનોમાં તેઓ શુ બનાવશે, સ્કૂલ, બગીચા, આરોગ્ય કેન્દ્રો, કે પછી કોઇને જમીનો લીઝ ઉપર કે વેચાણ માટે આપવા માંગે છે, જેથી શંકા જાય છે કે સરકાર

Advertisement

આ જમીનો બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને આપવા  માંગે છે જેનો અમારો વિરોધ છે, આમાં જમીનો વેચવાનો કારસો સરકારે આ કાયદા થકી લવવાની છે, જેમ અવશ્ય લાગે છે

કપડવંજમાં ભાજપના દાવેદારોની લાંબી કતાર !

કાયદો રદ્દ નહી થાય તો ભાજપને ચૂંટણીમાં થશે મુશ્કેલી

ગુજરાત માલધારી સમાજ પહેલા 18મીએ દરેક જિલ્લામા આવેદન આપશે, તે પછી 19મીએ ગાંધીનગરમાં અમે આમરણાંત ઉપવાસ કરીશુ, જેમાં 11 લોકો જોડાશે, રાજ્યના સમગ્ર સમાજના લોકો

અમારી આ લડતમાં જોડાયા છે,અને જો સરકાર નહી માને તો આગામી દિવસોમાં આવનારી ચૂંટણીમાં સરકારને ગાય માતનો અપમાન કરવાનો પરિણામ ભોગવવો પડશે, સાથે ભાજપના મલાધારી સમાજના આગેવાનો

Advertisement

પદ અને હોદ્દાના લાલચમાં કોઇ બોલી રહ્યા નથી,,તેમને પણ આંદોલનને સમર્થન આપવા માટે આમંત્રણ છે,  સાથે  સરકાર અને સંગઠન તરફથી આ કાયદો

રદ્દ કરવાની વાત કહેવાઇ છે, પણ સમાજને સરકારની વાતો ઉપર વિશ્વાસ નથી, પરિણામે હવે તેઓ કાયદો પાછો નહી ખેંચાય ત્યાં સુધી ઉગ્ર આંદોલન કરવા માટે મકકમ છે,

 

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.