Connect with us

અમદાવાદ

ગુજરાત સરકારના કયા કેબીનેટ પ્રધાન સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવતો પત્ર થયો વાયરલ

Published

on

ગુજરાત સરકારના કયા કેબીનેટ પ્રધાન સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવતો પત્ર થયો વાયરલ

 

ગુજરાતમાં ટોલ પ્લાઝા પર ટ્રાફિક કલેક્શન માટેની 7 લાખની સિસ્ટમમાં સરકાર 70 લાખ ચુકવવા જઇ રહી છે, જેના માટે ગુજરાત સરકારના એક કેબિનેટ પ્રધાનની રહેમ નજર હેઠળ આ સમગ્ર કૌભાંડ થયાનો આરોપ લગાવતો પત્ર વાયરલ થયો છે,જેમાં સુરત કનેક્શન સામે આવ્યો છે, જેના કારણે સમગ્ર સચીવાલયમાં આ કેબીનેટ પ્રધાનને લઇને ચર્ચાઓ ચરમપર છે,

પંચાત ટીવીને જે વાયરલ પત્ર હાથ લાગ્યો છે તે સીએમ ભુપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લખાયુ છે, આ પત્ર બે પાનાનો છે, આ પત્રની અંદર સીધી રીતે રાજ્યસરકારના કેબીનેટ પ્રધાન પુર્ણેશ મોદી ઉપર આરોપ લગાવાયો છે,

પત્રના સારની વાત કરીએ તો  વડા પ્રધાન નરેન્દ્રમોદીના સપના સમાન ડિજિટલ ઇન્ડિયાના ફાસ્ટટેગ સિસ્ટમ હાલ ગુજરાતના તમામ ટોલ પ્લાઝા પર સક્રીય છે,તેમ છતા વર્તમાન સમયમાં ધ્યાને આવતા  મંત્રી પુર્ણેશ મોદીની રહેમ નજરે અને છત્ર છાયા હેઠળ સુરતની પ્રાઇવેટ એજન્સી એસ એમ ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ બીજો માળ રાજ કોમ્પલેક્સ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સામે ઉભા ભવન ભટાર રોડ સુરત ગુજરાત 3950052ને માર્ગ અને મકાન વિભાગની હેઠળ આવતી કચેરી દ્વારા સરેરાશ રુપિયા અંકે 70 લાખની રકમનો પાયા વિહોણો તેમજ એજન્સીની લાયકાત ચકાસ્યા વગર કે કોઇ પણ જાતની જાહેર ખબર કે ટેન્ડર પ્રક્રીયા કે સમકક્ષ એજન્સીઓને જાણ કર્યા બારોબાર સત્તાના રુએ મંત્રીના નેજા હેઠળ ઓર્ડર આપવાની તજવીજ હાથ ધરીને સમગ્ર ઓર્ડર આપી દેવાયો છે,

Advertisement

સાથે આરોપ લગાવાયો છે કે જે કંપનીને કામ આપયો છે તે પુર્ણેશ મોદીના અંગત માનવામાં આવે છે, તેમનો ઘરોબો ગાંધીનગરથી માંડી તેમના સુરતના નિવાસસ્થાન સુધી છે, પરિણામે સીએમ ભુપેન્દ્ર પટેલને આ ફરિયાદ કરીને યોગ્ય તપાસ કરવાની માંગ કરાઇ છે,

શુ ગુજરાત સરકાર પ્રસિદ્ધીની લ્હાયમાં કરી રહી છે રાષ્ટ્ર ધ્વજનુ અપમાન-રાજ્યપાલથી માંડી હાઇકોર્ટ સુધી કોણે કરી ફરિયાદ

વધુમાં જોઇએ તો

ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લી. (જીએસઆરડીસીએલ) અને સુરતની એસ.એમ. ટેક્નો કંસલ્ટન્ટ્સ પ્રા. લી. વચ્ચે 30 જુલાઈ, 2022ના રોજ એગ્રીમેન્ટ થયું છે. એગ્રીમેન્ટ મુજબ બગોદરા-તારાપુર-વાસદ સ્ટેટ હાઈવે નંબર-8 તારાપુર ટોલ પ્લાઝા ઉપર ફાસ્ટેગ સિસ્ટમ સમાંતર કોમર્શિયલ અને નોનકોમર્શિયલ વાહનોનું આઈડેન્ટિફિકેશન તેમજ ટ્રાફિક ડેટા કલેક્શન માટે વધુ એક સિસ્ટમ લગાડવામાં આવી રહી છે. નવી સિસ્ટમ લગાડવા માટે સરકાર આ કંપનીને આગામી 6 મહિના સુધી 70 લાખ રૂપિયા ચૂકવશે. પ્રાપ્ત માહિતી મુજબ આ ખાનગી કંપની અને રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ વચ્ચે ખૂબ જ નજીકના સંબંધ હોવાથી માત્ર પ્રપોઝલના આધારે કામગીરી ચોંપાઈ છે. નિગમ દ્વારા કૌભાંડ આચર્યા બાબતની મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ થઈ છે.

રાજ્યમાં નિગમ સંચાલિત કુલ 19 ટોલ પ્લાઝા છે. 7મી જુલાઈના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો બગોદરા-તારાપુર-વાસદ હાઈ-વેનું ઉદઘાટન કરી લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ હાઈવે ઉપર પહેલેથી ફાસ્ટેગ સિસ્ટમ ઈન્સ્ટોલ થયેલી છે. તેમ છતા સુરતની એક ચોક્કસ કંપનીને લાભ કરાવવા એગ્રીમેન્ટ થયો છે. વિશ્વસનિય સૂત્રોએ જણાવ્યું કે, આ સમગ્ર સિસ્ટમ પાછળ સાત લાખથી વધુનો ખર્ચ નથી તેમ છતા સરકાર આ કંપનીને 70 લાખ રૂપિયા ચૂકવશે.

Advertisement

સૂત્રોએ કહ્યું કે, 21 જુલાઈના રોજ એસ.એમ. ટેક્નો દ્વારા પ્રપોઝલ તૈયાર કરી જીએસઆરડીસીએલના ચેરમેન પુર્ણેશ મોદીની કચેરીમાં ઈનવર્ડ કરાઈ હતી. જેને નિગમના જનરલ મેનેજર પ્રોજેક્ટ ડી.કે.સોલંકીએ માત્ર 24 કલાકમાં એપ્રૂવલ આપી દીધી હતી તેમજ 30મી જુલાઈએ એગ્રીમેન્ટ કરી દેવાયું હતું. પ્રપોઝલ અને એગ્રીમેન્ટમાં જે યુનિક ફેસિલિટી અને ફિચર્સની સુવિધા આપવાની વાત થઈ રહી છે તે તમામ સુવિધા હાલની સિસ્ટમમાં ઉપલબ્ધ છે અને તેનો દરરોજ કમ્પ્યુટર જનરેટ રિપોર્ટ નિગમને મળી જ રહ્યોં છે.

સરકારમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ, એપ્લિકેશન, વેબસાઈટ કે હાર્ડવેર અથવા ઈન્ફોર્મેશન ટેક્નોલોજીને લગતી કામગીરી કરવા ગુજરાત ઈન્ફો પેટ્રો લી. અને સરકાર વતી કામ કરતી ગુજરાત ઈન્ફો લી. (જીઆઈએલ) એજન્સી મૂકવામાં આવેલી છે. સરકાર માન્ય આ બંને એજન્સીઓ સાથે વિમર્શ કર્યા વગર નિગમના અધિકારીઓએ બારોબાર એસ.એમ. ટેક્નોને કામગીરી સોંપી દીધી છે.

આમ આ વાયરલ પત્રમાં જે રીતે આરોપો લગાવવામા આવ્યા છે તે ખુબજ ગંભીર છે, અને આ અંગે યોગ્ય તપાસ થાય અને સાથે આ અંગે પુર્ણેશ મોદી હોય કે સરકાર આ અંગે યોગ્ય ખુલાસો આપે તે જરુરી પણ છે,

નોધ

Advertisement

પચાત ટીવી પાસે વાયરલ પત્ર અને જરુરી દસ્તાવેજો છે

 

 

 

Advertisement

ગુજરાત સરકારે આ યોજના માટે કેમ કહ્યુ લેડીઝ ફર્સ્ટ !

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.