kheda
બી એસ એફ નો જવાન શહીદ

બી એસ એફ માં ફરજ બજાવતા મેલાજી વાઘેલા ફરજ દરમ્યાન શહીદ થઇ ગયા છે તેઓ મૂળ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકા ના ચકલાસી ગામના હતા,તેઓની અંતિમ યાત્રા 25 ડિસેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે નીકળનાર છે.
જેને લઇ નિવૃત પેરા મિલેટ્રી ફોર્સના ગુજરાતના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું કે મેલાજી વાઘેલાના જવાથી તેમના પરિવારને બહુ મોટી ખોટ પડી છે.જે ક્યારેય ભરી નહીં શકાય .પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને પ્રભુ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના.
kheda
વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા દરિદ્ર નારાયણોને ધાબળાનું કરાયું વિતરણ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા કડકતી ઠંડીમાં ફૂટપાથ પર રાતવાસો કરતાં દરિદ્ર નારાયણોને દર વર્ષની જેમ આ વર્ષે પણ આણંદ, વિદ્યાનગર, બાકરોલ, પેટલાદના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ તથા જાહેર રોડ પર સૂતેલા લોકોને સંતો દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.
વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવ હિતાવહનો સંદેશ આપ્યો છે. વડતાલ સંસ્થા દ્વારા અવિરત સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. જેમાં ઉનાળામાં ચપ્પલ વિતરણ, કુદરતી આપત્તિમાં ભોજન, તેમજ જરૂરિયાતની વસ્તુઓની વિતરણ તેમજ વડતાલમાં આવેલ શ્રી સ્વામિનારાયણ નિ:શુલ્ક હોસ્પિટલ કે જેમાં કેશ કાઉન્ટર જ નથી. અહીંયા સારવાર લેતા દર્દી સાથે તેમના સંબંધીને પણ નિ:શુલ્ક રહેવા તથા જમવાની સુવિધા અપાય છે. વડતાલ પિઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદમહારાજના આશીર્વાદ સાથે તથા વડતાલ સંસ્થાના ચેરમેન પૂજ્ય દેવ પ્રકાશ સ્વામીની પ્રેરણાથી ચાલુ વર્ષ હાલતમાં કડકડતી ઠંડીમાં મકાન વિહોણા દરિદ્ર નારાયણો જે રેલવે કે બસ સ્ટેન્ડના પર રાતવાસો ગુજારે છે. તેવા લોકો માટે આણંદના અને હાલ યુએસએ રહેતા વિઠ્ઠલભાઈ શીવાભાઈ પટેલ દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. તા.૧૦ મીની રાત્રિના વડતાલ મંદિરના સંતો તથા કાર્યકરો દ્વારા આણંદ બાકરોલ વિદ્યાનગર તથા પેટલાદ અને ચરોતરના અન્ય ગામડાઓમાં ૨૦૦૦ થી વધુ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. ફૂટપાથ પર રાતવાસો ગુજારતા દરિદ્ર નારાયણોને સંતો દ્વારા ધાબળા ઓઢાડવામાં આવતા તેઓ આનંદની લાગણી સાથે ભાવવિભોર થઈ ગયા હતા.આ સંપૂર્ણ સેવા વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામીએ સંભાળી હતી .
kheda
વડતાલધામમાં અક્ષરભૂવનના પાયાની પ્રથમ શીલા , આચાર્ય મહારાજ અને વડિલ સંતોના હસ્તે પ્રસ્થાપિત કરાઈ

વડતાલધામમાં અક્ષરભૂવનના પાયાની પ્રથમ શીલા , આચાર્ય મહારાજ અને વડિલ સંતોના હસ્તે પ્રસ્થાપિત કરાઈ
આપણા જીવનકાળમાં આ કાર્ય થઈ રહ્યું છે તે આપણુ સૌભાગ્ય છે અવુ કહીને દાતાઓ અને કાર્યકર્તાઓને બિરદાવીને આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે શિલાપૂજન કર્યુ . આજરોજ રૂપિયા બસો કરોડના ખર્ચ નિર્માણ થનાર અલૌકીક અક્ષરભુવનના પાયાની પ્રથમશીલા પ્રસ્થાપિત કરવામાં આવી. ચુનો રેતી કપચી અને ક્વોરી ડસ્ટના મિશ્રણ સાથે પાયામાં ત્રણ ફુટનું એક મજબૂત લેયર તૈયાર કરવામાં આવ્યું છે , ત્યારબાદ કાર્તકી સમૈયાની સમાપ્તિ અને ચંદ્ર ગ્રહણની પૂર્ણાહુતિ પ્રસંગે આ જાહેરાત કરવામાં આવી અને તા ૯-૧૧-૨૨ના રોજ પાયાની પ્રથમશીલા પ્રસ્થાપિત કરવામાં આવી . આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ , જ્ઞાનજીવન સ્વામી કુંડળધામ , ચેરમેન દેવપ્રકાશ સ્વામી , મુખ્ય કોઠારી ડો સંત સ્વામી , નૌતમ સ્વામી – બાપુ સ્વામી , ગોવિંદ સ્વામી – મેતપુરવાળા, બાલમુકુંદ સ્વામી – સરધાર વગેરે સંતો , મહેન્દ્રભાઈ વગેરે ટ્રસ્ટીઓ અને દાતાઓના હસ્તે શિલાપૂજન કરવામાં આવેલું . મંદિરના પુરોહિત ધીરેન મહારાજે પૂજાવિધિ કરાવી .શ્યામ સ્વામીએ સમગ્ર વ્યવસ્થા કરી હતી અને આર્કીટેક ચિરાગ , પ્રોજેકટ ઈનેચાર્જ ચિંતન પટેલ , સ્ટ્રક્ચર ડીજાઈનર સ્નેહલ પટેલ કેનેડા વગેરે ટીમના સભ્યોએ પણ સારો સહયોગ આપ્યો હતો. પૂજન પૂર્વે જ્ઞાનજીવન સ્વામીએ આ મ્યુજીયમના માધ્યમે સ્વામિનારાયણ ભગવાનનું જીવન અને સંદેશ વિશ્વ વ્યાપી બને , એવી ભાવના વ્યક્ત કરીને કહ્યું હતું કે, આ કાર્ય કોણ કરી રહ્યું છે તેના કરતા કેવુ સારૂ થઈ રહ્યું છે , આ ભાવના અતિશય મહત્વની છે. અંતમાં આચાર્ય મહારાજે આશીર્વાદ પાઠવતા કહ્યું હતું કે, આપણા સમયમાં આ કાર્ય થઈ રહ્યું છે , તે આપણું સૌભાગ્ય છે. આપણે તમ મન ધનથી યથાશક્તિ સહયોગ કરીશું . આ પ્રસંગે ભાર્ગવ રાવ પૂર્વ ટ્રસ્ટી , ભાવેશ પટેલ ન્યુયોર્ક , યોગેશ પટેલ શીકાગો , ભુપેન્દ્ર પટેલ ભરૂચ વગેરે અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
kheda
શાળા કમિશનર ગાંધીનગર ની કચેરી ના અધિકારી લાંચ લેતા ઝડપાયા

એન્ટી કરપ્શન બ્યુરોએ ફરિયાદ નોધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
કપડવંજ તાલુકાના દાણા ગામમાં આવેલી ઉત્તર બુનિયાદી શાળાના ક્લાર્ક પાસે ગાંધીનગર કમિશનર શાળાઓની કચેરીમાંથી ઓડિટ કરવા આવેલા સિ. ક્લાર્ક કમ જુનિયર ઓડિટરે વર્ગ દીઠ 500 લેખે બે વર્ગની રૂપિયા 1 હજારની લાંચ માંગતા નડિયાદ એસીબીના હાથે ઝડપાયા છે..
દાણા ગામમાં સરદાર પટેલ વિધાલય આવેલી છે.જેમાં કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરમાં સિનિયર ક્લાર્ક કમ જુનિયર ઓડિટર તરીકે ફરજ બજાવતા ગટોરભાઇ ભીખાભાઇ બારૈયા ઓડીટ માટે પહોંચ્યા હતા.. આ સ્કુલમાં ધોરણ- 9 તથા 10ના કુલ-2 વર્ગો આવેલ છે. અનુદાનીત બિનસરકારી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા ઉત્તર બુનિયાદી શાળાઓના વર્ષ 2019-20ના વર્ષના ખાતાકીય હિસાબી ઓડીટ માટે કમિશ્નર શાળાઓની કચેરી, ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી ઓડીટ તપાસણી હાથ ધરાઈ હતી. જે બાબતે સિનિયર ક્લાર્ક કમ જુનિયર ફરજ બજાવતા ગટોરભાઈ બારૈયા આવ્યા હતા.
તેઓ એ એક વર્ગ દીઠ રૂપિયા 500 લાંચ પેટે માંગતા હોય ફરીયાદીએ આ આરોપી સાથે ઓડીટ કરાવવા માટે વાતચીત કરતાં સ્કુલનું વર્ષ 2019-20નું સરળતાથી ઓડીટ કરવા માટે અને ઓડીટમાં વાંધો નહિ કાઢવા માટે વર્ગ દીઠ રૂપિયા 500 લેખે બે વર્ગના કુલ રૂપિયા 1 હજાર વહેવાર પેટે લાંચની રકમ નક્કી કરાઈ હતી.જોકે આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હતા. આ બાબતે તેઓએ એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો.તેઓ એ ફરીયાદ આપતાં ડાકોર ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલના પ્રાથર્ના ખંડમા લાંચનું છટકુ ગોઠવ્યું હતું. અને લાચીયા સિ. ક્લાર્ક ગટોરભાઇ ભીખાભાઇ બારૈયા 1 હજાર સ્વિકારતા રંગેહાથે ઝડપાતા તેમની સામે કાયદેસર ની કાર્યવાહી શરૂ કરી છે..
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ