અમદાવાદ
આમ આદમી પાર્ટીના પ્રદેશના હોદેદારોમાં ફેરફાર કરવાની કેમ જરૂર પડી?
આમ આદમી પાર્ટીના પ્રદેશના હોદેદારોમાં ફેરફાર કરવાની કેમ જરૂર પડી?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો 5 બેઠકો સાથે સમગ્ર ગુજરાતમાં 13ટકા મતો સાથે 40લાખ કરતા વધુ મતો થયા છે જોકે અરવિંદ કેજરીવાલનું સ્વપન હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને અને ગુજરાતની જનતાને આપેલા વચનોને પૂર્ણ કરી શકાય જોકે અરવિંદ કેજરીવાલ અને તેની ટીમનો દાવ ઊંધો પડ્યો છે ત્યારે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી લોકસભાની તમામ 26 બેઠકો પર ઉમેદવારોને મેદાનમાં ઉતારનાર છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતે અને ગુજરાતમાં આપનું સંગઠન મજબૂત બને તે માટે તાલુકા જિલ્લા લેવલ થી લઈને પ્રદેશ ના સંગઠનમાં ઘરખમ ફેરફાર કરવામાં આવશે.ચૂંટણી દરમ્યાન નબળી કામગીરી કરનાર સંગઠનના હોદેદારોને બદલી નાખવામાં આવશે.અત્યારે ગુજરાતમાં પ્રદેશના પ્રમુખ ગોપાલ ઈટાલીયા ,રાષ્ટ્રીય મંત્રી ઇક્ષુદાન ગઢવી સહિતના હોદેદારોની જવાબદારીમાં ફેરફાર થઇ શકે છે.