અમદાવાદ
કડી વિધાનસભામાં કેમ છે દાવેદારોની ભરમાર !

કડી વિધાનસભામાં કેમ છે દાવેદારોની ભરમાર !
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ થઇ રહી છે,ત્યારે ભાજપની જીત નિશ્ચિત મનાઇ રહી છે પરિણામે ભાજપના નેતાઓ
પોત પોતાના વિસ્તારમા ઉમેદવારી નોધાવી રહ્યા છે, તો ભાજપ પણ હવે જીતી શકે તેવા ઉમેદવારોના સ્કેનિંગની શરુઆત કરી દીધી છે
કડી વિધાનસભાની વાત કરીએ તો અહી મોટા ભાગે ભાજપનો કબ્જો રહ્યો છે,, કડી વિધાનસભા બેઠક 2012થી એસ સી બેઠક છે..
કડીના ઇતિહાસની વાત કરીએ તો
વર્ષ 1962માં કોગ્રેસના અમૃતભાઇ પટેલે સ્વતંત્ર પાર્ટીના ધનાભાઇ પટેલને હરાવ્યા હતા,
વર્ષ 1967માં સ્વતંત્ર પાર્ટીના પીએમ પરમારે કોંગ્રેસના જી કે રુપાલાને હરાવ્યા હતા,
વર્ષ 1972માં કોંગ્રેસના ગોવિંદ પરમારે ભારતિય જનસંધના મોતીલાલ વરતિયાને હરાવ્યા હતા
વર્ષ 1975માં ભારતિય જનસંધના પ્રહલાદભાઇ પટેલે કોગ્રેસના અર્જુન ભાઇ ડાભીને હરાવ્યા
વર્ષ 1980માં ઇન્દિરા કોંગ્રેસના કરસનજી ઠાકોરે ભાજપના પટેલ ગોપાલદાસને હરાવ્યા
વર્ષ 1985માં કોગ્રેસના કરસનજી ઠાકોરે ભાજપના પટેલ ગોપાલદાસને હરાવ્યા હતા
1990માં ભાજપના નિતન પટેલે કોગ્રેસના કરસનજી ઠાકોરને હરાવ્યા હતા
1995માં ભાજપના નિતિન પટેલે કોગ્રેસના કોંગ્રેસના કરસનજી ઠાકોરને હરાવ્યા
1998માં ભાજપના નિતિન પટેલે કોગ્રેસના ઠાકોર દિપસિંગને હરાવ્યા હતા
2002માં કોગ્રેસના બળદેવજી ઠાકોર ભાજપના નિતિન પટેલને હરાવ્યા હતા
2007માં ભાજપના નિતિન પટેલે કોગ્રેસના બળદેવજી ઠાકોરને હરાવ્યા
2012માં કોંગ્રેસના રમેશભાઇ ચાવડાએ ભાજપના હિતુ ભાઇ કનોડિયાને હરાવ્યા
2017માં ભાજપના કરસનજી સોલંકીએ કોગ્રેસના રમેશભાઇ ચાવડાને હરાવ્યા
ઐતિહાસિક ફેક્ટ
કડી વિધાનસભામાં 1975માં ભારતિય જનસંધે સૌથી પહેલા વિજય મેળવ્યો હતો
જ્યારે 1990માં ભાજપના નિતિન પટેલ જીત્યા, તો ભાજપની શરુઆત થઇ
નિતિન પટેલ અહીથી ચાર વખત વિધાનસભા સીટ જીત્યા છે, જેમાં 1990,1995,1998 અને 2007માં જીત્યાહ તા
2012માં કડી બેઠક અનામત થતા નિતિન પટેલ મહેસાણા સીટ ઉપર ચૂંટણી લડ્યા અને જીત્યા
2002માં ગોધરાકાંડ બાદ રાજ્યમાં હિન્દુત્વની લહેર હોવાથી ભાજપની 128 બેઠકો સાથે
જીત થઇ,,જો કે મોટો સેટબેક સર્જોયો અને ભાજપના કદ્દાવર નેતા અને તત્કાલિન પ્રધાન એવા
નિતિન પટેલને કોગ્રેસના દિગ્ગજ નેતા બળદેવજી ઠાકોરે ઘર ભેગા કરી દીધા,,તો નિતિન પટેલે
કડીમાં પાચ વરસમાં કડી મહેનત કરી,, અને 2007માં બળદેવજી ઠાકોર સાથે રાજકીય હિસાબ ચુકતે
કર્યો,,અને નરેન્દ્રમોદી સરકારમાં મંત્રી બન્યા,
2010ની વસ્તી ગણતરી મુજબ ગુજરાત વિધાનસભાની બેઠકોનુ સિમાંકન કરાયું .જેમાં કડી
બેઠક અનામત બેઠક બની,,
2012માં ભાજપે અહીથી ગુજરાતી ફિલ્મના અભિનેતા હિતુ નરેશ કનોડિયાને મૈદાનમાં ઉતાર્યા
.પણ તેમને કોંગ્રેસના સમાન્ય પણ જનતામાં કસાયેલા નેતા એવા રમેશ ચાવડા સામે હિતુ કનોડિયાનો
સ્ટારડમ ન ચાલ્યુ,, જનતાની વચ્ચે રહેનારા કાર્યકર્તાને મતદારોએ પસંદ કર્યો,
વર્ષ 2017માં નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલના વિશ્વાસું એવા અને જનતામાં સતત કાર્યશિલ રહેનારા
કરસન સોલંકીને ભાજપે ટિકીટ આપી, અને તેઓએ કોંગ્રેસના રમેશ ચાવડાને ઠેકાણે પાડી દીધા
આ જીતમાં નિતિન પટેલ અને તેમની ટીમે કરેલી મહેનત રંગ લાવી,,
કડીમાં ઉમેદવારોની વણઝર
પુર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલે જે રીતે ગુજરાતના વિકાસમાં મોટુ યોગદાન
આપ્યુ છે,,તેવી રીતે તેમણે કડીમાં પણ વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપ્યુ અને ભાજપનો ગઢ બનાવ્યો
જેના કારણે ગુજરાતના એસસી નેતાઓની નજર કડી ઉપર રહેતી હોય છે, જે તમે કડીના લાંબી લિસ્ટ
ઉપરથી સમજી શકો છે
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
કરસન સોલંકી ધારાસભ્ય
રમણલાલ વોરા- પુર્વ પ્રધાન
વિક્રમ ચૌહાણ- પ્રદેશ મહાંત્રી, ભાજપ એસસી મોરચો
પ્રહલાદ ભાઇ સોલંકી, પ્રમુખ મહેસાણા જિલ્લા પંચાયત
રમેશ સોલંકી, પુર્વ ચેરમેન,ગુજરાત અનુ,જાતિ નિગમ,
હિતેશ પુનમચંદ મકવાણા-મેયર,ગાંધીનગર
પ્રવિણ પંડ્યા-પુર્વ ચેરમેન, ડો, આંબેડકર અંત્યોંદય વિકાસ નિગમ
ઇશ્વર મકવાણા- પુર્વ મંત્રી
ભદ્રેશ મકવાણા, શહેર ભાજપ એસસી મોર્ચા પ્રમુખ, અમદાવાદ
જશોદા બેન સોલંકી,પુર્વ ધારાસભ્ય
દેવેન રતિલાલ વર્મા,પુર્વ સાસંદ પુત્ર
ડો.ચતુરભાઇ સોલંકી,પુર્વ ધારાસભ્યના પતિ-જશોદાબેનના પતિ
નવીન હિરાલાલ પરમાર,પુર્વ નગર પાલિકા પ્રમુખ(પુર્વ સાસંદ પુત્ર)
બાબુ ભાઇ ડાંગરવવાળા-પુર્વ પ્રદેશ કારોબારી સભ્ય
શાર્દુલ રાજપાલ-એક્ઝીક્યુટીવ એન્જીનિયર અને સામાજીક આગેવાન
રાજુ ચાવડા- પુર્વ ડીરેક્ટર- ગુજ,અનું.જાતિ નિગમ
અશોક પરમાર,કોર્પો, કડી,નગરપાલિકા
ભાવેશ ચાવડા,એસસી મોર્ચા મંત્રી, મહે,જી.
રશ્મીકાંત સેજલિયા, પુર્વ મંત્રી જિલ્લા ભાજપ
રંજન બેન પરમાર,જિલ્લા ભાજપના મંત્રી
નરેન્દ્ર પરમાર, પ્રદેશ મંત્રી એસસી મોરચો
અજીત શાસ્ત્રી, પુર્વ ડીરેક્ટર, ડો, આંબેડકર અંત્યોંદય વિકાસ નિગમ
ધનજી ભાઇ ચૌહાણ-પુર્વ ઉપપ્રમુખ,અમદાવાદ એસસી મોર્ચો
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !
આમ કડી બેઠક ઉપર ઉમેદવારોની ભરમાર છે,અને એટલે હવે સ્થાનિક અને બહારના નેતાઓને
લઇને જુથબંધી તેજ બની છે,,રાજનિતિક આંતરિક લડાઇ તેજ બની છે, જે પણ નેતાઓ અહીથી ચૂટણી
લડવા માંગે છે તેમને એ વાતનો ખ્યાલ છે કે અહીથી વિધાનસભા પહોચવુ નક્કી છે, પરિણામે
તમામ દાવેદારો પોતાના ગોડફાધરના આશિર્વાદ માટે લોંબીંગ કરી રહ્યા છે, કેટલાક નેતાઓએ
તો દિલ્હીના આંટા ફેરા વધારી દીધા છે, જોકે કોને ટિકિટ આપવી ના આપવી તે બાબત નો આખરી નિર્ણય બીજેપી પાર્લામેન્ટરી બોર્ડ લેશે
હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ