ગાંધીનગર

જાહેર સલામતી માટે રાજ્ય સરકારે નાગરિકો પાસેથી કેમ માંગ્યા સૂચનો

Published

on

જાહેર સલામતી માટે રાજ્ય સરકારે નાગરિકો પાસેથી કેમ માંગ્યા સૂચનો

ભાજપ 182 સીટો જીતવા માટે જોડશે લાખો નવા સદસ્યો !

ગુજરાત જાહેર સલામતી (પગલા) અમલીકરણ અધિનિયમ, ૨૦૨૨ જાહેર
¤ નિયમો અંગે નાગરિકોએ પોતાના સૂચનો તા. ૩૦ જૂન-૨૦૨૨ સુધી મોકલી આપવા
***
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત જાહેર સલામતી (પગલા) અમલીકરણ અધિનિયમ, ૨૦૨૨ને તા.૦૭/૦૪/૨૦૨૨ના ધ ગુજરાત ગર્વમેન્ટ ગેઝેટમાં પ્રસિધ્ધ કરેલ છે. આ અધિનિયમમાં જે કોઈ નાગરિકો પોતાના સૂચનો રજૂ કરવા માંગતા હોય તેઓએ તેમના સૂચનો આગામી તા. ૩૦ જૂન-૨૦૨૨ સુધી મોકલી આપવા ગૃહ વિભાગ દ્વારા
જણાવાયું છે.

આશિષ ભાટીયાને ડીજીપી તરીકે એક્સટેંશન મળતા કયા આઇપીએસનુ સપનુ રોળાયું

આ અધિનિયમની કલમ-૯ હેઠળ રાજ્ય સરકારને મળેલ સત્તાની રૂએ નિયમો બનાવીને તે અંગેનો ડ્રાફ્ટ/મુસદ્દો તેમજ અધિનિયમ અને સૂચિત નિયમોની વિગતો ગૃહ વિભાગની વેબસાઇટ : https://home.gujarat.gov.in પર મૂકવામાં આવી છે. આ નિયમો અંગે જે કોઇ નાગરિકો સૂચન કરવા માંગતા હોઇ, તેઓએ તેમના સૂચનો તા.૩૦/૦૬/૨૦૨૨ સુધીમાં લેખિતમાં પોસ્ટ મારફત ઉપ સચિવશ્રી(કા.વ્ય.-૨), ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર અથવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, પોલીસ ભવન, ગાંધીનગરને અથવા ઇ-મેઇલ મારફત us-lno2-home@gujarat.gov.in અને dgp-gs@gujarat. gov.in મોકલી આપવા જણાવાયું છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version