DAHOD
રાહુલ ગાંધીએ કેમ કહ્યુ કે હવે ગુજરાતમા ચાલશે અમુલ મોડેલ !
રાહુલ ગાંધીએ કેમ કહ્યુ કે હવે ગુજરાતમા ચાલશે અમુલ મોડેલ
गुजरात की हर ईंट को आदिवासियों ने अपने खून-पसीने से सींचा है।
लेकिन उन्हे उनके हक़ और हिस्से की भागीदारी से वंचित रखा गया। #AdivasiSatyagraha जल, जंगल और ज़मीन का आंदोलन है।
मैं गारंटी देता हूं कि गुजरात की कांग्रेस सरकार में जो आदिवासी की आवाज़ और इच्छा है, सरकार वही करेगी।
— Rahul Gandhi (@RahulGandhi) May 10, 2022
રાહુલ ગાંધીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કરતા કહ્યુ કે હવે દેશમાં અમૂલ મોડેલ ચાલશે,,તેઓએ આદિવાસીઓને આહ્વવાન કર્યુ કે ભાજપ સરકાર તમને કઇ નહી આપે
જે તમારુ છે તે તમે હાંસિલ કરો,,આ પીએમ નરેન્દ્રમોદીથી માંડી સ્થાનિક રાજ્ય સરકાર ઉપર પણ પ્રહાર કર્યા,, તો સાથે કોગ્રેસ સંગઠનને પણ આડકતરી રીતે સહકારથી ચાલવાની સલાહ આપી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી ‘આદિવાસી સત્યાગ્રહ રેલી’ને સંબોધન કરવા દાહોદ પહોંચી ગયા છે. રાહુલ ગાંધી જ્યારે આવી પહોંચ્યા હતા ત્યારે સૌએ બે હાથ ઊંચા કરી તેમને આવકાર આપ્યો હતો તેમજ સમગ્ર સભામંડપ જય આદિવાસી, જય જોહર અને લડેંગે-જીતેંગેના નારાથી ગુંજી ઊઠ્યો હતો, જ્યાં પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ સભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીનું સ્વાગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત ઇન્ચાર્જ રઘુ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. હર્ષદભાઈ નિનામા દ્વારા પરંપરાગત રીતે રાહુલ ગાંધીને ચાંદીનો કંદોરો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપમાં જવાની અટકળો વચ્ચે પાટીદાર નેતા અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ દાહોદની રેલીમાં સ્ટેજ પર હાજર હતા.
પીએમ મોદીએ ભારતના બે ભાગ કર્યા – રાહુલ ગાંધી
સભાને સંબોધતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ એક પબ્લિક મીટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે. 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા. જે કામ તેમણે ગુજરાતમાં શરૂ કર્યું એ આજે ભારતમાં કરી રહ્યા છે, જેને ગુજરાત મોડલ કહેવામાં આવે છે. આજે બે ભારત બની રહ્યા છે. એક, અમીરોનું, જેમાં અમુક મોટા અમીર લોકો છે, જેમની પાસે સત્તા, ધન અને અહંકાર છે. બીજું, ભારતની આમ જનતાનું હિંદુસ્તાન છે. પહેલા આ મોડલ ગુજરાતમાં ટેસ્ટ કરવામાં આવ્યું અને પછી એને ભારતમાં લાગુ કરાયું. કોંગ્રેસને બે ભારત નથી જોઇતા. અમને એવું ભારત જોઇએ, જેમાં સૌને સમાન હક્ક હોય, બધાને તમામ સુવિધા મળે.
નરેન્દ્ર મોદીએ લોકસભામાં મનરેગાની મઝાક ઉડાવી – રાહુલ ગાંધી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુપીએમાં અમે કોશિશ કરી જળ, જંગલ, જમીન આપને મળે. મનરેગાનો કાયદો આપ્યો. કરોડો લોકોને મનરેગાનો ફાયદો થયો. પૂછ્યા વિના જમીન નહીં લેવાય. નરેન્દ્ર મોદીએ લોકસભામાં મનરેગાની મઝાક ઉડાવી. કહ્યું, મનરેગા હું રદ નહીં કરું. નોટબંધી કરી જનતાને લાઈનમાં લગાવી, ફાયદો અમીરોને થયો. જીએસટી લાગુ કર્યો, એવો જીએસટી બનાવ્યો કે ગરીબોને નુકસાન થાય, અમીરોને ફાયદો થાય. એક હિન્દુસ્તાન, જેમાં કોઈ કાયદો નહીં. બીજું, હિન્દુસ્તાન ગરીબોનું, જેમાં કોરોનામાં મરવા દવાખાને જવાનું.
આ પબ્લિક મીટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત – રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર બનશે, આદિવાસી જે ઇચ્છશે એ ગુજરાત સરકાર કરશે, બે-ત્રણ લોકો નહીં, જનતાનો અવાજ સરકાર ચલાવશે. અમે છત્તીસગઢની જેમ ગુજરાતમાં ગરીબ બાળકો માટે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરીશું, વાતો નહીં કરીએ, ગેરન્ટી આપીશું. આ એક પબ્લિક મીટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે. 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા. જે કામ તેમણે ગુજરાતમાં શરૂ કર્યું એ આજે ભારતમાં કરી રહ્યા છે, જેને ગુજરાત મોડલ કહેવામાં આવે છે.
જીગ્નેશ મેવાણીને સંધર્ષશિલ નેતા ગણાવતા રાહુલ ગાંધી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસીઓને શિક્ષણ, રોજગાર, આરોગ્ય કશુંયે ન મળ્યું. અમે તમારા અવાજને આંદોલનના માધ્યમથી બહાર કાઢવા માગીએ છીએ. કોંગ્રેસના આ અવાજને એટલો મજબૂત કરો કે પીએમને સંભળાય. આખા વિશ્વમાં ગુજરાત એવું રાજ્ય, જ્યાં આંદોલન કરવા માટે પણ પરમિશનની જરૂર છે. હું જિજ્ઞશ મેવાણીને ઓળખું છું, તેને તમે 10 વર્ષની પણ જેલ કરશો તોપણ કાંઇ ફરક નહિ પડે. અમે જનતા મોડલ ફરીથી ગુજરાતમાં લાવવા માગીએ છીએ, જ્યાં જનતાનો અવાજ સરકાર ચલાવે. આજે બે-ત્રણ લોકો જનતાને ચલાવે છે, લોકો ચૂપ બેસી રહે છે. તમને સત્યની ખબર છે, તમારે એ સત્ય માટે લડવું પડશે. આવનારી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે, જ્યાં આદિવાસીઓનો અવાજ હશે, આદિવાસી MLA હશે અને આદિવાસી જે ઇચ્છશે એ સરકાર કરશે.
વિકાસની દરેક ઈંટ પર આદિવાસીઓનો હાથ – રાહુલ ગાંધી
કોરોના પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું હતું કે પીએમ કહે છે થાળી વગાડો, 3 લાખ લોકો મર્યા પણ ટીવી પર એક જ ચહેરો દેખાય છે, એ પણ નરેન્દ્ર મોદીનો. હાલની સરકારે સરકારી શાળાઓ બંધ કરી, ખાનગીકરણ કર્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિકાસની દરેક ઈંટ પર આદિવાસીઓનો હાથ છે.
ગુજરાતામાં અમૂલ મોડેલ ચાલશે- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યુ કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો સહકારનો મોડેલ ચાલશે, અમૂલનો મોડેલ ચાલશે, જેમાં તમામ સમાજના લોકોના સહકારથી રાજ્ય અને દેશ ચાલશે, સુત્રોની માનીએ તો
રાહુલ ગાંધીએ આ કહીને કોગ્રેસના નેતાઓ પણ સહકાર સાથે કામ કરે,,પક્ષમાં કોઇ કેટલાક લોકોથી નહી ચાલે,, પણ તમામના સહયોગ થી ચાલશે,