Connect with us

અમદાવાદ

બેદરકારીથી બાળકનું મોત છતાં પ્રજાની પડખે રહેવાના બદલે આરોપી નર્સ અને ડોક્ટરને બચાવવામાં કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ શેખને કેમ છે રસ !

Published

on

બેદરકારીથી બાળકનું મોત છતાં પ્રજાની પડખે રહેવાના બદલે આરોપી નર્સ અને ડોક્ટરને બચાવવામાં કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ શેખને કેમ છે રસ !

કોઇ પણ દમ્પત્તિ માટે બાળકનો જન્મ કોઇ ઉત્સવથી કમ નથી હોતો,,પણ જો સરકારી મેડકિલ સ્ટાફના બેદરકારીથી બાળકનુ મોત થાય,અને આરોપીઓને બચાવવા માટે જો કાઉન્સિલર પણ મૈદાનમાં ઉતરી આવ્યા,,સાથે આ કાઉન્સિલર
આ દમ્પત્તિને આર્થિક વળતર લઇને સમાધાન કરવાની દબાણ પણ કરાવાનો આરોપ લગાવાઇ રહ્યો છે, ઘટના અમદાવાદના ગોમતીપુર વિસ્તારની છે,,અને દમ્પતિએ હવે ન્યાય માટે જવાબદાર નર્સ અને ડોક્ટર વિરુધ્ધ પોલીસમાં અરજી કરી છે,,

ગુજરાતમા પેપરલિક કાંડમાં કાર્યવાહી કરવામાં સરકાર નિષ્ક્રિય- યુવરાજ સિહનો આરોપ

અમદાવાદ વસ્ત્રાલમાં રહેતા જીગ્નેશભાઇ પરમાર અને તેમની પત્ની ઉન્નતી બેન પરના ઘરમાં નવો મહેમાન આવવાની તૈયારીમાં હતો, પત્ની ગર્ભવતી થતા પરિવારમાં ખુશીનો માહોલ હતો,, ડોક્ટરોએ ડીલવરી માટે જુલાઇ મહિના સમય આપેલો હતો
ઉન્નતી બેન પરમાર નિયમિત ચેક અપ માટે ગોમતીપુર અર્બન હેલ્થ આવતા હતા, તેઓ પાચેક વખત ગોમતીપુર અર્બેન હેલ્થ સેન્ટરમાં સોનોગ્રાફી કરાવી હતી,જેમાં બાળક સ્વસ્થય હોવાનુ જણાયુ હતું, જ્યારે ઉન્નતિ બેન પરમારના બાળકનુ નવમું
મહિનો શરુ થયો ત્યારે પણ ચેક અપ માટે ગયા હતા તો તબીબોએ માતા અને બાળક બન્ને સ્વસ્થ્ય છે, ચિન્તાનો કોઇ કારણ નથી, શારીરીક અને માનસિક વિકાસ પણ સારો થઇ રહ્યો છે, ત્યારે
એક જુનના રોજ સાંજે પાચ વાગ્યાની આસપાસ ઉન્નતી બેનને દુખાવો થતા તેઓ માતા અરુણા બેન સાથે ગોમતીપુર અર્બન હેલ્થ સેન્ટર પહોચ્યા,, જ્યાં નર્સ ધ્વની બેન પંચાલ મળ્યા, ત્યાં ડોક્ટર હાજર ન હતા, જો કે ત્યાં ડો શબનમ સિદ્દીકી ડ્યુટી
ઉપર હોવાનું હાજરી પત્રકમાં બોલતું હતું, જો કે તેઓ ગેર હાજર હતા, ત્યારે ડોક્ટરની ગેર હાજરીમાં ઉન્નતી બેનને નર્સ ધ્વની પંચાલે ડોક્ટરની જેમ સાર વાર આપવાનુ શરુ કરી દીધું,, અમે અનેક વખત રજુઆત કરી હતી કે ડોક્ટરને બોલાવો
પણ ધ્વની બેને ડોક્ટરને બોલાવ્યા જ નહી,,

Advertisement

ગુજરાતમાં આપનું સંગઠન કેમ થયુ ભંગ – આ રહ્યા કારણો !

બીજા દિવસે સવારે એટલે 2 જુને સવારે ચાર વાગ્યે ઉન્નતિ બેન પરમારને ફરી દુખાવો થતા ધ્વની પંચાલે તેમને દવા અને ઇન્જેક્શન આપેલ,,તેમને ઉન્નતિ બેનને અર્બન હેલ્થ સેન્ટરમાં રાઉન્ડ મારવા કહ્યુ. ઉન્નતિ બેન રાઉન્ડ મારતા હતા એ દરમિયાન જ
સવાર સાત વાગ્યે ડીલીવરી માટે નર્સ ધ્વની બેન પંચાલ અને આયાબેન ઓપરેશન થિયેટરમાં લઇ ગયા,જ્યાં તેઓ ડોં શબનમ સિદ્દીકીની ગેર હાજરીમાં ઉન્નિત બેન ઉપર જોખમ લીધું,,અને ડીલીવરી કરાવી,બાળક તો થયું પણ તેમાં કોઇ હલન ચલન ન હતું,બાળકના ડીલીવરી થયાના 20 મિનીટ બાદ ડો શબનમ સિદ્દીકી દોડતા આવ્યા, અને કહ્યુ કે બાળકને ધબકારા નથી એટલે તમારે બીજી મોટી હોસ્પિટલમાં જવુ પડશે,,,ત્યારે અમે 108ની રાહ જોયા વગર બાળકને લઇને સારદાબેન હોસ્પિટલ પહોચ્યા
જ્યાં ઇસીજીના રિપોર્ટ આધારે શારદાબેન હોસ્પિટલના તબીબોએ બાળકને મૃત જાહેર કરેલ, એ દરમિયાન શારદાબેન હોસ્પિટલના તબીબોએ માહિતી આપી હતી કે ચોગ્ય રીતે ડોક્ટર દ્વારા ડીલીવરી કરાઇ નથી, જેને કારણે બાળક મૃત્યુ પામ્યુ છે,

ડો શિગુફ્તા બી શેખે વિડીયોમાં ભુલ સ્વિકારી

મહત્વની વાત એ છે કે જ્યારે પિડીત દમ્પતિએ આ અંગે ફરિયાદ કરી તો પહેલા તેમને સ્થાનિક અલફૈજ હોસ્પિટલના ડોક્ટર શિગુફ્તા બી શેખે જણાવ્યુ કે
સત્ય રીતે કહુ તો અમારો વાક નિકળશે,
અમારા સેટઅપનો વાક નિકળશે અમારા માણસનો વાક નિકળશે
હુ કોઇ દિવસ ખોટુ બોલતી નથી
આમા તમે કઇક આગળ વધશો તો અમારા સેટઅપમાથી ચાર માણસો ઓછા થઇ જશે
અમારી સિસ્ટમ પનીશ થશે,,
હુ તમને રિક્વેસ્ટ કરુ છું
તમારા નસીબ સારા હોત તો આવી સ્થિતિમાં પણ તમારો બાળક બચી ગયો હોત
અમે દિલ ગિર છીએ,અમે માફી માંગી લઇએ છીએ
અમને પનીશમેન્ટ મળવાથી તમને કોઇ ફાયદો મળવાનો નથી
અમે જ્યારે નવરા બેઠા હોઇશુ ત્યારે આ ઘટના હમેશા અમને યાદ આવશે,.

Advertisement


ગોમતીપુરના કાઉન્સિલર ઇકબાલ શેખે પરિવારને દબાવવાનો કર્યો પ્રયત્ન

આ ઘટના અગે જ્યારે પરિવારે પોલીસ ફરિયાદ કરવાની વાત કરી તો સ્થાનિક કાઉન્સિલ ઇકબાલ શેખે આ પરિવારને દબાવવાનો પ્રયત્ન કર્યો તેઓએ પરિવારને કહ્યુ કે
મોટુ મન રાખવુ પડે, હુ હકથી કહુ છુ
આપણે માફ કરી દેવુ પડે,
ક્યાં તો માફી પત્ર લખાવી લેવું પડે, અથવા તો સમાજના નામે પેનલ્ટી લેવી હોય તો આપણે તૈયાર છીએ

ઠંડા પીણાની બોટલ ચકાસીને લેજો-દુકાનદારને થયો કડવો અનુભવ !

મહત્વની વાત એ છે કે આ પરિવારે પણ આરોપ લગાવ્યો છે કે સ્થાનિક કાઉન્સિલર ઇકબાલ શેખને ને પ્રજાની સાથે રહેવાની જરુર છે, પણ ડોક્ટર મુસ્લિમ છે, જેથી સ્થાનિક મુસ્લિમ કાઉન્સિલર તેમને બચાવવા માટે
અમને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ અમે દબાઇશુ નહી,, જનતાના પગાર લેતા આ ડોક્ટર્સ અને નર્સ જો બેદરકારી દાખવે તો તેમના ઉપર કાર્યવાહી થવી જોઇએ
સાથે જનતા ટેક્સમાંથી પગાર લેવા છતાં ફરજ ઉપર ડોક્ટર કઇ રીતે ગેર હાજર રહી શકે,, અને ગેર હાજર રહીને તેઓ જનતાના ટેક્સના નાણા પગાર સ્વરુપે કઇ રીતે લઇ શકે છે,,જેથી અમને કોઇ પણ
ભોગે ન્યાય જોઇએ છે,જેથી ભવિષ્યમાં આવી બેદરકારી કોઇ બીજા સાથે આ ડોક્ટર્સ અને નર્સ ન કરી શકે,,સાથે ઇકબાલ શેખ જેવા કાઉન્સિલરને વિચારવુ જોઇએ કે શુ તેમની મા બહેન કે પત્ની સાથે
આ ડોક્ટર્સ આવુ કરે તો પણ તેઓ નાણા આપીને સમાધાનની વાત કરશે,,આવા જનતાના પ્રતિનિધીઓને જાકારો આપવો જોઇએ,,
આમ હાલ તો આ પરિવારનો નાના દિકરા લખન પરમારે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ડોક્ટર અને નર્સ વિરુધ્ધ પોલીસમાં અરજી આપીને ન્યાયની અપીલ કરી છે,

અભિનેત્રી સોનાલી રાઉતનો આ છે ગજબ અદાજ

Advertisement

આ કેસમાં જે રીતે બેદરકારી થઇ છે તેને લઇને ફરિયાદી પોલીસ ઉપરાંત મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પણ ફરિયાદ કરી શકે છે,

તબીબી બેદરકારીનો અર્થ શું,

જવાબ- જ્યારે ડૉક્ટર અથવા તબીબી સ્ટાફ દર્દીની સારવાર અથવા સંભાળમાં બેદરકારી દાખવે છે. જેમ કે ખોટી દવા આપવી, ખોટી રીતે સર્જરી કરવી, ખોટું તબીબી માર્ગદર્શન આપવું, સર્જરી વખતે દર્દીને નુકસાન પહોંચાડવું, આ બધું તબીબી બુદ્ધિ હેઠળ આવે છે. કારણ કે, તેના કારણે દર્દીને નુકસાન થાય છે અને તેનું મૃત્યુ પણ થાય છે.
આ કેસમાં ડીલીવરી કરાવવાનો અધિકાર નર્સને ન હતું,, ડોક્ટર ડીલવરી સમયે ફરજ ઉપર હાજર રહેવું જોઇએ ,, તેઓ ફરજ ઉપર ગેર હાજર રહ્યા હતા,તેઓએ આવી રીતે બેદરકારી દાખવી છે,

પ્રશ્ન- મેડિકલ બેદરકારી થઈ, તે કેવી રીતે નક્કી?

જવાબ- કોઈ વ્યક્તિ હોસ્પિટલ કે ડૉક્ટર પાસે એ આશા સાથે જાય છે કે ત્યાં તેની યોગ્ય સારવાર થશે. દર્દીની સારવાર કેવી રીતે કરવી તે નક્કી કરવાની ફરજ ડૉક્ટરની છે. આ માટે શું કરવું પડશે, કઈ દવા આપવી જોઈએ અને કઈ નહીં. જ્યારે ડોક્ટર કે મેડિકલ સ્ટાફ તેમની ફરજ યોગ્ય રીતે નિભાવતો નથી તો તેને સારવારમાં બેદરકારી ગણી શકાય.
આ કેસમાં કયો ઇન્જેક્શન આપ્યો અને કઇ દવા આપી તેની કોઇ નોધ કરાઇ ન હતી, જેથી કઇ દવા અપાઇ તે ખબર ન હતી,,જે મેડિકલ સ્ટાફનો મોટો ભુલ હતો,,

Advertisement

પ્રશ્ન- તબીબી બેદરકારી અંગે કોઈ કાયદો છે કે નહીં?
જવાબ- હા, આ માટે કાયદો છે. ક્યારેક કુશળ ડૉક્ટર પણ બેદરકાર બની જાય છે. આ બેદરકારીનો સંબંધ વ્યક્તિના જીવન અને મૃત્યુ સાથે છે. તેથી તેને ગુનો ગણવામાં આવે છે. આવા કિસ્સાઓમાં, ડૉક્ટર, હોસ્પિટલ, નર્સિંગ હોમ અથવા આરોગ્ય કેન્દ્ર સામે કેસ દાખલ કરી શકાય છે.
આ કેસમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે,

પ્રશ્ન- હું મેડિકલ બેદરકારીની ફરિયાદ કેવી રીતે નોંધાવી શકું?
જવાબ- તમે આ રીતે ફરિયાદ કરી શકો છો…

તમે તબીબી અધિક્ષકને લેખિત ફરિયાદ કરી શકો છો.

ફરિયાદ કર્યા બાદ તેની કોપી સીએમઓ (ચીફ મેડિકલ ઓફિસર)ને આપવાની રહેશે.
જો CMO તરફથી કોઈ જવાબ ન મળે અથવા તમે તેમના જવાબથી સંતુષ્ટ ન હોવ, તો તમે તમારા રાજ્યની મેડિકલ કાઉન્સિલને ફરિયાદ કરી શકો છો.
જો તબીબી બેદરકારીને કારણે જાનહાનિ થાય અથવા જીવને જોખમ હોય તો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકાય છે.
જો કોઈ તબીબ સારવારમાં બેદરકારી દાખવે તો તેની સામે ફોજદારી અને સિવિલ એમ બંને કેસ કરવામાં આવે છે.
ડૉક્ટર સામે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહક કોર્ટમાં પણ કેસ થઈ શકે છે.
ફોજદારી કેસના કિસ્સામાં, ગુનાનો ઇરાદો સાબિત કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
જ્યારે ડોક્ટર ક્રિમિનલ કેસમાં દોષિત સાબિત થાય છે, તો તેને જેલની સજા થઈ શકે છે.
સિવિલ કેસમાં, પીડિત નુકસાન માટે વળતરનો દાવો કરી શકે છે.

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.