અમદાવાદ
એલિસ બ્રિજ વિધાનસભામાં ભાજપમાં ટિકિટ માટે કોણ મારશે બાજી !

વિધાનસભા ચૂંટણી માટે ભણકારા વાગી રહ્યા છે, ત્યારે આપણે વાત કરીશુ એલિસબ્રિજ વિધાનસભાનું,
એલિસ બ્રિજ વિધાનસભામાં સતત ત્રણ ટર્મથી રાકેશ શાહ ધારાસભ્ય છે, આ સીટ 1995થી ભાજપનું ગઢ રહી છેમહત્વપુર્ણ છે કે મુંબઇથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભાની 1962માં ચૂંટણી યોજાઇ,, જેમાં પ્રથમ વખત મહિલા ઉમેદવાર ઇન્દુમતી ચિમનલાલ અહીથી કોંગ્રેસમાંથી જીત્યા હતા, તે સિવાય બાબુભાઇ વાસણવાલા આ સીટ ઉપરથી સતત ચાર ટર્મ ચૂંટાયા છે તેમનો રેકોર્ડ આજ સુધી કોઇ તોડી શક્યુ નથી,,
એલિસબ્રિજની રોચક કથા
1992થી લઇને 1990થી આ સીટ ઉપરથી કોંગ્રેસ, જનતાદળ, અપક્ષ, અહીથી ઇલેક્શન લડી ચુક્યા છે,,સાથે બાબુભાઇ વાસણવાળા અલગ અલગ પક્ષોમાં રહીને અહીથી સતત ચાર ટર્મ જીત્યા છે,,
વર્ષ 1995માં તત્કાલિન કોર્પોરેટર હરેન પંડ્યાને એલિસ બ્રિજ સીટ ઉપરથી ભાજપે ટીકીટ આપી,, તેઓએ કોગ્રેસના દશરથભાઇ પટેલને હરાવ્યા હતા,, ત્યારથી આ બેઠક માટે અજેય ગઢ બની રહી છે,
અહીથી હરેન પંડ્યા 1995 અને 1998 એમ બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા,, વર્ષ 2002માં થયેલા ગોધરાકાંડ બાદ યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં હરેન પડ્યાને ટીકીટ ન મળી.
તેમને ટિકટ ન મળવા પાછળનુ કારણ રાજકીય હતું, સુત્રોની વાત માનીએ તો નરેન્દ્રમોદી જ્યારે ભાજપના રાષ્ટ્રિય મહામંત્રી હતા ત્યારે વર્ષ 2001માં ગુજરાતમાં આવેલ ભુંકપ અને ત્યાર બાદ યોજાયેલ સ્થાનિક
સ્વરાજની ચૂંટણીઓ જેમાં અમદાવાદ અને રાજકોટ જેવા મહાનગરોમાં કોગ્રેસ સત્તા ઉપર આવી, સાબરમતી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બાબુ ભાઇ જમનાદાસ પટેલ કોગ્રેસના ઉમેદવાર નરહરી અમિનની સામે ચૂંટણી હારી ગયા,જેને પરિણામે ગુજરાત ભાજપમાં મોટા પાયે અસંતોષ જોવા મળ્યો,, કેન્દ્રિય નેતાગિરી અટલ બિહારી બાજપેઈ અને એલ કે આડવાણીને ગુજરાતના મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને બદલવાની રજુઆત કરાઇ,,
આખરે કેન્દ્રિય નેતૃત્વે કેશુભાઇના સ્થાને નરેન્દ્રમોદીને ગુજરાતનુ સુકાન સોંપવાનુ નિર્ણય કર્યો, મોદી 7ઓક્ટોબર 2001ના રોજ સીએમ બન્યા, તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય ન હોવાના કારણે તેમને છ મહિનાની અંદર
ગૃહમાં ચૂંટાઇ આવવુ જરુરી હતું. તેવા સંજોગોમાં ભાજપે સેફ મનાતી સીટો ઉપર સર્વે કર્યો, જેમાં એલિસ બ્રિજ સીટ બીજેપી માટે એકદમ સલામત હતી, એટલા માટે હરેન પંડ્યાને બેઠક ખાલી કરવા માટે
સૂંચના અપાઇ, જોકે તેઓ માનવા તૈયાર ન હતા, આખરે મોદી માટે રાજકોટ -2 ઉપરથી વજુવાળાની સીટ ખાલી કરાવી પડી અને ત્યાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા,સુત્રોની વાતની સાચી માનીએ તો હરેન પંડ્યાએ એલિસ બ્રિજ બેઠક ખાલી ન કરવાનો રંજ નરેન્દ્ર મોદીને હતો, જેથી તેઓએ વર્ષ 2002માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પુર્વ ગૃહ રાજ્યમંત્રી હરેન પંડ્યાની ટીકીટ કાપી નાખી હતી,
મહત્વની વાત એ હતી કે હરેન પંડ્યાની ટિકીટ કાપીને તેમના જ એક સમયના સાથી એવા કોર્પોરેટર ભાવીન શેઠને ટિકીટ અપાઇ હતી, ,,તે પછી તેઓ પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, પુર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયા, ભરત પંડ્યા,ધીરુભાઇ ગજેરા, બેચર ભાદાણી,માયાબેન કોડનાની,રાજેન્દ્ર સિહ રાણા કાશિરામ રાણા, ફકિર ચૌહાણ, એ .કે પટેલ,બાવકુ ઉઘાડ, સુનિલ ઓઝા સહિતના નરેન્દ્રમોદી વિરુધ્ધના જુથમાં સામેલ થઇ ગયા, સાથે તેઓ મોદી હટાવ અભિયાનમાં ચલાવવામાં સામેલ હોવાનો તેમના ઉપર આરોપ લાગ્યો હતો, પરિણામે 2007માં ભાવિન શેઠની ટિકીટ કાપી નાખવામાં આવી હતી,,તેમના બદેલ તેમના પાલડી વોર્ડના કોર્પોરેટર રાકેશ શાહને ટિકીટ અપાઇ.
વર્ષ 2007,2012 અને 2017માં સતત રાકેશ શાહને એલિસ બ્રિજના મતદારોએ સ્નેહ આપી જીતાડ્યા,, આમ તો તેમની ઉમર અત્યારે 60 વરસની છે, જેથી સુત્રો કહે છે કે ભાજપે જે ક્રાઇટેરિયા નક્કી કર્યો હોવાનુ માનવામાં
આવે છે કે 65 વરસ અને 4 ટર્મ ધરાવતા ધારાસભ્યને ટિકીટ ન આપવી,, તે પૈકી તેઓને હજુ એક તક આપવી કે તે વડા પ્રધાન નરેન્દ્રમોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ નક્કી કરશે,,
ભરત સિહ સોલંકી વિરુધ્ધ તેમના પત્ની રેશ્મા પટેલ પહોચ્યા કોર્ટ
એલિસબ્રિજ વિધાનસભાનો ઇતિહાસ
એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર 1962માં ઇન્દુબેન ચિમનલાલ, કોગ્રેસમાંથી ચૂંટાયા,
વર્ષ 1967માં આર કે પટેલ અપક્ષ તરીકે ચૂંટાયા
1972માં હરિપ્રસાદ વ્યાસ કોગ્રેસમાંથી ચૂંટાયા
1975માં બાબુભાઇ વાસણવાળા નેશનલ કોગ્રેસ (o)માંથી જીત્યા
1980માં બાબુભાઇ વાસણવાળા જેએનપી(જેપી)માંથી ચૂંટણી લડ્યા અને તેઓએ ડો.પન્નાલાલ શાહને હરાવ્યા
વર્ષ 1985માંથી બાબુ ભાઇ વાસણવાળાએ જેએનપીમાંથી લડ્યા અને તેઓએ જીએલએસ સંચાલક અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ સુધીર નાણાંવટીને હરાવ્યા
1990માં બાબુભાઇ વાસણવાળાએ ચીમનભાઇ પટેલના જનતા દળ ગુજરાતમાંથી ચૂંટણી લડ્યા અને તેઓએ ગુજરાત યુનિં,ના પુર્વ કુલપતિ કેએસ શાસ્ત્રીને હરાવ્યા
વર્ષ 1993માં બાબુ ભાઇ વાસાણવાળાનુ અવશાન થતા પેટા ચૂંટણી આવી હતી જેમાં ભાજપે કાઉન્સિલર એવા હરેન પંડ્યાને મેદાનમાં ઉતાર્યા,,
ત્યારે સામે તત્કાલિન મુખ્યપ્રધાન ચિમન ભાઇ પટેલે રિલાયંસ સાથે ઘરોબો ધરાવતા પોતાના અંગત વિશ્વાસુ લાલચંદ શાહને મેદાનમા ઉતાર્યા હતા, જો કે ભાજપ પ્રથમ વખત આ સીટથી વિજય પ્રાપ્ત કર્યો,
સુત્રોની વાત માનીએ તો તત્કાલિન સમયે બીજેપીના પુર્વ પ્રદેશ અધ્યક્ષ શંકર સિહ વાધેલાની ઇચ્છા તેમના વિશ્વાસું પુર્વ મેયર ડો મુકુલ શાહને એલિસ બ્રિજ વિધાનસભા બેઠકથી ચૂંટણી લડાવવા માંગતા હતા
ત્યારે બીજી તરફ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી નરેન્દ્રમોદી હરેન પંડ્યાને ટિકીટ અપાવવામાં સફળતા મેળવી હતી
વર્ષ 1995માં હરેન પડંયાએ ભાજપમાંથી ઇલેક્શન લડ્યા અને કોગ્રેસના દશરથભાઇ પટેલને હરાવ્યા
વર્ષ 1998માં ભાજપના હરેન પંડ્યાએ કોગ્રેસના હરિન રાવલને હરાવ્યા,
વર્ષ 2002માં ભાજપના ભાવિન શેઠે કોગ્રેસના પ્રદીપ રુવાલાને હરાવ્યા,,
2007માં ભાજપે રાકેશ શાહને ટિકીટ આપી તેઓએ કોગ્રેસના ગણેશ હાઉસિંગ ગ્રુપના કલ્પેશ પટેલ ઉર્ફે ભોલાને હરાવ્યા
વર્ષ 2012માં ભાજપના રાકેશ શાહે કોગ્રેસના કમલેશ શાહને હરાવ્યા
વર્ષ 2017માં ભાજપના રાકેશ શાહે કોગ્રેસના વિજય દવે હરાવ્યા હતા,,
એલિસબ્રિજમાં કેટલા નામોની ચર્ચા
તે સિવાય વાત કરીએ તો એલિસ બ્રિજ માટે અનેક મુરતિયાઓ મૈદાનમાં છે, કારણ કે આ સીટ ભાજપ માટે સુરક્ષિત છે,, અને અહીથી
ભાજપ કોઇને પણ ટિકીટ આપે તેની જીત નિશ્ચિત છે, અને એટલે જ અહીથી સંખ્યાબધ્ધ નેતાઓને મૈદાન ઉતરવા માટે આતુર હોય છે
અમિત શાહ, પુર્વ મેયર અને શહેર ભાજપ પ્રમુખ
જાગૃતિ બેન પંડ્યા,, ચેરમેન બાળ આયોગ
સુજય મહેતા, ચેરમેન સ્કૂલ બોર્ડ
જૈનિક વકિલ, ચેરમેન ટેક્સ કમિટી
રાજીકા કચેરિયા, પુર્વ સભ્ય, પંચાયત પસંદગી મંડળ
પથિક શૈલેષ પટવારી,, પ્રમુખ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ
ડો, ભુપેશ શાહ,, સમાજ સેવક,,
યમલ વ્યાસ, પ્રવક્તા,, પ્રદેશ ભાજપ
બિજલ બેન પટેલ,પુર્વ મેયર,
ધર્મેન્દ્ર શાહ, પુર્વ ચેરમેન ઔડા, પ્રભારી એએમસી પ્રભારી
પ્રિતેશ મહેતા, પુર્વ કોર્પોરેટર
મહત્વની વાત એ છે કે ઉપરોક્ત નામોની ચર્ચા હાલ એલિસબ્રિજથી માંડી પ્રદેશ કાર્યાલયમાં થઇ રહી છે, છતાં ટિકીટ કોને આપવી તે અંગેનો નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ કરશે,
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ
રાકેશ પંજાબી
April 3, 2022 at 12:45 pm
આ સીટ માટે અમીતભાઈ અને જૈનિક વકીલ બંન્ને માં થી જ એક ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તે સરાહનીય છે યુવા ધનને આકર્ષતી પેઠી નેં કામગીરી જોવા માંગો તો જૈવિક વકીલ સાહેબ ની કામગીરી સારી છે એટલે એની ઉપર વધારાની ધારાસભ્ય લેવલ ની કામગીરી આપવામાં આવે તો સારું રહેશે કોઈ પણ સંજોગોમાં વેપારી આલમમાં થી આવેલા રાજકારણી થી દુર રહેવું જોઈએ સમાજ સેવા આપવા માં વેપારી આલમ નાં જ ચાલે બાકી રાકેશ ભાઇ એ એમનાં વડીલોની સેવા નો લાભ લઇ આગળ સેવા ચાલુ રાખી નેં સેવા કરવી જોઇએ