Connect with us

અમદાવાદ

દહેગામમાં ભાજપ કોના ઉપર લગાવશે દાવ-તો કોંગ્રેસમાંથી કોણ થયું ફાઇનલ !

Published

on


દહેગામમાં ભાજપ કોના ઉપર લગાવશે દાવ-તો કોંગ્રેસમાંથી કોણ થયુ ફાઇનલ

Gujarat Assembly Election 2022:ભાજપે ગુજરાતમાં 151 સીટો જીતવા બનાવ્યો છે ખાસ પ્લાન- આ રીતે જીતાશે ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બર માસમાં યોજાનાર છે ત્યારે વાત કરીએ દહેગામ વિધાનસભા બેઠકની,, આ બેઠક પર કોઇ ચોક્કસ સમાજ અને ચોક્કસ પક્ષનો દબદબો રહ્યો નથી,

અત્યાર સુધી પટેલ,વણિક, બ્રાહ્મણ અને ઠાકોર સહિત સમાજના અગ્રણીઓ અહીના વિધાનસભાથી પ્રતિનિધીત્વ કરી ચૂક્યા છે,

અરવિંદ કેજરીવાલ વિરુધ્ધ મહેસાણામાં કેમ લાગ્યા પોસ્ટર !

Advertisement

દહેગામ વિધાનસભા બેઠકનો ઇતિહાસની વાત કરી એ તો

ગુજરાતની સ્થાપના 1960માં થઇ,, તેના બે વર્ષ બાદ યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી,

વર્ષ 1962માં કોંગ્રેસના વિઠ્ઠલ ભાઇ અમિન ધારાસભ્ય તરીકે ચૂટાયા

વર્ષ 1967માં સ્વતંત્ર પાર્ટીના એમ સી શાહ વિજય બન્યા

વર્ષ 1972માં ગુજરાતના પુર્વ મુખ્ય મંત્રી ધનશ્યામ ઓઝા, કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા

Advertisement

વર્ષ 1975માં ભારતિય જનસંધના ગાભાજી ઠાકોરે કોંગ્રેસને હરાવી દહેગામમાં જનસંધનો પાયો નાખ્યો

વર્ષ 1980માં ખુમાનસિ રાઠોડ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા

વર્ષ 1985માં ભાજપના ઉમેદવાર કરીકે ગાભાજી ઠાકોર ચૂંટાયા હતા,

વર્ષ 1990 અને 1995માં ભાજપના ઉમેદવાર તરીકે વિઠ્ઠલ ભાઇ શાહ ચૂંટણી જીત્યા

વર્ષ 1998માં ગાભાજી ઠાકોર ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા અને કેશુભાઇ પટેલની સરકારમા મંત્રી બન્યા

Advertisement

વર્ષ 2002માં ગોધરા કાંડ બાદ ચોજાયેલ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હાર્યા, કોંગ્રેસના જગદીશ ઠાકોર ચૂંટણી જીત્યા

વર્ષ 2007માં જગદીશ ઠાકોર કોંગ્રેસના ઉમેદતરીકે ફરી જીત્યા

વર્ષ 2009માં કોંગ્રેસના જગદીશ ઠાકોર પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા,, તેેમને દહેગામના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યુ

વર્ષ 2009માં દહેગામ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઇ જેમાં ભાજપના કલ્યાણ સિહ ચૌહાણ ચૂંટણી જીત્યા, કોંગ્રેસમાં આતરિક વખવાદને કારણે ભાજપની જીત થઇ

વર્ષ 2012માં કોંગ્રેસના કામિનીબા રાઠોડે ભાજપના કલ્યાણ સિહ ચૌહાણને હરાવ્યા

Advertisement

વર્ષ 2017માં પુર્વ ધારાસભ્ય કલ્યાણ સિહ ચૌહાણના પુત્ર બલરામ ચૌહાણે કોંગ્રેસના કામિનીબા રાઠોડને હરાવ્યા હતા,

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

દહેગામના ભાજપ સંભવિત ઉમેદવાર

બલરામ ચૌહાણ- ધારાસભ્ય

રોહિત ઠાકોર- 2012ના હારેલા ઉમેદવાર,ઠાકોર સમાજના ભામાસા

Advertisement

અલ્પેશ ઠાકોર,-પુર્વ ધારાસભ્ય

કાનાજી ઠાકોર,- પુર્વ મેયર અમદાવાદ, પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય

કિરીટ સિહ બિહોલા-

ધર્મેન્દ્ર સિહ વાધેલા

ગીતા બા સોલંકી

Advertisement

સુમેરુ અમીન

ભરત સિહ ઝાલા

કોંગ્રેસના ઉમેદવાર

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ


દહેગામમાં બેઠક ઉપરથી

Advertisement

કામિની બા રાઠોડ, પુર્વ ધારાસભ્ય

જગદીશ ઠાકોર, પુર્વ ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ

વી વી રબારી, નિવૃત આઇપીએસ

ત્યારે સુત્રોની માનીએ તો આ બેઠક ઉપરથી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર ફાઇનલ માનવામા આવે છે, તેઓ આ બેઠક ઉપરથી બે વખત ધારાસભ્ય રહી ચુક્યા છે, તેઓ અનુભવી છે, ભાજપ પાસેથી બેઠક કઇ રીતે
આચકી શકાય તેવી રણનિતિ માટે જાણીતા છે,2002માં જ્યારે સમગ્ર ગુજરાતમાં હિન્દુત્વની લહેર ચરમસીમાએ હોવા છતાં દહેગામ બેઠક તેઓ ભાજપ પાસેથી આંચકી લેવામાં સફળ થયા છે, ત્યારે કોગ્રેસની સીટો વધુ આવે તો
તેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર પણ બની શકે છે,

કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રંગ રેલિયા મનાવતા પકડાયા-પત્નીનો હોબાળો- વિડીયો વાયરલ

Advertisement

દહેગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ 1962, 1972,2002,2007, અને 2012 એમ પાચ વખત ચૂટણી જીત્યુ છએ, જ્યારે ભાજપનો પુર્વ અવતાર જનસંધ 19975, ભાજપ 1985.1990,1995,1998,2009,2017 એમ સાત વખત ચૂટણી જીત્યુ છે
જ્યારે સ્વતંત્ર પક્ષ, 1967માં એક વખત ચૂંટણી જીત્યું છે આ બેઠક પર સૌથી વધુ વખત ઠાકોર સમાજના પ્રતિનિધીઓ ચૂંટણી જીત્યા છે,

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.