અમદાવાદ
ભગવાન પરશુરામના આશિર્વાદ કોને મળશે !
પરશુરામના આશિર્વાદ કોને મળશે !
પરશુરામ જયંતિ નિમિત્તે રાજ્યમાં ઠેર ઠેર બ્રહ્મસમાજ દ્વારા રેલીઓ સભાઓ અને કાર્યક્રમોનુ આયોજન કરાયુ, પણ અમદાવાદમાં ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ
કરાયુ,, ત્યારે આ પ્રસંગે બ્રહ્મસમાજે શક્તિના દર્શન પણ કરાવ્યા,,ત્યારે સવાલ ઉઠે છે કે અમદાવાદમાં ભાજપના બ્રહ્મસમાજના અનેક સિનિયર આગેવાનો છે, જેઓ અમદાવાદના વિવિધ
બેઠકો ઉપર ચૂટણી લડવા થનગની રહ્યા છે.
અમદાવાદના નવા વાડજ વ્યાસવાડીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું . આ પ્રતિમા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા તૈયાર કરવામાં આવી છે.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ,
રાજયકક્ષાના ઉદ્યોગમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ,ભાજપ યુવા મોર્ચાના પુર્વ રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત ઠાકર,ચૈતન્ય શંભુ મહારાજ ગુજરાત ભાજપ મિડીયા સેલના કન્વીનર
યગ્નેશ દવે ઉપસ્થિત રહ્યા, મહત્વપુર્ણ વાત એ છે કે પ્રથમ વખત સરકારી ખર્ચે પરશુરામની મુર્તિની મુકીને બ્રહ્મ સમાજને ખુશ કરવાનો પ્રયત્ન થયો છે.
બ્રહ્મ સમાજનો ભાજપમાં ઇતિહાસ
ગૌભક્ત શંભુ મહારાજ
પરમ ગૌભક્ત અને ભાજપ માટે હિન્દુત્વનો ચહેરો બનેલા શંભુ મહારાજ દ્વારા વર્ષ 1985માં ગુજરાતના મુખ્ય પ્રધાન માધવસિહ સોલંકીના કાર્યકાળ દરમિયાન
અનામત વિરોધી આંદોલન થતા કોંગ્રેસની સરકારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રા યોજવા દેવા માટે મંજુરી ના આપતા તત્કાલિન
કોંગ્રેસ સરકારને તેમને પડકાર ફેક્ચો હતો, રાજ્ય સરકાર મંજુરી આપે કે ન આપે તેઓ ભગવાન જગન્નાથની યાત્રા યોજીને જ રહેશે, અને રથયાત્રા સરકારે પરવાનગી આપવી પડી
ભાજપના સંકટ મોચક રહ્યા અશોક ભટ્ટ
વર્ષ 1975માં અશોક ભટ્ટ ખાડીયા વિધાનસભામાં જનસંઘના ઉમેદવાર તરીકે ચૂંટાયા, તેઓ વર્ષ 1980 વર્ષ 1985, 1990,1995 વર્ષ 1998 અને 2002, 2007માં તેઓ સતત જીતતા રહ્યા.તેઓ અન્ન નાગરિક પુરવઠા પ્રધાન
આરોગ્ય પ્રધાન, શ્રમ રોજગાર પ્રધાન સહિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ જીવન પર્યંત રહ્યા, ભાજપ માટે તેઓ સંકટ મોચક રહ્યા,,2010માં તેમનું મૃત્યુ થયું,તેમની ખાલી પડેલ બેઠક પર તેમના પુત્ર ભુષણ ભટ્ટને ભાજપે ટિકીટ આપી,,
તેઓ જીત્યા, વર્ષ 2012માં ભાજપે આ પરિવારને ફરી વાર તક આપી,, અને તેઓ
ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયા જંગના કારણે ખાડીયા જમાલપુર વિધાનસભા બેઠક જીત્યા,,વર્ષ 2017માં ભાજપે ત્રિજી વખત ભુષણ ભટ્ટને ટિકીટ આપી,,જો કે આ વખતે
કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો થતા ભુષણ ભટ્ટની હાર થઇ,, એટલે કે આ બેઠક ઉપરથી ભટ્ટ પરિવારનો 42 વર્ષે હાર થઇ,,
હરિન પાઠકને છોટે બાજપેઇ તરીકે ઓળખાતા,
HARIN PATHAKહરિન પાઠક વર્ષ 1987માં ખાડીયા વોર્ડમાં થી કોર્પોરેટર બન્યા,, ભાજપની સત્તા આવતા તેઓ એએમટીએસના ચેરમેન બન્યા,, સમગ્ર દેશમાં રામજન્મ ભુમિ આંદોલન થવાના લીધે
વર્ષ 1989માં અમદાવાદ લોકસભા લડ્યા, અને જીત્યા,, વર્ષ 1991, વર્ષ 1996, વર્ષ 1998, 2004 અને 2009 સુધી લોકસભામાં પ્રતિનિત્વ કરતા રહ્યા, બાજપેઇ સરકારમાં તેઓ
સંરક્ષણ રાજ્યમંત્રી રહ્યા
હરેન પંડ્યા લોકનેતા તરીકે ઓળખાતા
હરેન પંડ્યા વર્ષ 1987માં વાસણા વોર્ડમાંથી કોર્પોરેટર બન્યા, વર્ષ 1993માં એલિસ બ્રિજના ધારાસભ્ય બાબુભાઇ વાસણવાળાનું નિધન થતા પેટા ચૂંટણી યોજાતા
ભાજપે હરેન પંડ્યાને ટિકીટ આપી અને તેઓ જીત્યા,, વર્ષ 1995 અને 1998માં એલિસ બ્રિજ બેઠક પરથી ફરી ટિકીટ મળી અને તેઓ જીત્યા, તેમને મહેસુલ પ્રધાન
અને ગૃહરાજ્ય પ્રધાન જેવી જવાબદારીઓ મળી,, તેઓ એલિસબ્રિજ વિધાનસભામાં દર રવિવારે જનસંપર્ક કરતા હતા, 2002માં તેમને ટીકીટ ન મળી,, પછી ગોધરા કાંડ બાદ
આતંકવાદીઓ દ્વારા 2002માં જ તેમની હત્યા કરી દેવાઇ હતી,
આમ છેલ્લા ચાર દાયકામાં બ્રહ્મ સમાજના આ ચાર મોટા ચહેરાઓ ભાજપમા હતા, પણ હવે સ્થિતિ બદલાઇ છે, અનેક ચહેરાઓ 2022ના વિધાનસભા ચૂંટણી માટે
મૈદાનમાં છે,
વાત મણીનગર વિધાનસભાની કરીએ તો
અસીત વોરા,,પુર્વ મેયર, પુર્વ ચેરમેન ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ
અમુલ ભટ્ટ,પુર્વ સ્ટેન્ડિગ ચેરમેન, અને પુર્વ શહેર મહામત્રી
દક્ષેશ મહેતા,પુર્વ ઓક્ટ્રોય કમિટી ચેરમેન,નેતા વીએચપી
નિશા બેન ઝાં,પુર્વ કોર્પોરેટર
ધારીણીબેન શુક્લ, વેદાંત ઇન્ટનેશનલ સ્કૂલ
ખાડીયામાં
ભુષણ ભટ્ટ,પુર્વ ધારાસભ્ય
મયુર ભટ્ટ,પુર્વ કાઉન્સિલર
હેમેંત ભટ્ટ , પ્રવક્તા પ્રદેશ ભાજપ
વેજલપુર
જાગૃતિ બેન પંડ્યા, સ્વર્ગિય હરેન ભાઇ પડંયાના પત્ની,અને બાલ કલ્યાણ વિભાગના પુર્વ ચેરપર્સન
દર્શક ઠાકર. શહેર ભાજપ ઉપ પ્રમુખ
અમિત ઠાકર,પુર્વ પ્રમુખ રાષ્ટ્રિય ભાજપ યુવા મોરચા
ચૈતન્ય શંભુ મહારાજ,પુર્વ વાઇસચેરમેન ગૌ સેવા આયોગ
બાપુનગર
ભાસ્કર ભટ્ટ, નેતા મ્યુનિસિપલ ભાજપ,
નિકોલ
રાજેશ દવે, ચેરમેન રિક્રિયેશન કમિટી
નારાણપુરા
યજ્ઞેશ દવે,કન્વિનર મિડીયા સેલ ભાજપ
પ્રદીપ દવે , કાઉન્સિલર સ્ટેડિયમ વોર્ડ
એલિસ બ્રિજ
યમલ વ્યાસ, ડીરેક્ટર નેશનલ હાઉસિંગ બેંક, મુખ્ય પ્રવક્તા ભાજપ
ચૈતન્ય શંભુ મહારાજ,પુર્વ વાઇસચેરમેન ગૌ સેવા આયોગ
ઘાટલોડિયા
જીગ્નેશ પંડ્યા,પુર્વ કાઉન્સિલર
કશ્યપ જાની મહામંત્રી શહેર ભાજપ યુવા મોરચો
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
સરકારી ખર્ચે ભગવાન પરશુરામની પ્રતિમા બનાવવામા કોનો મોટો રોલ
સ્ટેડિયમ વોર્ડના સિનિયર કોર્પોરેટર પ્રદીપ ભાઇ દવેની અથાક મહેનતના પરિણામે
વ્યાસવાડી પાસે ભગવાન પરશુરામની પ્રતિમાંનું સરકારી ખર્ચે નિર્માણ કાર્ય શક્ય બન્યુ છે
ત્યારે યાદ રાખવાની જરુર છે કે યજ્ઞેશ ભાઇ દવે વ્યાસવાડી પાસે મહાનગર પાલિકાની મંજુરી વગર
વ્યાસવાડી ચાર રસ્તા પાસે ભગવાન પરશુરામને બેસાડવામાં મહત્વ ભુમિકા રહી હતી,
બ્રહ્મ સમાજના નેતાઓમાં પ્રસિધ્ધી માટે હોડ
અમદાવાદમાં ભગવાન પરશુરામની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમની ખબર પડતા જ એક સિનિયર નેતાએ રસ દાખવ્યો અને તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા,,ત્યારે તેમની હાજરીને લઇને હવે
ચર્ચા થવા લાગી છે કે શુ હવે આ નેતા અમદાવાદના નારાણપુરા વિધાનસભાથી ચૂટણી લડશે, કારણ કે તેમની હાજરી અમદાવાદના બ્રહ્મ સમાજના નેતાઓને પણ સુખદ આશ્ચર્ય થયું
કે તેમને અમદાવાદના કાર્યક્રમમાં કોના આમંત્રણથી આવ્યા છે, ત્યારે પાછળથી ખબર પડી કે એએમસી તરફથી તેમને સત્તાવાર રીતે આમંત્રણ આપાયુ હતું,
આમ આઠ વિધાનસભામા 19 બ્રહ્મ સમાજના નાના મોટા નેતાઓ છે,,જેઓ ભાજપમાં સક્રીય થઇને પાર્ટીને મદદ કરી રહ્યા છે,ત્યારે ગૌભક્ત શંભુ મહારાજના ઉત્તરાધિકારી ચૈતન્ય શંભુ મહારાજ, ભાજપના ટ્રબલ શુટર રહેલા અશોક ભાઇ ભટ્ટના પુત્ર ભુષણ ભટ્ટ, અને લોકનેતા રહેલા
હરેન પંડ્યા અર્ધાંગિની જાગૃતિબેન પંડ્યાને ભાજપ ટીકીટ આપશે કે કેમ,, કારણ કે વડા પ્રધાન નરેન્દ્રમોદીના કહેવા મુજબ પાર્ટીમાં પરિવારવાદને કોઇ સ્થાન નથી, પણ જે રીતે અશોકભાઇ ભટ્ટ, શંભુ મહારાજ અને હરેન પડંયાએ ભાજપની ઓળખ ઉભી કરવામાં મજબુતાઇ આપી છે
તેને લઇને તેમના પરિવારજનોને પક્ષ ટીકીટ આપી શકે છે, ત્યારે જોવાનુ એ છે કે ભગવાન પરશુરામની જંયતિએ કોને આશિર્વાદ મળશે
પાલનપુરમાં ભાજપના જુનાજોગીઓ અને નવા કાર્યકર્તાઓ વચ્ચે જામશે જંગ !
રાકેશ પંજાબી
May 3, 2022 at 6:09 pm
અમદાવાદ માં થીં જૈવિક વકીલ નેં ટીકીટ મલશે મલશે અને મલશે અને તેઓ ભવિષ્યમાં નાણાં ખાતું પણ સંભાળી શકેછે એમની ઉમદા કારકિર્દી અને કામગીરી પક્ષના નિતી નિયમો મુજબ ની જ છે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ની અપેક્ષાઓ માં તે સરાહનીય કામગીરી કરવા માટે સક્ષમ છે