Connect with us

અમદાવાદ

કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને

Published

on

કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને

અસારવામાં બીજેપીમાં અનેક દાવેદાર !

દાણીલિમડા વિધાનસભા એ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે,અહી ભાજપ ચૂટણી જીતવી માઉન્ટ એવરેસ્ટને સર કરવા સમાન છે, પરિણામે
અહી ભાજપના ઉમેદવારો જલ્દી ચૂટણી લડવા તૈયાર થતા નથી,, સમગ્ર રાજ્યમાં 13 અનુસુચિત જાતીની સીટો પૈકી સાત બેઠક ભાજપ પાસે છે,જ્યારે
છ બેઠકો કોંગ્રેસ પાસે છે, અમદાવાદમાં ભાજપના એસસી નેતાઓ અસારવાને ક્રીમ સીટ માને છે,, જ્યાંથી ગાંધીનગર પહોચવુ પ્લેનમાં બેસવા સમાન છે
જ્યારે દાણી લિમડા બેઠક કચ્છ રણમાં ઝાંઝવાના નિર સમાન છે,

કડી વિધાનસભામાં કેમ છે દાવેદારોની ભરમાર !

દાણી લિમડા બેઠકનો ઇતિહાસ
વર્ષ 2010ની વસ્તી ગણતરી પ્રમાણે નવું સિમાંકન થયુ,જેમાં જમાલપુર શહેર કોટડા અને મણિનગર વિધાનસભાના કેટલાક ભાગને જોડીને
દાણીલિમડા વિધાનસભા બેઠક બની

Advertisement

વર્ષ 2012માં અહીથી કોંગ્રેસના શૈલેષપરમારે ભાજપના ગિરીશપરમારને હરાવ્યા હતા
વર્ષ 2017માં કોંગ્રેસના શૈલેષ પરમારે ભાજપના જીતુ ભાઇ વાધેલાને હરાવ્યા હતા

ઇડરિયા ગઢની ભાજપ કોને આપશે ચાવી !

ઐતિહાસિક ફેક્ટ

દાણી લિમડા વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી તે પહેલા શહેર કોટડા બેઠક પર 1975થી કોંગ્રેસનો પ્રભુત્વ રહ્યુ છે
વર્ષ 1975માં કોંગ્રેસના દિગ્ગજ નેતા નરસિહ મકવાણાએ રાષ્ટ્રિય મજદુર પક્ષના નારાણભાઇ પરમારને હરાવ્યા હતા
વર્ષ1980માં કોંગ્રેસ આઇના મનુભાઇ પરમારે જનતા પાર્ટીના મોહનલાલ મકવાણાને હરાવ્યા હતા,જ્યારે ભાજપના
ઉમેદવાર ગિરીશ ચંદ્ર પરમારને માત્ર 1782 મત સાથે ચોથા ક્રમે રહ્યા હતા,
વર્ષ 1985માં કોગ્રેસના મનુભાઇ પરમાર જનતા પાર્ટીના કાલિદાસ યાદવને હરાવ્યા હતા, જ્યારે જી કે પરમાર સીપીએમમાં થી
ચૂંટણી મળ્યા હતા, ત્યારે તેમને 2603 મત મળ્યા હતા,
વર્ષ 1990માં કોંગ્રેસના મનુભાઇ પરમારે ભાજપના ગોપાલ દાસ સોલંકીને હરાવ્યા હતા, એ સમયે જનતા પાર્ટીના જંયતિ લાલ બેચરદાસ
પરમારને 1124 મત મળ્યા હતા,
વર્ષ 1995માં ભાજપના ગિરીશ પરમારે કોંગ્રેસના દિગ્ગજ નેતા મનુભાઇ પરમારને હરાવ્યા હતા
જેની સાથે ભાજપ પ્રથમ વખત શહેર કોટડા બેઠક કમળ ખિલ્યુ હતું,. અને ભાજપની સરકાર બની
જો કે થોડાક સમય બાદ જ ગુજરાત ભાજપના પુર્વ અધ્યક્ષ શંકર સિહ વાધેલા બળવો કરતો ગિરીશ પરમાર
પણ શંકર સિહ સાથે વફાદારી નિભાવી અને તેઓ તેમની સાથે બળવામાં જોડાયા,, અને કેશુભાઇ સરકારનું પતન થયું
ગુજરાતમાં કોંગ્રેસના ટેકાથી રાજપાની સરકાર બનતા ગિરીશભાઇ પરમાર શ્રમ રોજગાર પ્રધાન બન્યા,,

વર્ષ 1998માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઇ,,કોંગ્રેસના મનુભાઇ પરમારે ભાજપના અશ્વિન બેંકરને હરાવ્યા,જ્યારે ત્રિજા ક્રમે
ભાજપ સરકાર સામે બળવો પોકારીને રાજપા સરકારમાં પ્રધાન બનેલા ગિરીશ ભાઇ પરમાર ઓલ ઇન્ડિયા રાષ્ટ્રિય જનતાપાર્ટીમાં થી
ચૂંટણી લડ્યા અને તેમને 10631 મત મળ્યા અને તેઓ ત્રિજા ક્રમે રહયા

Advertisement

વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં ભાજપની ભવ્ય જીત થઇ,,હિન્દુત્વની લહેરને કારણે
ભાજપના પુર્વ કોર્પોરેટર જીતુ વાધેલાએ કોંગ્રેસના સશાંક મનહર કુમાર દેશભક્ત(શૈલેષ પરમાર)ને હરાવ્યા,,
વર્ષ 2007માં કોંગ્રેસના શૈલેષ પરમારે ભાજપના જીતુ વાધેલાને હરાવ્યા

આમ શૈલેષ પરમારને પોતાના પિતાનો રાજકીય વારસો મળ્યો, તેઓ પોતાના પિતાની જેમ મતદારોમાં લોકપ્રિય બન્યા,તેઓ શહેર કોટડા પછી
દાણીલિમડા વિધાનસભામાં 2012 અને 2017માં જીત હાસંલ કરી,, અને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ઉપ નેતા બન્યા,,

અહીની વસ્તીની તાસીર પ્રમાણે 60 ટકા લધુમતિ જ્યારે 40 ટકા હિન્દુઓની વસ્તી છે, જે કોંગ્રેસ માટે વરદાન સાબિત થાય છે,
આ બેઠક માટે કહેવાય છે કે જે એસસી નેતાને ક્યાંય ટિકીટ ભાજપ ન આપે તેઓ આ સીટ ઉપર આવે છે,,એટલે કે
આ બેઠકને લાસ્ટ લોકલ તરીકે પણ ઓળખાય છે
સ્થાનિક કાર્યકરોની માનીએ તો અહી ઉત્તર ગુજરાતના એસસી વસ્તી વધુ છે,જેથી ભાજપ ઉત્તર ગુજરાતના સ્થાનિક
ઉમેદવારને ટિકીટ આપે તો સ્થિતિ બદલાઇ શકે છે,
ભાજપ સાથે ઉમેદવાર સંકડાયેલો તો હોય સાથે પ્રખર આબેંડકર વાદી પણ હોય,જે કોંગ્રેસના જીગ્નેશ મેવાણી જેવા
નેતાઓને જવાબ આપી શકે,


દાણી લિમડા વિધાનસભાના ઉમેદવારોની વાત કરીએ

શંભુનાથ ટુંડિયા,રાજ્ય સભાના પુર્વ સાસંદ,ગુજરાત એસસી મોર્ચાના પુર્વ પ્રમુખ,ઝાઝરકા ગાદીના મહંત છે,ગુજરાત એસસી માટે
સર્વ સ્વિકૃત નેતા છે,

Advertisement

સતિષ ટુડિયા- પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, અમદાવાદ

ભદ્રેશ મકવાણા-પ્રમુખ એસસી મોર્ચા, અમદાવાદ ભાજપ

ચંદ્રકાંત ચૌહાણ- કાઉન્સિલર મણીનગર વોર્ડ

ગિરીશ ભાઇ પરમાર- હારેલા ઉમેદવાર 2012- ભાજપ

જીતુ ભાઇ વાધેલા, – હારેલા ઉમેદવાર 2017 -ભાજપ,ગુજરાત અનુસુચિત જાતિ નિગમના પુર્વ ઉપાધ્યક્ષ

Advertisement

હિમાંશુ વાળા- વાસાણાના કાઉન્સિલર,ભાજપ

પ્રદીપ પરમાર,, ધારાસભ્ય, અસારવા-પ્રધાન સામાજીક ન્યાય બાબત,

સચિવાલયમાં પ્રધાનના વહીવટદારનો દબદબો !

કે સી રાઠોડ, પુર્વ સેક્રેટરી એએમસી
અમિત જ્યોતિકર- નેતા ભાજપ,,
તેમના પિતા ડો પી, જી જ્યોતિકરનું એસસી કોમ્યુનિટીમાં મોટો પ્રભાવ હતો,,અને ડો બાબા સાહેબ આંબેડકરના જીવન પર આધારિત સાહિત્યને લઇને
મોટુ યોગદાન છે, તેઓ ભાજપને હમેશાથી આબેંડકર સાહિત્યને લઇને હમેશા મદદ કરતા રહ્યા છે, બૌધ્ધિક છે, સ્થાનિક છે, તેઓ ઉત્તર ગુજરાતના છે,
નરેશ વ્યાસ,,પુર્વ કોર્પોરેટર,ભાજપ
ડીમ્પલ પ્રિયદર્શિની- નેતા એસસી મોર્ચા ભાજપ
અનિતા પરમાર, નેતા એસસી મોર્ચા ભાજપ
અરવિંદ કતપરા, પ્રદેશ કન્વીનર સોશિયલ મિડીયા એસસી સેલ ભાજપ

નર્મદા પરિક્રમાવાસીઓની સેવામાં જીવન ખપાવી દેનારા નવયુવાનની અદ્ભૂત કહાણી

Advertisement

પ્રધાન પ્રદીપ પરમારને ભાજપ દાણી લિમડા કેમ લડાવી શકે

આમ તો સરકારના કેબીનેટ પ્રધાન પ્રદીપ પરમારની ટીકીટ અસારવામાં ફાઇનલ માનવામાં આવે છે, કારણ કે તેમની કામગીરી ખુબ સારી છે
તેઓ ભુતકાળના પ્રધાનો કરતા આગળ નિકળીને માત્ર એસસી સમાજ નહી સર્વ સમાજના સ્વિકૃત નેતા બન્યા છે, લધુમતિ સમાજમાં પણ તેમનો
ખાસ પ્રભાવ જોવા મળે છે,, સુત્રો માને છે કે આ સીટ જો જીતવી હોય તો પ્રદીપ પરમાર જેવા ટ્રબલ શુટર, રાષ્ટ્રવાદી અને નિષ્ઠાવાન નેતાને
મૈદાનમાં ઉતારવામાં આવે તો શૈલેષ પરમાર અને કોંગ્રેસના અજેય ગઢને તોડી શકાય છે, બાકી ભાજપના કોઇ એસસી નેતામાં તાકાત નથી કે
તેમને હરાવી શકે,

નિર્લિપ્ત રાયને હટાવવામાં કોને છે રસ !


શંભુનાથ ટુંડીયા પણ દાણી લિમડા લડી શકે છે

શંભુનાથ ટુંડીયા પણ ગુજરાતમાં એસસી કોમ્યુનિટીમાં ખુબ પ્રભાવ ધરાવે છે, તેઓ ઝાઝરકા ગાદીના મહંત હોવાના નાતે પણ તેમની મતદારોમાં
સારી સ્વિકૃતી છે, ભુતકાળમાં તેમના કાકા ચતુર ભાઇ ટુડિયા પણ જમાલપુર વિધાન સભા બેઠકથી 2002માં ચૂંટણી લડ્યા હતા, પણ તેમને સફળતા
મળી ન હતી, ખુદ શંભુનાથ ટુડીયા દસા઼ડા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે, તેઓ રાજ્ય સભામાંથી સાસંદ પણ રહ્યા છે,,
તેમના ભાઇ સતિષ ટુંડિયા અમદાવાદમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહ્યાછે,

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

Advertisement

ફિલ્મી એક્ટ્રેશ ફ્લોરાનો બિન્દાસ્ત અંદાજ

નેપાળી એક્ટ્રેસ અદિતીની માદક અદાઓ થી ઘાયલ થાય ભારતિય ફેન્સ

અંકિતા દવેના સેક્સી લુકથી ફેન્સ થયા ઘાયલ

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.