Connect with us

અમદાવાદ

તિરંગા યાત્રા કોને ફળશે,ભાજપનો બાપુનગરમાં કાર્યક્રમ એક નિશાન અનેક !

Published

on

તિરંગા યાત્રા કોને ફળશે,ભાજપનો બાપુનગરમાં કાર્યક્રમ એક નિશાન અનેક !

એક તરફ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અમદાવાદ, વડોદરા સુરત જામનગર રાજકોટ જેવા મોટા મહાનગરોમાં મુલાકાત લઇને ભાજપની કમિટેડ શહેરી વોટ બેંકને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગુજરાતના મુખ્ય પ્રધાન પણ ગુજરાતમાં ભાજપની સત્તા જળવાઇ રહે તે માટે સમગ્ર રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે, જેના ભાગ રુપે અમદાવાદમાં 9 ઓગસ્ટના રોજ બાપુનગરમાં તિરંગા યાત્રામાં ભાગ લેશે જ્યારે 15મી ઓગસ્ટના રોજ પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ બાપુનગરમાં રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહેશે, આ બન્ને કાર્યક્રમો સંપુર્ણ રાજનિતિક છે, બાપુનગર આવીને પુર્વ વિસ્તારની તમામ વિધાનસભા સીટો ઉપર રાજકીય પ્રભાવ વધારવાની રણનીતિ બનાવી છે

ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનુ સ્વપ્ન રહેશે અધુરુ ! સટ્ટા બજારનો સર્વે

ગુજરાત વિધાનસભાની વર્ષ 2017માં યોજાયેલ ચૂંટણીમાં ભારતિય જનતા પાર્ટીને બાપુનગર વિધાનસભા બેઠક ગુમાવી હતી, જ્યારે દાણી લિમડા બેઠક 2012થી કોગ્રેસ પાસે છે, ત્યારે આ બેઠકો પર  ભાજપનો ભગવો લહેરાય તે માટે ખુદ ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ પણ બાપુનગર આવશે, જ્યારે અમરાઇવાડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ ભાજપ માંડ માંડ જીતી હતી, જ્યારે સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ઠક્કરનગર વિધાનસભામાં ચંદ્ર પ્રસાદ દેસાઇ હોલમાં તિરંગા યાત્રામાં હાજરી આપશે,,આમ તો આ બન્ને કાર્યક્રમો અમદાવાદના પુર્વ વિસ્તારમાં જ ખુબ રણનીતિ પુર્વ રાખવામાં આવ્યા છે, અમદાવાદ પુર્વ વિસ્તારની વાત કરીએ તો અહી બાપુનગર, અમરાઇવાડી, દાણી લિમડા, મણિનગર વટવા નિકોલ, નરોડા, અસારવા અને દરિયાપુર કાજીપુર, સાથે ખાડ઼ીયા અને જમાલપુર જેવી બેઠકોનો સમાવેશ થાય છે, ખાસ કરીને દાણી લિમડા, ખાડિયા જમાલપુર અને દરિયાપુર શાહપુર અને બાપુનગર એમ ચાર બેઠકો કોંગ્રેસ પાસે છે, ત્યારે આ કાર્યક્રમથી માધ્યમથી આ ચારેય બેઠકો ઉપર ભારતિય જનતા પાર્ટીના ઉમેદવાર જીતે તે માટે આ કાર્યક્રમના માધ્યમથી માહોલ ઉભો કરાશે,

સાબરડેરી પર કબ્જો કરવા શરુ થયો જંગ !

Advertisement

આમ તો બાપુનગર બીજેપી ના કોર્પોરેટર પ્રકાશ ગુર્જર ની ટિકિટ ફાયનલ માનવા માં આવે છે તેઓ ને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા સંકેતો આપી દેવામાં આવ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે..જેનાભાગ રૂપે તેમના દ્વારા જન સમ્પર્ક તેજ કરી દેવામાં આવ્યો છે..જોકે કોંગ્રેસ પક્ષ છોડી ને બીજેપીમાં જોડાયેલા દિનેશ શર્મા આ બેઠક માટે મજબૂત દાવેદાર ગણાય છે.તેઓને ખાસ પ્રદેશ ભાજપ દ્વારા સુરત માં યોજાયેલ કારોબારી બેઠક માં પણ ઉપસ્થિત રખાયા હતા જે પણ ઘણું સૂચક છે…તેઓ પણ આ બેઠક માટે પ્રયત્નશીલ છે જયારે પૂર્વ ગૃહ રાજય પ્રધાન ગોરધન ઝડફિયા રખિયાલ વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે.તેઓ પણ બાપુનગર બેઠક માટે મજબૂત દાવેદાર મનાય છે અત્યારે બાપુનગર બેઠક કોંગ્રેસ પાસે છે ત્યારે કોંગ્રેસ ના એમ એલ એ હિમ્મતસિંહ પટેલ નો બાપુનગર મત વિસ્તાર માં વ્યક્તિગત જન સમ્પર્ક જોતા તેમને હરાવવા મુશ્કેલ છે ત્યારે ભાજપ મજબૂત અને અનુભવી ને મેદાનમાં ઉતારી શકે છે

જો બાપુનગર વિધાનસભા બેઠકની વાત કરીએ તો

પુર્વ ગૃહ રાજ્ય પ્રધાન ગોરધન ઝડફિયા

હાઉન્સિંગ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેન  અશ્વિન પેથાણી

Advertisement

હેલ્થ કમિટીના વાઇસ ચેરમેન પ્રકાશ ગુર્જર

મ્યુનિસિપલ ભાજપના નેતા ભાસ્કર ભટ્ટ

સરસપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર દિનેશ કુશવાહ

ગુજરાત આયુર્વેદીક બોર્ડના ચેરમેન ડો હસમુખ સોની

ડો વિકાસ શુક્લા

Advertisement

મ્યુ કોંગ્રેસના પુર્વ નેતા દિનેશ શર્મા

નિવૃત ડીવાયએસપી તરુણ બારોટ

સીનિયર એડવોકેટ સુધીર બ્રહ્મભટ્ટ

ડો શ્રધ્ધા રાજપુત

પુર્વ હોસ્પિટલ કમિટી ચેરમેન નાગેશ દેવલપલ્લી

Advertisement

પુર્વ એમએમટીએસ ચેરમેન બાબુ ભાઇ ઝડફીયા

પંકજ શુક્લા,

અજય ભદોરિયા

ધીરેન્દ્ર સિહ તોમર

હિતેન્દ્રસિંહ રાજપૂત પ્રવક્તા વિશ્વ હિન્દૂ પરિષદ ગુજરાત

Advertisement

ઠક્કર નગર વિધાનસભાની વાત કરીએ તો

વલ્લભ ભાઇ કાકડિયા ધારાસભ્ય,

ગોરધન ઝડફિયા

મહેશ કસવાલા

Advertisement

ઇલેશ પાન્સુરિયા

પરેશ લાખાણી

ગૌતમ કથિરીયા

ભરત કાકડિયા

ભાવિક પટેલ

Advertisement

બિપિન પટેલ

દિલિપ કોઠીયા

ડો સુરેશ પટેલ

વિનુ ભાઇ રાદડીયા

શંભુ વાટલિયા પૂર્વ હેલ્થ કમિટીના ચેરમેન

Advertisement

પુર્વ ધારાસભ્ય કનુ કોઠીયા

નરસી પટેલ

અસારવાની વાત કરીએ તો

પ્રદીપ પરમાર ફાઇનલ માનવામાં આવે છે,, અને તેઓ 108 નામથી જનતા વચ્ચે ઓળખાય છે

Advertisement

 

નિકોલની વાત કરીએ તો

અહી  ઉદ્યોગ રાજ્ય પ્રધાન જગદીશ પંચાલને રીપીટ કરાય તેવી પ્રબળ સંભાવના છે

 

અમરાઇવાડી  વિધાનસભામાં પણ જગદીશ પટેલને પણ રિપિટ કરાય તેવી સંભાવના છે

Advertisement

વટવામાં પણ વાત કરીએ તો અહી પ્રદીપ સિહ જાડેજાને  રિપીટ કરાય તેવી સંભાવના છે,

મણિનગરની વાત કરીએ તો

સુરેશ પટેલ ધારાસભ્ય તો દાવેદાર છે,,તેમના સિવાય

અમુલ ભટ્ટ,પુ્ર્વ સ્ટેન્ડિંગ ચેરમેન

Advertisement

અસિત વોરા, પુર્વ મેયર

ધર્મેન્દ્ર શાહ, પુર્વ ચેરમેન ઔડા

દક્ષેશ મહેતા, પુર્વ ચેરમેન ઓક્ટ્રોય

મહેશ કસવાલા

નિશા ઝા,પુર્વ કાઉન્સિલર

Advertisement

આનંદ ડાગા,

શ્વેતા બ્રહ્મભટ્ટ

રમેશ અમીન,

નરેશ શાહ ચેરમેન ગુજરાત પંચાયત પસંદગી મંડળ

Advertisement

નરોડાની વાત કરીએ તો 

બલરામ થાવાણી ધારાસભ્ય

અશોક આશાણી

નિર્મલા વાધવાણી, પુર્વ ધારાસભ્ય

આશા ટેકવાણી

Advertisement

ડો પુરુષોત્તમ હરવાણી

કંચન પંજવાણી

બિપિન સિક્કા

વલ્લભ પટેલ, એએમટીએસ ચેરમેન

દિપિકા ત્રિવેદી

Advertisement

આમ અનેક ઉમેદવારો હાલ આ બેઠકો ઉપરથી દાવેદાર માનવામાં આવે છે, ત્યારે આગામી સમયમાં પાર્ટી દ્વારા યોજાનાર કાર્યક્રમોમાં દાવેદારો દ્વારા શક્તિપ્રદર્શન કરી, પાર્ટીના નેતૃત્વને પ્રભાવિત કરવાના પ્રયાસો કરાશે,જ્યારે જોવાનુ રહ્યુ કે ભાજપ કોના પર પ્રસન્ન થાય છે,,

કોંગ્રેસ કેવી રીતે જીતશે વિધાનસભા-125 સીટોની શુ છે રણનીતિ

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.