અમદાવાદ
ગુજરાતમાં આપથી કોને લાગ્યો ડર !

ગુજરાતમાં આપથી કોને લાગ્યો ડર !
હસમુખ પટેલે હર્ષ સંધવીને કેમ પુછ્યુ કે વ્યાજખોરો ડામવા માટે તમારી પાસે શુ યોજના છે
આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રચારના તમામ માધ્યમોનો ભરપુર ઉપયોગ કરી રહી છે,, જેમાં પ્રિન્ટ, દિવાલ ચિત્રો,સોશિલય મિડીયા અને ટીવી મિડીયા થકી ગુજરાતના મતદારો
સુધી પહોચવાની રણનિતિ બનાવી છે, પણ છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ઇલેક્ટ્રોનિક્સમ મિડીયાના પેનલ ડીસ્કસનનમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તાને બોલાવવામાં ટાળવામાં આવી રહ્યા છે,તેનાથી આમ આદમી પાર્ટીના નેતાઓ નારાજ થઇ છે, ત્યારે આમ આદમી પાર્ટી ચોથી
જાગીરના વિશ્વસનિયતા અને તટસ્થા ઉપર સવાલ ઉભા કર્યા છે, આપના નેતાઓએ સવાલ ઉભો કર્યો છે કે ગુજરાતની ચોથી જાગીર કોનાથી ડરે છે,ત્યારે ગુજરાતના મિડીયા વલણ બાબતે અરવિંદ કેજરીવાલને પણ જાણ કરી દેવાઇ છે,,આગામી દિવસોમાં આને લઇને પણ નિશ્ચિત
રણનિતિ બનાવાશે તેમ આપના નેતાઓ જણાવી રહ્યા છે,
આમ આદમી પાર્ટીએ દિલ્હી બાદ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ 27 વરસથી ભાજપનો ગઢ બનેલ ગુજરાતમાંથી ભાજપને સત્તા સ્થાનેથી ઉખાડી ફેકવા માટે
આમ આદમી પાર્ટીના રણનિતિકારોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે..ગુજરાતમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમ દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા કરેલા
કામો અને યોજનાઓને લોકો સુધી લઇ જઇ રહ્યા છે, તેનો પ્રચારના તમામ માધ્યમો થકી કરી રહ્યા છે,,આમ આદમી પાર્ટીએ ગરીબ મધ્યમ વર્ગ માટે મફત વિજળી, મહોલ્લા ક્લિનીક
શિક્ષણ સહિત વિવિધ વિભાગો આપની સરકારની કામગીરી લોકોના ઘરે ધરે પહોચાડવા માટે ખાસ અભિયાન હાથ ધરાયુ છે, રેલી ,ખાટલા બેઠકો કરી આમ આદમી પાર્ટી કોઇ ખાસ લોકો માટે નહી
કોઇ ઉદ્યોગપતિઓ માટે નહી, કોઇ વેપારીઓની નહી પણ સામાન્ય લોકોની પાર્ટી હોવાનુ પ્રસ્થાપિત કરવામાં સફળ થયા છીએ તેમ આમ આદમી પાર્ટીના ગુજરાતના ખજાન્ચી કૈલાશ ગઢવીએ દાવો કર્યો છે
કૈલાશ ગઢવીએ વધુમાં જણાવ્યુ છે કે ગુજરાતમાં ભાજપની વિદાય નિશ્ચિત છે, ભાજપના ગુજરાત મોડેલનો આમ આદમી પાર્ટીએ પર્દાફાસ કરી દીધો છે, ગુજરાત મોડેલ ગરીબ, મધ્યમવર્ગ, ખેડુત વિરોધી હોવાનુ પ્રોસ્થાપિત થઇ ચુક્યુ છે, આગામી સમયમાં ગુજરાતની જનતા
આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનું મન બનાવી ચુકી છે, ગુજરાતમા 182 વિધાનસભા બેઠકો પર આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં સમગ્ર ગુજરાતમાં લોકો સ્વયંભુ ઉમટી પડ્યા હતા, ગામે ગામ લોકો દ્વારા આવકાર આપવામાં
આવ્યો હતો, જેને પરિણામે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વર્ષ 2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં સરકાર બનવાનુ નિશ્ચિત દેખાય છે, ત્યારે સત્તા જવાના ડરથી ગુજરાતની ભાજપ સરકાર ડરી ગઇ છે, આગામી વિધાનસભાની ચૂંટણી ડર ભાળી ગયેલ ભાજપ સરકારે ભારતના બંધારણમાં મિડીયાને સંપુર્ણ સ્વતંત્રતા અપાઇ છે, તેવી ચોથી જાગીરને ભાજપના સત્તાધીશો સત્તાના જોરે બાનમાં રાખી રહ્યો હોય તેવી સ્થિતિનો નિર્માણ થઇ રહ્યો છે, ઇન્દિરાગાંધીની કટોકટીની ગુજરાતની ભાજપ સરકાર યાદ અપાવી રહી છે, જે પ્રકારે
ઇન્દિરાગાંધીની સરકારમાં મિડીયાની સ્ક્રીપ્ટો નક્કી થતી હતી, એ પ્રકારે ગુજરાતમાં મિડીયાના એજન્ડા પણ કમલમ માંથી નક્કી થાય છે, ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ કરતા પણ આમ આદમી પાર્ટી મજબુત સ્થિતિમાં છે એટલા માટે આમ આદમી પાર્ટીના પ્રવકતાઓ ટીવી ડીબેટમાં
ભાજપ અને કોગ્રેસ બન્નેના પ્રવક્તાને હંફાવી દેતા હતા, બોલતી બંધ કરી દેતા હતા, અને ભાજપ સરકારની નિષ્ફળતાઓ જનતા ખુલ્લી પાડતા હતા, પરિણામે આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓને ગુજરાતનુ સાચુ ચિત્ર રજુ કરવાની રણનિતિ સામે ભાજપ ડરી ગયુ હોય તેમ લાગે છે,,
કારણ કે આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓનુ કેટલિક મિડીયા હાઉસોએ ચાલુ ડીબેટમાં અપમાનિત કરી કાઢી મુક્યા, અને હાલ તો આપના પ્રવક્તાને પેનલ ડીસ્કસનમાં બોલાવવાનુ સંપુર્ણ બંધ કરી દેવાયા છે,
ત્યારે આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગઢવીએ આરોપ લગાવ્યો છે કે કેટલાક મિડીયા હાઉસો કમલમના કાર્યકર્તાઓ બની ગયો હોય તેવી રીતે વર્તી રહ્યા છે, એમને એ વાતને યાદ રાખવી જોઇએ કે પોલીટીકલ પાર્ટીની સત્તા આવે અને જાય છે, કોઇ કાયમી હોતુ નથી
એક સમયે ઇન્દિરા ઇઝ ઇન્ડિયા હતું, આજે દેશમાં મોદી ઇઝ ઇન્ડિયા છે,તેવો વાતાવરણ બનાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે, પણ યાદ રાખવાની જરુર છે, દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે,,ગુજરાતમાં 27 વર્ષ જુની ભાજપ સરકારને ગુજરાતનો આમ આદમી
ગાંધીનગરમાંથી કાઢી મુકવાનો છે, ત્યારે મિડીયાએ તટસ્થાથી વર્તવાનુ હોય છે, કોઇ પાર્ટીના ઇશારે નાચવાનું નથી,
આ ઘટનાની નોધ આમ આદમી પાર્ટીએ લીધી છે,,સાથે ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટી સાથે કેટલાક મિડીયા ભેદભાવ ભર્યુ વલણ અપનાવી રહ્યા છે,,તેને લઇને આગામી દિવસો આવા મિડીયા હાઉસોને જનતા સમક્ષ ખુલ્લા પડાશે,
વડા પ્રધાન નરેદ્રમોદીએ માતા સાથે ભગવાન રામ લક્ષ્મણ અને જાનકીની કંયા કરી પુજા !
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ