Connect with us

અમદાવાદ

કયા નેતાઓએ લાઠીચાર્જ કરવાનો હુકમ કર્યો અને નિવૃત્ત જવનનો જીવ ચાલ્યો ગયો?: ઈસુદાન ગઢવી

Published

on

નિવૃત્ત જવાનોની હત્યા થાય એ ખૂબ જ દુઃખદ ઘટના છે: ઈસુદાન ગઢવી

હું અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા નિવૃત્ત જવાનોના ધરણા પ્રદર્શન વાળી જગ્યાએ ખબર લેવા ગયા હતા: ઈસુદાન ગઢવી

નિવૃત સૈનિકોની માંગોને લઈને જે રીતે તેમના પર અત્યાચાર કરવામાં આવે છે તે યોગ્ય નથી: ઈસુદાન ગઢવી

ચીનની ગોળીથી બચી ગયા, પાકિસ્તાનની ગોળીથી બચી ગયા પરંતુ ભાજપના શાસનથી ન બચી શક્યા અને નિવૃત્ત જવાનનું મૃત્યુ થયું: ઈસુદાન ગઢવી

જો સરકારથી માંગ પૂરી ન થઈ શકતી હોય તો તે ના પાડી દે, પરંતુ જવાનો પર હુમલા કરવાની શું જરૂર છે?: ઈસુદાન ગઢવી

Advertisement

ઉદ્યોગપતિઓ તો ક્યારેય ધરણા ઉપર નથી બેસતા છતાંય એમનું 10,00,000 કરોડ રૂપિયાનું દેવું માફ કરી દો છો, અને સરહદ પર પોતાની જાનની બાજી લગાવતા જવાનોની માંગ સરકાર સાંભળતી નથી: ઈસુદાન ગઢવી

ભાજપના કયા નેતાઓએ લાઠીચાર્જ કરવાનો હુકમ કર્યો અને નિવૃત્ત જવનનો જીવ ચાલ્યો ગયો?: ઈસુદાન ગઢવી

નિવૃત જવાનની મૃત્યુ દર્શાવે છે કે ભાજપને શાસન કરતા આવડતું નથી, રિમોટ કંટ્રોલથી ભાજપની સરકાર ચાલે છે: ઈસુદાન ગઢવી

નિવૃત જવાનની મૃત્યુ બાદ ભાજપનો આ ચહેરો ખુલ્લો પડી ગયો છે કે તે જેમ ખેડૂત વિરોધી છે એવી જ રીતે જવાન વિરોધી પણ છે: ઈસુદાન ગઢવી

ગોમતીપુર વાળી ઘટનામાં આમ આદમી પાર્ટીના કોઈપણ કાર્યકર્તાએ હુમલો નથી કર્યો: ઈસુદાન ગઢવી

Advertisement

ગોમતીપુરમાં જે વ્યક્તિ ઘાયલ થયા છે તેમની સાથે અમારી સહાનુભૂતિ છે: ઈસુદાન ગઢવી

ભાજપ આમ આદમી ઉપર ઘણા આક્ષેપો કરશે, જીવલેણ હુમલાઓ કરશે, સીબીઆઇ, ઇડી, ઇન્કમટેક્સનો દૂરઉપયોગ કરશે એટલે મારી ગુજરાતની જનતા થી વિનંતી છે કે તમે ભ્રમિત થતા નહીં: ઈસુદાન ગઢવી

ભાજપવાળા 27 વર્ષમાં સારું શિક્ષણ નથી આપી શક્યા, સારું સ્વાસ્થ્ય નથી આપી શક્યા, એમને બસ પોતાના જ ઘર ભર્યા છે, તે માટે ભાજપ જનતાને મુદ્દાથી ભટકાવી શકાય તેવું ષડયંત્ર કરી રહી છે: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી 182 વિધાનસભામાં જે પણ ઉમેદવારો ઉતારશે તે સર્વેના આધારે અને લાયક ઉમેદવાર ઉતારશે: ઈસુદાન ગઢવી

ભાજપ ગુજરાત થી જઈ રહી છે અને આમ આદમી પાર્ટી આવી રહી છે તે જોઈને ભાજપ બોખલાઈ ગઈ છે: ઈસુદાન ગઢવી

Advertisement

ભાજપ પાસે હવે ફક્ત દોઢ જ મહિનો છે, એટલે ઈમાનદાર આમ આદમી પાર્ટી ઉપર ભાજપ કિચડ ઉછાળવાનું બંધ કરી દે: ઈસુદાન ગઢવી

 

આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ મીડિયાને સંબોધતા કહ્યું કે, નિવૃત્ત જવાનોની હત્યા થાય એ ખૂબ જ દુઃખદ ઘટના છે. ગતરોજ હું અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ અમે બંને નિવૃત્ત સૈનિકો જ્યાં બેઠા હતા ત્યાં ગયા હતા. તેમની માંગોને લઈને જે રીતે નિવૃત સૈનિકો પર અત્યાચાર કરવામાં આવે છે તે યોગ્ય નથી. જો સરકારથી માંગ પૂરી ન થઈ શકતી હોય તો તે ના પાડી દે, પરંતુ તેમના પર હુમલા કરવાની શું જરૂર છે? આના પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાજપ જવાન વિરોધી છે. જેમ ખેડૂત વિરોધી છે એવી જ રીતે જવાન વિરોધી ભાજપનો આ ચહેરો ખુલ્લો પડી ગયો છે.

જે રીતે જવાનો એમની માંગણી લઈને શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા ત્યારે ભાજપના કયા નેતાઓએ લાઠીચાર્જ કરવાનો હુકમ કર્યો અને લાઠીચાર્જ કર્યા બાદ બેરહેમીના કારણે એમનો જીવ ચાલ્યો ગયો. ઉદ્યોગપતિઓ તો ક્યારેય ધરણા ઉપર નથી બેસતા છતાંય એમને તો તમે બધું આપી દો છો, 10,00,000 કરોડ રૂપિયાનું દેવું માફ કરી દો છો, પરંતુ તેમણે જરૂર જ નથી. આ લોકો સરકાર પાસે કંઈક માંગ કરી રહ્યા છે અને આ તે લોકો છે જે તમારી અને મારી સુરક્ષા માટે, સરહદ પર પોતાની જાનની બાજી લગાવે છે. તમે વિચાર કરો કે ચીનની ગોળીથી બચી ગયા, પાકિસ્તાનની ગોળીથી બચી ગયા પરંતુ ભાજપના શાસનથી ન બચી શક્યા અને નિવૃત્ત જવાનનું મૃત્યુ થયું. ભાજપ નાકામયાબ સાબિત થઈ છે અને ભાજપને શાસન કરતા આવડતું નથી. રિમોટ કંટ્રોલથી ભાજપની સરકાર ચાલે છે જે સરકાર સી.આર.પાટીલ બેકફુટ ઉપર ચલાવે છે અને એ જ કારણસર આ નિવૃત્ત જવાનનું મૃત્યુ થયું છે.

ઈસુદાન ગઢવીએ આગળ કહ્યું કે, આખા દેશને ખબર છે કે ગુંડાઓની, બેઈમાનોની પાર્ટી કોણ છે. આમ આદમી પાર્ટીના લોકો પર વારંવાર હુમલાઓ કરવા, હમણાં જ સૌએ જોયું છે કે અમારા મહામંત્રી મનોજ સોરઠીયાનું માથું ફાડી નાખ્યું હતું. મીડિયાને પણ ખબર છે કે તે કોણ છે. ભાજપના લોકો આમ આદમી પાર્ટીથી ખૂબ જ ડરી ગયા છે. ગોમતીપુર વાળી ઘટનામાં આમ આદમી પાર્ટીના કોઈપણ કાર્યકર્તાએ હુમલો નથી કર્યો. જે વ્યક્તિ ઘાયલ થયા છે તેમની સાથે અમારી સહાનુભૂતિ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો નથી કર્યો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે ડોર ટુ ડોર કેમ્પેનમાં લોકોના ઘરે ઘરે જઈને ગેરંટી કાર્ડ વેચી રહ્યા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ ત્યાં આવીને વિરોધ કર્યો હતો. છતાંય ત્યાં અમારા કાર્યકર્તા ગીતાબેન અને એમના પતિ તે જગ્યા છોડીને ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ પાછળથી જે લોકોએ આ કામ કર્યું હોય તેની અમને કોઈ જાણ નથી.

Advertisement

આમ આદમી પાર્ટીને બદનામ કરવાની ભાજપ વાળા કોઈ કસર છોડતા નથી. આમ આદમી પાર્ટી શરીફોની પાર્ટી છે. આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર, કટ્ટર દેશભક્ત પાર્ટી છે. ભાજપવાળા 27 વર્ષમાં સારું શિક્ષણ નથી આપી શક્યા, સારું સ્વાસ્થ્ય નથી આપી શક્યા, એમને બસ પોતાના જ ઘર ભર્યા છે. તે માટે ભાજપ જનતાને મુદ્દાથી ભટકાવી શકાય તેવું ષડયંત્ર કરી રહી છે. ભાજપ આમ આદમી ઉપર ઘણા આક્ષેપો કરશે, જીવલેણ હુમલાઓ કરશે, સીબીઆઇ, ઇડી, ઇન્કમટેક્સનો દૂરઉપયોગ કરશે એટલે મારી ગુજરાતની જનતા થી વિનંતી છે કે તમે ભ્રમિત થતા નહીં.

ભાજપ ગુજરાત થી જઈ રહી છે અને આમ આદમી પાર્ટી આવી રહી છે તે જોઈને ભાજપ બોખલાઈ ગઈ છે. એટલે અર્બન નક્સલવાદીઓ જેવા મુદ્દાઓ હવે ભાજપ વચ્ચે લાવી રહી છે. આમ આદમી પાર્ટી 182 વિધાનસભામાં જે પણ ઉમેદવારો ઉતારશે તે સર્વેના આધારે અને લાયક ઉમેદવાર ઉતારશે. તે માટે જો ભાજપ કોઈ ચાલ ચાલી રહી હોય તો તે સપના જોવાનું છોડી દે. ભાજપ પાસે હવે ફક્ત દોઢ જ મહિનો છે, એટલે ઈમાનદાર આમ આદમી પાર્ટી ઉપર ભાજપ કિચડ ઉછાળવાનું બંધ કરી દે. ભગવાનથી પ્રાર્થના છે કે હવે ગુજરાતને ભાજપના ભ્રષ્ટ શાસનથી મુક્ત કરાવે.

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.