Connect with us

અમદાવાદ

ઉત્તર ગુજરાતમાં કયા કોંગ્રેસી ધારાસભ્યને કમલમ પેકેજ મળ્યું !

Published

on

file photo

ઉત્તર ગુજરાતમાં કયા કોંગ્રેસી ધારાસભ્યને કમલમ પેકેજ મળ્યું!

શુ કિરીટ પટેલ ભાજપમાં જોડાશે !

રાજ્ય સરકારે કેમ નિયમો નેવે મુકી તેમના અંગત ને આપી નિમણુંક !

 

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો

અમદાવાદ
રાજ્યની ભાજપ સરકારે કોગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના નાના ભાઇની ઉત્તર ગુજરાત યુનિ,માં સિન્ડીકેટ સભ્ય તરીકે
નિમણુંક કરતા ઉત્તર ગુજરાતની રાજનિતમાં ભુકંપ સર્જોયો છે, દિલિપ પટેલે ને 3 વરસ માટે કારોબારી સભ્ય તરીકે રોટેશન મુજબ નંબર આવતો હતો પણ ત્યારે યુનિ, નિમણુંક આપી ન હતી જેથી તેઓ હાઇકોર્ટમાં ગયા હતા

ત્યારે હાઇકોર્ટે આપેલ ચુકાદાને યુનિવર્સિટીએ પડકારવુ જોઇએ પણ તેઓએ પકડકારવાનું ટાળ્યુ હતુ,પાટણ વિધાનસભાના

Advertisement

ભાજપના દાવેદારો પણ આ નિમણુંકને લઇને ચોંકી ઉઠ્યા છે, ભાજપ સમર્થિત પ્રોફેસરના બદલે કોગ્રેસના ધારાસભ્ય ભાઇની નિમણુંક કેમ કરાઇ તેને લઇને યુનિ,થી લઇને ઉત્તર ગુજરાતના
નેતાઓ માથા મચ્ચી કરી રહ્યા છે, ત્યારે શુ એવી ભાજપની મજબુરી છે કે પોતાના બદલે પારકાને ગળે લગાડવાની જરુર પડી છે,, ત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે
ભાજપને વિધાનસભામાં બાનમાં લેતા કિરીટ પટેલને ભાજપના ખુંટે બાંધવાની તૈયારી ચાલી રહી છે,,

 

 

નિમણુક પત્ર

નિમણુક પત્ર

 

 

 

Advertisement

કિરીટ પટેલને ભાજપમાં જોડવાનો પ્લાન !

ઉત્તર ગુજરાત યુનિં.માં ગુજરાત યુનિ.ના પુર્વ કુલપતિ આદેશ પાલ અંગ્રેજી વિભાગના વડા તરીકે ફરજ બજાવતા હતા, રાજકિય દ્વેશ ભાવના રાખી તેમને ફરજિયાત રિટાયર્મેન્ટનો રાજ્ય સરકારે આદેશ કર્યો હતો,
જેની સામે ગુજરાત હાઇકોર્ટે મનાઇ હુકમ આપેલ છે, આદેશ પાલની ફરજિયાત નિવૃતિના કારણે ખાલી પડેલ સિન્ડીકેટમાં નિશિથ ભટ્ટની નિમણુંક કરાઇ હતી, જો કે થોડાક મહીનાઓ જ કોગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે
રાજ્ય સરકારમાં રજુઆતો કરીને નિશિથ ભટ્ટને હટાવડાવ્યા હતા, અને પોતાના ભાઇ દિલિપ પટેલને નિમણુક કરવા માટે રજુઆતો કરી હતી,
રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ ભાઇ વાધાણીને તેમણે કરેલી રજુઆત રંગ લાવી,,અને વાધાણીએ નિમણુક આપી દીધી છે, આ નિમણુક થતાની સાથે જ ઉત્તર ગુજરાતની રાજનિતિમાં
કિરીટ પટેલની કોગ્રેસની વફાદારી સામે તર્ક વિતર્કો થવા લાગ્યા છે, જે પ્રકારે સ્વ, આશા પટેલે કોગ્રેસનો પંજો છોડી ભાજપનું કમળ હાથમાં લીધુ હતુ, એ જ પ્રકારે એમના સાથી કિરીટ પટેલ પણ
ગુજરાત વિધાનસભાની ચૂટણી પહેલા કમલમના ખિલ્લે બંધાઇ જાય તો નવાઇ નહી તેવી ચર્ચાઓ ચાલી રહી છે,,

 

પૈસો મારો પરમેશ્વરને હુ પૈસાનો દાસ ગીત ગાતા ઔડાના અધિકારીઓ !

હાઇકોર્ટ કરતા જીતુ વાધાણી મોટા !

Advertisement

બીજી બાજુ કિરીટ પટેલના ખાસ અંગત મનાતા હેતલ પટેલની ઉત્તર ગુજરાત યુનિં,માં પુન નિયુક્તિ કરવાના રાજ્ય સરકારના આદેશે પણ અનેક સવાલો ઉભા કર્યા છે,
ઉત્તર ગુજરાત યુનિ.માં હેતલ પટેલ પ્રોફેસર તરીકે જોડાયા હતા, તેમના પ્રોબેસનના પિરીયડ દરમિયાન તેમનુ પરફોર્મંસ બરાબર ન હોવાથી તેમને ટર્મિનેશન કરવાનો નિર્યણ કરાયો હતો
જો કે બાદમાં વધુ છ મહિના આપવાનો નિર્યણ કરાયો હતો, તેમ છતા તેમનો પરફોર્મંશ ન સુધરતા તેમને 7 માર્ચ 2020ના રોજ કાઢી મુકાયા હતા,
ઉત્તર ગુજરાત યુનિ,ના આદેશની સામે તેઓ ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા, જેમાં જસ્ટીસ બિરેન વૈષ્ણવની કોર્ટે હેતલ પટેલની વિરુધ્ધમાં ઓર્ડર ઇશ્યુ કર્યો હતો
સિંગલ બેંચના ઓર્ડરની સામે તેઓ ડબલ બેંચમાં ગયા હતા, હાલ ગુજરાત હાઇકોર્ટમાં કેસ ચાલુ છે,
ત્યારે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટના આદેશની રાહ જોયા વગર શિક્ષણ પ્રધાન જીતુવાધાણીની સુચના મુજબ શિક્ષણ વિભાગે હેતલ પટેલને પરત લેવાનો ઉત્તર ગુજરાત યુનિ,ને આદેશ કર્યો છે
ત્યારે અનેક લોકોના મનમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે ગુજરાત હાઇ કોર્ટ કરતા જીતુવાધાણી મોટા થઇ ગયા છે,

 

નિમણુક પત્ર

નિમણુક પત્ર

નિમણુક પત્ર

નિમણુક પત્ર

ગુજરાતના ટુરિઝમને વધારશે ભાડુતી સિહ !

 

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો

ઉત્તર ગુજરાતની રાજનિતિમાં ધુસપુસ શરુ !

કિરીટ પટેલની ફેવરમાં લીધેલા રાજ્ય સરકારના બે નિર્યણથી ઉત્તર ગુજરાતની રાજનિતિમાં ચહલ પહલ શરુ થઇ છે,
ચર્ચાઓ એ છે કે આગામી 2022ની ચુટણી કિરીટ પટેલ ભાજપ તરફી લડશે, અને એના માટેનો આ સોદો કરાયો છે કારણ કે
ઉત્તર ગુજરાત યુનિ.માં કોગ્રેસનુ પ્રભુત્વ રહ્યુ છે,કોગ્રેસના કિરીટ પટેલ વિદ્યાર્થી રાજનિતિ કરીને ધારાસભ્ય થયા છે,તેઓ પહેલા પુર્વ પંચાયત પ્રધાન રણછોડ રબારીના ખુબ અંગત વિશ્વાસુ સાથી હતા
પાટીદાર અનામત આદોલન દરમિયાન કિરીટ પટેલ ઉત્તર ગુજરાતમાં મોટા નેતા તરીકે ઉભરી આવ્યા,,તેઓએ પોતાના સાથી એવા રણછોડ ભાઇને 2017માં હરાવીને વિધાનસભા પહોચ્યા હતા

Advertisement

 

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો

કિરીટ પટેલના આવવાથી કોના પેટમાં રેળાશે તેલ !

ગુજરાત વિધાનસભાની ચૂટણી વર્ષના અંતે યોજાનાર છે ત્યારે
બીજેપી 182 સીટો જીતવાના મિશન સાથે કોગ્રેસના શક્તિશાળી ગણાતા ધારાસભ્યોને કમળ પેકેજની ઓફર આપી રહી છે
સુત્રોની માનીએ તો ઉત્તર ગુજરાતના પાટીદાર ધારાસભ્યને ભાજપે કેસરીયા કરવા માટે રણનિતિ બનાવી લીધી છે,ત્યારે એ સિવાય પણ અનેક ધારાસભ્યો ભાજપના રડાર ઉપર છે
ત્યારે હાલ જે રીતે કિરીટ પટેલ સામે ભાજપે ટુકડો ફેકીને તેમને ભાજપનો પટ્ટો પહેરવાનો નિર્યણ કરાયો હોવાની ચર્ચા ચાલી રહી છે, જોકે આ નિર્ણયને લીધે
ભાજપના ઉત્તર ગુજરાતના નેતાઓને પેટમાં તેલ રેડાયુ છે,કારણકે કિરીટ પટેલ જો ભાજપમાંથી લડે તો તેમની ચૂટણી લડવાનો સ્વપ્ન રોળાઇ જાય તેમ છે,
અત્યારે પાટણમાં મોહન લાલ પટેલ, અને પુર્વ પ્રદેશ મહામંત્રી કાંતિલાલ પટેલ, અને પુર્વ પંચાયત પ્રધાન રણછોડ ભાઇ રબારી વિધાન સભા ઇલેક્શન માટે મહેનત કરી રહ્યા છે, ત્યારે હવે કિરીટ પટેલની ભાજપમાં આવવાની
ચર્ચાથી તેઓ માથે હાથ દઇને બેઠા છે,

ઠક્કર નગર વિધાનસભામાં કયા પક્ષના કેટલા ઉમેદવાર- આ રહ્યુ લિસ્ટ !

ઉત્તર ગુજરાતમાં લેઉઆ પાટીદારોની રાજનિતિનો ઉદય !

સુત્રોની માનીએ તો શિક્ષણ પ્રધાન જીતુ વાધાણી લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે,જયારે કિરીટ પટેલ પણ લેઉઆ પાટીદાર સમાજમાં થી આવે છે, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો
મોટા ભાગે ભાજપમાં કડવા પાટીદારોનો વર્ચસ્વ રહ્યુ છે, નિતિન પટેલ, શારદા બેન પટેલ, અનિલ પટેલ, રજની પટેલ, રમણ પટેલ, કે સી પટેલ, જેવા નેતાઓનુ વર્ચસ્વ રહ્યુ છે
પરિણામે ઉત્તર ગુજરાતમાં લેઉઆ પાટીદારોને જોઇએ તેટલુ મહત્વ મળતુ નથી, ત્યારે લેઉઆ પાટીદારોને ભાજપ એક કરવાની કવાયત કરી રહી છે,, જેથી ખોડલ ધામના નરેશ પટેલને અસરને ખાળી શકાય,

Advertisement
Continue Reading
Advertisement
3 Comments

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.