Connect with us

અમદાવાદ

કયા નેતાને પત્ની પડી ભારે !

Published

on

પત્નીના પાટીદાર પાવર સામે શુ ભરત સોલંકીનુ થશે રાજકીય સુર્યાસ્ત !

 

પુ્ર્વ કેન્દ્રિય મંત્રી ભરત સિહ સોલંકીની પત્ની રેશ્મા પટેલ સોલંકીએ આજે બોરસદના વહેરા ગામ સ્થિત વૈભવી બંગલાનુ કબ્જો લઇ લીધો છે
તેઓએ આના માટે આણંદ એસ પી પાસે પ્રોટેક્સનની માંગ કરી છે,, ઉલ્લેખનિય છે કે છેલ્લા એક વરસથી તેઓ અમેરિકા હતા
તેમની માનીએ તો તેમને ભરત સિહ સોલંકી તરફ સતત ધમકી મળતી હોવાથી તેઓ અમેરિકા જતા રહ્યા હતા,
પણ પોતાનો પત્ની તરીકેનો હક લેવા માટે આણંદ પહોચ્યા છે,,

કયા નેતાની પત્નીએ કહ્યુ આ ઘરમાંથી નિકળશે મારી લાશ !

Advertisement

રેશ્મા પટેલ અને કોગ્રેસી નેતા ભરત સિહ સોલંકીના દમ્પત્ય જીવનમાં છેલ્લા ઘણા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે,,
પરિણામે રેશ્મા પટેલે ભરત સિહ સોલંકી ઉપર અનેક મહિલાઓ સાથે શારિરીક સંબંધ હોવાનો પણ આરોપ લગાવ્યા છે
ત્યારે ભરત સિહ સોલંકીએ રેશ્મા પટેલ વિરુધ્ધ જાહેર નોટિસ આપીને તેમની સાથે કોઇ પણ પ્રકારના આર્થિક વ્યવહાર
ન કરવાની ચેતવણી આપી હતી,પણ રેશ્મા પટેલ બોરસદ આવીને જે રીતે ઘર ઉપર કબ્જો જમાવ્યા પછી કહ્યુછે કે હુ પતિની સાથે રહીશ,અને આ ઘરમાઁથી મારી લાશ નિકળશે

ગુજરાત કોગ્રેસના 20 ધારાસભ્યો ભાજપના ટાર્ગેટ પર !

ભરત સિહ સોલંકીનુ દામ્પત્ય જીવન બગાડી શકે છે રાજનિતિક બાજી

તમને થશે કે પેટલાદ વિધાનસભા અને ભરત સિહ સોલંકીના દમ્પત્ય જીતવને શુ સંબંધ હોઇ શકે,,
તો તમને બતાવી દઇએ કે ભરત સિહ સોલંકી આ વખતે પેટલાદ વિધાનસભા બેઠક પરથી ચૂટણી લડવા માટે
તૈયારી કરતા હોવાનુ સુત્રો કહી રહ્યા છે,,હવે જો ભરત સિહ પેટલાદથી લડશે તો છ ટર્મ કોગ્રેસના ધારાસભ્ય રહેલા નિરંજન પટેલનુ શુ થશે,,
તો તમને આપીએ બ્રેકિંગ ન્યૂઝ,,નિંરંજન પટેલ લડી શકે છે ભાજપ તરફથી,,તમને આંચકો લાગેશ કે છ ટર્મના પીઢ કોગ્રેસી નેતા ભાજપની કંઠી કેવી રીતે બાંધી શકે છે,
તો આ વખતે પેટલાદમાં સેન્ટિમેન્ટ કામ કરી રહ્યા છે,,સેન્ટીમેન્ટ રેશ્મા પટેલ સાથે ભરત સિહે કરેલા અન્યાયની,,
રેશ્મા પટેલ પાટીદાસ સમાજમાંથી આવે છે, પાટીદારોના એક વર્ગમાં રેશ્મા પટેલ અને ભરત સિહ સોલંકીના વિવાદને લઇને ખુબ નારાજગી છેત્યારે આ વખતે જ્યારે કોગ્રેસમાંથી સ્વયમ ભરત સિહ પેટલાદ સીટ ઉપરથી ઇલેક્શન લડશે તેવી ચર્ચાએ જોર પકડ્તા પાટીદાર સમાજના આગેવાનોએ
નિરંજન પટેલને કોગ્રેસ છોડી ભાજપના ખુંટે બંધાવાની સલાહ આપી છે,
ત્યારે સુત્રોની માનીએ તો નિરંજન પટેલે પણ આ વખતે કેસરીયો કરવાનુ મન બનાવ્યુ છે,,

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

Advertisement

શુ છે ભાજપનું ઓપરેશન અરવલ્લી- સાબરકાંઠા !

હવે સમજીએ પેટલાદ બેઠકની તાસીર

વર્ષ 1990માં જનતા દળના ઉમેદવાર તરીકે નિરંજન પટેલ ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટાયા
ભાજપના ટેકાથી ગુજરાતામાં જનતા દળના ચિમન ભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા
બાબરી ઢાંચો ધ્વસ્ત થતા ભાજપે જનતાદળને આપેલો ટેકો પાછો ખેચ્યો
મુખ્યમંત્રી ચિમન ભાઇ પટેલે સત્તા જાળવી રાખવા કોગ્રેસનો ટેકો લિધો અને સત્તા જાળવી રાખી
તેમણે જનતા દળનુ કોગ્રેસમાં વિલય કર્યુ,
નિરંજન પટેલ વર્ષ 1995, 1998માં કોગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા,,
વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ રાજ્યામાં હિન્દુત્વની લહેર ચાલી,ત્યારે યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં
કોગ્રેસના નિરંજન પટેલ ભાજપના સીડી પટેલ સામે હારી ગયા હતા,,
વર્ષ 2002ને બાદ કરતા 2007, 2012 અને 2017માં નિરંજન પટેલ ચૂંટણી જીત્યા,,
આમ નિરંજન પટેલ અને કોગ્રેસનો પેટલાદ અજેય ગઢ રહ્યો છે,, પણ સ્થિતિ બદલાઇ છે
પેટલાદ વિધાનસભા સીટ માટે ભાજપને નિરંજન પટેલમાં જીતની કિરણ દેખાય છે,,
કારણ કે ભાજપ 1962થી લઇને 2017 સુધીમાં હિન્દુત્વની લહેરના કારણે
માત્ર વર્ષ 2002માં ભાજપના સીડી પટેલ ચૂંટણી જીત્યા હતા એટલુ જ નહી ભાજપે
મધ્ય ગુજરાતને મજબુત કરવા માટે તેમને તત્કાલિન મુખ્ય મંત્રી નરેન્દ્રમોદી
મંત્રી બનાવ્યા હતા, જોકે તેમ છતા 2007માં યોજાયેલી ચૂટણીમાં તેઓ હારી ગયા હતા
2012માં ભાજપના દિપક પટેલ અને વર્ષ 2017માં સીડી પટેલ નિરંજન પટેલ સામે હારી ગયા હતા, એટલા માટે
ભાજપે ભરત સિહ સોલંકીના વિવાદ વચ્ચે નિરંજન પટેલને પોતાની સાથે જોડવાની રણનિતિ તૈયાર કરી છે,
સ્થાનિક આગેવાનો પણ નિરંજન પટેલ સાથે ઘરોબો રાખવા સૂચના અપાઇ છે,
નિરંજન પટેલને જો કોગ્રેસ ટિકીટ નહી આપેતો તેમને ભાજપમાં જોડવાની રણનિતિ બનાવાઇ છે,,
જ્યારે ભરત સિહ કોઇ પણ રીતે ગુજરાતની રાજનિતિમાં સક્રીય રહેવા માંગે છે, પણ તમને બતાવી દઇએ કે
લોકસભાની વર્ષ 2014 અને વર્ષ 2019માં આણંદ બેઠક પર ચૂંટણી જીતવામાં
નિષ્ફળ ગયા હતા પણ હવે ભરત સિહ સોલંકીની નજર પેટલાદ વિધાનસભા બેઠક ઉપર ઠરી છે,
જ્યાંથી તેઓ વિધાનસભામાં ઠરી ઠામ થવા માંગે છે,,
પણ તેમના પત્ની રેશ્મા પટેલને કારણે પેટલાદના પાટીદાર સમાજમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે,
કારણ કે ભરત સિહ પિતા પણ ખામ થિયરીના જનક હતા, તેઓ પાટીદારોના વિરોધી હોવાની તેમની છાપ હતી,
ત્યારે પાટીદારોનુ ગઢ મનાતી પેટલાદ વિધાનસભામાંથી ભરત સિહ સોંલંકીનુ ચૂટણી લડવુ એ લોઢાના ચણા ચાવવા સમાન
સાબિત થઇ શકે છે,

 

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

Advertisement
Continue Reading
Advertisement
3 Comments

3 Comments

  1. Pingback: ગુજરાતમાં ચૂંટણી આવે છે ! – Panchat TV

  2. Pingback: ચૂંટણી જીતવા માટે ભાજપે લોંચ કર્યો સસ્તો પ્લાન ! – Panchat TV

  3. Pingback: Bharatsinh Solanki Duryodhan then Amit Chavda Dushasan Vandana Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.