આમ આદમી પાર્ટી

અરવિંદ કેજરીવાલે આપના એમ એલ એ ને શું ટાસ્ક આપ્યો ?

Published

on

અરવિંદ કેજરીવાલેઆપણા એમ એલ એ ને શું ટાસ્ક આપ્યો ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો જીત્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો બીજેપીની ઓફરથી પ્રભાવિત થઈને જતા ના રહે તે માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તેમની સાથે બેઠક કરી ને લોભ લાલચમાં નહીં ફસાવવા માટે સૂચના આપી હતી એટલુંજ નહીં વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઇ તૈયારીઓ કરવા અને પ્રજાલક્ષી પ્રશ્નો અને તેમના કામો કરવા માટે કહ્યું હતું..

આપ ના 5 ચૂંટાયેલા ધારાસભ્યએ કેવી રીતે કામ કરવું? એ બાબતે તાલીમ આપવામાં આવી હતી. 5 ધારાસભ્ય 3 દિવસ સુધી દિલ્હી ખાતે રહ્યા હતા
એ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તમામ ધારાસભ્યએ કેવી રીતે કામ કરવું એની તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત પંજાબ અને દિલ્હીના ચૂંટાયેલા ધારાસભ્યો કેવી રીતે કામ કરે છે એની માહિતી અપાઈ હતી. ગુજરાતમાં કયા કયા મુદ્દાને લઈને લોકો સમક્ષ જવાનું છે ? એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, રોજગાર જેવા મુદ્દાઓને ઉઠાવવા માટે સૂચના આપી હતી
દિલ્હી ખાતે યોજાયેલ ધારાસભ્યોની બેઠક ને લઇ એક ધારાસભ્યે કહ્યું હતું કે રાજયની તમામ 26 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાનો પાર્ટીનો પ્લાન છે..એ માટે પાંચેય ધારાસભ્યોને કામે લાગી જવા માટે સૂચના આપી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version