ગાંધીનગર
શુ છે ભાજપનું ઓપરેશન અરવલ્લી- સાબરકાંઠા !

ભાજપનુ ઓપરેશન અરવલ્લી- સાબરકાંઠા !
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી વહેલી યોજાવવા ની શક્યતાઓ વચ્ચે બીજેપી ગુજરાત નો ગઢ જાળવી રાખવા માટે રણનીતિ બનાવી દીધી છે..
જેના ભાગ રૂપે કોંગ્રેસ ના મજબૂત ગણાતા ધારાસભ્યો ,સિનિયર આગેવાનો ,કાર્યકરો ને બીજેપી માં જોડવા માટે નો ટાસ્ક સિનિયર નેતાઓ ને જવાબદારી સોંપી દેવાઈ છે.
વાત કરીએ સાબરકાંઠા અને અરવ્લીમાં ચાલતા ભાજપના રાજકિય અરવલ્લી !
સ્વં,ડો,જોષિયારાનુ ભીલોડામાં અજેય પ્રભુત્વ

file photo anil joshiyara
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ હવે 182 સીટો જીતવા માટે ખાસ ઓપરેશનો કરી રહ્યા છે, જેમાં રાજ્યના તમામ એવા જિલ્લાના વિધાનસભા સીટો કે જ્યાં કોગ્રેસનો પ્રભાવ છે
ત્યાના આગેવાનોને ભાજપમાં કઇ રીતે જોડી શકાય તેના માટે શામ દામ દંડ ભેદની નિતિ અપનાવાઇ રહી છે
ત્યારે વાત કરીએ ઓપરેશન સાબરકાંઠા અરવલ્લીની,, જ્યારે ભાજપે કોગ્રેસના સિનિયર ધારાસભ્યો અને આગેવાનોનો સંપર્ક શરુ કરી દીધો છે,,
જેમાં સૌથી પહેલા કોગ્રેસના ભિલોડાના સ્વ, ડો અનિલ જોષિયારાના પરિવારથી કરાઇ છે,
જેમાં ભિલોડા ના ધારાસભ્ય ડો અનિલ જોષીયારા નું કોરોના ની સારવાર દરમ્યાન અવસાન થયું હતું જેની સારવાર નો ખર્ચ રાજય સરકાર દ્વારા ઉઠાવવા માં આવ્યો હતો .. સમાન્ય રીતે ધારાસભ્ય પહેલા સારવારનો ખર્ચ કરવાનો હોય છે,
પછી રિએમ્બેસમેન્ટ કરવામાં આવે છે,, સારવાનો ખર્ચ વધુ હોવાથી સરકારે માનવીય અભિગમ દાખવીને તમામ ખર્ચ ઉપાડી લીધો હતો,
રાજય ના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ,ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ નીમાબેન આચાર્ય
સહીત બીજેપી ના સિનિયર નેતાઓ અંતિમ વિધિ માં ઉપસ્થિત રહી ને જોષીયારા ના પરિવારજનો ને દુઃખ માં સધિયારો પણ આપ્યો હતો..મહત્વપૂર્ણ બાબત તો એ છે કે ડો.અનિલ જોષીયારા જીવતા હતા ત્યાં સુધી અનેક વખત તેમને બીજેપીએ અનેક વખત કમલમ પેકેજ ઓફર કરી હતી જોકે તેઓ કોંગ્રેસ પક્ષ ના સિદ્ધાંતો ને વળગી રહી કોંગ્રેસ માં રહ્યા હતા
હવે બીજેપી એ તેમના પુત્ર કેવલ જોષીયારા પર ફોકસ કર્યું છે તેમના પુત્ર ને ભિલોડા વિધાનસભા બેઠક પર થી ચૂંટણી લડાવવા માટે ની ઓફર કરી હોવાનું સૂત્રો કહી રહ્યા છે ..જોકે કોંગ્રેસ પણ
અનિલ જોષીયારા ના પરિવાર ને અળગો થવા દેવા માંગતો નથી ત્યારે ડો.અનિલ જોષીયારા ના પરિવારે નક્કી કરવા નું છે કે કોંગ્રેસ સાથે રહેવું કે પછી બીજેપી ની ઓફર સ્વીકારવી
મહત્વ ની બાબત તો એ છે ભિલોડા વિધાનસભા બેઠક પર વર્ષ 1995 માં બીજેપી ના ઉમેદવાર તરીકે ડો અનિલ જોષીયારા પ્રથમ વખત ચૂંટાયા હતા જોકે તેમના રાજકીય ગુરુ શંકરસિંહ વાઘેલા એ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ
ની સરકાર ને ઉથલાવવા માટે ની યોજના ઘડી કાઢી હતી જેમાં તેમના માટે રાજકીય ગુરુ ને સાથ આપવા કોઈ વિકલ્પ ન હતો .એ વાત તેમણે વર્ષ 2017 માં અહેમદ પટેલ માટે યોજાયેલ રાજ્યસભા ની ચૂંટણી દરમ્યાન સ્વીકારી
હતી,તે સમય દરમિયાન જ્યારે અમે ગાંધીનગરમાં તેમને પુછ્યુ કે તેઓ પોતાના રાજકિયા ગુરુ શંકર સિહ વાધેલા સાથે જવાના છે કે કેમ તો
તેમણે સ્પષ્ટ શબ્દો માં કહ્યું હતું કે અત્યારે ભલે શંકરસિંહ વાઘેલા ને કોંગ્રેસ છોડી ને જવું હોય તો જાય .તેઓ કોંગ્રેસ માં જ રહેશે. તેઓ રાજ્યસભા ની ચૂંટણીમાં અહેમદ પટેલ ની સાથે રહી કોંગ્રેસ ને વફાદાર રહ્યા હતા
.તેઓ તેમની જીવનની અંતિમ ઘડી સુધી કોંગ્રેસ માં રહ્યા
ત્યારે હવે જોવાનું છે કે જોષીયારા ના પુત્ર કોંગ્રેસ ની સાથે રહેશે કે પછી બીજેપી સાથે જશે,
ઠક્કર નગર વિધાનસભામાં કયા પક્ષના કેટલા ઉમેદવાર- આ રહ્યુ લિસ્ટ !
ભાજપ માટે જોષિયારાનુ પરિવાર કેમ જરુરી !
ડો,અનિલ જોષિયારાના મૃત્યુ પછી તેમના વિસ્તારમાં તેમના પરિવાર માટે સહાનુભુતિનો માહોલ છે, ત્યારે સરકાર તેમના માટે એક રસ્તાનુ ડો, અનિલ જોષિયારા માર્ગ અને તેમની પ્રતિમા મુકવા માટે વિચારણા કરી રહી છે
સાથે સાથે તેમના પુત્રને વિધાનસભાના ટિકીટ માટે પણ ઓફર કરાઇ છે, ત્યારે તમને જણાવીએ કે ચૂટણીની દૃષ્ટિએ આ સીટ ભાજપ માટે હમેશા કપરી રહી છે,
1962થી 1995 સુધી ભીલોડા સીટ ઉપર બ્રહ્મ સમાજનુ પ્રભુત્વ રહ્યુ છે,
1985 અને 1990માં કોગ્રેસ તરફથી ગુજરાતી ફિલ્મ અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી ચૂંટણી જીત્યા હતા
વર્ષ 1995માં ડો અનિલ જોષિયારા ભાજપમાં થી ચૂંટણી લડ્યા,,અને કોગ્રેસના ઉમેદવાર ઉપેન્દ્ર ત્રિવેદીને હરાવ્યા હતા,
1998માં ઉપેન્દ્ર ત્રિવેદી અપક્ષ તરીકે ચૂટણી લડ્યા અને વિજેતા થયા,
વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં હિન્દુત્વની લહેર હોવા છતાં ડો,જોષિયારા ભીલોડા સીટ ઉપરથી કોગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા
ત્યાર પછી તેઓ 2007, 2012 અને 2017 સુધી જીવન પર્યંત આ સીટ જાળવી રાખી, અને
ભાજપને આ સીટ ઉપર સફળતા ન મળી,,
બીજેપી વર્ષ 1995 બાદ ભિલોડા બેઠક પર ચૂંટણી જીતી શકી નથી ગઈ વખતે બીજેપી એ આઈ પી એસ અધિકારી પી સી બરંડા ને ઉમેદવાર તરીકે
અજમાવી જોયા જોકે તેઓ ફેઈલ થઇ ગયા
ટાર્ગેટ અશ્વિન કોટવાલ ! ખેડબ્રહ્મા સીટ

file photo અશ્વિન કોટવાલ
વર્ષ 1990માં ખેડબ્રહ્મા બેઠક પરથી રાજ્ય સભા સાંસદ રમીલા બેન બારાના પિતા બેચરભાઇ બારાને
ભાજપે ટિકીટ આપી હતી, રામ મંદિરની લહેર વચ્ચે તેઓએ કોગ્રેસના ઉમેદવાર જગદિશ ડામોને હરાવીને વિધાનસભા પહોચ્યા હતા,
વર્ષ 1995માં ગુજરાતના કોગ્રેસના નેતા અને પુર્વ મુખ્ય પ્રધાન અમર સિહ ચૌધરીએ ભાજપના બેચરભાઇ બારાને હરાવ્યા હતા,,
ત્યાર બાદ 1998માં અમરસિહે ભાજપના વસ્તાભાઇ ગામિતીને હરાવ્યા હતા,
ત્યારે બાદ 2002માં અમર સિહ ચૌધરીને હરાવવા માટે પરિવારવાદમાં ન માનતી ભાજપાએ બેચરભાઇ બારાની દિકરી રમીલા બેન બારાને ટિકીટ આપી, પણ તેઓ હારી ગયા
પણ બીજેપી સત્તામા આવી, અને અમર સિહ ચૌધરી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા હતા,
તેમનુ 2004માં માંદગીથી મૃત્યુ થયુ હતુ,
તેમની ખાલી પડેલી જગ્યા ઉપર પેટા ચૂંટણી થતાત્રી રમીલા બેન બારાને ટિકીટ આપી અને તેઓએ
કોગ્રેસના વૈશાલી બેન ગામિતીને હરાવ્યા હતા,
વર્ષ 2007માં કોગ્રેસ અદિવાસી યુવા નેતા અશ્વિન કોટવાલે ખેડ બ્રહ્મા બેઠક પરથી ભાજપના રમીલા બેન બારાને હરાવી દીધા,,
2012માં અશ્વિન કોટવાલે ભાજપના ભોજા ભાઇ મકવાણાને હરાવ્યા હતા,,
જ્યારે 2017માં ભાજપે આ સીટ કબ્જે કરવા માટે ફરી વાર બેચરભાઇ બારાના પરિવારના આશરે ગયુ,, અને રમિલા બેન બારાને ટિકીટ આપી,,
જોકે અશ્વિન કોટવાલની નેતાગિરી ભાજપનુ પરિવારવાદ ન ચાલ્યુ, બારા હારી ગયા,,
છતાં ભાજપે બેચર ભાઇ બારાના પરિવારનુ સન્માન કર્યુ,,અને રમિલા બેનને રાજ્ય સભાના મેમ્બર બનાવીને દિલ્હી મોકલ્યા,,
કારણ હતુ કે આદિવાસી નેતાઓને ડેવલપ કરીને ભાજપ આદિવાસી વિસ્તારોમાં પોતાની રાજકીય પકડ મજબુત કરી શકે જોકે રમિલા બેન બારાને દિલ્હી મોકલ્યા છતાં પણ અદિવાસી મતદારોનુ દિલ જીત્યા શક્યા નથી
પરિણામે હવે ગુજરાત ભાજપની નેતાગિરીને કોગ્રેસના દંડક અશ્વિન કોટવાલમાં આશાનું કિરણ દેખાય છે, એટલા માટે જ બીજેપીના નેતાઓએ અશ્વિન કોટવાલનો સંપર્ક સાધ્યો હોવાનુ મનાય છે,
મોડાસાના કોગ્રેસી ધારાસભ્ય રાજેન્દ્ર ઠાકોરનુ પણ ભાજપ કરશે ઓપરેશન !

file photo rajendra thakore
મોડાસા વિધાનસભા સીટની વાત કરીએ તો વર્ષ 1975માં ભારતિય જનસંધના ઉમેદવાર અરજણ ભાઇ પટેલે કોગ્રેસના અંબાલાલ ઉપાધ્યાયને હરાવ્યા હતા
અને પ્રથમ વખત આ સીટ જનસંધની થઇ હતી,
તે પછી 20 વરસ બાદ 1995માં ભાજપના દિલિપ સિહ પરમારે બીએસપીના મોહમદ યુસુફને હરાવ્યા હતા, તે પછી 1998, 2002, 2007 સુધી સીટ ભાજપે જાળવી રાખી
2012માં કોગ્રેસના રાજેન્દ્ર સિહ ઠાકેરે દિલિપ સિહ પરમારને હરાવ્યા હતા, ફરીવાર પછી ભાજપ આ સીટ જીતી ન શકી,, અને ફરી કોગ્રેસના રાજેન્દ્ર સિહ ઠાકોરે ભાજપના
ભીખુ સિહ પરમારને હરાવ્યા હતા,
કોગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર સિહ ઠાકોરે સેવાકાર્ય થકી કોગ્રેસનુ સ્થાન મજબુત કરી દીધુ છે, આવી સ્થિતિમાં ભાજપને 2022માં પણ હાર દેખાય છે,, એટલા માટે
રાજેન્દ્ર સિહ ઠાકોરને ગાંધી પેકેજ આપીને પણ ભાજપમાં લાવીને જીત નિશ્ચિત કરવા માંગે છે,,તેઓ સુત્રો કહી રહ્યા છે,
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
ભાજપ માટે બાયડ કેમ જરુરી !

file photo jasu bhai patel
બાયડ સીટના મતદારો ખુખ જાગૃત છે,, તેઓ વિચારધારામાં નહી પણ ધારાસભ્યની કામગિરીમાં માને છે,,
બાયડ સીટનુ રાજકીય ઇતિહાસ જોઇએ તો અહી કોઇ ચોક્કસ રાજકીય પાર્ટીનો પ્રભાવ રહ્યો નથી
અહીથી અપક્ષ, ઇન્દિરા કોગ્રેસ,સ્વતંત્ર પક્ષ,ભાજપ અને કોગ્રેસના ઉમેદવારો જીતતા રહ્યા છે
વર્ષ 1990માં ભાજપના ચંદ્રભાણ સિહ સોલંકીએ કોગ્રેસના રામસિહ સોલંકીને હરાવ્યા હતા,, ભાજપ પ્રથમ વખત જીત્યુ
જ્યારે 1995માં કોગ્રેસના રામ સિહ સોલંકી જીત્યા હતા,,અને ભાજપના ચંદ્રભાણ સિહ હાર્યા હતા,
વર્ષ 1998માં ભાજપના ડો મહેન્દ્ર પટેલે કોગ્રેસના રામ સિહ સોલંકીને હરાવ્યા હતા,
વર્ષ 2002માં રામ સિહ સોલંકીએ ભાજપના ડો મહેન્દ્ર પટેલને હરાવ્યા
2007માં ભાજપના ઉદેસિહ ઝાલાએ કોગ્રેસના રામસિહ સોલંકીને હરાવ્યા હતા
2012માં પુર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલાના પુત્ર મહેન્દ્ર સિહ વાધેલાએ કોગ્રેસમાં થી ચૂંટણી લડ્યા અને ભાજપના ઉદેસિહ ઝાલા ઘર ભેગા થઇ ગયા
2017માં કોગ્રેસના ધવલ સિહ ઝાલાએ ભાજપના અદેસિહ ચૌહાણને હરાવ્યા હતા,
રાજ્યસભાના સભ્ય અમિત શાહ અને સ્મૃતિ ઇરાની વર્ષ 2019માં લોકસભાની ચૂટણીમાં ચૂંટાતા તેમણે
રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામુ આપ્યું રાજ્ય સભાની બે બેઠકો ખાલી પડતા પેટા ચૂંટણીની ચૂટણીની જાહેરાત થઇ,,ત્યારે બન્ને બેઠકો માટે
કેન્દ્રિય ચૂંટણી પંચે બે અલગ અલગ જાહેરનામા બહાર પાડ્યા હતા, જેનો કોગ્રેસે વિરોધ પણ કર્યો હતો, જોકે ચૂંટણી પંચે માન્ય ન રાખ્યુ
ઉત્તર ગુજરાતમાં કયા કોંગ્રેસી ધારાસભ્યને કમલમ પેકેજ મળ્યું !
રાજ્યસભા ચૂંટણીમાં બાયડનો ખેલ !
અલગ અલગ જાહેરનામા હોવાના કારણે ભાજપની સભ્ય સંખ્યા 99 હતી, બીજેપીના બન્ને ઉમેદવારો એસ જયશંકર અને જુગલજી ઠાકોરની જીત નિશ્ચિત હતી
તેમ છતાં સમાજના નામે રાજનિતિ કરીને આગળ આવેલા કોગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલ સિહ ઝાલાએ
કોગ્રેસ સાથે વિશ્વાસઘાત કરીને ભાજપના બન્ને ઉમેદવારોને મતની જરુર ન હોવા છતા મત આપીને વિજય બનાવ્યા હતા
પણ આ વાત રાધનપુર અને બાયડના મતદારોને પસંદ ન આવી અને ત્યારે ભાજપ તરફથી પેટા ચૂટણી લડેલા અલ્પેશ ઠાકોર અને ધવલ સિહ ઝાલાને એવી રીતે ઠેકાણે પાડ્યા કે તેમનુ હજુ
સુધી બન્નેનુ ઠેકાણુ નથી, એક સમયે અલ્પેશ ઠાકોરે કહ્યુ હતુ કે મુખ્ય પ્રધાનની ઓફિસની બાજુમાં બેસીસુ– પણ હવે તેમનુ દુર દુર સુધી ઠેકાણુ પડતું નથી,
પેટા ચુટણીમાં અલ્પેશ ઠાકોર રધુ દેસાઇએ હરાવ્યા હતા, જ્યારે બાયડમાં ધવલ સિહ ઝાલાને જશુભાઇ પટેલે હરાવ્યા હતા,
પણ હવે ભાજપના નિશાના ઉપર જશુભાઇ પટેલ પણ આવ્યા છે,,
સુત્રોની વાત સાચી માનીએ તો જશુભાઇ પટેલને સાબર ડેરીના ચેરમેન તરીકે ઓફર કરાઇ છે,,એટલે જો તેઓ કમલમ પેકેજ સ્વિકારે તો તેમને ડેરીના ચેરમેન પદ અપાય પણ
2022માં તેમને ટિકીટ નહી અપાય,સુત્રોની માનીએ તો હાલના સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલ ચંદ્રકાંત પાટીલના વિશ્વાસુ છે, જેથી તેમનુ રાજીનામુ સરળતાથી લઇ શકાય છે,
જો ભાજપ અહી જશુભાઇ પટેલને ટિકીટની કમિટમેન્ટ આપશે તો ધવલ સિહ ઝાલા આડા ફાટી શકે છે, અને અપક્ષમાં લડીને ભાજપનો રાજકીય ખેલ બગાડી શકે છે,
આપ અને ભાજપ વચ્ચે જામતુ ટ્ટીટર યુધ્ધ ! કોગ્રેસ થઇ સાઇડ ટ્રેક !
ગાંધીનગર
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો

નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ
————–
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી
વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો-ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી કોશિયા
…………………….
આગામી તહેવારોને અનુલક્ષીને ખોરાક અને ઔષધ નિયમન તંત્રનું આગોતરું આયોજન
…………………….
ખોરાક- ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી કોશિયા જણાવ્યું છે કે, ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સલુન-તલપદ, નડિયાદ ખાતે આવેલી મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી અંદાજે રૂા. ૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
હેમંત કોશિયાએ ઉમેર્યું કે, તાજેતરમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો આવી રહ્યા હોય જાહેર જનતાને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે તંત્ર દ્વારા ખડીઃ પદાર્થોમાં ભેળસેળની સઘન તપાસ હાથ ધરવામા આવે છે. જેના ભાગરૂપે વડી કચેરીની ફ્લાયિંગ સ્ક્વોડ અને નડિયાદની સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સંયુક્ત રીતે ઘીનો શંકાસ્પદ જથ્થો પકડી પાડ્યો છે. આ જથ્થો વેપારી રાઉલજી દિલીપકુમાર ખુમાનસિંહ દ્વારા મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ, મુ. સલુન-તલપદ, તા: નડિયાદ, જિ-ખેડા ખાતે રાખવામાં આવેલી જગ્યામાં પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર શંકાસ્પદ મહીધરા બ્રાન્ડ ઘીનું ઉત્પાદન થતુ જોવા મળી આવ્યું હતું. આ વેપારી મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ નામે આ જગ્યા પર એફ.એસ.એસ.એ.આઇ લાયસન્સ ધરાવે છે અને ઘી બનાવવાનો ધંધો /વેપાર કરે છે. આ વેપારી ઘીમાં ભેળસેળ કરે છે તેવી તંત્રને મળેલ બાતમીનાં આધારે રેડ કરવામાં આવી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, સ્થળ પરથી ઘીના બે નમૂનાઓ તેમજ બે વેજીટેબલ ફેટ એમ કુલ ચાર નમૂનાઓ લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે જ્યારે બાકીનો આશરે ૧૪૬૨ કિલોગ્રામ જથ્થો જેની અંદાજીત કિંમત રૂ. ૪,૦૫,૮૬૪/-થવા જાય છે તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે
ગાંધીનગર
બહુચરાજીનો રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
ઉત્તર ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતના પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા માં બહુચરના યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે. જેમાં પ્રથમ તબક્કામાં રૂપિયા ૨૦ કરોડની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે.મંત્રીએ ઉમેર્યું કે, લાખો શ્રદ્ધાળુઓના પ્રતીક સમા માં બહુચરના ધામ ખાતે યાત્રાળુઓને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હયાત સુવિધાઓ અને આગામી ૨૫ વર્ષમાં બહુચરાજી તીર્થધામના વિકાસ માટે માસ્ટર પ્લાનિંગ કરી ત્રણ તબક્કામાં વિકાસ કરવાનું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રથમ તબક્કામાં આજે પૂનમના પવિત્ર દિવસે રૂપિયા ૨૦ કરોડ ફાળવ્યા છે. જે હેઠળ માતાજીના મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરની શિખર ની ઊંચાઈ જે હાલ ૪૯ ફૂટ છે. તે વધારીને અંદાજે ૭૧.૫ ફૂટ કરવામાં આવશે. જે થકી મંદિર પરિસર ભવ્ય અને દિવ્ય બનશે અને યાત્રાળુ માટે આકર્ષણનો કેન્દ્ર બનશે. મંદિરની ઊંચાઈ વધારવાની સાથે સાથે આવનારા સમયમાં મંદિરના પરિસર અને વિકાસનું આયોજન કરવામાં પણ આવશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવશે.
રાજ્યમાં આરાસુર અંબાજી શક્તિપીઠ મહાકાળીધામ પાવાગઢ, શક્તિપીઠ અને બહુચરાજી શક્તિપીઠ પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક રીતે અતી મહત્વના શક્તિપીઠો હોય આવનારા શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ વધુને વધુ સારી વ્યવસ્થાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે આ સમગ્ર આયોજન કરાયું છે.
agriculture
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો કુંવરજીભાઇ બાવળીયા

ઉત્તર ગુજરાતમાં રૂ.૬૫૦ કરોડના ખર્ચે શરૂ થનાર કસરા થી દાંતીવાડા પાઈપલાઈન કામગીરી થકી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ મળશે
એક સમયે પશુપાલકોએ હિજરત કરવી પડતી હતી, આજે તે કચ્છડો બારે માસ હરિયાળો પ્રદેશ બન્યો : કચ્છ વિસ્તારમાં નર્મદાના વધારાના પાણી વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનોના કામો માટે અંદાજિત રૂ.૪૩૬૯ કરોડની વહીવટી મંજુરી અપાઇ
સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ : ૮૫ જળાશયો, ૧૬૫ કરતાં વધુ તળાવો અને ૯૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૫૮,૦૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિંચાઇ સુવિધા માટે વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત રૂ.૫૯૦૩ કરોડના ખર્ચે ૧૫,૭૯૮ના વિવિધ કામો થકી ૫,૫૫,૮૦૫ એકર વિસ્તારમાં સિંચાઇનું આયોજન
રાજ્યમાં ઉમરગામ થી અંબાજી સુધીના પુર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાને સિંચાઇની સવલતો પુરી પાડવા માટે નવા ચેકડેમો બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલના કામોનું આયોજન
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં તળાવો ઉંડા કરવા તથા નવા તળાવો સહિતના ૭૪,૫૦૯ કામો હાથ ધરાયા : ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવ્યા
સિંચાઇ અને ભૂમિ સંરક્ષણ માટે મહેસૂલી ખર્ચ રૂ.૨૫૪૪.૦૨ કરોડ અને મૂડી ખર્ચ માટે રૂ.૮૫૨૬.૯ કરોડની વિગતો ગૃહ સમક્ષ રજુ કરતાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યુ કે, જળસંપત્તિ વિભાગ દ્વારા સિંચાઈ યોજનાઓની કાર્યક્ષમતામાં વધારો કરવો, નવી માળખાકીય સુવિધા ઉભી કરવી, નવી સિંચાઈ યોજનાઓ / જળસંગ્રહ માટેના સ્ટ્રક્ચરો બનાવી સિંચાઈથી વંચિત વિસ્તારોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવી, ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા જેવા બહુહેતુક કાર્યો હાથ ધરવામાં આવે છે.
તેઓએ ઉત્તર ગુજરાત વિસ્તારની પરિસ્થિતિ અંગે માહિતી આપતા કહ્યું કે, આ કાયમી જળ સમસ્યાવાળા વિસ્તારમાં થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે રૂ.૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેનાથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોને પુરક સિંચાઈનો લાભ થશે. તે ઉપરાંત ખોરસમ–માતપુર–ડીંડરોલ પાઈપલાઈનને લંબાવી મુકતેશ્વર જળાશયમાં નર્મદાના પુરના વધારાના પાણી પહોંચાડવાની કામગીરી માટે રૂ.૧૦૯ કરોડની જોગવાઈ, કસરા થી દાંતીવાડા પાઈપલાઈન માટે રૂ.૬૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેનાથી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ મળશે. તેવી જ રીતે ધરોઈ ડેમથી સંત સરોવર બેરેજ સુધીમાં સંબંધીત વિવિધ ગામો પાસે પાંચ બેરેજ/વિયર બનાવવાની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ રાખવામાં આવી છે. મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સીરીઝ ઓફ ચેકડેમની કામગીરી માટે રૂ.૫૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેનાથી ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓને લાભ મળશે. તો બીજી તરફ ગાંધીનગર ખાતે આવેલા ગીફટ સીટી નજીક સાબરમતી નદીના કાંઠાના પ્રોટેકશનની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ તેમજ ખારીકટ કેનાલને અંડર ગ્રાઉન્ડ કરવા માટેની કામગીરી માટે રૂ.૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
તેઓએ કચ્છ વિસ્તારની માહિતી આપતા ઉમેર્યું કે, એક સમય એવો હતો કે પશુપાલકો હિજરત કરી જતા, આજે તે કચ્છડો બારે માસ હરિયાળો પ્રદેશ બન્યો છે. કચ્છ વિસ્તારમાં નર્મદાના વધારાના પાણી વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનોના તબક્કા-૧ અને તબક્કા-૨ અન્વયેના કામો માટે રૂ.૪૩૬૯ કરોડની અંદાજિત રકમની વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ યોજનાથી પ્રથમ તબક્કા હેઠળ કચ્છ જિલ્લાના ૬ તાલુકાને સિંચાઇનો લાભ મળશે. પ્રથમ તબક્કાના ત્રણ લીંકોના કામો પૈકી નોર્ધન લીક, સધર્ન લીંક અને હાઇ કન્ટુર સ્ટોરેજ લીંકના કામો શરુ થયા છે જ્યારે સારણ લીંકની કામગીરીનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. પ્રથમ અને દ્વિતીય તબક્કાના કામો માટે બજેટમાં રૂ.૧૯૭૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઇ વ્યવસ્થા અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, એક જમાનામાં સૌરાષ્ટ્રના વિસ્તારો સુકાભઠ વિસ્તારો હતા કે જ્યાં પીવાના પાણી માટે પણ લોકો વલખા મારતા હતા. સૌરાષ્ટ્રના વિસ્તારો માટેની સૌની યોજના પૂર્ણતાના આરે છે. જે આશીર્વાદરૂપ પુરવાર થઇ છે. સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ થઈ ગયા છે. પૂર્ણ થયેલ કામગીરીથી ૮૫ જળાશયો, ૧૬૫ કરતાં વધુ તળાવો અને ૯૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૫૮,૦૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું છે. તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાના પાણીનો ફાયદો થયો છે અને આશરે પાંચ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્દઢ થઇ છે.
તેઓએ વધુમાં કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભરતી નિયંત્રક, બંધારા, રીચાર્જ રીઝર્વોયર, રીચાર્જ ટેન્ક, રીચાર્જ વેલ, વનીકરણ, નાલા પ્લગ, વિસ્તરણ નહેરો, રેડીયલ કેનાલો અને ચેકડેમો ક્ષાર નિવારણ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. જેના થકી સૌરાષ્ટ્રમાં અને કચ્છ વિસ્તારમાં ૪૩૯ લાખ ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ થતાં જમીનને સિંચાઈનો સીધો તથા આડકતરો ફાયદો મળ્યો છે. આ કામો થકી ભૂગર્ભ જળની ગુણવતામાં સુધારો તથા ભૂગર્ભ જળની સપાટીમાં વધારો નોંધાયો છે.
રાજ્ય સરકાર દ્વારા આયોજન હેઠળના કામોની વિગતો આપતા જણાવ્યું કે, ભાવનગર જીલ્લાના તળાજા તાલુકામાં મેથળા બંધારાનું, સરતાનપર બંધારાનું કામ, ગીર સોમનાથ જીલ્લાના આવેલ હયાત આદ્રી બંધારાથી મુળ દ્વારકા ટાઇડલ રેગ્યુલેટરને જોડતી વિસ્તરણ નહેરનું કામને અંદાજીત રૂા.૧૦૧.૯૯ કરોડની સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. તે ઉપરાંત ધેડ વિકાસ યોજના – ક્ષાર અંકુશ યોજનાના કામો માટે અંદાજિત કિંમત રૂ. ૩૭ કરોડનું આયોજન છે. માલણ બંધારા તથા સમઢીયાળા બંધારાને જોડતી વિસ્તરણ નહેર માટે અંદાજે રૂ.૩૯.૧૫ કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળી છે. ઉપરાંત નાની સિંચાઇ યોજનાઓ / જુના સ્ટ્રક્ચર / અનુશ્રવણ તળાવો/ ચેકડેમો જે રીપેર થઇ શકે તેવા કામોને સેઇફ સ્ટેજે લઇ જવા, ડીપનીંગ થઇ શકે તેવા ચેકડેમો જે તે યોજનાઓમાં થયા હોય પરંતુ રીપેર થઇ શકે તેવા હોય, તેવા તમામ કામોને સલામત સ્થિતિએ લઇ જવાના કામોને ચાલુ વર્ષે અગ્રતા આપવામાં આવશે.
તેઓએ આદિવાસી વિસ્તાર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિંચાઇ સુવિધા અંગે જણાવ્યું કે, રાજ્યમાં ઉમરગામ થી અંબાજી સુધીના પુર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાને સિંચાઇની સવલતો પુરી પાડવા માટે નવા ચેકડેમો બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત રૂ.૫૯૦૩ કરોડના ખર્ચે ૧૫,૭૯૮ના વિવિધ કામો થકી ૫,૫૫,૮૦૫ એકર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરવામાં આવ્યું છે.
તેઓએ ઉદ્વહન પાઇપલાઇન સિંચાઇ યોજનાઓ અંગે કહ્યું કે, આદિવાસી વિસ્તાર જયાં અંતરિયાળ/પર્વતીય વિસ્તારોમાં પાણી પહોંચાડવુ મુશ્કેલ હતુ ત્યાં કડાણા જળાશય, કરજણ જળાશય, કાંકરાપાર જળાશય અને ઉકાઇ જળાશય આધારીત ૧૩ મોટી ઉદ્વહન યોજનાઓ સિંચાઇ સુવિધા આપવા માટે રૂ.૫૦૪૨ કરોડના ખર્ચે હાથ ધરાઇ છે. આ પૈકી ૭ યોજનાઓની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ૬ યોજનાઓના કામો પ્રગતિ હેઠળ છે. પ્રગતિ હેઠળની રૂ.૧૦૨૦ કરોડના ખર્ચે ઉકાઇ જળાશય આધારીત સોનગઢ–ઉચ્છલ–નીઝર ઉદ્વહન પાઇપલાઇન માટે રૂ.૧૭૫ કરોડની જોગવાઇ કરી છે. સુરત જીલ્લામાં રૂ.૫૯૦ કરોડના ખર્ચે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્વહન પાઇપલાઇન યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની નર્મદા જીલ્લાના કરજણ જળાશય આધારીત રૂ.૪૧૮ કરોડ કિંમતની ઉદ્વહન પાઇપલાઇન યોજના માટે રૂ.૪૫ કરોડની જોગવાઇ, જેનાથી નર્મદા જિલ્લાના, સુરત જિલ્લાના અને ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. ઉપરાંત પ્રગતિ હેઠળની રૂ.૭૧૧ કરોડની અંદાજિત રકમની તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો માટે રૂ.૧૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની અંદાજીત રકમ રૂ.૨૨૬.૩૪ કરોડની કડાણા જળાશય આધારીત કડાણા-દાહોદ પાઇપલાઇનનું વિસ્તૃતિકરણના કામોથી સિંચાઇથી વંચિત રહેતા આદિવાસી વિસ્તારને લાભ થશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, પંચમહાલ જિલ્લાના તેમજ મહિસાગર જિલ્લાના વિસ્તારો માટે પાનમ ઉચ્ચસ્તરીય કેનાલ આધારિત યોજના માટે તથા પંચમહાલ જિલ્લાના વિસ્તારો માટે પાનમ જળાશય આધારીત પંચમહાલ જીલ્લાના પુર્વપટ્ટી વિસ્તાર માટેની યોજનાઓ માટે જોગવાઇ કરવામાં આવી છે. કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત યોજના માટે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં વિવિધ તળાવો ભરવાની યોજનાથી વિવિધ વિસ્તારને લાભ થશે તથા સંતરામપુર તાલુકાનાં ગ્રામ્ય તળાવો તથા મોરલનાકા અને બાબરી નાની સિંચાઇ યોજનાને પાઇપલાઇન દ્વારા લીંક કરી પાણી ભરવાની યોજનાથી વિવિધ વિસ્તારને લાભ થશે. આ બન્ને કામો પુર્ણ કરવામાં આવ્યા છે. જેમાં વાત્રક નદીના બંને કાંઠા પાસે વેલ પોઇન્ટ બનાવી અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારના તળાવો ભરવાની યોજના અને શામળાજી પાસે આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી ઉદવહન કરી ભિલોડા તથા મેઘરજ તાલુકાના વિવિધ તળાવો ભરવા માટે યોજનાનો સમાવેશ થાય છે.
મંત્રીએ કહ્યું કે, કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગે એલ.આઈ સ્કીમ તથા કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇન દ્વારા લીન્ક કરી પાણી ભરવાની યોજના બનાવી સિંચાઇ સુવિધા આપવા માટે જોગવાઇ કરવામાં આવી છે. પાનમ જળાશય આધારીત (વાંકડી ગામ પાસેથી) સંતરામપુર તાલુકાના ગામોના તળાવો ભરવા માટે અંદાજિત રૂ.૧૩૨.૭૨ કરોડની ઉદ્વહન સિંચાઇ યોજનાનું આયોજન કરેલ છે. જેનાથી ૨૩ ગામો લાભિત થશે.
મંત્રીએ વિયર, રીચાર્જ યોજનાઓ તથા અન્ય કામો અંગે ઉમેર્યું કે, નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂ.૮૦ કરોડની જોગવાઇ, નવસારી જીલ્લામાં વિરાવળ-કસ્બાપાર ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વિવિધ ગામોને સિંચાઇ સુવિધા આપવા માટે પોઇચા ગામે મહી નદી પર વિયર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જળસંચયની કામગીરી અંગે મંત્રીએ કહ્યું કે, જળસંચયની કામગીરી માટે રૂ.૨૭૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં ૭૪૫૦૯ કામો હાથ ધરવામાં આવ્યા છે, જે પૈકી મુખ્યત્વે તળાવો ઉંડા કરવાના/ નવા તળાવોના ૨૭૭૯૯ કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના ૧૬૨૯૧ કામો તથા ચેકડેમ રીપેરીંગના ૪૫૦૮ કામો કરવામાં આવ્યા છે. કુલ ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવ્યા છે. અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં થયેલા કામોથી જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો છે તથા ૧૭૮ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થયેલ છે. રાજ્યમાં ૧,૮૬,૦૦૦ થી વધારે ચેકડેમો બાંધવામાં આવ્યા છે. આ ચેકડેમો પૈકી અમુક ચેકડેમોને મરામત/સુદ્રઢીકરણની જરૂરીયાત હોવાથી મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેર કરેલ વિવિધ બિનસરકારી સંગઠનો માટે જનભાગીદારીથી ૮૦:૨૦ ની ફોર્મ્યુલા અંતર્ગત એક નવતર પહેલ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ વધારે ને વધારે લોકભાગીદારી થાય, લોકો જોડાય જેથી જળસંચય અભિયાન થકી જળ સંગ્રહમાં વધારો થાય તે અમારી સરકારનો શુભ આશય છે.
જુના કામો/હયાત બાંધકામ/ચેકડેમ/નહેરોની સુધારણા અને સહભાગી સિંચાઇ વ્યવસ્થાપન અંગે મંત્રીશ્રીએ કુંવરજીભાઇ બાવળીયાએ ઉમેર્યું કે, રાજ્યમાં ૨૫ વર્ષ કે તેથી જુના સ્ટ્રક્ચર હયાત હોય અને તેની સુધારણા કોઈ પણ સ્કીમ હેઠળ અગાઉ ન થયેલી હોય, તેવા સ્ટ્રક્ચરનું નવીનીકરણ ઝુંબેશના સ્વરૂપે હાથ ધરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. વર્ષોથી જુના સ્ટ્રક્ચરો છે, તે તમામનું તબક્કાવાર ઓછા ખર્ચે નવીનીકરણ થશે. આ ઝુંબેશથી સ્વાભાવિકપણે સિંચાઈ વિસ્તાર વધશે, પાણીની સંગ્રહ શક્તિ વધશે, પાણીનો દુર્વ્યય થતો અટકશે તેમજ ખેડૂતોને સમયસર, પ્રમાણસર અને પુરતું પાણી પિયત માટે મળી રહેશે.
અટલ ભુજલ યોજના અંગે મંત્રીએ કહ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી અટલબિહારી વાજપઈજીનાં જન્મજ્યંતિ પર ૨૫મી ડિસેમ્બર-૨૦૧૯ થી અટલ ભૂજલ યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાનો સમયગાળો પાંચ વર્ષનો છે. આ યોજના ભૂગર્ભજળને લગતી છે અને તેનું લક્ષ્ય દેશનાં જે ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ઘણું નીચે ઉતરી ગયું છે, તેવા ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ઉપર લાવવાનું છે. ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને કચ્છ એમ કુલ-૬ જિલ્લાઓમાં આ યોજના હેઠળ આવરી લેવાયા છે.
મંત્રીએ અન્ય અગત્યની યોજનાઓ અંગે ઉમેર્યું કે, સૂક્ષ્મ સિંચાઇથી “પર ડ્રોપ, મોર ક્રોપ” ની વિભાવના સાર્થક થશે. ઉદ્વહન સિંચાઇ યોજનાઓમાં પાઇપલાઇન દ્વારા અપાતા પાણીમાં સુક્ષ્મ સિંચાઇના ઉપયોગથી વોટરયુઝ એફીસીયન્સીોમાં વધારો કરી પાણી અને વીજળીની બચત અને ખેત ઉત્પાદન વધારી શકાય છે. ઉદ્વહન સિંચાઇ યોજનાઓને સુક્ષ્મ સિંચાઇથી જોડવા માટે જુદી જુદી યોજનાઓ અંતર્ગત રૂ.૪૮૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ
Pingback: કોગ્રેસના દિગ્ગજ નેતાનું રહસ્યમયી અને વિવાદાસ્પદ ચેટ થઇ વાયરલ ! – Panchat TV
Pingback: કયા નેતાને પત્ની પડી ભારે ! – Panchat TV
Pingback: ગુજરાતમાં ચૂંટણી આવે છે ! – Panchat TV
Pingback: Bharatsinh Solanki Duryodhan then Amit Chavda Dushasan Vandana Patel