અમદાવાદ
આમ આદમી પાર્ટીએ શેના પર ચિંતન કર્યું?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સામે કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ જુસ્સા અને જોમ સાથે 182 વિધાનસભા બેઠકો પર થી ચૂંટણી લડ્યા હતા જોકે આમ આદમી પાર્ટીને માત્ર 5 બેઠકો પ્રાપ્ત થઇ હતી ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધેલા જનાધાર અને પાર્ટીના હારના કારણોને લઇ ચર્ચા થઇ હતી.આગામી વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીની રણનીતિને લઇ બેઠક માં ચર્ચા થઇ હતીજેને લઇ પ્રદેશના નેતાઓ ઈસુદાન ગઢવી ,ગોપાલ ઈટાલીયા ,કૈલાશદાન ગઢવી સહીત ના નેતાઓએ માર્ગદર્શન આપ્યું હતું.