Connect with us

સુરત

આ આદિવાસી મહિલાએ કર્યું એવું કામ કે ભલ ભલા બિઝનેસ મેન ને પાડી દીધા પાછળ

Published

on

વ્યારાના કપુરા ગામે રહેતી આદિવાસી મહિલા ઇન્દુબેન ગામીત મૂળ ખેતી સાથે સંકળાયેલ છે, પરંતુ વારસાઈમાં તેમની જમીન નામ માત્ર હોવાથી તે માંડ માંડ પોતાના પરિવારનું જીવન નિર્વાહ વર્ષો પહેલા ચલાવતા હતા, પરંતુ આ વાત ભૂતકાળ બની ગઈ છે, હવે ઇન્દુબેન સ્વમાનભેર જીવી રહ્યા છે, તેમણે વ્યારાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માંથી આયુર્વેદીક હેર ઓઇલ બનાવાની તાલીમ લીધી હતી, અને તેઓ હવે જાતે 21 જેટલી વીવિધ ઔષધિઓ થી તૈયાર કરેલ હેર ઓઇલ બનાવે છે, જેની માંગ હવે વિદેશોમાં પણ રહે છે.

 

આ મહિલાની પ્રગતિ જોઈ અન્ય 78 જેટલી મહિલાઓ પણ તાલીમ લઇ પગભર થઈ.

વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માં તાલીમ મેળવીને આ મહિલા એ તેના ઘર અને આસપાસના ગામો માંથી ઔષધિઓ લાવીને હેર ઓઇલ તૈયાર કરે છે , જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ પણ તેમને જરૂરી માર્ગદર્શન આપવાની સાથે આ હેર ઓઇલ વેચવાને માટે મદદરૂપ થઇ રહ્યા છે..સાથે આ મહિલાની પ્રગતિ જોઈ અન્ય 78 જેટલી મહિલાઓ એ પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માંથી તાલીમ લઈ તેઓ પણ પગભર થઈ રહ્યા છે.

 

ઇન્દુબેન પગભર થઈ લાખોની કમાણી કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપબની રહ્યા છે.

Advertisement

જૈફ વયે પહોંચેલા આદિવાસી સમાજ માંથી આવતા ઇન્દુબેન નિરક્ષર છે, પરંતુ કંઈક અલગ કરવાની ઘેલછા તેમના માં પહેલેથી હોવાને કારણે તેમને કૃષિ ક્ષેત્રના એવોર્ડ પારિતોષિક મળી ચુક્યા છે, ઓછી જમીન હોવાને લઈને તેમણે પશુ પાલન ની સાથે હેર ઓઇલ બનાવવાનો વિચાર કર્યો અને સતત અને સખત પ્રયત્નો બાદ આજે ઇન્દુબેન પગભર થઈ લાખોની કમાણી કરી રહ્યા છે અને અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે..

ગુજરાત

સચીન ગોડાઉન મેનેજર પ્રિતીબેન ચૌધરી તથા DSD (ડોર સ્ટેપ ડીલીવરી) ઇજારદાર રાકેશ પારસનાથ ઠાકુરની ભૂમિકા સમગ્ર કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર 

Published

on

સચીન ગોડાઉન મેનેજર પ્રિતીબેન ચૌધરી તથા DSD (ડોર સ્ટેપ ડીલીવરી) ઇજારદાર રાકેશ પારસનાથ ઠાકુરની ભૂમિકા સમગ્ર કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર

 

સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરી કરોડો રૂપિયાનો વ્યવહાર કરનાર મુખ્ય કાવતરાખોરની ધરપકડ કરતી સુરત શહેર ક્રાઇમબ્રાંચ

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગરીબ તથા જરૂરીયાતમંદોને આપવામાં આવતા અનાજનું કૌભાંડ આચરવાના આ સમગ્ર કેસની બારીકાઇથી તપાસ માટે SIT ની રચના કરાઇ હતી
અનાજની ગુણોમાંથી બે-ત્રણ કિલો અનાજ કાઢી સરકારી પરવાનેદારોને ડિલીવરી ચલણ કરતા ઓછુ અનાજ મોકલી સમગ્ર કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યુ

સમગ્ર કૌભાંડમાં સરકારી અનાજ ગેરકાયદેસર રીતે ખરીદનાર આરોપી સુનિલ શર્મા પકડાયો: સસ્તા ભાવે અનાજ લઈને બીજી પ્લાસ્ટીકની ગુણોમા ભરી અલગ-અલગ રાઈસ મીલો તેમજ વેપારીઓને બજાર ભાવે અનાજ વેચી દેતો હતો
સરકારી ગોડાઉનમાં પોતાની પત્નિની જગ્યાએ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરી ગોડાઉનમાંથી સરકારી અનાજ સગેવગે કરવા ખોટા ડીલીવરી ચલણો બનાવનાર આરોપી ધીરેન રાવળની પણ ધરપકડ
પકડાયેલા બન્ને આરોપી સુનિલ શર્મા અને ધીરેન રાવળના તા.૦૬/૦૩/૨૦૨૩ સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજૂર

Advertisement

સુરત ખાતે સચીન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી તા.૨૭/૧૦/૨૦૨૨ના રોજ ઘઉંના ૪૫૦ કટ્ટા તથા MDM ફોર્ટીફાઈડ ચોખાના ૯૫૦ કટ્ટા સાથે ત્રણ ટ્રકો મળી કુલ રૂ.૩,૮૭,૫૦૦/-ના મુદ્દામાલ પકડાયો હતો. જેમા સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો કોઇપણ પરવાનો મેળવ્યા વિના અક્ષયપાત્ર ફાઉન્ડેશન મગોબ, સુરત ખાતે લઇ જવા અંગેનુ ખોટુ ડિલિવરી ચલણ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓ પકડાઇ જતા પ્રાથમિક તપાસ કર્યા બાદ તેઓની સામે તા.૦૮/૧૧/૨૦૨૨ના રોજ સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

તે ઉપરાંત આ ટોળકીએ સચીન સરકારી અનાજના ગોડાઉનના નામે ખોટા ડિલિવરી ચલણો/બીલો બનાવી, ખોટા હિસાબો બતાવીને વ્યાજબી ભાવની દુકાનોના પરવાનેદારોને મળવાપાત્ર જથ્થો પુરેપુરો મળ્યો હોવાનુ બતાવ્યુ હતુ. આ અનાજના જથ્થા પૈકી રૂ.૮.૩૨ લાખનો ઘઉંનો ૨૭૦૦ કિવન્ટલ જથ્થો સગેવગે કરી, ઉચાપત કરી હતી. તેમજ ચોખા, ખાંડ, મીઠુ મળી ૭૬૦૬ કિવન્ટલ અને ચણા (MDM) ૬૨ કિલો મળી કુલ રૂ. ૧.૨૮ કરોડથી વધુ કિંમતનો જથ્થો પરવાનેદારોને ડિલીવરી ચલણ મુજબ પુરેપુરો ન મોકલી ગોડાઉન ખાતે જમા રાખ્યો હોવાનું ધ્યાને આવતા આ સંદર્ભે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર દ્રારા ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને મફત તેમજ રાહતદરે આપવામાં આવતા અનાજને સગેવગે કરવાના બહાર આવેલા કૌભાંડને ગંભીરતાથી લઇ સુરત શહેર પોલીસ કમિશનરને આ કેસની બારીકાઇથી તપાસ કરવા અને કૌભાંડમા સંડોવાયેલા પ્રત્યેક ગુનેગારોને પકડી કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ગુનાના મૂળ સુધી પહોંચવા SIT (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરી સમગ્ર તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત બંન્ને ગુનાઓમાં સંડોવાયેલા ગોડાઉન મેનેજર પ્રિતીબેન મનુભાઈ ચૌધરી સહિત કુલ-૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ ગુનાની તપાસ દરમ્યાન સચીન ગોડાઉન મેનેજર પ્રિતીબેન ચૌધરી તથા DSD (ડોર સ્ટેપ ડીલીવરી) ઇજારદાર રાકેશ પારસનાથ ઠાકુરની ભૂમિકા સમગ્ર સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર તરીકે જણાઇ આવી હતી. તે બંને આ ગુનામાં પકડાયેલા અન્ય સહઆરોપીઓ સાથે મળી રાજ્ય સરકાર દ્રારા ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને મફત તેમજ રાહતદરે આપવામાં આવતા અનાજની ગુણોમાંથી બે થી ત્રણ કિલો લેખે અનાજ કાઢી લેતા હતા. તેમજ સરકારી પરવાનેદારોને ડિલીવરી ચલણ મુજબ પુરેપુરૂ અનાજ ન મોકલી આ અનાજ ગોડાઉન ખાતે જમા રાખી અલગ ગુણૉમાં પેક કરી મળતિયાઓ મારફતે વેચાણ કરીને સમગ્ર કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યુ છે.

સુરત ક્રાઇમબ્રાંચ દ્રારા ઉપરોક્ત ગુનાઓની ઉંડાણપૂર્વક તપાસ કરતા આ સમગ્ર કૌભાંડમાં સરકારી અનાજ ગેરકાયદેસર રીતે ખરીદનાર આરોપી સુનિલકુમાર ભગવતીલાલ શર્મા (રહે.પ્લોટ નં.બી-૬, અનુપપાર્ક સોસાયટી, ગાંધીરોડ, બારડોલી, જી.સુરત)ને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી સુનિલ દ્રારા સચીન ગોડાઉન મેનેજર પ્રીતીબેન ચૌધરી અને અન્ય સાગરીતો પાસેથી સસ્તા ભાવે અનાજ લઈ તે અનાજની ગુણો બદલી નાંખી બીજી પ્લાસ્ટીકની ગુણોમા ભરી અલગ અલગ રાઈસમીલો તેમજ વેપારીઓને બજાર ભાવે અનાજ વેચી દેતો હતો. આ કૌભાંડ થકી કરોડો રૂપીયાનો આર્થિક લાભ મેળવી આંગડિયા મારફતે તે વ્યવહાર સહ આરોપીઓને પહોંચાડતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યુ છે. એટલુ નહિ, આ આરોપી અગાઉ વર્ષ-૨૦૨૧માં પણ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે અનાજ ટ્રકમાં ભરીને લઈ જતા પકડાય ચુક્યો છે.

Advertisement

તે ઉપરાંત સચીન ખાતેના સરકારી ગોડાઉનમાં પોતાની પત્નિની જગ્યાએ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરી ગોડાઉનમાંથી સરકારી અનાજ સગેવગે કરવા સારૂ ખોટા ડીલીવરી ચલણો બનાવનાર આરોપી ધીરેનભાઈ વિઠ્ઠલભાઇ રાવળ (રહે.ઘર નં.૧૪, નરસિંહનગર સોસાયટી જેરામ મોરારની વાડી પાસે કતારગામ, સુરત)ની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ગેરકાયદેસર રીતે નોકરી કરી કૌભાંડ આચરવામાં મદદગારી કરી હોવાનું બહાર આવ્યુ છે. આ બન્ને આરોપીઓને નામદાર કોર્ટે તા.૦૬/૦૩/૨૦૨૩ સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજૂર કર્યા છે. જેની વધુ તપાસ સુરત ક્રાઇમબ્રાંચની SIT કરી રહી છે.

Continue Reading

ગુજરાત

કલાઇમેટ ચેન્જની સ્થિતિ વચ્ચે જળ, જમીન, અને જંગલના જતન સંવર્ધનના કાર્યોમાં સરકાર સેવાધામ ને યોગ્ય મદદ માટે તત્પર છે ભૂપેન્દ્ર પટેલ

Published

on

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘ દૃષ્ટિ પૂર્ણ નેતૃત્વે ગુજરાતને ‘વનબંધુ કલ્યાણ’ જેવી આદિવાસી સમાજ ઉત્કર્ષની યોજનાની ભેટ આપી, ગુજરાતનાં આદિવાસી બાંધવોને મુખ્ય પ્રવાહમાં જોડવાનું કામ કર્યું છે તેમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આહવા ખાતે જણાવ્યુ હતું.

ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રીભૂપેન્દ્ર્ પટેલ આહવાના સેવાધામ ખાતે ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘પ્રાકૃતિક સંશાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્યાવલોકન’ કાર્યક્રમમાં ઉદબોધન કરી રહ્યા હતા.

મુખ્યમંત્રીએ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી કલાઇમેટ ચેન્જની સ્થિતિ વચ્ચે જળ, જમીન, અને જંગલના જતન સંવર્ધનના કાર્યોમાં સમગ્ર સરકાર તેમની સાથે છે તેમ જણાવી, વિસરાતા ધનધાન્ય ને વધુ લોકભોગ્ય બનાવવા ઉપરાંત સમાજને સ્વાસ્થ્યપ્રદ અન્ન, પાણી મળી રહે તે માટે વડાપ્રધાનએ ‘મિલેટ વર્ષ’ ની ઉજવણી થકી પ્રાકૃતિક ખેતીને પણ વૈશ્વિક સ્તરે નામના અપાવી છે તેમ ઉમેર્યું હતું.

 

આદિવાસી વિસ્તારમાં વિકાસના અવનવા પ્રકલ્પોની ઝાંખી રજૂ કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડો.આંબેડકર વનવાસી ટ્રસ્ટના સમજોપયોગી કાર્યોમાં સરકાર ખૂટતી કડીનું કાર્ય કરશે, તેમ જણાવી સંસ્થાના પ્રયાસોની સરાહના કરી હતી.

Advertisement

દરમિયાન ડો.ગજાનન ડાંગે એ જળ વાયુ પરીવર્તન સાથે જંગલ વિસ્તારની માટીના ધોવાણ અને જંગલની ઘટતી ગીચતા બાબતે સૌએ સાથે મળીને ચિંતા કરવાનો સમય પાકી ગયો છે તેમ જણાવ્યુ હતું.

પ્રાસંગિક ઉદબોધનમાં ડો.ડાંગે એ લુપ્ત થતાં ધન ધાન્યને પ્રાકૃતિક ખેતીના નવતર પ્રયોગથી બચાવી શકશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ‘સેવાધામ’ ના માધ્યમથી વિવિધ શૈક્ષણિક અને સ્વાસ્થ્ય પ્રકલ્પો સાથે સામાજિક, અને સ્વાવલંબન માટેના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે NRM પ્રકલ્પ કાર્યાવલોકન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો.

આહવાના સન્સેટ પોઈન્ટ સ્થિત સેવાધામ ખાતેના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી સહિત ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુવરજીભાઇ હળપતિ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, પૂર્વમંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદી, સહિતના મહાનુભાવો અને સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટના અધ્યક્ષ તુલસીભાઈ માવાણી, ડો.ગજાનન ડાંગે,યશવંતભાઈ ચૌધરી, લલિતજી બંસલ સહિતના અગ્રિમ હરોળના સેવાધારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

કાર્યક્રમના આરંભે શાબ્દિક સ્વાગત કરતાં તુલસીભાઈ માવાણીએ સંસ્થાની કામગીરીનો પરિચય પૂરો પડ્યો હતો. ડો.ગજાનન ડાંગે-અધ્યક્ષ-યોજક-પુણે એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જ્યારે કાર્યાન્તે લલિતજી બંસલે આભાર દર્શન કર્યું હતું.

Continue Reading

ગુજરાત

છોડમાં રણછોડ દેખાય છે તેમ દિવ્યાંગમાં પણ રણછોડ દેખાવા જોઈએ ભુપેન્દ્રપટેલ: મુખ્યમંત્રી

Published

on

છોડમાં રણછોડ દેખાય છે તેમ દિવ્યાંગમાં પણ રણછોડ દેખાવા જોઈએ”
ભુપેન્દ્રભાઈ પટેલ:મુખ્યમંત્રી
આત્મનિર્ભર ભારતથી આત્મનિર્ભર ગુજરાતના સ્વપ્નને ચરિતાર્થ કરવા સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે
ધાર્મિક સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સેવા કાર્યોને યોગ્ય અને જરૂરી મદદની રાજ્ય સરકારની નેમ
વૃદ્ધાશ્રમને રિસોર્ટ તરીકે આકાર આપી”પ્રભુના ઘર” તરીકે નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય પદ્મશ્રી કનુભાઈ ટેલર ઉપાડશે

દિવ્યાંગ વૃદ્ધાશ્રમના ખાતમુહૂર્ત કરીને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના પિતૃઓના આશીર્વાદ લીધા છે:પદ્મશ્રી ડૉ કનુભાઈ ટેલર

ભરૂચ જિલ્લાના ઉચેડિયા ગામે દેશનું પ્રથમ દિવ્યાંગો માટેનું અદ્યતન વૃદ્ધાશ્રમ “પ્રભુનું ઘર”નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે કરાયો શિલાન્યાસ

વૃદ્ધાશ્રમના નિર્માણથી ૨૦૦ જેટલા વૃદ્ધ દિવ્યાંગો માટે ૪૯ જેટલી વિવિધ અદ્યતન સગવડો ઉપલબ્ધ કરાવાશે

:- કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દિવ્યાંગોના ઉત્થાન માટે સતત ચિંતા સાથે અનેક કાર્યો થઈ રહ્યા છે. તેમાં વધુએક છોગું ઉમેરાતાં દિવ્યાંગોને વૃદ્ધાવસ્થામાં કોઈ તકલીફ ન પડે તે માટે સુરતના સેવાભાવી કર્મશીલ અને પદ્મશ્રી કનુભાઈ ટેલરના વિચારો થકી ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે ૪૦ કરોડના ખર્ચે આકાર પામનાર દિવ્યાંગો માટેના વૃદ્ધાશ્રમ “પ્રભુનું ઘર”નું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલેના વરદ હસ્તે શિલાન્યાસ કરાયો હતો.
દિવ્યાંગો માટેના અધ્યતન વૃદ્ધાશ્રમના શિલાન્યાસ વેળાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં દિવ્યાંગોને સમાજની મુખ્ય ધારામાં કેવી રીતે લાવી શકાય તે માટે સતત ચિંતા કરીને તે દિશામાં અનેક યોજના અમલમાં મુકી છે. આ ઉપરાંત ભગીરથ કાર્યને આગળ ધપાવવાના યજ્ઞમાં દેશમાં પ્રથમ વખત દિવ્યાંગો માટેના વૃદ્ધાશ્રમ પ્રભુનું ઘરનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે જે ખરેખર પ્રસંશનીય છે.
વધુમાં મુખ્યમંત્રીએ “છોડમાં રણછોડ દેખાય છે તેમ દિવ્યાંગમાં પણ રણછોડ દેખાવા જોઈએ” તેમ જણાવી આ સંસ્થાના દિવ્ય કાર્યની મુખ્યમંત્રીશ્રીએ સરાહના કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગૌરવશાળી નેતૃત્વમાં વિકાસની ગતિએ હરણફાળ ભરી રહેલા ભારતે વિદેશમાં રોજગારીની તકો ઉભી કરવાનું કાર્ય કર્યું છે, ત્યારે આજનું આ દિવ્ય અને ઈશ્વરિય કાર્યના શિલાન્યાસ થકી દિવ્યાંગો માટેના ભગીરથ કાર્યમાં વધુ એક ઉમેરો થયો છે. જે આત્મનિર્ભર ભારતથી આત્મનિર્ભર ગુજરાતના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે માત્ર સરકાર એકલા હાથે ન કરી શકે તેવા અનેક કાર્યોમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવતી હોય છે.

Advertisement

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ધાર્મિક સંસ્થાઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સમાજલક્ષી કાર્યોને રાજ્ય સરકારશ્રી તરફથી વધુમાં વધુ સહભાગી થવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન ડિસેબલ વેલ્ફર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડૉ.કનુભાઈ ટેલરે કર્યું હતું અને જણાવ્યું હતું કે, દિવ્યાંગોના વૃદ્ધાશ્રમનું શિલાન્યાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના પિતૃઓના આશીર્વાદ લીધા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ડબલ એન્જીનની સરકારમાં દિવ્યાંગજનોનો સાચા અર્થમાં ભાગ્યોદય થવાનો છે.
આ વેળાએ કે.પી. ગ્રુપના ચેરમેન ફારૂકભાઈ પટેલે સંકુલના શિલાન્યાસ પ્રસંગે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,આ કાર્યને છેવાડાના માનવી માટે કરુણાનું ઝરણું સમાન ગણાવ્યું હતું.
શિલાન્યાસના આ કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોના દ્વારા દિપ પ્રાગટ્ય થકી કરવામાં આવી આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનું મંચસ્થ મહેમાનો દ્વારા બુકે તથા શાલ સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ વ્હીલચેર ડાન્સ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. અંતમાં આભાર વિધિ ટ્રસ્ટી મોહનભાઈ નાયરે કરી હતી.
આ પ્રભુના ઘરના શિલાન્યાસ પ્રસંગે જિલ્લાના પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, રિતેશ વસાવા, ડી.કે.સ્વામી, જિલ્લા અગ્રણી મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસવડા ડો. લીના પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી, તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ લીલાબેન વસાવા, તેમજ નિવાસી અધિક કલેકટર એન. આર. ધાધલ, અધિકારીઓ તેમજ પદાધિકારીઓ, દિવ્યાંગ બાળકો મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા.

દિવ્યાંગોના વૃદ્ધાશ્રમના શિલાન્યાસ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુમાનદેવ મંદિરમાં ગુમાનદેવ હનુમાનજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ વેળા તેઓશ્રીની સાથે જિલ્લા અગ્રણીશ્રી મારૂતિસિંહ અટોદરિયા, તેમજ આગેવાનો- જોડાયા હતા.

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.