આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ અમદાવાદના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી અને લોકોની સમસ્યાઓ જાણી.
ભાજપ સરકાર પૂરગ્રસ્ત વિસ્તારોને મદદ કરવામાં નિષ્ફળ: ઇસુદાન ગઢવી
સમગ્ર ગુજરાતમાં પૂરના કારણે થયેલી તબાહી માટે જવાબદાર કોણ?: ઇસુદાન ગઢવી
પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભાજપ સરકાર દ્વારા ખૂબ જ નિરાશાજનક કામગીરી ચાલી રહી છેઃ ઇસુદાન ગઢવી
ભાજપ સરકારની અરાજકતા ને કારણે આજે સમગ્ર ગુજરાતમાં જનજીવન ખોરવાઈ ગયુંઃ ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ લાંભા વોર્ડની લીધી મુલાકાત-પાણી હજુ ઉતર્યા નથી
અમદાવાદ માં ભારે વરસાદ ને લીધે થયેલા નુકશાન ના પગલે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી એ અસરગ્રસ્ત વિસ્તારો ની મુલાકાત લીધી! આમ જનતા ની તકલીફો જાણી! જનતા એ ભ્રષ્ટ ભાજપ દર વર્ષે ડુબાડે છે એવો રોષ પણ વ્યક્ત કર્યો.
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ અમદાવાદના નારોલ વિસ્તાર ના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. ઇસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે રંગોલી નગરના લોકો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ઇસુદાન ગઢવીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ફરી એકવાર ભ્રષ્ટ ભાજપની પોલ ખુલ્લી ગઈ છે. પ્રિ-મોન્સુનના નામે સમગ્ર ગુજરાતમાં ભાજપ સરકારે એક પણ કામ કર્યું નથી, તે આજે સાબિત થઈ રહ્યું છે. રવિવારના વરસાદમાં સમગ્ર ગુજરાતમાં સ્થિતિ વણસી ગઈ હતી અને શહેર થી લઈને ગામડા સુધી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું.
આજે ગુજરાતમાં અનેક લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. ખેડૂતો પરેશાન છે, લોકો કામ પર જઈ શકતા નથી, બાળકોની શાળાઓ બંધ છે, લોકોના ધંધા-રોજગાર મુશ્કેલીમાં છે, પરંતુ ભ્રષ્ટ અને બેશરમ ભાજપ સરકાર હજુ ઊંઘમાં છે. જે રીતે સ્થિતિ બગડી રહી હતી તે પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સરકારે વરસાદ અને પૂરની સમસ્યાને પહોંચી વળવા માટે કોઈ વ્યવસ્થા કરી નથી. આજે ગુજરાતમાં સેંકડો પરિવારો પાસે ખાવા માટે અનાજ નથી અને હવે લોકોને સરકાર પાસેથી કોઈ આશા નથી કારણ કે ગુજરાતની જનતા વર્ષોથી આ રીતે ભાજપની અરાજકતા થી વાકેફ છે.
ભાજપે વિકાસના નામે માત્ર પ્રચાર જ કર્યો છે, પરંતુ પ્રચાર માટે નીકળેલા રથ પણ અનેક જગ્યાએ પાણીમાં અટવાયા છે. વિકાસ યાત્રા અને વિકાસ રથમાં ખર્ચવા માટે સરકાર પાસે પૈસા છે, પરંતુ લોકોને પૂરથી બચાવવા માટે સરકાર પાસે ન તો પૈસા છે કે ન કોઈ વ્યવસ્થા. ભાજપ હંમેશા જનતાના પૈસા થી ખોટા પ્રચારમાં વ્યસ્ત રહે છે. જ્યારે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ગુજરાતભરમાં વિવિધ સ્થળોએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્યમાં લાગેલા છે.
દક્ષિણ ગુજરાતના રાજ્યોમાં સ્થિતિ ઘણી ખરાબ થઈ રહી છે. વલસાડ જિલ્લામાં લોકોને મોટાપાયે નુકસાન થયું છે, પરંતુ વલસાડ ના લોકો માટે સરકાર દ્વારા કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી. થોડા દિવસો પહેલા ભાજપે પોતાની રાજ્યની બેઠકમાં કરેલી ફાઈવ સ્ટાર વ્યવસ્થા જોઈને સ્પષ્ટ થઈ જાય છે કે ભાજપને માત્ર ચૂંટણી અને સત્તાની ચિંતા છે. ગુજરાતની જનતા આ વખતે ભાજપને માફ કરવાની નથી. ભ્રષ્ટ ભાજપના કારણે આ વખતે જનતાને અબજોનું નુકસાન થયું છે, ટૂંક સમયમાં જનતા તેમની સામે અવાજ ઉઠાવશે.
અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ જેવા મોટા શહેરો રાજ્ય ને આર્થિક રીતે મજબૂત કરે છે, પરંતુ આજે વરસાદના કારણે આ તમામ મોટા શહેરોની કમર તૂટી ગઈ છે. આજે મોટા રાજમાર્ગો પર મસમોટા ખાડા પડી ગયા છે, ઘણી જગ્યાએ તો આખા વાહનો ખાડાઓમાં ગરકાવ થઈ ગયા છે. ઘણા સ્થળોએ તૂટેલા રસ્તાઓ ને કારણે ગુજરાતના લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. પરંતુ બહેરી અને મૂંગી ભ્રષ્ટ ભાજપ સરકાર ને આ બધું દેખાતું નથી, કારણ કે ભાજપે ક્યારેય લોકોની સમસ્યાઓ સાંભળી નથી. આજે માત્ર આમ આદમી પાર્ટી છે જે લોકો ના દુઃખમાં સહભાગી બની રહી છે, આ જ આમ આદમી પાર્ટી ની વિચારધારા છે.