Connect with us

congress

રાહુલ ગાંધીના અંગત ગણાતા શાહનવાઝ શેખના ટેકેદારોએ કોંગ્રેસ ભવનમાં તોડફોડ કરી

Published

on

રાહુલ ગાંધીના અંગત ગણાતા શાહનવાઝ શેખના ટેકેદારોએ કોંગ્રેસ ભવનમાં કોના ફાયદા માટે તોડફોડ કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે ત્યારે ખાડિયા જમાલપુર ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાને કોંગ્રેસે ફરીવાર તક આપી છે જેની સાથે જમાલપુર ખાડિયામાં ભડકો થવા પામ્યો છે.સૂત્રો ની વાત સાચી માનીએ તો આ બેઠક પર શાહનવાઝ શેખ દાવેદાર હતા તેઓ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ના અંગત માનવા માં આવે છે તેઓ ખાડિયા વોર્ડમા કોર્પોરેશન ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે હારી ગયા હતા ત્યારે પૂર્વ કોર્પોરેટર શાહનવાઝ શેખ કોર્પોરેશનની ચૂંટણી જીતી શકતા નથી ત્યારે હવે તેઓ ખાડિયા જમાલપુર વિધાનસભાના ઉમેદવાર બનવા માંગતા હતા જોકે કોંગ્રેસ નેતૃત્વે ઇમરાન ખેડાવાળાને ટિકિટ આપી છે ત્યારે પક્ષની શિસ્તને બાજુમાં રાખીને પોતાની વ્યક્તિગત સ્વાર્થ માટે પોતાના ટેકેદારોને કોંગ્રેસના ભવન માં મોકલી ને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તસ્વીર અને કાર્યાલય માં તોડફોડ કરીને કોંગ્રેસના સંસ્કારોને ના શોભે તેવું વર્તન કર્યું હતું.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

congress

ભાજપના રાજમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય હિમ્મતસિંહ પટેલ

Published

on

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકારની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ગુજરાતમાં વારંવાર રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની રહી છે. હાલમાં જ જુનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થયેલ છે જેના કારણે રાજ્યના લાખો બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા. રાજ્યની ભાજપ સરકાર યુવાનોના પ્રશ્નો અંગે અત્યંત અસંવેદનશીલ હોવાનો આ એક વધુ બોલતો પૂરાવો છે. પહેલેથી બેરોજગારીનો ભોગ બનેલા રાજ્યના લાખો બેરોજગાર યુવાનોને પરીક્ષા આપવા જવાનો ખર્ચ, સમયનો દુર્વ્યય અને ભારે હાલાકી ભોગવવા પડ્યા. બેરોજગાર યુવાનો માટે ઉપયોગી આયોજન કે નીતિ ઘડવાને બદલે તેમની હાલાકીમાં વધારો કરવાનું રાજ્યની ભાજપ સરકારનું આ પગલું અત્યંત નીંદનીય છે.

હંમેશની જેમ રાજ્યની પ્રજાના પડખે રહેવાની તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની નેમ સાથે કોંગ્રેસ પક્ષ સતત સક્રિય રહ્યો છે. આ સંજોગોમાં ભાજપ સરકારના વારંવાર પેપરલીંકના અત્યંત ગંભીર અને ગુનાહિત કારનામા સામે વિરોધ વ્યક્ત કરવા તા. ૭ ફેબ્રુઆરી મંગળવારે સવારે ૧૧-૦૦ કલાકે ગાંધી આશ્રમ, સાબરમતીથી કોચરબ આશ્રમ, પાલડી અમદાવાદ સુધી પ્રતિકાત્મક રેલી-કૂચ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાશે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો. જીતુભાઈ પટેલે જણાવ્યું હતુ કે પંડિત જવાહરલાલ નહેરુએ શ્રી ભગવદ ગીતાના ૮માં અધ્યાયના ૨૨ સંસ્કૃત શ્લોકના ઉતારાર્ધ ‘યોગક્ષેમ વહામ્યહમ્’ એટલે કે તમારી સુરક્ષા અમારી જવાબદારીના નેમ સાથે ૧૯ જુન ૧૯૫૬એ લાઈફ ઈન્સ્યોરન્સ એક્ટ લાવી તા.૧ સપ્ટેમ્બર ૧૯૫૬ના રોજ એલઆઈસી જેવી સરકારી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં આખો દેશ ખાસ કરીને મધ્યમ વર્ગ ભાજપ સરકારની રીતિ અને નીતિઓથી ચિંતિત છે. સામાન્ય માણસની મહેનતની બચતના ખર્ચે તેમના નજીકના મિત્રો અને પસંદગીના અબજોપતિઓને ફાયદો થાય તેવી નીતિ અપનાવી રહી છે. ભાજપ સરકાર દ્વારા અદાણી જૂથમાં એલઆઈસી અને એસબીઆઈ જેવી સરકારી સંસ્થાઓના અત્યંત જોખમી વ્યવહારો અને રોકાણોએ, એલઆઈસીના 29 કરોડ પોલિસી ધારકો અને એસબીઆઈના 45 કરોડ ખાતાધારકો પર પ્રતિકૂળ અસર કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં એલ.આઈ.સી.દ્વારા અદાણી જૂથમાં જંગી રોકાણથી એલઆઈસી ને રૂપિયા 33,060 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જયારે એસબીઆઈ અને અન્ય ભારતીય બેંકોએ અદાણી જૂથને મોટી રકમની લોન આપી છે. જયારે અદાણી ગ્રુપ પર ભારતીય બેંકોના લગભગ 80,000 કરોડનું દેવું છે.

કોંગ્રેસ પાર્ટી ક્યારેય કોઈ ખાસ ભારતીય કોર્પોરેટ હાઉસની વિરુદ્ધ નથી રહી, અમે ક્રોની કેપિટાલાસિમની વિરુદ્ધ છીએ અને પસંદ કરેલા અબજોપતિઓને લાભ આપવા માટેના નિયમો બદલવાના વિચારની વિરુદ્ધ છીએ. કોંગ્રેસ પક્ષ હંમેશા ગરીબ અને સામાન્ય માણસની પડખે ઊભો રહ્યો છે અને રહેશે. કોંગ્રેસ પક્ષ કરોડો ભારતીયોના મહેનતની કમાણી કરેલી બચતને જોખમમાં મૂકીને બજાર મૂલ્ય ગુમાવતી કંપનીઓમાં રોકાણના મુદ્દા પર ચર્ચા શરૂ કરવા માટે સંસદમાં લડી રહ્યો છે. તારીખ ૦૬ ફેબ્રુઆરી,૨૦૨૩ને સોમવારના રોજ રાજ્યના ૩૩ જીલ્લા મથકે એલઆઈસી અને એસ.બી.આઈ. ઓફીસની સામે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનો ધરણાં – પ્રદર્શનમાં જોડાશે.

કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણીઓ છે કે, (૧) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા નિષ્પક્ષ તપાસ અથવા હિડનબર્ગના અહેવાલ અંગે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ (૨) એલઆઈસી અને એસબીઆઈ અન્ય બેંક દ્વારા અદાણી ગ્રુપમાં થયેલ રોકાણો અંગે સંસદમાં ચર્ચા અને રોકાણકારોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા.

Advertisement

તાજેતરમાં ભાજપ સરકાર દ્વારા જંત્રીમાં કરવામાં આવેલા અસહ્ય વધારાને પાછો લેવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો. જીતુભાઈ પટેલે જણાવ્યું હતુ કે જંત્રીમાં વધારાના ભાજપ સરકારના અવિચારી નિર્ણયને કારણે સામાન્ય મધ્યમવર્ગના લોકોનું ઘરનું ઘર લેવાનું સ્વપ્ન દોહ્યલું બન્યું છે. પ્રજા વિરોધી આ નિર્ણયથી દસ્તાવેજો, સ્ટેમ્પ ડ્યુટી સહિતની કામગીરીમાં બમણો વધારો થશે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડીપાર્ટમેંટના કન્વીનર ડો. મનીષ દોશી, કો.કન્વીનર હેમાંગ રાવલ, પ્રવક્તા હિરેન બેંકર,  અમિત નાયક ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

amc

પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પરિવાર પ્રત્યે માનવતા દાખવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું..

Published

on

પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પરિવાર પ્રત્યે માનવતા દાખવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું..

 

બહેરામપુરા વોર્ડના સ્વર્ગસ્થ કોર્પોરેટર યુસુફભાઈ અજમેરીના નિધન બાદ તેમના ધર્મ પત્ની હમીદાબેન યુસુફભાઈ અજમેરીની દયનિય સ્થિતિને લઇ અહેવાલ પ્રકાશિત થતા તેની પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહે તેની ગંભીર નોંધ લઇ ને તેઓએ તાત્કાલિક તેની મદદ કરવા માટે બહેરામપુરા વોર્ડના ભાજપના કાર્યકરોને સૂચના આપી હતી ત્યારબાદ બહેરામપુરા વોર્ડના હોદેદારોએ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર યુશુફ અજ્મેરીના પત્નીને રૂબરૂ મળીને તેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ અને રોકડ સહાય કરી હતી..મહત્વ પૂર્ણ બાબત તો એ છે કે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ કોર્પોરેટર નો પરિવાર હોવા છતાં પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહે માનવતા દાખવીને એક ઉત્તમ ઉદાહરણ લોકો માટે પૂરું પાડ્યું છે..

પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાવી

જૈનો દ્વારા 25 ડિસેમ્બરે અમદાવાદમાં વિશાળ રેલીનું કરાયું આયોજન

Advertisement

ગુજરાતના મોટા  કથાકારનો અંતરંગ પળો માણતો વિડીયો વાયરલ !

Continue Reading

congress

નિશિત વ્યાસે અનોખી રીતે જન્મદિવસની કરી ઉજવણી

Published

on

પ્રદેશ કોંગ્રેસના નેતા નિશિત વ્યાસે તેમનો જન્મદિવસ અનોખી રીતે ઉજવી ને સમાજને પ્રેરણા આપી હતી.તેઓ તેમના જન્મદિવસ નિમિતે ગાંધીનગરમાં સેક્ટર 28માં આવેલ સમર્પણ મુકબધિર શાળાના બાળકો સાથે ઉજવણી કર્યા બાદ તેમને ભોજન પીરસ્યું હતું.આમ કરી ને તેઓએ સમાજને એક નવી રાહ ચીંધી છે.તેમની સાથે શહેર જિલ્લાના કોંગ્રેસના હોદેદારો,બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

 

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.